સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સુરેશ જાની


ગામડે પાછી વળી.. – સં. સુરેશ જાની 4

હું દિવ્યા – દિવ્યા રાવત. મારું વતન ઉત્તરાખંડના પર્વતોની ગોદમાં પોઢેલું, નાનકડું પણ રળિયામણું, સરિયાધર ગામ. અત્યારે મારા એ માદરે વતનમાં અમારું જૂનું મકાન તોડાવી પાયાથી ચણાવેલા નવા નક્કોર મકાનના મારા એરક્ન્ડિશન્ડ રૂમમાં નવા જ બનાવડાવેલા ટેબલની સામે, નવી જ ખરીદેલી એક્ઝિક્યુટિવ ખુરશીમાં આરામથી બેસીને હું આ લખી રહી છું.

આમ તો હું સરિયાધર, દહેરાદૂન અને દિલ્હી વચ્ચે ફરતી રહું છું. પણ દિલ્હીની મારી નાનકડી ઓરડીની તે રાતની યાદ હું કદી ભુલી નહીં શકું. આખા દિવસના રઝળપાટ પછી થાકી પાકી હું પલંગમાં પડી હતી. પણ નિંદર મારી વેરણ થઈ ગઈ


લશ્કરી ફસલ – સં. સુરેશ જાની 4

કોઈ લશ્કરના માણસે રિટાયર થઈને ખેતી કરી હોય, એની ફસલની આ વાત નથી! આ ગામમાં જન્મેલા મોટા ભાગના પુરૂષો લશ્કરમાં જોડાય છે. મજાની વાત તો એ છે કે, આ વીરભૂમિ પંજાબ, હરિયાણા કે રાજસ્થાનની વાત પણ નથી. આન્ધ્ર પ્રદેશના મોટા શહેર રાજામુન્દ્રીથી માંડ વીસ માઈલ દૂર, પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તાડપલ્લીગુડમ પાસે આવેલા માધવરામ ગામમાં સૈકાંઓથી લશ્કરમાં કામ કરવાનો રિવાજ છે !

માંડ ૬,૫૦૦ માણસની વસ્તી ધરાવતા આ ગામના દરેક ઘરમાંથી કમ સે કમ એક જવાન તો લશ્કરમાં ભરતી થયેલો હોય જ. કોઈક ઘરમાં તો ચાર ચાર જણ. આજની તારીખમાં ૧૦૯ પુરૂષો લશ્કરમાં કામ કરે છે જેમાંના ૬૫ તો લશ્કરી જવાન છે. બાકીના વહીવટી કામમાં જોટાયેલા છે. ગામની ૭૦ ટકાથી વધારે વસ્તી શિક્ષિત છે


અનાથનું એનિમેશન ભાગ ૨ (સત્યકથા આધારિત) – સુરેશ જાની 10

જાણીતા બ્લોગર અને અમેરિકાવાસી શ્રી સુરેશભાઈ જાનીના સર્જનો નેટવિશ્વ સાથે સંકળાયેલ દરેકને માટે સહજ પ્રેરણાસ્ત્રોત બની રહે છે. આજે તેઓ સત્યઘટના પર આધારિત આવી જ એક વાતનો બીજો ભાગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


અનાથનું એનિમેશન ભાગ ૧ (સત્યકથા આધારિત) – સુરેશ જાની 14

જાણીતા બ્લોગર અને અમેરિકાવાસી શ્રી સુરેશભાઈ જાનીના સર્જનો નેટવિશ્વ સાથે સંકળાયેલ દરેકને માટે સહજ પ્રેરણાસ્ત્રોત બની રહે છે. આજે તેઓ સત્યઘટના પર આધારિત આવી જ એક વાત લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


મેનેજર (પ્રેરણાકથા) – સુરેશ જાની 16

ગુજરાતી વેબવિશ્વમાં જેમના નામને કોઈ ઓળખાણની જરૂર નથી એવા શ્રી સુરેશભાઈ જાની આજે સત્યકથા પર આધારિત એક અનોખી પ્રેરણાદાયક વાત લઈને ઉપસ્થિત થયા છે. બાળકોને તેમના ભવિષ્યને લગતી, કારકિર્દીને લગતી બાબતોમાં નિર્ણય લેવાનો હક્ક હોવો જોઈએ કે નહીં? આશા છે કે સુરેશભાઈની પ્રસ્તુત વાત કિશોરો અને બાળકોની સાથે સાથે માતાપિતાને પણ પ્રેરણા આપી શક્શે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી સુરેશભાઈનો ખૂબ આભાર.