સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પરમ દેસાઈ


રાત રાતના ઓછાયા – પરમ દેસાઈ 1

હું અને સુમિત એ મનહૂસ સાંજે શહેરની હદે આવેલા એક પબ્લિક ગાર્ડનમાં ટહેલવા નીકળ્યા હતા. એ વખતે તો સંધ્યા પૂરબહારમાં ખીલી હતી. થોડા જ વખત પહેલાં વરસી ચૂકેલા વરસાદનાં બૂંદો હજુ પણ વૃક્ષોનાં પાંદડાં પરથી ધીરે-ધીરે સરકી રહ્યાં હતાં. વાદળાઓની ગોઠવણ પછી કેસરિયું આકાશ ગાર્ડનમાં આછો પ્રકાશ રેલાવી રહ્યું હતું. પણ… આટલી આહલાદક સંધ્યા જ કાળ બનીને સુમિત પર તૂટી પડવાની હતી એ બિચારો સુમિત ક્યાં જાણતો હતો !

“યાર લેકચર બંક કર્યું એનો અત્યારે અફસોસ થાય છે હોં. તું શું કહે છે ?” ચાલતાં-ચાલતાં જ સુમિત બોલ્યો. મેં એના કેસરી થઈ ગયેલા ચહેરા સામે જોયું અને હસ્યો:
“તને તો દરેક વખતે ટેન્શન જ હોય, નહીં ? તું કોઈ દિવસ લાઈફને એન્જોય જ નથી કરતો.”
“પણ લેક્ચર બંક માર્યું એમાં શું એન્જોયમેન્ટ ? અને તેં પણ તો કર્યું છે બંક. એકલા મેં થોડું કર્યું છે ?”
“હા તો એમાં કયું આભ ફાટી પડ્યું કે આટલો ઉદાસ થઈ ગયો. અરે, આ સ્કૂલ થોડી છે ? અહીં તો મસ્તમૌલાની જેમ જ રહેવાનું હોય. જસ્ટ કામ ડાઉન યાર, કોઈક કોઈક વાર બંક કરવામાં ય મજા છે યાર. જો તને એવું જ લાગતું હોય તો સાંભળ, ગુરુવારે એ જ લેક્ચર મેડમ એફ-૧૩માં લેવાના છે. ભરી લેજે.”


મિત્રતાનાં સંભારણાં! – પરમ દેસાઈ 3

શિયાળાની એક બપોરે હું મારા ઘરની બાલ્કનીમાં ખુરશી નાખીને બેઠો હતો. ઠંડીને ઓગાળતો મંદ-મંદ તડકો પડી રહ્યો હતો. કાગડા-કોયલ તેમજ ઝાડ-પાનના ધીમા-ધીમા અવાજ સિવાય સાવ શાંતિ હતી. પણ આજે કોણ જાણે કેમ પણ હું મારા પાછલા દિવસો ભણી ભૂતકાળમાં સરી પડ્યો.

આજે મારા મિત્રોની શાળાનાં દિવસોની યાદોથી મારું મન ઘેરાઈ ગયું હતું. મેં મારા મનમાં રહેલી એ વખતની કંઈકેટલી ખાટી-મીઠી વાતો વાગોળવાનું શરૂ કર્યું.


ગુજરાતી ભાષાનું ઘટતું પ્રભુત્વ… – પરમ દેસાઈ 27

ઉપરનાં સંવાદો જરા.. પચતા નથી, નહીં ? બીલકુલ સાચી વાત છે. તમે આવા જ બીજા પણ ઘણા સંવાદો આધુનિક લેખકો – લેખિકાઓનાં પુસ્તકોમાં વાંચ્યા જ હશે. અલબત્ત, મારો હેતુ એ લેખકો – લેખિકાઓની કલમને ટોકવાનો નથી(!) પણ, મારી વાત તમારી સમક્ષ મૂકવાનો છે.

ઉપર મૂકેલા સંવાદોથી તમને એવું નથી લાગતું કે આ ‘આપણી’ ભાષા નથી? એનો લ્હાવો, એનો રંગ, એનો રોમાંચ એમાંથી લુપ્ત જણાય છે. હું તો એને ગુજરાતી ભાષાનું રીતસરનું ‘ખૂન’ કહું છું. તમે જે કહેતા હો, જે માનતા હો એ માનજો!


બોર્ડ એકઝામ્સ – ઓલ ઈઝ વેલ! – પરમ દેસાઈ

વર્ષ દરમિયાનનાં વાંચનનું રિવિઝન કરવા બેઠો ત્યારે મન કઈ કેટલા વિચારોથી ઘેરાયેલું હતું. એને આશ્વાસન આપવા વાળી એક માત્ર વાત હતી – દસમાની, એટલે કે એસ. એસ. સી. પરીક્ષા આપ્યાની. એ આપી હતી એટલે હું મનને વારંવાર એજ આશ્વાસન આપ્યા કરતો કે “દસમાની આપી છે, વાંધો નહીં આવે…”

છતાં મન તો એની ધૂનમાં વિચાર મિશ્રિત ડર ફેલાવ્યે જ જતું હતું. મનને આજ સુધી કોઈ જાણી નથી શક્યું! ખેર, મનમાં તુમુલ યુદ્ધ જામ્યું હતું. એવું તે તુમુલ કે ભારત-પાકિસ્તાન જ જોઈ લો! મન અને હ્યદય, બંને એક બીજા સામે ઘર્ષણબાજી ઉપર ઊતરી આવ્યા હતાં.