Daily Archives: October 14, 2016


છોકરમત કોની? – ઈશ્વર પેટલીકર 7

અરૂણાએ માન્યું હતું કે નિરંજન સાથેના લગ્નની ઈચ્છાને મા બાપ વગર વિરોધે સ્વીકારી લેશે. પંદર વરસ ઉપર જે ઘરે મોટી બેનને પરણાવી હતી તે જ ઘરે એના દિયર સાથે પોતાના લગ્નનો વિરોધ કરવાનું કારણ ન હતું. વળી મોટીબેનને પરણાવી ત્યારે ભાવિ જમાઈની અંગત લાયકાત તરફ ધ્યાન આપ્યું ન હતું. ધરનો ધંધો છે એટલે ઓછું ભણતર જીવનની કારકિર્દીમાં અવરોધરૂપ બનવાનું ન હતું. મોટીબેન જેટલો એસ.એસ.સી. સુધીનો મૂરતિયાનો અભ્યાસ પૂરતો માન્યો હતો. જ્યારે નિરંજનનો અભ્યાસ એની અંગત શક્તિ પુરવાર કરતો એન્જિનિયરનો હતો. એન્જિનિયરોની બેકારી જાણીતી હોવા છતાં એની તેજસ્વિતાને લીધે પરિણામ બહાર પડતાં એ જાણીતી પેઢીમાં સારા પગારે નોકરી મેળવી શક્યો હતો.