સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


વિજેતાઓની માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) – ભારતી ગોહિલ, મિત્તલ પટેલ

આજે પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધા ૪ (૨૦૧૮)ના પ્રથમ અને દ્વિતિય વિજેતાઓની કૃતિઓ. પ્રસ્તુત છે દ્વિતિય ઈનામ વિજેતા મિત્તલબેન પટેલની ત્રણ માઈક્રોફિક્શન અને પ્રથમ ઈનામ વિજેતા ભારતીબેન ગોહિલની પાંચ માઈક્રોફિક્શન. બંને વિજેતાઓનો ખૂબ આભાર, તેમની કલમને ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. સમગ્ર સ્પર્ધાની સફળતા માટે મહેનત કરનાર વોલન્ટિયર મિત્રો, ઉત્સાહભેર આટલી મોટી સંખ્યામાં ભાગ લેનાર સર્વે સ્પર્ધકો અને સમયાવધિમાં નિર્ણય આપનાર આદરણીય નિર્ણાયકો સહ સંકળાયેલા સૌનો ખૂબ આભાર.


વિજેતાઓની માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) – લીના વછરાજાની, પાર્થ ટોરોનીલ 2

અને આજથી પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધા ૪ (૨૦૧૮)ના વિજેતાઓની કૃતિઓ. આજે પ્રસ્તુત છે પ્રોત્સાહન ઈનામ વિજેતા લીનાબેન વછરાજાની રચિત ત્રણ માઈક્રોફિક્શન અને તૃતિય ઈનામ વિજેતા પાર્થ ટોરોનીલની ચાર માઈક્રોફિક્શન. આવતીકાલે પ્રથમ અને દ્વિતિય ક્રમાંકે વિજેતા ભારતીબેન ગોહિલ અને મિતલબેન પટેલની માઈક્રોફિક્શન માણીશું.


પાંચ ગઝલરચનાઓ.. – શૌનક જોષી 3

શૌનકભાઈ જોષીની પાંચ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. સંસ્કૃત વિષય સાથે એમ.ફીલ તેમજ ફતેપુરા ગામની સરકારી શાળાના કર્મઠ આચાર્ય, ઉત્તમ વાસ્તુશાસ્ત્રી અને સંવેદનશીલ કવિ એવા શૌનકભાઈ ગઝલ અને ગીતરચનામાં વિશેષ રૂચિ રાખે છે. કળાના વિવિધ સ્વરૂપોને માણતા એક અદના અભિનેતા પણ છે અને અક્ષરનાદની ‘પાસવર્ડ’સહિત અનેક શોર્ટફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે એ માટે તેમનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભકામનાઓ..


‘પગથાર’ને વિસામે.. – સંકલિત

‘અક્ષરપર્વ-૨’ ના દિવસે, શીતલબેન ગઢવીએ ફેસબુક ગૃપ ‘ગઝલ તો હું લખું’ નો ચોથો ગઝલસંગ્રહ ‘પગથાર’ ભેટ આપ્યો. કલકત્તાની મારી મુલાકાત દરમ્યાન આવતા-જતાં ફ્લાઈટની લાંબી મુસાફરીમાં એ સંગ્રહની ગઝલોમાંથી પસાર થવાનો અવસર મળ્યો. એમાંથી ઘણી ગઝલો ખૂબ ગમી ગઈ. આજે એ જ સંગ્રહની મને ગમતી થોડીક ગઝલરચનાઓ અહીં પ્રસ્તુત કરી છે. આ પહેલા ‘લઈને અગિયારમી દિશા’ સંગ્રહની વાત પણ અક્ષરનાદ પર મૂકી હતી. આવો સરસ સંગ્રહ આપવા માટે શ્રી મગન મકવાણા ‘મંગલપંથી’ને અનેક શુભકામનાઓ.. અને સંગ્રહના સર્વે ગઝલકાર મિત્રોને હાર્દિક અભિનંદન. સોશિયલ મિડીયાના સાર્થક ઉપયોગની દિશામાં આ ગૃપ સદાય અગ્રસર રહ્યું છે, એ હજુ આગળ વધતું રહે એવી અભિલાષા.. સંગ્રહની પ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.


ચાર ગઝલરચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ 4

‘પરબીડિયામાં હવા મોકલી છે..’ અને ‘હું હવે કાગળ ઉપર’ એવા બે સુંદર ગઝલસંગ્રહ આપણને આપનારા કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો ઘણાં વખતે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. દરેક ગઝલને ભવપૂર્વક સંભળાવતા, એ ગઝલો પરના પ્રતિભાવોને ગંભીરતાથી લેતા જિતેન્દ્રભાઈ ખૂબ સંવેદનશીલ કવિ છે, એમની ગઝલોમાં એમનું ભાવવિશ્વ, અનુભૂતિ અને અનુભવો ઉડીને આંખે વળગે છે. આજની તેમની ચારેય ગઝલો પણ એ જ સંવેદના લઈને આવે છે. આ ગઝલો અક્ષરનાદને પાઠવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને મબલખ શુભકામનાઓ.


બે કાવ્યો – પ્રહલાદ પારેખ 2

એક છોરી

એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી.
આંખો તણાં બે નિજ ટાંકણાંથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.


કવિ-ધર્મ, ફૂલદાની, મેઘાણી (પદ્યરચનાઓ) – ગની દહીંવાલા 4

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં એક ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. આજે એમની ત્રણ સુંદર રચનાઓ પ્રસ્તુત કરી છે. મેઘાણી માટે એ કહે છે,

‘અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી!
નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ, મેઘાણી!’

તો કવિ-ધર્મ વિશે વાત કરતા એ કહે છે,

ભેટ દુનિયાની રહી દુનિયા સુધી પહોંચાડવી
આટલું કરજે કવિ, બસ આટલું કરજે કવિ!

આશા છે વાચકમિત્રોને શ્રી ગનીચાચાની આ ત્રણેય રચનાઓ રસતરબોળ કરી દેશે.


ઈસુની છબી ટિંગાડતા.. – ઉશનસ્ 2

ઈસુની હત્યા તેમને ક્રોસ પર ચડાવી, શરીરમાં ખીલા જડીને કરવામાં આવી હતી. કવિ ઈસુની છબી દિવાલ પર ટિંગાડતી વખતે એ કરુણ ઘટના સાથે મનોમન તાદમ્ય અનુભવે છે. એમના મનુષ્ય તરીકેના અપરાધભાવની અનુભૂતિ આ રચનામાં છે. કવિનું સંવેદનશીલ હ્રદય એવો પ્રશ્ન પણ પૂછે છે કે મહાપુરુષોની આવી દુર્દશા કરતી માનવજાત કઈ રીતે અટકશે? આ ચોટદાર સોનેટ અદ્રુત અને અસરકારક રીતે વાચકને ચોટ આપી જતું બન્યું છે.


તડકો – લાભશંકર ઠાકર

પરોઢના ઝાકળછાયા તડકાની આરપાર દેખાતી સૃષ્ટિ અદ્ભુત બની જાય છે. એમાં સ્થિર પદાર્થો ગતિશીલ ભાસે છે, કવિએ આ રચનામાં એનું ચંચળ પ્રવાહી રૂપ ઝીલ્યું છે. ઝાકળથી આચ્છાદિત તડકામાં કવિને સવારમાં લાંબા પડછાયાના પ્હાડ પીગળતા લાગે છે, થોરની કાંટાળી વાડ તરતી ડૂબતી સમીપ આવતી દેખાય છે, ઝાંખાપાંખા દેખાતા બટેરની પાંખનો અવાજ માત્ર જ સંભળાય છે. દ્રશ્યો ઝાંખા છે. પણ અવાજ સ્પષ્ટ છે. કવિ એ અવાજોને સહારે શૈશવના સંસ્મરણોમાં તલ્લીન બની જાય છે.


ડીસેમ્બર ૨૦૩૦ – વિશાલ ભાદાણી 3

૩૨૮: ઓહ નો! એને નઈ ખબર હોય કે આપણા બધા જ મેઈલ્સ વંચાય છે.

૧૧૭ : આઈ ડોન્ટ નો! એમ્પ્લૉઇ કોડ નંબર ૩૪૦ એવું કહેતા હતા કે કોડ નંબર ૨૩૧નો એ પર્સનલ મેઈલ ઈમોશન-ડિટેકશન-સોફ્ટવેરમાં રન કરવામાં આવ્યો અને તરત જ સિસ્ટમે “યુ આર ફાયર્ડ”  એવો ઓટો જનરેટેડ મેઈલ મોકલી દીધો.


ત્રણ ગઝલરચનાઓ – પરબતકુમાર નાયી

શ્રી પરબતકુમાર નાયીની ત્રણ કાવ્યરચનાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેમની ત્રણ ગઝલરચનાઓ તેમણે અક્ષરનાદને પાઠવી છે એ બદલ તેમનો આભાર. તેઓ સરદારપુરા પ્રાથમિક શાળા, મુ. સરદારપુરા, પો. રવેલ, તા. દિયોદર, જિ. બનાસકાંઠાના આચાર્યશ્રી છે.


કેટલીક પદ્યકૃતિઓ – અનિલ ચાવડા 1

આપણા પ્રિય કવિમિત્ર શ્રી અનિલ ચાવડાનો આજે જન્મદિવસ છે. અક્ષરનાદ તરફથી અનિલભાઈને તેમની જ રચનાઓ દ્વારા શુભેચ્છાઓ. ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે અને તેમની કલમને આમ જ કાયમ ઐશ્વર્ય બક્ષે જેથી આપણે તેમની રચનાઓથી અભિભૂત થતા રહીએ. આમ તો તેમની અસંખ્ય રચનાઓ ખૂબ ગમે છે, અને એટલી જ લોકપ્રિય છે, એમાંથી આજે થોડીક મનને નજીક એવી કૃતિઓ માણીએ.


ત્રણ પદ્યરચનાઓ – ધનિક ગોહેલ 1

જુનાગઢના શ્રી ધનિક ગોહેલ અમદાવાદના એલ.ડી. એન્જિનિયરિઁગ કોલેજમાં ‘સાહિત્ય સરિતા’ અંતર્ગત ૨૦૧૬થી દર વર્ષે ઈજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે થતા અનોખા ત્રિદિવસિય સાહિત્ય મેળાવડાના સ્થાપક અને આયોજક છે. મિકેનિકલ શાખામાં બી.ઈ કરી તેઓ હવે ગુજરાતી સાહિત્યમાં એમ.એ કરી રહ્યાં છે. વિવિધ વિષયો પર પોતાના વિચાર જાહેર મંચ પરથી મૂકે છે, ૫૦થી વધુ વ્યાખ્યાન તેઓ આપી ચૂક્યા છે. તેમની પદ્યરચનાઓ અનેક સાહિત્ય સામયિકોમાં પ્રસિદ્ધ થઈ છે. અક્ષરનાદમાં તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે. રચનાઓ પાઠવવા બદલ તેમનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


પાંચ પદ્યરચનાઓ.. – સંકલિત 4

આજે પ્રસ્તુત છે શ્રી હાર્દિક મકવાણા (હાર્દ), શ્રી દેવિકા રાહુલ ધ્રુવ, ડો. હેમાલી સંઘવી, શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન‘ અને શ્રી બાલકૃષ્ણ સોનેજી ‘બે-ગમ’ ની પદ્યરચનાઓ. પાંચેય સર્જકમિત્રોનો અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


બે ગઝલરચનાઓ – દિલહર સંંઘવી 1

કવિશ્રી દિલહર સંઘવીનું પુરું નામ હરિપ્રસાદ મોહનલાલ સંઘવી, મુંબઈ ખાતે ૧૮-૧૧-૧૯૩૨ના રોજ જન્મ. આજીવન સિહોર (જી. ભાવનગર) રહ્યાં. પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગૌતમી’માં ગીત ગઝલ અને મુક્તકના સર્જન પછી મુખ્યત્વે ગઝલમાં સર્જન કર્યું. ‘કસ્તુરી’ અને ‘દિશા’ પછી મરણોત્તર સંગ્રહ ‘મનોરથ’ પ્રગટ થયો. મિત્રોએ અગાઉના ત્રણ સંગ્રહોમાંથી ચયન કરીને ‘પસંદગી’નું પ્રકાશન કર્યું. પ્રસ્તુત બંને ગઝલો અખંડ આનંદ સામયિકના શ્રી હરીકૃષ્ણ પાઠક સંપાદિત ‘કાવ્યકુંજ’ અંતર્ગત ‘આપણી કવિતા સમૃદ્ધિ અને નવાં કાવ્યો’માં ફેબ્રુઆરી ૨૦૧૮ના અંકમાં પ્રસ્તુત થયા છે, તેમાંથી અહીં સાભાર લીધા છે.


બ્રિજ પાઠકનું કાવ્ય આસ્વાદ પુસ્તક ‘કવિતા.કોમ’ : ડાઊનલોડ 1

આજે #WorldPoetryDay વિશ્વ કવિતા દિવસ છે. એ ઉપલક્ષ્યમાં અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે વડોદરાના યુવા કવિ શ્રી બ્રિજ પાઠકનું કાવ્યઆસ્વાદ પુસ્તક ‘કવિતા.કોમ’


ત્રણ પદ્યરચનાઓ – પરબતકુમાર નાયી 4

એટલે સાલ્યા કરે છે આંગણાને ખોટ એની,
આજ પણ એ આંખ અંદર લઈને પડછાયા ફરે છે.

* *
રડે છે આજ પણ શેરી વચાળે આંખ બે પ્યારી,
તમે આવો, તમે આવો બધા રટણા લગાવે છે.

* *
તું કહે તો હાથ કાંટાથીય વીંધાવી શકું,
પણ પછી હું લાગણીનો છોડ નૈ વાવી શકું.


એક અપીલ – ધ્રુવ ભટ્ટ 9

૯૨ વર્ષે મેડિકલ કારણોસર બ્રેઈનસ્ટ્રોક આવે તે શક્યતા છે, છાપાએ અને અહેવાલ તૈયાર કરનારાઓએ આટલા નીચા ન ઉતરવું જોઈએ. ભગત સાહેબની માંદગીને વિવાદમાં ઘસેડનારાઓને સાહિત્યકાર ગણવાથી પણ હું દૂર રહીશ. ભગત સાહેબ પીડામુક્ત થાય તેવી પ્રાર્થના. હું સાહિત્યની ગણાતી હોય તેવી બધી જ સંસ્થા વિખેરીને સાહિત્યને સ્વાયત્ત અને મુક્ત કરી દેવા ભલામણ કરું છું. નવયુવાનોને વિનંતિ કરું છું કે ક્યાંય સંસ્થા સાથે જોડાય નહીં.

– ધ્રુવ ભટ્ટ


પુસ્તક સમીક્ષા ‘કસ્તૂરી કી તલાશ’ – ડૉ. સુરેન્દ્ર વર્મા; ભાષાંતર: હર્ષદ દવે 1

રેંગા એક એકત્રિત કરેલ શ્રુંખલાબદ્ધ કાવ્ય છે. આ બે કે બેથી વધારે સહયોગી કવિઓ દ્વારા રચાયેલી એક કવિતા છે. રેંગા કવિતામાં જે રીતે બે અથવા બેથી વધારે સહયોગી કવિ હોય છે તે જ રીતે તેમાં બે અથવા બેથી વધારે છંદ પણ હોય છે. પ્રત્યેક છંદનું સ્વરૂપ એક ‘વાકા’ (અથવા ‘તાંકા’) કવિતા જેવું હોય છે. આ રીતે રેંગા કેટલાયે (ઓછામાં ઓછા બે) કવિઓ દ્વારા રચિત વાકા કવિતાઓના સંચયનું સાધારણ સંયોજન કરીને બનાવવામાં આવેલી એક શ્રુંખલાબદ્ધ કવિતા છે.


ત્રણ ગઝલ – ડૉ. મુકેશ જોષી 2

સોંપ્યું તને, હે રામ! હવે થાય તે ખરું,
તારે હજારો કામ, હવે થાય તે ખરું.

* * *

ઈર્શાદ કહે તો બોલવું, એવી પરંપરા છે,
ચાબૂક પડે તો દોડવું, એવી પરંપરા છે.

* * *

હાથ ઊંચા બે કરી ખંખેરવા જેવા હતા,
એમ મોટા’ભાના મ્હોરા પહેરવા જેવા હતા.


ચોકોલેટ ગીતો – યશવંત મહેતા 1

જન્મી છે બેન..

ચુનમુનબેને જાણ્યું જ્યારે જન્મી છે એક બેન;
ઘડી ન એને જંપ વળે ને ઘડી પડે નહિ ચેન.

કેવા એના હશે હાથ-પગ? કેવાં હશે નેન?
કેવે મુખડે હશે બોલતી મીઠાં મીઠાં વેણ?


કેટલીક ગઝલરચનાઓ.. – મુકેશ ધારૈયા 8

બિલખા રોડ, જૂનાગઢના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે સિેનીયર લેક્ચરરના પદ પર કાર્યરત મુકેશભાઈ ધારૈયાની અક્ષરનાદ પર આ પ્રથમ પોસ્ટ છે. તેમણે કેટલીક ગઝલરચનાઓ અક્ષરનાદને પાઠવી છે જે બધી જ આજે અહીં પ્રસ્તુત કરી છે. અક્ષરનાદ પરિવારમાં મુકેશભાઈનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને તેમની કૃતિઓ પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર.


પદ્યરચનાઓ.. – પારૂલ બારોટ, આરોહી શેઠ, ભાવના મહેતા, અનુજ સોલંકી, કિલ્લોલ પંડ્યા, 7

મારી અંગત વ્યસ્તતાઓ અને અનિશ્ચિત જીવનપદ્ધતિ વચ્ચે ઘણાં સમયથી અક્ષરનાદ પર મૂકવાની બાકી રહી ગયેલી અનેક મિત્રોની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. પારૂલ બારોટ, આરોહી શેઠ, ભાવના મહેતા, અનુજ સોલંકી અને કિલ્લોલ પંડ્યાની પદ્યરચનાઓ આજની આ પોસ્ટમાં શામેલ છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક બદલ સૌ સર્જક મિત્રોનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


સબસે બડા રૂપૈયા – વિનોબા 2

આપણી મુખ્ય ખામી એ છે કે આપણે આસપાસના ગરીબો સાથે પૂરા એકરૂપ થઈ શકતા નથી, અને મારા મતે એ ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી આપણે પૈસાનો આધાર છોડતા નથી અને શરીરશ્રમ પર ઊભા થતા નથી. આમ તો આપણે થોડો પરિશ્રમ કરતા હોઈએ છીએ, પણ તેટલો પૂરતો નથી. આપણે શરીર શ્રમથી રોટી કમાવાનું વ્રત લેવું જોઈએ અને પૈસાથી મુક્ત થવું જોઈએ. તેના વિના શક્તિશાળી અહિંસા પ્રગટ નહીં થાય. ઈશુ જે કહી ગયા છે, તેને હું અક્ષરશ: માનું છું કે સોયના છેદમાંથી ઊંટ પસાર થઈ શકશે, પરંતુ પૈસાનો મોહ રાખનાર અહિંસાનો સાક્ષાત્કાર નહીં કરી શકે.


પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ 2

કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમનો તરોતાજા ગઝલસંગ્રહ ‘પરબીડિયામાં હવા મોકલી છે..’ પાઠવ્યો, એમાંથી આજે આ ગઝલો સાભાર લીધી છે, સંગ્રહ માણવાની ખૂબ મજા પડી. અક્ષરનાદ પર તેમની ઘણી કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક મળી છે અને તેમની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એટલે તેમનો સંગ્રહ જોઈને ખૂબ આનંદ થયો. જીતેન્દ્રભાઈ ખૂબ ઋજુ હ્રદયના અને નિતાંત સંવેદનશીલ કવિ છે, તેમની દરેક ગઝલ અનોખી વાત લઈને આવે છે. સુંદર સંગ્રહ બદલ કવિશ્રીને ખૂબ શુભકામનાઓ, તેમની કલમ સતત આમ જ સર્જનરત રહે એવી અપેક્ષા..


તારા જન્મદિન પર – ભરત કાપડીઆ 1

શું ખપે આ વરસગાંઠે?
શુભકામનાની મઘમઘતી મજૂસ,
જોઈ સર્વ લોક થાય ખુશ.

ભરી તેમાં થોડી મોજમઝા ને ઝાઝો બધો રાજીપો,
ચપટીક સૌન્દર્ય ને કુલ નંગ ગપતાલીશ ચમત્કારો.
થોડી થોડી છટા ને ખોબલે ખોબલે પ્રેમ,
આંખો ભરાય એટલી સફળતા,


માઈક્રોકાવ્યો.. – પારસ હેમાણી 6

લઘુકાવ્યો, ઉર્ફ માઈક્રોકાવ્યોનો ખૂબ સુંદર સંગ્રહ પારસભાઈ હેમાણીએ ભેટ આપ્યો. ૧૦૮ મણકાની માળાના એ કાવ્યોમાંથી પસાર થતાં અને માણતા કાવ્યરચનાઓથી ક્યાંય વધુ વાતો એમાં બિટવીન ધ લાઈન્સ મળી. આ સુંદર કાવ્યરચનાઓનો સંગ્રહ “આપણી વાત” માંથી પસાર થવાની તક આપવા બદલ પારસભાઈનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. આજે તેમના સંગ્રહમાંથી માણીએ કેટલીક જાનદાર રચનાઓ.. આ સંગ્રહમાં એટલી બધી સરસ લઘુકાવ્ય રચનાઓ છે કે એક પોસ્ટમાં નથી લઈ શકાયા એટલે તેનો બીજો ભાગ પણ માણીશું.


વિશ્વ માતૃભાષા દિવસ – ભરત કાપડીઆ 10

વિશ્વ માતૃભાષા દિવસ ગઈકાલે હતો, એના ઉપલક્ષમાં શ્રી ભરતભાઈ કાપડીઆનો આજનો લેખ વિચારતા કરી મૂકે એવો છે.


ચાર કાવ્યરચનાઓ – ડો. હેમાલી સંઘવી, વિપુલ પટેલ, રમેશ ચાંપાનેરી 2

આજે પ્રસ્તુત છે સર્જકમિત્રોની કુલ ચાર કાવ્યરચનાઓ. ડો. હેમાલી સંઘવીનું સુંદર અછાંદસ છે “જિંદગી, તું ખૂબસૂરત છે!” અને વિપુલ પટેલ “તોફાન”નું સુંદર અછાંદસ છે “બા” તો સાથે સાથે શ્રી રમેશભાઈ ચાંપાનેરીની બે કાવ્યરચનાઓ પણ પ્રસ્તુત છે. ત્રણેય મિત્રોનો અક્ષરનાદને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ત્રણ કાવ્યરચનાઓ – દેવિકા ધ્રુવ 1

(૧) માણસ હવે, માણસને કૈં મળતો નથી. ને જો મળે, તો એ હવે હસતો નથી. બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે, કોઈ તમારા આંગણે જડતો નથી. દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર, એકલો પડે,પણ એ સૂનો પડતો નથી. રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ, એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી. મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!. માણસ હવે, માણસને ઓળખતો નથી! મંદિર હવે મનમાં કરે તો સારું છે. બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી. જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા, એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી! (૨) કોમ્પ્યુટર યુગમાં નવું વાંચતા, હવે સૌને આવડે છે! આંગ્ળીઓના ટેરવે નાચતા, હવે સૌને આવડે છે! પાટી-પેનને નેવે મૂક્યાં, ડસ્ટર-બસ્ટર તો હવામાં, ‘કી’ની ક્લીકથી લખતા ભૂંસતા, હવે સૌને આવડે છે! જુનૂ ને જાણીતું સઘળું નવા આકાર લઈ રહ્યું છે. લો, આડી રીતે ઘી કાઢતા, હવે સૌને આવડે છે! ડુંગર ખોદી ઉંદર કાઢે, પ્રખ્યાતિના પહાડ જીતે. ધીરા ડગથી દ્વારો વાસતા, હવે સૌને આવડે છે! સમજી જા ‘દેવી’, ચેતી જા વહેલી, નહીં તો, અહીં તો, “કસીનો’ જેવું રમતા, લૂંટતા, હવે સહુને આવડે છે. (૩) પડછાયો… The Shadow – અંગ્રેજ કવિ શ્રી Walter de la Mare ની કવિતાનો ભાવાનુવાદ.. સૂરજના છેલ્લાં કિરણો ઢળે, ને જગત આખું યે રાતના દરિયામાં ડૂબે; ત્યારે ઉપર ઊંચે એક મોટો, ગોળ ચંદ્ર તરે છે. એના ઉછીના લીધેલા તેજથી, પથરા,ઘાસ, તરણું, ઝીણામાં ઝીણું તણખલું નજરમાં આવે તે સઘળું, ચમકાવી ધૂએ છે. ધીરા પગલે હું, શ્વેત,ચોક્ખી દિવાલ પાસે જાઉં છું. જ્યાં મારો એક અંગત સંગ રાહ જોતો ઉભો હોય છે. એક અનુચર…. શાંત, અક્કડ અને ઉત્તેજક. હું જે કાંઈ કરું, […]