Yearly Archives: 2017


કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપળી.. – રમેશ ચાંપાનેરી

ભાઈ-ભત્રીજાના હાથે બાંધવા માટે,
બહેન જ્યારે અમને ખરીદવા નીકળતી,
ત્યારે એના લહેકામાં
જાણે ભાભી શોધવા નીકળી હોય,
એવો ઉમંગ રહેતો.
એવી હરખપદુડી બનતી કે
જાણે દરિયામાંથી
મોતી શોધવા ન નીકળી હોય?

અમને શોધવામાં એ અડધો દિવસ,
ને અડધો ડઝન દુકાન ફેંદી નાંખતી.
પછી જેવી ગમતી રાખડી મળી જાય,
એટલે જાણે માડી જાયો સગો ભાઈ મળી ગયો
એમ હરખઘેલી બનતી


ચોકોલેટ ગીતો – યશવંત મહેતા 1

જન્મી છે બેન..

ચુનમુનબેને જાણ્યું જ્યારે જન્મી છે એક બેન;
ઘડી ન એને જંપ વળે ને ઘડી પડે નહિ ચેન.

કેવા એના હશે હાથ-પગ? કેવાં હશે નેન?
કેવે મુખડે હશે બોલતી મીઠાં મીઠાં વેણ?


ભેજાફ્રાય કે આપણી ભાષાની કમાલ! – હર્ષદ દવે 12

અખો કહે છે, ‘ભાષાને શું વળગે ભૂર?’ બાય ધ વે ‘ભૂર’ એટલે શું તેની બહુ ઓછાને ખબર હશે. તેનો અર્થ છે : મૂર્ખ, લુચ્ચું. પણ તેનો સુરતી અર્થ છે ‘નામશેષ’. એ ઉપરાંત તેનો અર્થ છે ઘણું કે વધારે!

મને ભાષા પ્રત્યે પ્રેમ છે. ભલે પછી તે ગુજરાતી હોય કે હિન્દી કે પછી અંગ્રેજી. આજે અહીં ભાષા વિષે સાવ નવી જ વાત કરવી છે.

જો તમે તમારા મગજને સ્વસ્થ અને સતર્ક રાખવા ઈચ્છતા હો તો હિન્દી ભાષાનો ઉપયોગ કરો. આપણા દેશના વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ અંગ્રેજી ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા બોલવાથી મગજ વધારે તંદુરસ્ત રહે છે. નહીં, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે કે મને તેના પ્રત્યે આકર્ષણ છે માટે હું આ નથી કહેતો.


સડ્ડા પિંડ.. (અમૃતસરની મુલાકાતે) – ગોપાલ ખેતાણી 66

અમારી ઈચ્છા સવારે જ સુવર્ણ મંદીરના દર્શન કરવાની હતી. પરંતુ “વાહેગુરુ ઈચ્છા બળવાન!” શહેરમાં અને હોટેલોમાં ભીડ જોઈને એવું લાગ્યું કે બધાંને અમારી જેમ અમૃતસર જ ફરવું હતું કે શું? બે – ત્રણ હોટેલ ફર્યા બાદ એક હોટેલમાં બે રૂમ મળી ગઈ. સ્નાનાદિથી પરવારી, વ્યવસ્થિત ચા-નાસ્તો કરી અમે બાર વાગ્યે જલીયાંવાંલા બાગ જોવા નિકળ્યા. સૂરજદાદા પણ જાણે કૃપા વરસાવવામાં કોઈ કમી ન રાખવાના હોય એમ ખુલ્લી આંખે હાજરાહજૂર હતા.

પણ જેવા અમે જલીયાંવાલા બાગના પરિસરમાં પહોંચ્યા કે તડકાનું દુઃખ થોડી વાર માટે વિસરાઈ ગયું. જલીયાંવાલા બાગથી લઈ સુવર્ણ મંદીર સુધીનો પરિસર છેલ્લા બે-ત્રણ વર્ષમાં ખુબ સુંદર રીતે ડેવલપ કર્યો છે. તમને કોઈ યુરોપિયન શહેર જેવો આભાસ થાય. બાગને ખુબ સારી રીતે વિકસાવ્યો છે અને વ્યવસ્થીત સાચવ્યો પણ છે. અહીં યાદી માટે ફોટોગ્રાફીને ન્યાય આપ્યો. બાગના પરિસરમાં એ કૂવો પણ જોયો જ્યાં હજારો નિર્દોષ લોકોએ પોતાના જીવની કુરબાની આપી હતી. એ નરસંહારનું દ્રશ્ય વિચારીને હતપ્રભ થઈ જવાયું.


હું જ મારો મિત્ર, હું જ મારો શત્રુ – હરેશ ધોળકીયા 4

એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ.એસ.સીમાં કેટલીક શાળાઓનું પરિણામ ૩૦% થી ઓછું આવ્યું હતું. તેમાં પણ કેટલીકનું તો ૦% આવ્યું હતું. તેના કારણો અને ઉપાયો શોધવા શિબિર યોજવામાં આવી હતી.

તેમાં બોલવાનું થયું ત્યારે એક સવાલ પૂછાયો કે આવું પરિણામ આવવાનું સંભવિત કારણ શું હોઈ શકે? તેના તરત જવાબો આવવા લાગ્યાઃ બાળકો નબળાં આવે છે, તેમને પ્રાથમિકમાં બરાબર શિક્ષણ નથી અપાતું, માતા-પિતા ઘરે ધ્યાન નથી આપતાં, સરકારને પડી નથી, સરકાર બીજા એટલા કામો સોંપે છે કે વર્ગમાં જવાનો સમય જ નથી મળતો… આવી લાંબી યાદી આવી. અને હકીકત હતી કે આ બધાં જ કારણો સાચાં હતાં.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૪) 5

સગાઇ બાદ સરિતાબેન નિલયને સમજાવતા, “જો બેટા, દુનિયામાં ક્યારેય એકસરખી બે વ્યક્તિ ના મળે. ભગવાને દરેક વ્યક્તિમાં વિવિધતા મૂકી હોય. અનુષા ખરેખર બહુ જ ડાહી છોકરી છે. તું એને કોઈની સાથે સરખાવીને ના માપ. જેમ જેમ તું એની સાથે સમય ગાળીશને એમ એમ એ તને ગમવા લાગશે. અને તું એને વધારે સારી રીતે સમજી શકીશ. તું જોજેને… લોકો જોતા રહી જશે એવા ધામધૂમથી તારા લગ્ન કરીશું. તને ખબર નથી તારા માટે યોગ્ય છોકરી શોધવા મેં રાત-દિવસ એક કર્યા છે”….


પરિણામ – તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭) 25

અક્ષરનાદ આયોજીત તૃતિય માઈક્રોફિક્શન સ્પર્ધાના મારા, ડૉ. હાર્દિક યાજ્ઞિકના અને શ્રી નીલમબેન દોશી એમ ત્રણેય નિર્ણાયકોના ગુણના સરેરાશને લઈને વિજેતા બનેલા મિત્રોના નામ નીચે મુજબ છે. ઉપરાંત વિજેતા ન થયેલા પણ જેમની વાર્તાઓ નોંધપાત્ર રહી છે અને અમને નિર્ણાયકોને એક માઈક્રોફિક્શન તરીકે ખૂબ ગમી છે તેમની વાર્તાઓને પણ પુરસ્કૃત કરવાનો વિચાર થઈ રહ્યો છે. વિજેતાઓ માટે ઈનામની જાહેરાત પહેલા જ કરી હતી, એટલે એ સિવાયના આ મિત્રોની વાર્તાઓ પણ કોઈક રીતે પુરસ્કૃત થાય એવી મહેચ્છા છે..


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૩) 7

અનુષાનો ચહેરો લેપટોપની સ્ક્રીન પર દેખાતા જ નિલયના મનમાં વણદેખ્યો ભાર વર્તાવા લાગ્યો. જાણે તે અનુષાથી ભાગવા માંગતો હોય તેમ તરત જ તેનો ફોટો સ્લાઇડ કરી નાંખ્યો. હવે તેની મમ્મીનો ફોટો દેખાયો. મમ્મીના ચહેરા પરની છલકાતી ખુશી જોઈ તેને પણ એક જાતનો સંતોષ થયો. ચાલો મમ્મીની ઇચ્છા તો પૂરી થઈ !

એ ભણેલો ગણેલો બેન્ક મેનેજર હતો. આવક પણ સારી હતી. જો પોલિયોની બીમારીને ન ગણકારો તો એ એક લાયક મુરતિયો હતો. ઉડીને આંખે વળગે એવી ખોડ એટલે તે કોઈને પસંદ કરે એના કરતાં તેને કોઈ પસંદ કરે તે વધારે મહત્વનું હતું. તેને વાંઢાનું લેબલ હટાવવું હોય તો કન્યાની પસંદગી કરવામાં કંઈક જતું કરવું પડે જ. નિલયના મમ્મી પપ્પાએ ઘણી શોધખોળ કર્યા પછી અનુષાની પસંદગી કરી. ભલે તે ગરીબ ઘરમાંથી આવતી હતી પણ તે ઘરરખ્ખુ હોય તેમ લાગતું હતું. મનમાં એક ઉચાટ હતો પણ અંતે દીકરાનું ઘર વસી જશે તેનો સંતોષ પણ હતો.


ગાળ, ગુંડા અને રાજકારણ – ડૉ. સુરેન્દ્ર વર્મા, અનુ. હર્ષદ દવે 12

આજકાલ રાજકારણમાં અપશબ્દો અને ગાળો બોલવી એ એક ફેશન જેવું બની ગયું છે. વ્યક્તિ અને વાત ગમે તે હોય, કાંઈપણ જોયા જાણ્યા વગર બસ દઈ દીધી એક ગંદી ગાળ. પછીથી એ જ ગાળ ચર્ચાનો એક વિષય બની જાય છે. શું ખરેખર તેને ગાળ ગણી શકાય? તે ગાળ છે કે નહીં. શું તે સંપૂર્ણપણે નકારાત્મક છે? શું તેનું કોઈ સકારાત્મક પાસું નથી? બુદ્ધિજીવી આવી ચર્ચાઓમાં ખૂબ જ રસ લેતા હોય છે. તેઓ ચોળીને ચીકણું કરે છે!


કેદારકંઠ શિખર સાથે સાક્ષાત્કાર.. – મેઘના ભટ્ટ દવે 26

નાનપણથી જ કેમ્પિંગ અને ટ્રેકિંગનું મને આકર્ષણ ખરું પણ એવી તકના બારણે ટકોરા પડતા સુધીમાં ઘણો જ સમય પસાર થઈ ગયેલો. જીવનમાં પરિવર્તનો આવતાં રહ્યા અને પ્રાથમિકતાઓ પણ બદલાતી રહી. આ બધાંમાં ટ્રેકિંગમાં જવાનો મારો શોખ અને સ્વપ્ન હૈયાના કોઇક ખૂણે ઢબુરાઇને પડ્યા હતા જેનો મને ખ્યાલ પણ ન હતો. અચાનક જ વર્ષો-જૂનું સપનું સાકાર થવાની તક, હિમાલયના ટ્રેકિંગમાં જોડાવાની તક સામે આવીને જ્યારે ઊભી રહી ત્યારે બેઘડી માટે તો હું અવાચક બની ગઇ અને મારા શરીરમાં એક અજાણ્યા રોમાંચની કંપારી છૂટી ગઈ.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૨) 10

“એમને તો ઊભા થવા ઘોડી જોઇશે ને” એમ સંભળાયું અને હોલમાં સન્નાટો છવાઈ ગયો! સીમા અને સરિતાબેન આશંકિત નજરે નિલય સામે જોઈ રહ્યા. હમણાં નિલય ગુસ્સે થઈ જશે તો ! એ વિચારે બંને મા દીકરી ચિંતિત હતાં. અનુષાના પક્ષના જે લોકો નજદીક હતા એ બધાના ચહેરા પર પણ મુંઝવણ ફરી વળી હતી.

અનુષાની બહેન એ છોકરાને બહાર લઈ જઈ ફુગ્ગો અપાવી ‘આવું ન બોલાય હો બેટા’ એમ સમજાવતી હતી પણ એ બાળકના મનમાં કોઈને ઊભા થવા માટે ઘોડીની જરૂરત હોય છતાં આવું કેમ ન બોલાય એ સમજાતું નહોતું. એક મિનિટ જ વીતી હતી પરંતુ કેટલોય સમય વીતી  ગયો હોય એવું બધાને લાગ્યું હતું ત્યારે નિલય હસીને બોલેલો, “હું તો જામી પડેલો છુ. હવે ઊઠે એ બીજા.” નિલયને હસતો જોઈ હોલમાં પણ હાસ્ય ફરી વળ્યું. સરિતાબેન અને સીમાને હાશકારો થયો. આ બધાથી અજાણ વિવેકભાઈ મહેમાનો સાથે ગપ્પા ગોષ્ટીનો આનંદ લઈ રહ્યા હતા.


દિલ્હીનું અનોખું રવિવારી પુસ્તકબજાર.. દરિયાગંજ બુકમાર્કેટ – જીજ્ઞેશ અધ્યારૂ 11

દિલ્હીમાં જોવાલાયક અનેક સ્થળો છે, ઐતિહાસિક સ્મારકો, અદ્રુત સંગ્રહાલયો, દર્શનીય સ્થળો, ખરીદીના અને ઉજાણીના અનેક સ્થળો.. પણ એ બધામાં મારા જેવા પુસ્તકપ્રેમીને જો કોઈ જગ્યા સૌથી વધુ ગમી ગઈ હોય તો એ છે જૂની દિલ્હીના દરિયાગંજનું રવિવારી પુસ્તકબજાર.

દરિયાગંજ વિસ્તાર આઝાદી પહેલા અંગ્રેજોનો કેન્ટોન્મેન્ટ વિસ્તાર હતો. લગભગ ૧૯૬૪માં શરૂ થયું હોવાનું મનાય છે તે દિલ્હીનું આ પુસ્તક બજાર અનેક રીતે અનોખું છે. નામ જ સૂચવે છે તેમ દર રવિવારે સવારે નવ વાગ્યાની આસપાસ ભરાતું આ પુસ્તક બજાર બપોર સુધીમાં તો મહદંશે ખાલી થઈ જાય છે. લગભગ દોઢથી બે કિલોમીટર લાંબી, સામાન્યથી વધુ પહોળી એવી આ ફુટપાથ પર ફક્ત ચાલવા જેટલી જગ્યા છોડીને અનેક વિક્રેતાઓ તેમના પુસ્તકોની ચાદર પાથરી દે છે. અહીં તમને પીળી પડી ગયેલી વર્ષો જૂની એલિસ્ટર મેલ્કેઈનની નૉવેલથી લઈને મિર્ઝા ગાલિબની ગઝલો સુધીની, તસલીમા નસરીનની લજ્જાથી લઈને સઆદત હસન મન્ટોની વાર્તાઓ સુધીની, GRE, GMAT, Gate, TOEFL, SSC વગેરે જેવી અભ્યાસને લગતી..


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧) 13

“હે ડિયર, ખૂબ ખૂબ અભિનંદન“ વોટ્સએપ મેસેજ કર્યા બાદ ડૉ. આરાધનાએ બે ટીક થઇ ત્યાં સુધી એકીટશે મેસેજ જોયા કર્યો, પછી મોબાઈલ ટેબલ પર મૂકી, બાજુમાં પડેલું કાર્ડ ઉઠાવી બે ચાર વાર ફેરવી ફેરવીને જોયું અને વિચારમાં મગ્ન થઈને એ કાર્ડથી પોતાના મોં પર હવા વીંઝવા લાગ્યા. ‘નિલયની સગાઈ થઇ ગઈ!’ આનંદની સાથે જ આશ્ચર્યની બેવડી લાગણી થઈ આવી.

મોબાઈલમાં મેસેજનો ટોન સાંભળીને નિલયે કમને મેસેજ ખોલ્યો. આંખો સામે ઝબૂકી રહેલા મેસેજે એને જાણે નવેસરથી નીચોવી નાખ્યો. એક ઝનૂન સાથે જવાબ આપ્યા વગર એણે મોબાઈલ પાછો મૂકી દીધો. નજર સામે સતત આવા અનેક મેસેજ તરવર્યા કરતા હતા.


એક ડેટકથા – યામિની પટેલ 13

હું મારી નોટબુકમાં હોમવર્ક કરીએ રહી હતી કે અમારી અમસ્તાં શાંત રહેતી નાનકડી ગલીમાં હોર્ન વાગ્યો. મારાથી તરત બારી બહાર જોવાઈ ગયું. મૂવર્સ અને પેકર્સનો ટ્રક હતો. ઓહ! તો રસ્તાની પેલી બાજુ આવેલા બંધ પડેલા બંગલામાં કોઈ રહેવા આવતું લાગે છે.

કુતૂહલથી બધું છોડીને બારીએ આવી ઊભી રહી ગઈ. હવે ત્યાં ટ્રકની પાછળ એક મોટી કાળી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી બધા ઊતરી ગયા છે એમ માનીને હું એ લોકો વિષે અટકળો કરતી હતી ત્યાં તો ગાડીનું બારણું ખોલી એક છોકરો ઊતર્યો. જિન્સ, ટી શર્ટ, વાંકડિયા વાળ અને ભૂરી આંખો; જિન્સના ખિસ્સામાં હાથ નાખી અદાથી એ ઊભો હતો. લાગતું હતું કે આ બંગલો પહેલી વાર જોઈ રહ્યો છે. જાણે નજરથી એને માપી રહ્યો હોય એમ એ ઘર તેમજ આજુબાજુની લોન જોઈ રહ્યો હતો. પછી ડોક જરાક ગમ્યું હોય એમ હલાવી એ અંદર જવા લાગ્યો. હું એની પીઠ તાકી રહી. હવામાં એના વાળ ઊડી રહ્યા હતા. મને અચાનક થયું, એના આ વાંકડિયા વાળમાં આંગળા ફેરવ્યા હોય તો કેવું? મેં તરત જ માથું હલાવી એ વિચાર ખંખેરી નાખ્યો. ત્યાં તો મમ્મીની બૂમ સંભળાઈ.


પાંચ પ્રસંગકથાઓ – લતા હિરાણી 20

શ્રી લતાબેન હિરાણીએ આલેખેલી પાંચ સુંદર પ્રસંગકથાઓ આજે પ્રસ્તુત કરી છે. આપણા સમાજજીવનમાંથી જ આવતી આ વાતો દરેકને સ્પર્શે એવી મનનીય અને અનુકરણીય છે. આસપાસના અનેક નકારાત્મક ઘટનાક્રમો વચ્ચે લતાબેનની આ હકારાત્મક કથાઓ આપણા માનસમાં આશાનો સંચાર કરશે એ ચોક્કસ. અક્ષરનાદને આ પ્રસંગકથાઓ પાઠવવા બદલ લતાબેન હિરાણીનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


કરણીનું ફળ – કનુ ભગદેવ 6

મનોજ આજકાલ કરતાં ઘણા સમયથી પૈસાદાર બનવાના સપનાં જોતો હતો. એનું ખટપટિયું મગજ સહેલાઈથી પરસેવો પડ્યા વગર ક્યાંથી ને કેવીરીતે પૈસા મેળવવા એના વિચારોમાં જ હંમેશા અટવાયેલું રહેતું હતું. તે મુંબઈમાં ફોર્ટ સ્થિત ડૉ. દાદાભાઈ નવરોજી રોડ પર આવેલ એક રેડીમેડ વસ્ત્રોનાં ભવ્ય અને આલીશાન શોરૂમમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. શોરૂમમાં પાંચ સેલ્સમેનો ઉપરાંત એક હેડ કેશિયર પણ નોકરી કરતાં હતાં. શોરૂમમાં પ્રવેશતાં જ જમણા હાથે આવેલા કાઉન્ટર પાછળ શોરૂમના માલિક જમનાદાસની ઓફિસ હતી.
શોરૂમનો સમય સવારે ૧૦ વાગ્યાથી રાત્રિનાં ૮:૩૦ સુધીનો હતો.

હેડ કેશિયર પીતાંબર શોરૂમ બંધ થયા પછી રાત્રે નવ વાગ્યે હિસાબ કિતાબ લઈને માલિક જમનાદાસની ઓફિસમાં ચાલ્યો જતો. ત્યાં એ પંદર-વીસ મિનીટ રોકાતો. પછી નવ વાગ્યે એક નાની સુટકેસમાં તે આખા દિવસના વેપારની રકમ લઈને બહાર નીકળતો અને રાતના દસ વાગ્યા સુધી કામકાજ કરતી બેંકમાં જમા કરાવી આવતો. બેંકમાં પૈસા જમા કરાવ્યાની રસીદ તે બીજે દિવસે સવારે આવીને ફાઈલમાં મૂકી દેતો હતો. કેશિયરનો આ ક્રમ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ હતો.


કેટલીક ગઝલરચનાઓ.. – મુકેશ ધારૈયા 8

બિલખા રોડ, જૂનાગઢના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે સિેનીયર લેક્ચરરના પદ પર કાર્યરત મુકેશભાઈ ધારૈયાની અક્ષરનાદ પર આ પ્રથમ પોસ્ટ છે. તેમણે કેટલીક ગઝલરચનાઓ અક્ષરનાદને પાઠવી છે જે બધી જ આજે અહીં પ્રસ્તુત કરી છે. અક્ષરનાદ પરિવારમાં મુકેશભાઈનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને તેમની કૃતિઓ પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર.


એકાંકી “હાલરડું” – બાબુભાઇ વ્યાસ 8

એકાંકી નાટક: “હાલરડું”, લેખક શ્રી બાબુભાઇ વ્યાસ

આ નાટક દિર્ગ્દર્શક, ભજવનારાઓ અને સ્ટેજ પર ની પ્રકાશ અને અવાજની વ્યવસ્થા કરવાવાળી વ્યક્તિઓ માટે એક પડકાર રૂપ છે, સમય સર સંવાદ અને રેડીઓ પર થતી ઉદઘોષણાઓ પણ નાટકનું એક મહત્વ નું અંગ છે. ૧૬ ઓક્ટોબર ૧૯૫૨ ના રોજ,ભાવનગર ની એ.વી. સ્કૂલના મધ્યસ્થ ખાંડમાં પહેલી વખત ભજવાયું.

સમય: સને ૧૯૦૦ થી ૧૯૫૨
સ્થળ: હિન્દની કોઈ પણ માંનો ઓરડો

પાત્રો: માં, માસ્તર, વેપારી, સમાજ સુધારક, છાપાવાળો, રેડીઓ એનાઉન્સર, મુસાફર અને માંભારતી

પડદો ખૂલેછે ત્યારે સ્ટેજ ના એક ભાગ પર સ્પોટ લાઈટ ના અજવાળે એક માં તેના બાળક ને પારણામાં ઝૂલાવતી નજરે પડે છે. સ્ટેજ ના બાકીના ભાગ માં અંધારું છે,
માં હાલરડું ગાતી હોઈ છે, “ઓ જશોદાજી આવડો લાડકવાયો લાલ ન કીજીયે”

માં નું હાલરડું ધીમે ધીમે શાંત થતું જાય છે. માં પારણામાંના બાળકને જુવે છે, ફરી હાલારડું ગંગાને છે.. …માં ઝોકે ચડે છે…સ્ટેજના બીજા ભાગ માં અજવાળું થાય છે અને માં નું સ્વપ્નું શરૂથાય છે.


‘સર્જન’ સામયિકનો પાંચમો અંક – સં. રાજુલ ભાનુશાલી 13

આ પાંચમા અંકમાં છે,
માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે મેન બુકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ વિજેતા લિડીયા ડેવીસની વિશેષ મુલાકાત
રાજુલ ભાનુશાલીનો અફલાતૂન સંપાદકીય લેખ જેમાં સાથે સાથે ભળે છે ઉર્દુ સાહિત્યકાર જનાબ સલીમ બિન રઝાક સાથે વાર્તાસ્વરૂપ વિશે વિગતે પ્રશ્નોત્તરી અને હિન્દીના પત્રકાર અને કવિ શ્રી લોકમિત્ર ગૌતમ સાથે લઘુકાવ્ય અને માઈક્રોફિક્શન વચ્ચે સમાનતા વિશે વાર્તાલાપ.
ગોપાલ ખેતાણીની કલમે માઈક્રોફિક્શનના ટચૂકડા તોફાન વિશે મજેદાર લેખ
ટૂંકી વાર્તા, લઘુકથા અને માઈક્રોફિક્શન વિશે વાર્તાકાર શ્રી અજય ઓઝાની કલમપ્રસાદી
અને સાથે સાથે સર્જન ગ્રૂપના નવા-જૂના મિત્રોની ચૂંટેલી સ-રસ માઈક્રોફિક્શન્સ


પદ્યરચનાઓ.. – પારૂલ બારોટ, આરોહી શેઠ, ભાવના મહેતા, અનુજ સોલંકી, કિલ્લોલ પંડ્યા, 7

મારી અંગત વ્યસ્તતાઓ અને અનિશ્ચિત જીવનપદ્ધતિ વચ્ચે ઘણાં સમયથી અક્ષરનાદ પર મૂકવાની બાકી રહી ગયેલી અનેક મિત્રોની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. પારૂલ બારોટ, આરોહી શેઠ, ભાવના મહેતા, અનુજ સોલંકી અને કિલ્લોલ પંડ્યાની પદ્યરચનાઓ આજની આ પોસ્ટમાં શામેલ છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક બદલ સૌ સર્જક મિત્રોનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


ગુજરાતનું કાશ્મીર : ડાંગ – મેહુલ સુતરીયા 13

દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે અડીને આવેલો ડાંગ જિલ્લો . ચારેકોર પથરાયેલું કુદરતી સૌન્દર્ય. બારેમાસ વહેતી નદીઓ,ગીચ જંગલો,ઉંચા વૃક્ષો …. કુદરતે જાણે સ્વર્ગને ધરતી પર ઉતાર્યું ન હોય !!…

ડાંગ સાથે મારે હ્રદયનો સંબધ રહ્યો છે તેનું એક મૂળભૂત કારણ એ કે મારા સસરા આ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે એટલે દર વેકેશનમાં મારી પત્ની નિલમ અને બે પુત્રો આર્યન અને યશ સાથે ત્યાં જવાનું થતું. ડાંગ જવાનું થાય એટલે ઓછામાં ઓછો ૧૦ થી ૧૨ દિવસનો કાર્યક્રમ હોય જ . અમદાવાદમાં જેમ હું બાઈક લઈને ફર્યો છું તેવું જ ભ્રમણ મેં ડાંગના એ ડુંગરાળ અને ઢોળાવો વાળા રસ્તાઓ પર કર્યું છે. સાચું કહું તો ડાંગના એ કુદરતી સૌન્દર્યને ખોબલે ખોબલે પીધું છે અને હજી પણ જાણે તૃષા રહી ગઈ હોય એમ દર વેકેશનમાં ત્યાં જવાનો જાણે કે અંતરમનમાંથી સાદ આવે છે. અને ડાંગના એ બે ગામોની યાદો જ્યાં મેં ઘણો સમય વિતાવ્યો છે એવા સુબીર અને પિંપરી જાણે મને બોલાવે છે.


પર્યાવરણનો વિકાસ – ધ્રુવ ગોસાઈ 2

વિકાસ શબ્દ આપણને સહુને મનપસંદ થઈ પડ્યો છે. કદાચ એ આપણી રહેણીકરણીના સારા-નરસાપણાનો માપદંડ બનવા લાગ્યો છે. વિકાસ જરૂરી ખરો, પણ તેને મેળવવા ખાતર જે ચૂકવણું હોવું જોઈએ એ લઘુત્તમ હોવું ઘટે. આજે જ્યારે આપણે સહુ કદમ મિલાવીને ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત બનાવા તરફ આગળ વધ્યા છીએ ત્યારે પર્યાવરણને લગતી બાબતો આપણા ધ્યાનમાં ન આવે.. કદાચ વિકાસના ભારે લાભ સામે પર્યાવરણવાદી લોકોની દલીલો નગણ્ય જ લાગે. આ બધું સ્વાભાવિક પણ છે, નજીકના ફાયદાને ભોગે દૂરના નુકસાન થોડા જોવા બેસાય! કાર્બન ડાયોક્સાઇડ, એસિડ વર્ષા, ગ્લોબલ વોર્મિંગ જેવા ભારે શબ્દોને સામાન્ય લોકોમાં વાત પૂરતા કે પછી વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધામાં કે ક્યાંક પર્યાવરણના લેખોમાં ધ્યાને આવે છે; બેશક જાણવા જ જોઈએ, પણ સામાન્ય ભારતીયને મન એમાં આપણે ગુમાવવાનું શું?


બિચ્ચારા દુખિયારા! – વલીભાઈ મુસા 8

જિલ્લાની ફેમિલી કોર્ટના ન્યાયાધીશશ્રીની આ ચેમ્બર છે. રિસેસ ચાલી રહી હોવા છતાં કર્તવ્યનિષ્ઠ એવા વિદ્વાન ન્યાયાધીશ શ્રી અનંતરાય રાવલ સાહેબ હેડક્લાર્ક શ્રી ફિરોઝખાનને આજે જ મળેલી એક અરજી વાંચી સંભળાવવા જણાવે છે. માનનીય શ્રી રાવલ સાહેબ ચાની ચુસકી ભરતાં ભરતાં ઝીણી આંખો કરીને ધ્યાનપૂર્વક અરજીનું વાંચન સાંભળી રહ્યા છે. અરજી આ પ્રમાણે છે :

“નામદાર ન્યાયાધીશ સાહેબ,

આપની ફેમિલી કોર્ટના કેસ નં. ૮૯/૨૦૧૬ના સુપર સિનિયર સિટીઝન એવા ફરિયાદી હસમુખલાલ સુખલાલ દુખિયારાની નમ્ર અરજ કે :- વધતા જતા કૌટુંબિક વિવાદોના કારણે ન્યાયાલયોમાં વધી ગયેલા પડતર કેસોના ઝડપી નિકાલ માટે રાજ્યભરમાં જિલ્લાવાર ખુલ્લી મુકાયેલી ફેમિલી કોર્ટો એ શાસકીય પ્રશંસાપાત્ર પગલું હોવા છતાં સુપર સિનિયર સિટીઝનને સ્પર્શતા કેસોને અગ્રીમતા અપાય તે જરૂરી છે. આવા કેસો અનિર્ણિત રહે અને અસરકર્તા ન્યાય મેળવવાની રાહ જોતાં જોતાં જ અવસાન પામે તે શું દયનીય સ્થિતિ ન ગણાય?


શરીર ફર્નીચરનો શો રૂમ છે! – રમેશ ચાંપાનેરી 9

શું સાલું ભગવાને આપણું શરીર બનાવ્યુ! શરીરનો કોઈપણ માલ બહારથી આયાત કર્યા વગર પૃથ્વી પર નિકાસ કર્યો. પાછી પ્રોડક્ટમાં કોઈ મિસ્ટેક નહિ! એમાં કેવાં કેવાં તો ફર્નીચર સેટ કરેલાં. બધા જ ફર્નીચર પાછા એકબીજા સાથે સંકળાયેલા ને એકબીજા સાથે સહકાર પણ કેવો સોલિડ ને સંપ પણ કેવો મજબૂત! જીભડીએ કાલે મારા વિષે લવારો કરેલો એવી જીદ પકડીને, જઠરે ક્યારેય આવેલો માલ અટકાવ્યો નથી. દાંતે ખોરાક ચાવવા માટે હડતાળ પાડી નથી. બધા જ પોતપોતાનું કામ, એક પણ સુપરવાઈઝર કે સી.ઈ.ઓ વગર સંભાળે. ભગવાને વ્યવસ્થા જ એવી બનાવેલી કે એને ધક્કા મારવા જ ન પડે. ‘જીવે ત્યાં સુધી વાપરતો જા, ને હરિના ગુણ તું ગાતો જા. તું તારે જલસા કર બેટા!’ પણ કદર કોને છે?


તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭) 6

માઈક્રોફિક્શન વાર્તાઓના ક્ષેત્રમાં અગ્રસર અક્ષરનાદની આ પહેલા આયોજીત બંને માઈક્રોફિક્શન સ્પર્ધા દરેક રીતે ખૂબ જ સફળ રહી હતી.. આ બે સ્પર્ધાઓએ અનેક નવા માઈક્રોફિક્શન સર્જકો આપણી ભાષાને આપ્યા છે. નવોદિતોને તક આપવાની અને માઈક્રોફિક્શન સાહિત્ય સ્વરૂપને વધુ લોકભોગ્ય બનાવવાની અક્ષરનાદની ઈચ્છાના અનુસંધાને આજે એ જ સ્પર્ધાનો ત્રીજો મણકો લઈને અમે ઉપસ્થિત થયા છીએ.. તો પ્રસ્તુત છે તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા.. aksharnaad micro fiction competition 3


અક્ષરનાદનો અગિયારમો જન્મદિવસ 47

અક્ષરનાદનો આજે અગિયારમો જન્મદિવસ છે. વર્ષોના વહાણાંં વાતા રહ્યાં અને સમય એની મેળે સરતો રહ્યો, જોતજોતામાંં એક દાયકો પસાર થઈ ગયો. વાચકોનો સતત પ્રેમ અને સાહિત્યના માધ્યમે કંઈક પામવાની, કંઈક મેળવવાની ઈચ્છા જ અક્ષરનાદના પાયામાં છે. સર્વે વડીલો, મિત્રો, વાંચનયજ્ઞમાં જોડાઈને અમારા ઉત્સાહમાંં સતત વધારો કરતા બધાંય સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર.


પેંડા – એક ‘મિષ્ટી’ કથા 32

આમ તો ઘણી મિઠાઈઓ પાકશાસ્ત્રમાં પોતાનું સ્થાન ભોગવે છે પણ પેંડા “ઓપનર” તરીકે આજની તારીખે પણ અડીખમ છે. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર લાડવા પણ અડીખમ જ છે. (કેટલાંય ભુદેવો મને આશિર્વાદ આપશે! જય પરશુરામ! જય વિઘ્નહર્તા ગણેશ મહારાજ!) બોર્ડમાં પાસ થયાની ખુશી હોય (હા હા પાસ.. તમારે સાલ્લું બોર્ડ ફર્સ્ટ જ આવવું હોય નહીં??) કે મફતલાલની વચલીનું રમણીકલાલના છગન સાથે ગોઠવાઈ ગયું હોય (હા ભઈ ખબર છે, બેય ચસ્કેલ છે.. પણ તમારે શું?), બચુભાઈનો પોયરો રિલાયન્સ જિઓમાં ગોઠવાઈ ગયો હોય (તમારી ટેણકી એની જોડે ફરતી એ ગમતું નહીં, અને હવે ટેણકી જોડે જ તમે જિઓ સિમ મંગાવ્યું, હેં ને?)


શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૩ – જીજ્ઞેશ અધ્યારૂ 4

સર્જન વોટ્સએપ ગ્રૂપના ‘માઈક્રોસર્જન’ પુસ્તકમાં વ્યસ્તતાને લીધે આ શ્રેણીનો ત્રીજો હપ્તો મૂકવામાં વિલંબ થયો છે. પણ આજનો અને હવે પછીના હપ્તાઓમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય શોર્ટફિલ્મ્સની કેટલીક નોંધપાત્ર ફિલ્મોને તેમની વિશેષતાઓ સાથે મૂકવાનો પ્રયત્ન રહેશે. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે ત્રણ ફિલ્મો, ત્રણેય લંબાઈ, વાર્તાકથન, ફિલ્માંકન અને પ્રકારની દ્રષ્ટિએ તદ્દન ભિન્ન ફિલ્મો છે.


‘સર્જન’ માઈક્રોફિક્શનનું એક વર્ષ.. – જીજ્ઞેશ અધ્યારૂ 28

એક પુસ્તક, ઓગણપચાસ લેખકો અને ૭૦થી વધુ વાર્તાઓ.. ઓગણપચાસમાંથી ચાલીસ પહેલી વખત પ્રિન્ટ થયા.. કાલે સાહિત્ય પરિષદના ગોવર્ધનરામ ત્રિપાઠી હોલમાં સાથે બેસીને જ્યારે બધાના મનની વાતો નીકળતી રહી તેમ તેમ એ સમજાતું ગયું કે આ પુસ્તક ફક્ત એક પુસ્તક નથી, વાર્તાઓનું સંકલન માત્ર નથી, પણ આ પુસ્તક એક જવાબ છે એ તમામ લોકોને જેમણે ક્યાંકને ક્યાંક આ લોકોની અંદર રહેલા સર્જકને પડકાર્યો છે, અવગણ્યો છે, ધુત્કાર્યો છે. કોઈકને માટે ‘તું શું કરી લેવાનો?’ એ પ્રશ્નનો જવાબ શબ્દોથી આપવાને બદલે બતાવી શકાય એવી ક્ષમતા વાળું આ પુસ્તક છે તો કોઈકને માટે પોતાના થીજી ગયેલા જીવનમાં ફરીથી વસંત લાવવાનો આ માર્ગ છે. એક બહેને કહ્યું કે વર્ષોથી કોઈ દિવસ તેઓ તેમના પતિ વગર એકલા નીકળ્યા નથી, પણ આજે સર્જન મેળાવડા માટે આવ્યા. કોઈક પોતાના સામાજીક પ્રસંગોને, કોઈક પોતાની પારિવારીક જવાબદારીઓને તો કોઈક પોતાની નોકરીને આ એક દિવસ માટે ગમે તેમ આઘા ઠેલીને કેમ ભેગા થયેલા? અહીં આવવું સ્વૈચ્છિક હતું, તો આ બધા દૂરદૂરથી કેમ આવ્યા?


સબસે બડા રૂપૈયા – વિનોબા 2

આપણી મુખ્ય ખામી એ છે કે આપણે આસપાસના ગરીબો સાથે પૂરા એકરૂપ થઈ શકતા નથી, અને મારા મતે એ ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી આપણે પૈસાનો આધાર છોડતા નથી અને શરીરશ્રમ પર ઊભા થતા નથી. આમ તો આપણે થોડો પરિશ્રમ કરતા હોઈએ છીએ, પણ તેટલો પૂરતો નથી. આપણે શરીર શ્રમથી રોટી કમાવાનું વ્રત લેવું જોઈએ અને પૈસાથી મુક્ત થવું જોઈએ. તેના વિના શક્તિશાળી અહિંસા પ્રગટ નહીં થાય. ઈશુ જે કહી ગયા છે, તેને હું અક્ષરશ: માનું છું કે સોયના છેદમાંથી ઊંટ પસાર થઈ શકશે, પરંતુ પૈસાનો મોહ રાખનાર અહિંસાનો સાક્ષાત્કાર નહીં કરી શકે.