Yearly Archives: 2017


શોર્ટફિલ્મ આધારિત માઈક્રોફિક્શન (૩૨ વાર્તાઓ) 20

માઈક્રોફિક્શન ગ્રૂપ ‘સર્જન’ના મિત્રોની ધગશ અને મહેનતનું સતત ફરતુ વલોણું અનેક અનોખી અને અંગ્રેજી માઈક્રોફિક્શનની જેમ ‘આઉટ ઑફ ધ બોક્સ’ માઈક્રોફિક્શન સતત આપી રહ્યું છે. ગત અઠવાડીયે અમે એક વિડીયોને આધારે માઈક્રોફિક્શન લખવાનો પ્રયોગ કર્યો. અહીં પહેલા એ વિડીયો મૂક્યો છે અને પછી તેના આધારે લખાયેલી અનેક અવનવી માઈક્રોફિક્શન્સ મૂકી છે. સંજોગોવશાત ગ્રૂપની માઈક્રોફિક્શન વાર્તાઓ ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ. તો આવો માણીએ આ સહિયારો પ્રયાસ..


હત્યારો! – હરિશ્ચંદ્ર 6

મધરાતે એકદમ રાજુભાઈ જાગ્યા. ઘડિયાળમાં ટકોરા પડ્યા… એક…બે… પથારીમાં બાજુમાં હાથ ફેરવ્યો. કાંઈક સ્પર્શનો ભાસ થયો. પણ તે આભાસ માત્ર. ત્યાં કોઈ નહોતું. ક્યાંથી હોય? એ તો હોસ્પિટલમાં છે. એમનું મન ખિન્ન થઈ ગયું. પત્નીની યાદ સતાવતી રહી. ક્યાંય સુધી એમણે પથારીમાં પાસાં ફેરવ્યે રાખ્યાં. એમ કરતાં કરતાં ફરી ઘડિયાળમાં ટકોરા પડ્યા. એક…બે…ત્રણ. કાંઈ ચેન પડતું નહોતું. રાજુભાઈ ઊઠ્યા, બત્તી કરી. હવે ફરી ઊંઘ આવે એમ લાગતું નહોતું. બાથરૂમમાં ગયા, ઠંડા પાણીએ છાલક મારીને મોઢું ધોયું, પછી રસોડામાં ગયા. ફ્રીજમાંથી દૂધ કાઢ્યું. ગેસ પેટાવ્યો, તપેલીમાં પાણી મૂક્યું, કૉફી બનાવી. કપમાં કૉફી પીતાં પીતાં બારી આગળ આવ્યા. બહાર ઘોર અંધારું હતું. આકાશમાંથી ક્ષીણ થયેલો ચંદ્ર દેખાતો હતો, કોઈક ક્ષયગ્રસ્ત માણસ જેવો… કોઈક કેન્સર થયેલા રોગી જેવો. રાજુભાઈને ધક્કો લાગ્યો. રસ્તા પર કૂતરાં રડતાં હતાં.


પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ 2

કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમનો તરોતાજા ગઝલસંગ્રહ ‘પરબીડિયામાં હવા મોકલી છે..’ પાઠવ્યો, એમાંથી આજે આ ગઝલો સાભાર લીધી છે, સંગ્રહ માણવાની ખૂબ મજા પડી. અક્ષરનાદ પર તેમની ઘણી કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક મળી છે અને તેમની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એટલે તેમનો સંગ્રહ જોઈને ખૂબ આનંદ થયો. જીતેન્દ્રભાઈ ખૂબ ઋજુ હ્રદયના અને નિતાંત સંવેદનશીલ કવિ છે, તેમની દરેક ગઝલ અનોખી વાત લઈને આવે છે. સુંદર સંગ્રહ બદલ કવિશ્રીને ખૂબ શુભકામનાઓ, તેમની કલમ સતત આમ જ સર્જનરત રહે એવી અપેક્ષા..


શાશ્વત ગાંધી – ગાંધીવાણી 2

ભાઈ દાદાચાનજી,

તમારા ૨૩મા કાગળનો આ ઉત્તર છે. બાબાને વિશેની મારી સ્થિતિ સ્પષ્ટ કરવા ઇચ્છું છું. કોઈથી બીજાને ઈશ્વરદર્શન કરાવાય છે એમ માનવામાં મને ઘણો સંકોચ છે. હદય ‘ના’ પાડે છે. પણ જ્યારે બાબા એવો દાવો કરે છે ત્યારે હું કહું, ‘તમે મને ઈશ્વર દર્શન કરાવો તો ઉત્તમ.’ જે કહે કે મેં ઈશ્વરદર્શન કર્યાં છે, તેણે કર્યાં જ છે, એમ માનવું જ જોઈએ એવું કાંઈ નથી. ઈશ્વરદર્શન કર્યાનું કહેનારા ઘણાતો ભ્રમમાં પડેલા જોવામાં આવ્યા છે. ઘણાને સારુ તો એ કેવળ પોતાના મનના પડઘા હોય છે. ઈશ્વરદર્શન એટલે કોઈ બાહ્ય શક્તિનું દર્શન, એવું તો હું માનતો જ નથી. કેમ કે ઈશ્વર તો આપણા બધામાં વસે જ છે, એમ મારી માન્યતા છે. પણ તેને કોઈક જ હદયથી ઓળખે છે. બુદ્ધિથી ઓળખવું બસ નથી. આ દર્શન કોઈ કોઇને ન કરાવી શકે એમ મને લાગ્યા કરે છે.


લિન્ડા બેનન અને એનો દીકરો ટિમી – ડૉ. જનક શાહ અને ભારતી શાહ 7

લોકો કહેતા હોય છે કે વિકલાંગ વ્યક્તિ સામાન્ય માનવીની જેમ કાર્ય નથી કરી શકતી, કારણકે તેઓને તેમ કરવામાં તેમની નબળાઈ તેમને નડતી હોય છે. ના, એવું નથી, એક મા પોતે વિકલાંગ હોય છતાં, ગમે તેટલી તકલીફ ભોગવતી હોય છતાં તે પોતાના બાળકને જે કેળવણી આપે છે તે શ્રેષ્ઠ હોય છે. પોતાના બાળકો માટેની સમસ્યાઓનો ઉકેલ લાવી જિંદગી આનંદથી જીવવા માટે કાબેલ બનાવે છે.

આ વાતને આત્મસાત કરનાર છે બે હાથ વગરની માતા! જેણે પોતાના જેવા સંતાનના જીવન જીવવાના અભિગમને કેવું કેળવ્યું તે જાણીશું તો આપણા હાથ બન્નેને સલામ કરવા અચૂક ઊંચકાઈ જશે! ચાલો, હાથ વગર જન્મેલ, ફક્ત પોતાના પગની મદદ વડે દાંતને બ્રશ કરતા, નહાતા, ખાતા અને કમ્પ્યૂટરની ગેમ રમતાં મા-બેટાની જિંદગીમાં એક ડોકીયું કરી લઈએ.


પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ 4

એક દિવસ રાત્રે અંધારામાં મારા ઘરે દરવાજા આગળ એક કદાવર અને બિહામણો માણસ જોયો. તેનો ચહેરો કાળો અને ભરાવદાર હતો. પહેલાં તો હું ગભરાઈ ગયો કે અડધી રાત્રે આ ભયાનક પ્રાણી કોણ છે. પછી મને ખ્યાલ આવ્યો કે આ તો સાક્ષાત યમરાજ લાગે છે. ચોક્કસ મને લેવા આવ્યા લાગે છે. મેં કહ્યું ‘પધારો સાહેબ, આજે આ બાજુ ક્યાંથી ભુલા પડ્યા? શું સ્વર્ગમાં સારા હોશિયાર માણસોની ખોટ છે તે મારે ત્યાં દર્શન દીધાં? અત્યારે હું ચૂંટણીની ધમાલમાં ખૂબ વ્યસ્ત છું એટલે અપોઈન્ટમેન્ટ લઈને આવો તો સારું રહેશે.’ પરંતુ મારું કહ્યું કશું કાને ધર્યું નહીં. તેમણે સીધા સોફા પર આસન જમાવી દીધું.


માલસરના માર્ગે! – ગોપાલ ખેતાણી 30

હરવું, ફરવું, રખડવુ, પ્રવાસ, વિચરણ, યાત્રા, ભટકવું, પિકનિક, ટુર, ડે-આઉટ! અહાહા! ઘણાં બધા નામ….શેના ?

કુપમંડુકવ્રુત્તીમાંથી બહાર નિકળવાના જ સ્તો. “ફરે તે ચરે, બાંધ્યો ભુખે મરે”, સમજવા, અનુસરવા જેવું વાક્ય આપણે નાનપણથી ભણીયે છિએ.

“I would rather walk with a friend in the dark, than alone in the light.” – Helen Keller

પ્રવાસ અને ફરવાના પ્રસંગો તો ઘણાં બન્યા પરંતુ “માલસરનો પ્રવાસ” કંઇક અલગ જ છાપ છોડી ચૂક્યો છે. તો અંતઃકરણે અનુભવેલા, મનએ માણેલા પ્રસંગોને શબ્દોના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરું છું.

આ પ્રવાસ યાદગાર એટલે રહ્યો કે ફક્ત માલસર જવું એટલી જ ખબર હતી, કેવી રીતે જવું, ત્યાં કેટલો વખત રેહવું અને ત્યાંથી બીજે કશે જવું કે નહિ એવુ કશુ પ્લાનીંગ કર્યુ જ નહોતું.
બસ, એમ જ રખડવા નીકળી પડવાનુ, હરીનુ નામ લઇને!


તારા જન્મદિન પર – ભરત કાપડીઆ 1

શું ખપે આ વરસગાંઠે?
શુભકામનાની મઘમઘતી મજૂસ,
જોઈ સર્વ લોક થાય ખુશ.

ભરી તેમાં થોડી મોજમઝા ને ઝાઝો બધો રાજીપો,
ચપટીક સૌન્દર્ય ને કુલ નંગ ગપતાલીશ ચમત્કારો.
થોડી થોડી છટા ને ખોબલે ખોબલે પ્રેમ,
આંખો ભરાય એટલી સફળતા,


મઠારેલું સાહિત્ય – પી. કે. દાવડા 13

ઓગણીસમી સદીના અંત સુધી હિન્દુસ્તાનમાં સાહિત્યના પુસ્તકો છાપવાની સુવિધા ઉપલબ્ધ ન હતી.

અઢારમી સદી પછીના સાહિત્યની થોડી હસ્તપ્રતો મળી આવી છે, નરસિંહ-મીરાંના સમયની હસ્તપ્રતો પણ ઉપલબ્ધ નથી. જે કંઈ હસ્તપ્રતો ઉપલબ્ધ છે, એ અલગ અલગ હસ્તાક્ષરોમાં હોવાથી અન્ય લોકોએ સાચવી રાખવા લખી રાખી હોય, અથવા કોઈએ લહિયાઓ પાસેથી લખાવી અને સાચવી રાખી હોવાનો સંભવ છે. એ સમયનું સાહિત્ય, જે મુખ્યત્વે ભક્તિ સાહિત્ય હતું, એ કંઠોપકંઠ સચવાયેલું હતું, જે વીસમી સદીમાં છાપવાની સેવાઓ ઉપલબ્ધ થયા બાદ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થયું. આને કારણે આજે આપણે જે નરસિંહ – મીરાંની રચનાઓ વાંચીએ છીએ, એ નરસિંહ – મીરાંની મૂળ રચનાઓ કરતાં ખૂબ જ અલગ છે.


માઈક્રોકાવ્યો.. – પારસ હેમાણી 6

લઘુકાવ્યો, ઉર્ફ માઈક્રોકાવ્યોનો ખૂબ સુંદર સંગ્રહ પારસભાઈ હેમાણીએ ભેટ આપ્યો. ૧૦૮ મણકાની માળાના એ કાવ્યોમાંથી પસાર થતાં અને માણતા કાવ્યરચનાઓથી ક્યાંય વધુ વાતો એમાં બિટવીન ધ લાઈન્સ મળી. આ સુંદર કાવ્યરચનાઓનો સંગ્રહ “આપણી વાત” માંથી પસાર થવાની તક આપવા બદલ પારસભાઈનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. આજે તેમના સંગ્રહમાંથી માણીએ કેટલીક જાનદાર રચનાઓ.. આ સંગ્રહમાં એટલી બધી સરસ લઘુકાવ્ય રચનાઓ છે કે એક પોસ્ટમાં નથી લઈ શકાયા એટલે તેનો બીજો ભાગ પણ માણીશું.


શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૨ – જીજ્ઞેશ અધ્યારૂ 2

માઈક્રોફિક્શન વિશે ઘણાંં મિત્રો પૂછે છે કે ‘એ સમજવામાં અઘરી હોવી જરૂરી છે?’ કેટલાક મિત્રો શોર્ટફિલ્મો વિશે પણ પૂછે છે, ‘સહેલાઈથી સમજમાં આવે એવી કેમ નથી?’

મારે કહેવું છે કે આપણી ઘણી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ મુખ્ય કથાનકની સાથે સાથે એક સુંંદર અન્ડરકરંટ લઈને ચાલે છે. ઘણી વખત એવું થાય કે નવલકથાનું કોઈ એક પાત્ર કે કોઈ ઘટના શરૂઆતમાં ફક્ત એક સહજ ઉલ્લેખ પામી હોય એ નવલકથાના કોઈ એક ભાગમાં એક અગત્યનું પાત્ર બનીને ઉપસી આવે. ઉદાહરણ તરીકે અશ્વિની ભટ્ટની ઁગાર્’કે ‘કટીબંધ’જોઈ લો. પણ એથી અલગ માઈક્રોફિક્શન વાર્તાઓ વાર્તાકથનના આદર્શ ફોર્મેટ, એક હકારાત્મક, એક નકારાત્મક પાત્ર, બંને વચ્ચેનો ખટરાગ અને અંતે સત્યની જીત એવા માળખામાં કે ક્યારેક એની આસપાસ પણ હોય એ જરૂરી નથી, આજની ઘણી વાર્તાઓ પોતે પોતાનું અલગ માળખું અને સ્થાન લઈને આવે છે.

દલીલ મૂકીએ તો દરેક વાર્તામાં એક ઍન્ટૅગનિસ્ટ હોય જ, માણસ નહીં તો ક્યારેક સંજોગો તો ક્યારેક નિર્ણયો પણ ઍન્ટૅગનિસ્ટ હોઈ શકે, અને એમાં માઈક્રોફિક્શન પણ બાકાત નથી. જેમ કે સુરેશ જોશીની ટૂંકી વાર્તા ‘જન્મોત્સવ’માં વેલજી ડોસાનું પાત્ર વાર્તાનું આખું માળખુ બદલી આપે છે, વેલજી ડોસો વાર્તાનું મુખ્ય પાત્ર નથી, એ વાર્તાનો ઍન્ટૅગનિસ્ટ પણ નથી, અને છતાંય તમને એના પર તરત જ ઘૃણા થઈ આવે. એ વાર્તાનો પ્રભાવ છે, એક સાથે અનેક વાતો એમાં કહેવાઈ છે. આર્થિક અસમાનતાની, જરૂરતની, ઘૃણાસ્પદ નિર્ણયની અને બાળકની.. ઘણી શોર્ટફિલ્મ્સ આ જ રીતે એક નવો દ્રષ્ટિકોણ આપે છે, અને એ જ તેમને ટૂંકી હોવા છતાં યાદગાર બનાવે છે.

આજે જે ફિલ્મો લીધી છે એ બધી મેં એકથી વધુ વખત જોઈ છે, એ બધી જ મને અનોખી અને મજેદાર લાગી છે. શોર્ટફિલ્મની આ શ્રેણી માટે જો હું એકથી દસ ક્રમ આપું તો આજની આ ત્રણેય ફિલ્મો એમાં અવશ્ય આવે જ..


કથક નૃત્યનું ભાવદર્પણ : ઠૂમરી – સ્વાતિ અજય મહેતા

લલિત ગાયનનો એક પ્રકાર ઠૂમરી ગાયનક્ષેત્રના જેટલો લોકપ્રિય છે તેટલો જ ઉત્તર ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલી કથકમાં પણ અતિ લોકપ્રિય અને તેના અતૂટ હિસ્સા સમાન છે. આ વાતની કથક પ્રેમી રસિકોને વિશેષ રૂપથી જાણ હોય જ. યોગાનુકૂલ પરિવર્તનોની દરેક કલા પર અસર આવતી જ હોય છે. કાલાંતરે કથક નૃત્યપ્રયોગોમાં પણ માત્ર મનોરંજનની ભાવનામાંથી બહાર નીકળી, તેનું પ્રાચીન મંદિર સ્વરૂપ તથા તેના અભિનયની અદાકારીને પૂર્ણ રીતે ખીલવવામાં ‘ઠૂમરી’નું બહુ અમૂલ્ય યોગદાન છે. કથક નૃત્યમાં નર્તનના ત્રણે ભેદો નૃત્ત, નૃત્ય અને નાટ્ય, ત્રણે અંગોનું સમૃદ્ધ અને વૈભવી સ્થાન છે અને એ દ્રષ્ટિએ કથક સંપૂર્ણ શુદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે. ભારતીય પરંપરામાં નર્તન ક્રિયાના ત્રણે ભેદોમાં નાટ્યને રસાશ્રિત, નૃત્તને તાલલયાશ્રિત અને નૃત્યને ભાવાશ્રિત મનાયાં છે. ધનંજયે ‘દશરૂપક’ માં લખ્યું જ છે એ માન્યતાથી નૃત્યનું મુખ્ય કાર્ય ભાવોનું પ્રદર્શન છે.


પાંચ લઘુકથાઓ – સંંકલિત 2

કુમાર સામયિક (મે ૨૦૦૫ અને જૂન ૨૦૦૫)માંથી સાભાર સંકલિત આ વાર્તાઓ છે, ભગવત સુથારની ‘છીંડુ’ અને ‘સોય’, મનસુખ સલ્લા રચિત મજા, ડૉ. કેશુભાઈ દેસાઈ રચિત ‘મોંઘી મા’ અને હરેશ કાનાણી રચિત ‘સરનામું’


આસક્તિ, સુવર્ણની બેડી! – રાધેશ્યામ શર્મા 2

જગતમાં જેટલી પ્રેમ કથાઓ છે ત્યાં રૂપની, સૌષ્ઠવની, આકારની, સૌંદર્યની બોલબાલા છે.

વિજાતીય આકર્ષણનું સામ્રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે. સજાતીય ખેંચાણોમાં પણ દેહનું, પૌદ્દ્ગલિક પિંડનું પ્રભુત્વ હોય છે. પ્રથમ, આકર્ષણ શરીરથી શરૂ થઈ માનસિક અને બૌદ્ધિક ભૂમિકા સુધી પહોંચે છે. આંતરિક સૌંદર્યનું પ્રકર્ષણ, કદર તો મોડેથી થાય. પ્રથમ તો પ્રેમી અને પ્રેમિકાનાં અંગોપાંગનાં લયહિલ્લોલ અને નજાકતની કવિતા પર જ સ્નેહની કથાનો પાયો મંડાય છે.


ડબલીઓ – ઈવા ડેવ 4

જ્યારે તે દિવસે પોલીસો રાધુને (સદ્દગૃહસ્થી નામ રાઘવજી સિસોદિયા, જે જેલના દફતરમાં નોંધાયેલું હતું.) જેલના ‘સી’ વૉર્ડમાં હાથકડીઓ પહેરાવીને પ્રવેશ્યા ત્યારે કેટલાક હરખાયા, તો થોડા દુ:ખી થયા; પરંતુ પોપટલાલ શાહને તો આઘાત લાગ્યો. રાઘો ‘ડબલીઆ’ તરીકે નામચીન થયો હતો; જેલમાં કેદીઓની જમાતમાં, જેલની બહાર પીઠાના ભાઈબંધોમાં ને ખાસ તો પોલીસોમાં, પ્રવેશની જેમ એનું નામ પ્રસ્થાન પણ હરખ અને ઝરઘની લાગણીઓ પેદા કરતું. શેરીમાં શરાબ વહેતો જ્યારે, ત્યારે પોલીસો માથાં ફૂટતાં. કોઈ એને ટૂ-ઈન-વન (ઘરમાં ને જેલમાં) કહેતા; વળી કોઈ એને થ્રી ઈન – વન (ખિસ્સાકાતરૂ – દારૂડિયો ને લંપટિયો) જાહેર કરતા; તો જાનકાર જૂજ એને ફોર ઈન વન તરીકે (ચોર-જુગારી-શરાબી ને ખૂની) ઓળખાવતા.


શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૧ – જીજ્ઞેશ અધ્યારૂ 6

છેલ્લા થોડાક અઠવાડીયાના સતત પ્રવાસને લીધે શોર્ટફિલ્મ્સના વિશ્વને હું ખૂબ નજીકથી જોઈ રહ્યો છું. (થેન્ક્સ ટુ જીઓ) અંગ્રેજીમાં તો અજબગજબની શોર્ટફિલ્મ્સ મોજૂદ છે જ, હોરર, ડ્રામા, રોમાન્સ અને સામાજિક વિષયોને સ્પર્શતી અનેક અંગ્રેજી શોર્ટફિલ્મ્સ ખૂબ વખણાઈ પણ છે. હિન્દીમાં ઘણી સરસ શોર્ટફિલ્મ્સ બની છે. બોલિવુડના નામાંકિત ડાયરેક્ટર્સ ફરહાન અખ્તર, અનુરાગ કશ્યપ, મીરા નાયર વગેરે સિવાય અનેક ફિલ્મો એવી પણ છે જેના દિગ્દર્શકો કે કલાકારોના નામ અજાણ્યા છે, પણ તેમની આ ફિલ્મો જ તેમનો પરિચય આપે છે. આપણે આ શ્રેણીમાં ભાષાથી પર થઈને તેના સત્વ અને ગુણવત્તાને આધારે ઘણી શોર્ટફિલ્મોની વાત વિગતે કરીશું, તેમાં રહેલા માઈક્રોફિક્શનના મૂળને તપાસવાનો યત્ન કરીશું અને સહેજમાં ઘણું કહી જતી એ અસાધારણ ફિલ્મો માણીશું. આજે વાત કરી છે ક્લાઉડિયા બેરીની “ધ ચિકન”, ક્રાયલર એકર્સ્ટ્રોમની ‘રીસેટ’ અને શ્લોક શર્માની ‘બોમ્બે મિરર’ વિશે..


વિશ્વ માતૃભાષા દિવસ – ભરત કાપડીઆ 10

વિશ્વ માતૃભાષા દિવસ ગઈકાલે હતો, એના ઉપલક્ષમાં શ્રી ભરતભાઈ કાપડીઆનો આજનો લેખ વિચારતા કરી મૂકે એવો છે.


આ પપ્પા એટલે? – ડૉ. હાર્દિક યાજ્ઞિક 13

આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા…

આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને એ કેટેગરી માટે નૉમીનેટ કરી જ નથી.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ અંતિમ) – નીલમ દોશી 21

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


કૌરવ સભા – ભગવતીકુમાર શર્મા 4

મંજરી મહેતા, અવિનાશ દીક્ષિત, શાર્દુલસિંહ બ્રાર, જયબાળા કુલકર્ણી, સિલ્વિયા પિન્ટો, આયેશા ફૈઝલ, ધોંડુ પટાવાળો, નન્દન કાગળવાળા, રામ વાસવાણી, બધાં ઓફિસના કામમાંથી પળ-વિપળની ફુરસદ મળતાં જ વળી વળીને એક જ ચર્ચાને ચાકડે ચઢી જતાં હતાં. એકેીક જણની પાસે કંઈક ને કંઈક મહત્વની બાતમી હતી ‘ડિડન્ટ આઈ ટેલ યુ?’ નો ભાવ સહુ કોઈના ચહેરા પર વર્તાતો હતો.

મંજરી મહેતાએ હજી ગઈકાલે સાંજે બરાબર ૭ ને ૪૯ મિનિટે સાહેબ અને મિસિ શીલા શ્રીવાસ્તવને અથવા એમના જેવા કોઈકને ટેક્સીમાં હોર્નબી રોડ પરથી પસાર થતાં જોયાં હતાં ત્યારે શીલાનું માથું સાહેબને ખભે અથવા સાહેબનું માથું શિલાને ખભે ઢળેલું હતું. મંજરીને અફસોસ એટલો જ હતો કે તે ટેક્સીનો નંબર નોંધી લેવાનું ભૂલી ગઈ હતી.


પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ 4

એક વખત યમદૂત રાત્રીના ગાઢ અંધકારમાં મધ્યમ વર્ગના એક સામાન્ય ઘરમાં આવ્યા. નાનો છોકરો મહાકાયા પરથી તેમને ઓળખી ગયો. યમદૂતે કહ્યુંઃ’હું યમરાજ છું તારી માને લેવા આવેલ છું. યમરાજ કંઈ વધુ કહે તે પહેલાં છોકરો યમરાજને કરગરવા લાગ્યો કે મહેરબાની કરીને મારી મા ને છોડી દો. તે આ ઘરનો આધાર છે. પિતા તો પહેલા તમે લઈ ગયેલ છો. આમ છતાં તમારે કોઈને લૈ જવા હોય તો મારી માને બદલે મને લઈ જાવ.

યમરાજ ચોકરાની વાત સાંભળીને મંદ હાસ્ય કરતાં કહેવા લાગ્યા – અમને રોજ ના કાર્યની સુચી આપવામાં આવે છે એટલે ખાલી હાથે જઈ શકતા જ નથી. પરંતુ સાચું કહું તો અમને તો તને લઈ જવાનો જ આદેશ હતો. પણ તને લઈ જતાં પહેલાં તારી મા વચ્ચે આવી, તે ચોધાર રડવા લાગી અને આજીજી કરવા લાગી કે ગને તેન કરીને મારા દીકરાને બદલે તમે મને લઈ જાવ.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૨૨) – નીલમ દોશી 2

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


હાટમાં સરકાર – કાનજી પટેલ 1

રવિવારે હાટનો દિવસ. છોકરીઓ ઘોઘંબા હાટમાં વસ્તુઓ લઈ ચાલી. ગાતી ગાતી નીકળી. આખી વાટ મધના રેલા પેઠે ગીત રેલાતું હતું:

ઝાડે ઝાડે જગ નોંતર્યા રે, નોંતર્યું વનરાવન
પંખીડું વિવા કરે
કાગડાની કોટે કંકોતરી રે, નોંતરું દેવાને જાય
પંખીડું વિવા કરે


શરબતમાંના વધારાના લીંબુને દૂર કરો – અનુ. ભરત કાપડીઆ 7

મને હજીયે એ દિવસ યાદ છે, જયારે મેં પહેલી વાર લીંબુ શરબત બનાવ્યું હતું. મેં તેમાં જરૂર કરતાં પાંચગણું લીંબુ નીચોવી નાખ્યું હતું. બહુ મોટો ધબડકો થયો. મારે ગમે તેમ કરી એમાં સુધારો લાવવો હતો.

હવે એ ખાટા પ્રવાહીમાંથી લીંબુનો રસ ઓછો કરવો હતો. તો જ એનો સ્વાદ પીવા લાયક થાય. પણ, આહ, એ તે કેમ બને ! કેટલીયે બાબતો ક્યારેય થઇ ન થવાની નથી.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૨૧) – નીલમ દોશી 2

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


ચાર કાવ્યરચનાઓ – ડો. હેમાલી સંઘવી, વિપુલ પટેલ, રમેશ ચાંપાનેરી 2

આજે પ્રસ્તુત છે સર્જકમિત્રોની કુલ ચાર કાવ્યરચનાઓ. ડો. હેમાલી સંઘવીનું સુંદર અછાંદસ છે “જિંદગી, તું ખૂબસૂરત છે!” અને વિપુલ પટેલ “તોફાન”નું સુંદર અછાંદસ છે “બા” તો સાથે સાથે શ્રી રમેશભાઈ ચાંપાનેરીની બે કાવ્યરચનાઓ પણ પ્રસ્તુત છે. ત્રણેય મિત્રોનો અક્ષરનાદને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


નવા રસ્તાની ખોજમાં.. – દિનેશ જગાણી 3

આજે વહેલી સવારે ચાલીને પાછો ફરતો હતો ત્યારે ચાલતા જતા લોકો નું એક ટોળું સામે મળ્યું. આગળ જતાં બીજા લોકો પણ મળ્યા. પછી ખબર પડી એ બધા અંબાજી ચાલતા જતા યાત્રિકો હતા. બે દિવસ પછી પોષી પુનમ હોઈ આ યાત્રિકો અંબાજી જઇ રહ્યા છે. એવું કયું તત્વ છે જે આટલી વહેલી સવારે, જ્યારે બીજા લોકો પથારીમાંથી બહાર નીકળવા વિચાર કરતા હશે ત્યારે આ લોકોને આટલી ઠંડીમાં પોતાના બધા કામ બાજુ પર મૂકી ચાલી નીકળવા પ્રેરિત કરતું હશે?

ત્યાર બાદ તો આખા રસ્તે એ યાત્રિકો અને યાત્રા સબંધી વિચારો આવતા રહ્યા. વહેલી ધુમ્મસ ઓઢેલી સવાર, રસ્તાની બંને તરફ ના લીલા ખેતરો.. પૂર્વ દિશામાંથી ફેલાયેલો આછો પ્રકાશ અને યાત્રિકો ના ચાલ્યા ગયા બાદ એકલા પડી ગયેલા રસ્તા પર ચાલતો હું.


અમારો ગિરનારનો પ્રવાસ – પ્રફુલ્લ સુથાર 2

ગિરનાર વિશે અલકમલકની વાતો સાંભળી હતી ત્યારથી જવાની ઈચ્છા ઉગ્ર બની હતી. નાનો હતો ત્યારે એકવાર ગિરનાર પર્વત ચઢ્યો હતો. એ પછી ક્યારેય એવો સંગાથ નહોતો મળ્યો એટલે જવાનું જ રહી ગયું. ગિરનાર પર્વત જોવા કરતા ચઢવાની ખુબ ઈચ્છા હતી. અને આજે મારો પ્રિય સંગાથ મારી સાથે હતો. એટલે મનથી નક્કી કરીને બપોરે અમદાવાદથી જુનાગઢ જવા નીકળી પડ્યા. બીજા દિવસે સવારે વહેલા ગિરનાર પર્વત ચઢવાનું હતું એટલે વચ્ચે આવતાં જોવાલાયક સ્થળો જોવાનું માંડીવાળીને અમે સીધા પ્રેરણાધામ સાંજે ૭:૧૫ વાગે પહોચ્યા. એડવાન્સમાં ફોન ઉપર રૂમ બુક કરાવી લીધી હતી.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૨૦) – નીલમ દોશી 8

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૯) – નીલમ દોશી 4

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.