પરિણામ – તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭) 25
અક્ષરનાદ આયોજીત તૃતિય માઈક્રોફિક્શન સ્પર્ધાના મારા, ડૉ. હાર્દિક યાજ્ઞિકના અને શ્રી નીલમબેન દોશી એમ ત્રણેય નિર્ણાયકોના ગુણના સરેરાશને લઈને વિજેતા બનેલા મિત્રોના નામ નીચે મુજબ છે. ઉપરાંત વિજેતા ન થયેલા પણ જેમની વાર્તાઓ નોંધપાત્ર રહી છે અને અમને નિર્ણાયકોને એક માઈક્રોફિક્શન તરીકે ખૂબ ગમી છે તેમની વાર્તાઓને પણ પુરસ્કૃત કરવાનો વિચાર થઈ રહ્યો છે. વિજેતાઓ માટે ઈનામની જાહેરાત પહેલા જ કરી હતી, એટલે એ સિવાયના આ મિત્રોની વાર્તાઓ પણ કોઈક રીતે પુરસ્કૃત થાય એવી મહેચ્છા છે..