શિવમહિમ્ન સ્તોત્ર : ગુજરાતી સમશ્લોકી અનુવાદ 20
આજે પ્રસ્તુત છે શિવમહિમા તથા ગુણગાન કરતા પુષ્પદંત રચિત શિવમહિમ્ન સ્તોત્રનો શ્રી ભૂપેન્દ્ર પંચાલ દ્વારા કરાયેલો ગુજરાતી સમશ્લોકી અનુવાદ..
આજે પ્રસ્તુત છે શિવમહિમા તથા ગુણગાન કરતા પુષ્પદંત રચિત શિવમહિમ્ન સ્તોત્રનો શ્રી ભૂપેન્દ્ર પંચાલ દ્વારા કરાયેલો ગુજરાતી સમશ્લોકી અનુવાદ..
પ્રચલિત અને સુવિખ્યાત પુસ્તક ‘અઘોરીઓ સાથે પાંચ દિવસ’ ના લેખક શ્રી સુરેશ સોમપુરા, એક ચિત્રકાર, વ્યંગ ચિત્રકાર, લેખક, તસવીરકાર અને પત્રકાર, પણ વિશેષ અભિરુચિ અધ્યાત્મમાં રહી છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી તેઓએ ધર્મ, અધ્યાત્મ, માનસ અંગે મૌલિક સંશોધન કર્યું છે. મનની શક્તિ – મનોવિજ્ઞાન પ્રત્યેનો તેમનો અભિગમ અધ્યાત્મિક છે. પ્રેમની પ્રાપ્તિ સિવાય અન્યને માટે મનની શક્તિના ઉપયોગનો તેઓ અણગમો દર્શાવે છે. આ વર્ષો દરમ્યાન તેઓ અનેક માંત્રિકો, તાંત્રિકો, ધર્મધુરંધરો અને તત્વજ્ઞાનીઓના પરિચયમાં આવ્યા છે અને ચિંતન મનન અને સાધના પછી આધ્યાત્મિક ક્ષેત્રે પોતાની મૌલિક વિચારસરણી તેઓ લાવ્યા છે. મનની શક્તિ જ મનુષ્યને સર્વોત્તમ બનાવી શકે છે તેમ તેઓ માને છે. આ અંગે તેમણે જાત પર પ્રયોગો અને અન્યને સહાય પણ કરી છે. આ નાનકડી પુસ્તિકામાં તેમણે માનસિક શક્તિ દ્વારા ઐશ્વર્ય, સદબુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ અંગે જીજ્ઞાસુઓને માર્ગદર્શન આપ્યું છે.
અલખ નિરંજન…
બમ બમ ભોલે…
હર હર મહાદેવ…
આવા ભક્તિ સભર નિનાદોથી ગિરનારની ગિરીકંદરાઓ સતત ગુંજતી રહે છે. જુનાગઢ શહેર થી સાત કી.મી.ના અંતરે આવેલ ગરવા ગિરનારના સાનિધ્યમાં બિરાજેલા ભગવાન ભવનાથ મહાદેવના મંદિર તરફ લોકો જઈ રહ્યા છે. કોઈ ચાલીને, કોઈ રીક્ષા કે બસમાં, કોઈ પોતાના વાહનમાં, સૌને એકજ ઝંખના છે. ભગવન ભોળાનાથના દર્શન અને તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળામાં મહાલવું.
મોરગાવના ગણેશપીઠની યાત્રા બાદ અમે બીજી મુલાકાત મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લામાં, કર્જત તાલુકામાં ભીમાનદીને તીરે આવેલ સિધ્ધટેક ગામે શ્રી સિધ્ધીવિનાયકજીનું પ્રાચીન મંદિરની લીધી. સિધ્ધીવિનાયક નામ બોલતાં જ આપણને મુંબઈમાં વસેલા સિધ્ધીવિનાયકની યાદ આવી જાય છે. પરંતુ મુંબઈનાં આ સિધ્ધિવિનાયક તે સિધ્ધટેકનાં જ વિનાયકનું એક સ્વરૂપ છે જે માનવસર્જિત છે. જ્યારે સિધ્ધટેકના સિધ્ધી વિનાયક એ સ્વયંભૂ છે. દ્વાપરયુગનો ઇતિહાસ કહે છે કે ભીમા નદીને તીરે મહર્ષિ વેદવ્યાસજી અને ઋષિવર શ્રી કાકભૃશુંડીજી એ મળીને યજ્ઞ કરાવેલો હતો. આ યજ્ઞ વર્ષો સુધી ચાલ્યો.
બલ્લાલેશ્વર ગણપતિ એ મહારાષ્ટ્રના અષ્ટવિનાયકના મંદિરોમાં તૃતીય ગણપતિ ગણાય છે. આ મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં આવેલ છે. આ સ્થાન સરસગઢ કિલ્લા અને અંબા નદીની પાસે આવેલ છે. અષ્ટવિનાયકમાં એક વિઘ્નેશ્વરાયજી છે જેમણે દેવોના દુશ્મન વિઘ્નાસુરનું નામ ધારણ કરેલું છે. પરંતુ કેવળ એક બલ્લાલેશ્વર ગણેશજી જ એવા ગણેશજી છે જેઓએ પોતાના ભક્તનું નામ ધારણ કર્યું છે.
એક રાજા હતો. રાજાને વિચાર આવ્યો કે હજારો વર્ષથી આ સૃષ્ટિ પર જ્ઞાનની અપરંપાર વૃદ્ધિ થઈ છે. આ સર્વ જ્ઞાનની જાળવણી થવી જોઈએ. સર્વ જ્ઞાન ગ્રંથસ્થ થવું જોઈએ. રાજાએ પંડિતોની સભા ભરી અને પંડિતોને આદેશ આપ્યો – “સૃષ્ટિના સર્વજ્ઞાનને ગ્રંથસ્થ કરો”
પંડિતોને એક મોટો સમૂહ કામે લાગી ગયો. વર્ષૉની મહેનત પછી એક મોટી ગ્રંથમાળા તૈયાર થઈ, પંડિતોએ આ ગ્રંથમાળા રાજાની સમક્ષ રજૂ કરી.
રાજાએ આ વિશાળ ગ્રંથસમૂહ જોયો. આ ગ્રંથમાળા તો ખૂબ સરસ બની હતી, પરંતુ તે વિશાળકાય હતી. રાજાએ પંડિતોને કહ્યું – “અરે! આ તો અતિ વિશાળ ગ્રંથમાળા છે. આટલો મોટો ગ્રંથસમૂહ કોણ વાંચી શકે? ??
અષ્ટ વિનાયક ક્ષેત્રોમાં મોરગાંવને પ્રમુખ માનવામાં આવે છે. પૂનામાં બારામતી તાલુકામાં કન્હા નદીના તટ્ટ પર ભુસ્વાનંદભુવન અર્થાત્ મોરગાંવ ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્રનો આકાર મયૂર જેવો છે તેથી આ સ્થળનું નામ મોરગાંવ પડ્યું. અમેરીકાથી ટૂંક સમય માટે ભારત આવેલા પૂર્વીબેન મોદી મહારાષ્ટ્રના ગણેશ શક્તિપીઠ મયૂરેશ્વરની તેમની મુલાકાત વિશે અને એ સ્થળવિશેષ વિશે વિગતે જણાવે છે.
નવરાત્રીના આજના અષ્ટમીના સપરમા દિવસે પ્રસ્તુત છે માતાની આરાધના અને મહિમાનું વર્ણન કરતી સુંદર રચનાઓ, ગરબા. હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમે પ્રસ્તુત આ સુંદર ગરબાનું ઈ-પુસ્તક આપ સૌને ગમશે એવી આશા છે. પ્રસ્તુત ઈ-પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ હાર્દિકભાઈનો આભાર. આપ અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાંથી આ ઉપરાંત રઢિયાળી રાતના રાસ-ગરબા નું સંકલિત ઈ-પુસ્તક પણ ડાઊનલોડ કરી શક્શો. આ પુસ્તકો માટે જુઓ અક્ષરનાદનો ઈ-પુસ્તક વિભાગ.
પૂર્વીબેનના અભ્યાસ લેખ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતા રહ્યાં છે અને વાચકોનો સુંદર પ્રતિભાવ તેમને મળતો રહ્યો છે. આજે પ્રસ્તુત છે તેમનો એક સુંદર અભ્યાસ લેખ. રાધા વિશે આપણા અભ્યાસુઓ અને વિદ્વાનોમાં અનેક મતમતાંતરો રહ્યા છે. વિદ્વાનો માને છે કે મૂળ ગ્રંથો જેવા કે મહાભારત, વિષ્ણુપુરાણ, શ્રીમદ્ ભાગવત વગેરેમાં તેમનો ઉલ્લેખ નથી. રાધાનો પ્રથમ ઉલ્લેખ જેમાં મળે છે એ બ્રહ્મવૈવર્તકપુરાણના અનેક અન્ય ઘટનાઓ અને પ્રસંગો રૂઢીગત માન્યતાઓ અને પ્રચલિત કથાઓથી ભિન્ન છે એથી બ્રહ્મવૈવર્તકપુરાણ પર પણ અનેક પ્રશ્નો છે. મારે ઉમેરવાનું કે રાધા અને વિરજાના એકબીજાને આપેલા શ્રાપની જે વાત અહીં પૂર્વીબેન મૂકે છે તેમાં વિરજાના સેવક શ્રીદામાનું પણ એક પાત્ર ઉલ્લેખાયું છે, જેને રાધા અસુર તરીકે જન્મવાનો શ્રાપ આપે છે. અનેક સંપ્રદાય શ્રદ્ધા અને ઉપાસનામાં રાધાને કૃષ્ણની સમકક્ષ મૂકે છે. રાધાકૃષ્ણના અનેક મંદિર આપણે ત્યાં છે, નિશ્ચલ પ્રેમનું આ પ્રતીક આપણી સંસ્કૃતિમાં સર્જકો, કવિઓ અને ભક્તોએ હ્રદયસ્થ કર્યું છે, આમ શ્રદ્ધા શંકાઓની ઉપર રહે છે. પૂર્વીબેનનો આજનો લેખ આ જ બાબતને વિશદ રીતે આલેખે છે. સુંદર ચિંતન અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ પૂર્વીબેનનો આભાર અને તેમની સતત સંશોધનની મહેનતને શુભેચ્છાઓ.
આજે ગણેશજીના આગમનનો દિવસ, કહેવાય છે કે પાર્વતીજીએ ગુફાની બહાર બેસાડેલા ગણેશજીએ શિવજીને અંદર જતા રોક્યા, ગુસ્સે થયેલ શિવજીએ તેમનું મસ્તક કાપ્યું, પાર્વતીજીના વિલાપ અને સ્પષ્ટતાએ ગણેશજીને હાથીનું મસ્તક મળ્યું, આમ ગણેશજીનો પુનર્જન્મ થયો એ ઘટના ભાદરવા સુદ ચતુર્થીના દિવસે થઈ હોવાનું મનાય છે. ઈ.સ ૧૮૯૩થી આ દિવસને લોકમાન્ય ટિળકે સાર્વજનિક ઉત્સવના સ્વરૂપે મૂક્યો. ગણેશજીનું પ્રિય ભોજન એટલે લાડુ, તો બામણભાઈનો લાડુ સાથેનો જન્મોજન્મનો નાતો એવું કહેવાય છે, એ જ લાડુ વિશે વિગતે વાત આજે અરુણાબેન જાડેજાના પ્રસ્તુત લેખમાં મૂકાઈ છે. નવનીત સમર્પણના જુલાઈ ૧૪ના અંકમાં પ્રસ્તુત થયેલ આ લેખ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અરુણાબેનનો ખૂબ આભાર.
મહેન્દ્રભાઈ નાયકના ‘શિવસૂત્ર પૂર્વભૂમિકા’ ઈ-પુસ્તકના તેરહજારથી વધુ ડાઊનલોડ થયા છે જ્યારે ‘જ્ઞાનનો ઉદય’ પણ તેરહજારથી વધુ ડાઊનલોડ પામ્યું છે. તેમનું પુસ્તક ‘પ્રણવબોધ’ અક્ષરનાદ પર થોડા સમય પહેલા પ્રસ્તુત થયું હતું અને એ પણ વાચકોના અપાર પ્રેમને પામ્યું. આધ્યાત્મિક લેખનશ્રેણી અંતર્ગત આજે પ્રસ્તુત થઈ રહેલ પુસ્તક ‘માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ’ મહેન્દ્રભાઈ નાયકનું અક્ષરનાદ પર ચોથું પુસ્તક છે. માણ્ડૂક્ય ઉપનિષદનો સૂર મુખ્યત્વે ગૂઢ અને પવિત્ર એવા ૐ કાર અંગેની પૂર્ણ જાણકારી આપવાનો જ રહ્યો છે, જેથી એ જાણકારી મેળવીને સાધક પોતાના મનને યોગ્ય રીતે કેળવે અને તદ્ઉપરાંત ધ્યાન ધરીને, પોતાના આત્માને પરમ વાસ્તવિક્તા સાથે એકરૂપ કરી શકે. આ સુંદર પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં આજથી ઉપલબ્ધ થયું છે એ બદલ મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.
આ૫ણને સ્વાભાવિક જિજ્ઞાસા (પ્રશ્ન) થાય કે આ જીવ દેહથી ઉત્પન્ન થનારા ગુણોમાં રહેતો હોવા છતાં ૫ણ તેમનાથી મુક્ત કઇ રીતે રહે છે? તે ગુણોથી લેપાતો નથી તથા બીજા કેટલાક તે ગુણોમાં બંધાઇ જાય છે, આવું કેમ? બદ્ધ અને મુક્ત પુરૂષનો વર્તાવ કેવો હોય છે? તે કયા લક્ષણોથી જાણી શકાય? તે ભોજન કેવી રીતે કરે? અને શૌચ વગેરે ક્રિયાઓ કઇ રીતે કરે? તે કંઇ રીતે સૂવે, બેસે અને ચાલે? શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે “જે ધીર મનુષ્ય પોતાના સ્વરૂ૫માં સ્થિત રહે છે… સુખ-દુઃખને સમાન તથા જે માટી – પત્થર તેમજ સોનામાં સમાનભાવ રાખે છે, જે પ્રિય અને અપ્રિયમાં સમ છે, જે પોતાની નિંદા કે સ્તુતિમાં ૫ણ સમાન ભાવ રાખે છે, જે માન અને અ૫માનમાં સમ છે, મિત્ર અને શત્રુ ૫ક્ષમાં સમ છે તેમજ સંપૂર્ણ કર્મોના આરંભનો ત્યાગી છે તે મનુષ્ય ગુણાતીત કહેવાય છે.”
સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું પુરણ-પ્રસિદ્ધ શિવલિંગ મહાદેવના બાર જ્યોતિર્લીંગોમાનું ‘સોમનાથ’ મહાદેવનું શિવલિંગ પ્રથમ શિવલિંગ છે. ગુજરાતના વેરાવળના સાગરતટે પ્રતિષ્ઠિત સોમનાથનું જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાં સહુથી પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે અને તેનું પૌરાણિક, ઐતિહાસિક, સામજિક તથા ધાર્મિક મહત્વ આગવું અને અનેરું છે. પ્રસ્તુત છે સોમનાથ અંગે શ્રી હરેશ દવેનું આલેખન, પ્રસ્તુતિ હર્ષદભાઈ દવે દ્વારા કરાઈ છે.
ત્રણસોથી વધુ સંસ્કૃત સુભાષિતોનો અનુપમ સંગ્રહ તથા તેનું ગુજરાતી ભાષાંતર આજે ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યું છે. શ્રી જયેન્દ્ર પંડ્યા દ્વારા સંકલિત આ સુભાષિતો અને તેનું ભાષાંતર આપને ગમશે એવી આશા છે. અક્ષરનાદને આ સુભાષિતો પાઠવવા અને ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જયેન્દ્ર પંડ્યાનો ખૂબ ખૂબ આભાર. આ સંગ્રહ અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાંથી ડાઊનલોડ કરી શકાય છે.
બ્રહ્મસૂત્ર એટલે જનોઈ. જનોઈને ઉપવીત અથવા ઉપનયન શબ્દથી પણ ઓળખવામાં આવે છે. એક બીજો શબ્દ પણ છે, યજ્ઞસૂત્ર. બટુક એટલે કે પુત્રને યજ્ઞ કરીને આપવામાં આવેલું ઉપવીત. આપણાં ચાર વર્ણો પૈકી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને આપવામાં આવેલા સંસ્કારની નિશાની તરીકે બટુકને જનોઈ આપવામાં આવે છે. જનોઈ આપવાની વિધિને યજ્ઞોપવિત કે ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. તે ધર્મપુરુષાર્થમાં કહેલી બત્રીસ કળાઓમાંની એક કળા છે. તે માન આપવાની અથવા પૂજા કરવાની અઢાર રીતોમાંની એક રીત છે. જનોઈ એટલે રૂના તારના ૨૭ તાંતણાવાળું સૂત્ર. ઉપવીતમાં એક ગાંઠ હોય છે એ ગાંઠને બ્રહ્મગાંઠ કહેવામાં આવે છે. હર્ષદભાઈ દવે અહીં પ્રસ્તુત કૃતિમાં ‘બ્રહ્મ’, ‘બ્રહ્મતેજ’ અને ‘બ્રહ્મસૂત્ર’ અથવા યજ્ઞોપવિત એ શબ્દો તથા તેમના તાત્પર્ય અને વિચારસરણી વિશે વિગતે વાત કરે છે. સમયાનુકુળ રીતે પ્રસ્તુત રચના અક્ષરનાદ વાચકો માટે પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.
મહાભારતના ઉદ્યોગપર્વમાં વિદુર અને રાજા ધૃતરાષ્ટ્રના સંવાદો રૂપે રજૂ થયેલ રાજનીતિની વાતો એક આદર્શ રાજ્યકર્તાના ઉત્તમ લક્ષણો વર્ણવે છે. એક ધારણા મુજબ ચાણક્યના નીતિસૂત્રોનો આધાર પણ વિદુરના જ આ સૂત્રો છે. વિદુરનીતિના સંવાદોમાંથી તારવીને અલગ કરેલ નવનીતરૂપી પરિપાક એવા વિદુરના નીતિસૂત્રો શ્રી વિનોદભાઈ માછીએ સંકલિત કરીને અક્ષરનાદને પાઠવ્યા છે. આજે પ્રસ્તુત છે આ જ નીતિસૂત્રો. આ સુંદર પ્રસ્તુતિ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી વિનોદભાઈ માછીનો આભાર
‘પીઓને પ્રેમરસ પ્યાલા’ નામનો એક સુંદર સંકલિત અનામ ભજનસંગ્રહ કોઈક વાચકમિત્રએ અક્ષરનાદને ભેટસ્વરૂપ મોકલ્યો હતો. સંગ્રાહક અને ટીકાકાર તરીકે અહીં દુર્લભદાસ છગનલાલ ભગત છે. લગભગ ‘૯૬ માં પ્રસિદ્ધ થયેલ આ સુંદર અમૃતસાગરના પાને પાને ભજનરસ છે. લગભગ ૩૪૦થી વધુ ભજનોનો અહીં સુંદર આસ્વાદ કરાવાયો છે. તેમાંથી જ આજે દરિયા સાહેબનું ‘નામ બિન ભાવ કરમ નહીં છૂટૈ, સાધ-સંગ ઔર રામ ભજન બિન, કાલ નિરંતર લૂંટૈ……’ એ ભજન તથા તેનો આસ્વાદ પ્રસ્તુત કર્યો છે. શ્રાવણના પ્રારંભે મનના મેલને ધોઈને, નામસ્મરણનો સર્વ ધર્મમાં વર્ણવાયેલ મહિમા અનુભવીને એ સર્વશક્તિમાન તરફ થોડાક ઢળી શકીએ એ જ અભ્યર્થના સહ સર્વે વાચકમિત્રોને શ્રાવણ મહીનાની, માહે રમઝાનની અને આ પવિત્ર સમયમાં ધર્મકાર્યો માટેની શુભકામનાઓ.
માળાના મણકા જેવી કુલ ૧૦૮ અધ્યાત્મકથાઓને વિવિધ ગ્રંથો, વેદોની સંહિતાઓ, બ્રાહ્મણ ગ્રંથો વગેરેમાંથી લઈ, આજના પરિપ્રેક્ષ્યમાં તેમને ઉપર્યુક્ત બનાવી, સંકલિત કરીને સુંદર રીતે પ્રસ્તુત કરાઈ છે શ્રી ભાણદેવજીના પુસ્તક ‘અધ્યાત્મ-કથાઓ’માં. આ પુસ્તક દરેક વાંચનપ્રેમીના પુસ્તકાલયમાં અવશ્ય હોવું જોઈએ. ટૂંકી પરંતુ ચોટદાર વાતો – વાર્તાઓ – ઉદાહરણો આ પુસ્તકને અત્યંત સચોટ અને છતાં મનહર બનાવે છે. પુસ્તક પ્રાપ્ત કરી શકાય છે પ્રવીણ પ્રકાશન, રાજકોટથી. આજે આવી જ એક અર્થસભર વાત અહીં પ્રસ્તુત કરી છે.
શ્રીમદ ભાગવત આપણા ધર્મનો અભૂતપૂર્વ ગ્રંથ છે. જીવન રહસ્ય અને તત્વજ્ઞાનને તેના મૂળભૂત સ્વરૂપે પ્રસ્તુત કરતો આ અનોખો ગ્રંથનો સ્વ. પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ અનેરી નિષ્ઠા અને તન્મયતાથી કથાસ્વાદ કરાવતા અને એ દરમ્યાન જાણે તેઓ વિષયવસ્તુની સાથે એકરૂપ થઈ જતા. આજથી સમયાંતરે ક્રમશઃ આ ગ્રંથના એક પછી એક સ્કંધ પ્રસ્તુત થશે. પ્રથમ ભાગમાં આજથી પ્રસ્તુત છે શ્રીમદ ભાગવતનું માહાત્મ્ય ભાગ ૨. આશા છે આ નવો પ્રયત્ન આપને ગમશે.
શ્રીમદ ભાગવત આપણા ધર્મનો અભૂતપૂર્વ ગ્રંથ છે. જીવન રહસ્ય અને તત્વજ્ઞાનને તેના મૂળભૂત સ્વરૂપે પ્રસ્તુત કરતો આ અનોખો ગ્રંથનો સ્વ. પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ અનેરી નિષ્ઠા અને તન્મયતાથી કથાસ્વાદ કરાવતા અને એ દરમ્યાન જાણે તેઓ વિષયવસ્તુની સાથે એકરૂપ થઈ જતા. આજથી સમયાંતરે ક્રમશઃ આ ગ્રંથના એક પછી એક સ્કંધ પ્રસ્તુત થશે. પ્રથમ ભાગમાં આજથી પ્રસ્તુત છે શ્રીમદ ભાગવતનું માહાત્મ્ય. આશા છે આ નવો પ્રયત્ન આપને ગમશે.
રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તે જાતનું શિક્ષણ પ્રજાને આપવાનું કામ આપણેકરવાનું છે. તેમાં સૌથી પહેલી વાત એ છે કે આપણે લોકશાહી સમાજ રચવાનો છે. આ લોકશાહી આપણા દેશ માટેછ-સાત દાયકા જેટલી જ નવી વાત છે. આપણે ત્યાં એ આવી છે બ્રિટન અને અમેરીકામાંથી. ત્યાંની પ્રજાને એનો સૈકાઓનો અનુભવ છે. ત્યાંનાં શાણાં નરનારીઓએ લોકશાહી સમાજને માર્ગદર્શક એવા કેટલાક વિચારો જગત સામે મૂકેલા છે. તેમાંથી સાવ થોડાક વિચારોને સંકલીત કરીને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાયેલ ટચૂકડી પુસ્તિકામાં મૂકાયા છે. આ ઈ-પુસ્તક આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.
ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે. મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું, તેથી આ દિવસોમાં “ગણપતિ બાપા મોરીયા” ના અવાજોથી વાતાવરણ ગૂંજી ઉઠે છે. ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે. શ્રી ગણેશના જન્મની કથા, તેમના શરીર તથા વાહન અને શસ્ત્રો વગેરે વિશેનું અધ્યાત્મિક રહસ્ય આજે વિનોદભાઈ આપણી સમક્ષ મૂકી રહ્યા છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ગણેશજીના આ ઉત્સવને મન મૂકીને માણો, ભક્તિમાં રસતરબોળ થતા તેના સાચા અર્થને સમજી વધુ સમર્પણ અને શ્રદ્ધા અર્પી શકો એ જ અભ્યર્થના.
વિષ્ણુપુરાણમાં એક કથા છે, જેમાં અતિશય અત્યાચારો અને પાપોથી ત્રાસેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી વૈકુંઠમાં વિષ્ણુ પાસે પહોંચે છે અને પોતાની દયાજનક સ્થિાતિનું વર્ણન કરી પોતાને બચાવી લેવા પ્રાર્થના – આજીજી કરે છે. વિષ્ણું પણ એની કથા સાંભળી ખુબ જ દુઃખી થાય છે અને એને સાંત્વના આપે છે કે એ ટૂંક સમયમાં જ એક ગોપાલના સ્વરૂપે પૃથ્વીએ પર અવતરશે અને એના બધા જ ભક્તોને દુર્જનો, રાક્ષસો અને અસુરોના ત્રાસથી છોડાવશે તથા ધર્મની પુનઃ સંસ્થાંપના કરશે. પરિણામે કપરા સંજોગોમાં કૃષ્ણનનું આગમન થાય છે – ગોકુળ વૃંદાવન તેમનું ધામ બને છે અને એ પોતાનું કાર્ય ત્યાંથીજ આરંભ કરે છે. સમયાંતરે એમણે આપેલા વચન મુજબ પૃથ્વી પરના પાપોને એક પછી એક દુષ્ટો નાબૂદ કરે છે અને અંતે પોતાના મિત્ર – સખા અને ભક્તન અર્જુનને ગીતાનો પાઠ ભણાવી – તેના થકી મહાભારતનું યુદ્ધ જીતીને પોતાનું કાર્ય પૂર્ણ કરે છે.
આજના આ વિષમ કાળમાં દરેક માનવીને પોતાની અંદર અને બહાર ચાલી રહેલા મહાભારતના યુદ્ધને જીતવામાં મદદરૂપ થઈ શકે છે. આ જ્ઞાન અગાઉ પણ વારંવાર વિસરાયું હતું અને આજે પણ એજ પરિસ્થિતી છે, ત્યારે ફરી કોઈ ગોપાલ આવી તમારી રક્ષા કરે તેની રાહ જોયા વિના ગીતાના આ પાઠનો અભ્યાસ કરી સૌ પોતપોતાના આંતરિક અને બાહ્ય મહાભારત પર વિજય મેળવશે તો એજ સાચો કર્મયોગ કહેવાશે.
અમારા ધર્મગ્રંથો તથા ધર્માચાર્યો ઉ૫દેશ આપે છે કેઃ આ માનવ જીવન દુર્લભ છે,એટલે તેનો સદ્ઉ૫યોગ ઘણી જ સજાગતાથી કરવો જોઇએ. માનવશરીરને અતિદુર્લભ એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે આ માનવશરીર અમોને અનાયાસે જ મળ્યું નથી, ૫રંતુ અમારા અનંત પૂર્વજન્મોના પુણ્યકર્મો, સંસ્કારો તથા પરમાત્માની અહૈતુકી કૃપાના ફળસ્વરુ૫ પ્રાપ્ત થયું છે. સંતવાણી કહે છેઃ
કોટિ જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર,
ભાવ ધરી જેને પ્રભુ ન ભજ્યા તેને લાખવાર ધિક્કાર…..
ભગવાનને કરવામાં આવતી દ્રઢ અને સ્થિર ભક્તિના મહિમાની વાત આ શ્લોકમાં કરવામાં આવે છે. ભગવાનની ભક્તિ અનેક પ્રકારના લોકો અનેક રીતે કરતા હોય છે જેમ કે કોઈ ભગવાનના નામનો જાપ કરે, કોઈ ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરે, કોઈ વ્રત, ઉપવાસ કરે… અહીં પુષ્પદંત મહારાજ જણાવે છે કે ત્રુટક ત્રુટક ભગવાનની ભક્તિ કરતાં તૈલધારાવત સ્થિર ભક્તિ જ ભગવાનને પ્રસન્ન કરવામાં નિમિત્ત બને છે. ભક્તિમાં સ્થિરતા કે દ્રઢતા ત્યારે જ આવે જ્યારે ભક્તિનો આરાધ્યદેવ ઈશ્વર બરોબર સમજાયો હોય. ભગવાનના સ્વરૂપને સમજ્યા વગરની ભક્તિ જીવનમાં ગમે ત્યારે હતાશા કે નિરાશામાં પરિવર્તિત થઈ શકે છે. એક સત્યઘટના આ મુજબની બની હતી.
ઈશ્વર અને તેના જગત વિશે વિચારકોમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ઈશ્વર વિશેની અનેક માન્યતાઓની ચર્ચા ૭મા શ્લોકમાં કરવામાં આવી હતી. જ્યારે હવે અહીં આ શ્લોકમાં વિચારકોની જગત પ્રત્યેની અનેક માન્યતાઓની ચર્ચા કરવામાં આવે છે. પુષ્પદંત મહારાજ કહે છે કે, હે પુરમથન ! આપની સ્તુતિ કરતાં મને કોઈ લજ્જા થતી નથી. બીજા લોકો આપના અને આ જગત વિશે જે વચનો બોલી રહ્યા છે તે જોઈને હું સ્તબ્ધ થઈ ગયો છું…
સગુણ અને નિર્ગુણ સ્વરૂપની સ્તુતિ કરવી અત્યંત મુશ્કેલ હોવાથી ભગવાનના કોઈ એક અવતાર કે તેના લીલા સ્વરૂપનું વર્ણન કરતાં ગંધર્વરાજ પુષ્પદંત કહે છે, હે વરદ એટલે કે વરદાન આપનારા મહાદેવ… વર એટલે ઈષ્ટ કે શ્રેષ્ઠ વસ્તુ દરેક વરદાનના પ્રત્યુત્તરમાં માત્ર તથાસ્તુ એટલે કે માંગનારની સર્વ ઈચ્છા પૂરી થાવ એમ કલ્યાણ કરનારા, આપના કુટુંબનું ભરણપોષણ માટે આપની પાસે સાધન શું છે? જેમ વ્યવહારમાં ઘર, પરિવાર ચલાવવા માટે નોકરી, ધંધો કરતા હોઈએ તેમ પુષ્પદંત મહારાજ વિચારે છે કે ભગવાનનું ઘર તો સમગ્ર વિશ્વ છે તો ભગવાન કયા સાધનોથી વિશ્વનું પાલન પોષણ કરે છે?
પ્રતિકૂળ તર્કનો પરિહાર કર્યા બાદ પુષ્પદંત મહારાજ હવે અલગ અલગ સંપ્રદાયમાં રહેલી ઈશ્વર વિશેની માન્યતાની ચર્ચા કરે છે. વિવિધતાથી ભરેલો આપણો દેશ ભારત ધર્મની બાબતમાં પણ અનેક પંથ અને સંપ્રદાયોથી ભરેલો છે. અને આ જ મુદ્દા પર તો વારંવાર આપણા પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે શૈવ લોકો શિવ માને તો જૈન લોકો અર્હંતને ભગવાન કહે છે, વૈષ્ણવ કૃષ્ણના નાના સ્વરૂપ લાલાને જ ઈશ્વર માને છે તો આમાંથી ભગવાન કોને માનશું? આટલા બધા મત ભક્તને મૂંઝવણમાં મૂકી દે છે. તેનો જવાબ આપતા ગંધર્વરાજ કહે છે કે જાતજાતના અનેક સરળ અને વિકટ પંથને અનુસરનારા મનુષ્યોનું આપ એક જ ધ્યેય છો, લક્ષ છો. વ્યવહારમાં આપણને એક પ્રશ્ન વારંવાર પુછાઈ રહ્યો છે કે તમે કેટલા ભગવાનને માનો છો? તમારે ત્યાં રામ પણ ભગવાન, કૃષ્ણ પણ ભગવાન, શિવજી ઉપરાંત ગણપતિ, હનુમાનજી અને માતાઓમાં તો ગાયત્રીમાં, શીતળામાં, અંબામાં, દશામાં વગેરે વગેરે…
ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી પણ સિદ્ધ ન થઈ શકે કે તર્કથી અસિદ્ધ પણ ન થઈ શકે. વિચાર કરવાની શક્તિ રૂપી સુંદર ભેટ ઈશ્વર દ્વારા મળી છે તેનો સદઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ વ્યક્તિ પર નિર્ભર રહે છે. કુતર્ક એ આપણા પગ પર કુહાડો મારવા સમાન છે. વ્યવહારમાં પણ એવું જ જોવા મળે છે. દાખલા તરીકે જ્યારે જૂથમાં કોઈ એક વિષય પર સુંદર ચિંતન ચાલતું હોય ત્યારે પોતાના સ્વભાવને આધીન કેટલાક એવા લોકો હોય જ છે જે તે સમયે ખોટા પ્રશ્નો ઉભા કરીને એકરસ, સંવાદિતામાં ચાલી રહેલી મીટિંગને કલહ અને અસ્વસ્થતાથી ભરી દે છે. કુતર્કના ઉદાહરણ રૂપે જોઈએ તો એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે તમારો ઈશ્વર શું એવો કોઈ પથ્થર બનાવિ શકે કે જેને તે પોતે પણ ન ઉપાડી ન શકે?…
અહીં ચોથા શ્લોકમાં ઈશ્વરના અસ્તિત્વને ન માનનારા – નાસ્તિકોની ચર્ચા કરે છે. ઈશ્વરની સ્તુતિ કરતાં પહેલાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભાઈ ! તમે જેની સ્તુતિરૂપ પ્રાર્થના કરવા જઈ રહ્યા છો તે ભગવાન ખરેખર છે કે તે માત્ર તમારી કલ્પનાની ઉપજ છે. ઘણા લોકો એમ દલીલ કરે છે કે જેમ હું ટીવી અને ટેબલને નરી આંખે જોઈ શકું છું તેમ ભગવાન દેખાતો નથી અને જેને દેખાય છે તે એક વ્યક્તિગત દર્શન જ હોય છે. તેને આભાસ કે ભ્રમણા પણ કહી શકાય. જે ભગવાન દેખાતો જ નથી તેની શરણાગતિ કેવી રીતે સ્વીકારી શકાય? આવા કુતર્કો સામાન્ય લોકોના મનમાં જનમ્યાં જ કરતા હોય છે. તે ઉપરાંત વ્યક્તિને ભગવાન પ્રત્યે અનેક ફરિયાદો પણ રહેતી જ હોય છે જેમ કે ભગવાન હોય તો આપણી કાળજી કેમ લેતા નથી? ભગવાનની આટઆટલી માનતા માનવા અતાં હું પરીક્ષામાં નપાસ કેમ થયો? અને તે દિવસે બરોબર પાર્ટીમાં જવાના સમયે જ કેમ અમારી ગાડી બગડી ગઈ? ભગવાન આપણું આટલું પણ ધ્યાન રાખતો ન હોય તો પછી તેની સ્તુતિ શા માટે કરવી?