Daily Archives: September 11, 2012


માનવજીવનનું વાસ્‍તવિક લક્ષ્‍ય.. – વિનોદભાઈ માછી 2

અમારા ધર્મગ્રંથો તથા ધર્માચાર્યો ઉ૫દેશ આપે છે કેઃ આ માનવ જીવન દુર્લભ છે,એટલે તેનો સદ્ઉ૫યોગ ઘણી જ સજાગતાથી કરવો જોઇએ. માનવશરીરને અતિદુર્લભ એટલા માટે કહેવામાં આવ્‍યું છે કારણ કે આ માનવશરીર અમોને અનાયાસે જ મળ્યું નથી, ૫રંતુ અમારા અનંત પૂર્વજન્‍મોના પુણ્‍યકર્મો, સંસ્‍કારો તથા પરમાત્‍માની અહૈતુકી કૃપાના ફળસ્‍વરુ૫ પ્રાપ્‍ત થયું છે. સંતવાણી કહે છેઃ

કોટિ જન્‍મના પુણ્‍યથી મળ્યો મનુષ્‍ય અવતાર,
ભાવ ધરી જેને પ્રભુ ન ભજ્યા તેને લાખવાર ધિક્કાર…..