સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ધર્મ અધ્યાત્મ


ભગવાનનું કયું રૂપ શ્રેષ્ઠ – સગુણ કે નિર્ગુણ? – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1

પ્રથમ શ્લોકમાં પુષ્પદંત મહારાજે બધા જ પ્રકારની મર્યાદાઓથી પર રહેલા પરમાત્માની સ્તુતિનો મંગલ પ્રારંભ કર્યા બાદ બીજા શ્લોકમાં તે જ વિષયને અલગ રીતે જુદા શબ્દોમાં વર્ણવતા જણાવે છે કે શાસ્ત્રના શબ્દો પણ ઈશ્વરની મહિમાનું ગાન કરવામાં અસમર્થ છે. શાસ્ત્રમાં પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. વાસ્તવમાં સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એવા શબ્દો શાસ્ત્ર પ્રયોજે છે. અહીં પ્રશ્ન એવો થાય કે શું ખરેખર આવા બે બ્રહ્મ કે બે ઈશ્વરો છે કે જેની વચ્ચે આપણે એકની પસંદગી કરવાની છે? ખરેખર એવું નથી. ઈશ્વર તો એક જ છે. જો બે ઈશ્વર હોય તો તેને ઈશ્વર જ કેવી રીતે કહેવાય? બે ઈશ્વરના અર્થ થાય છે કે બન્ને ઈશ્વર એક બીજાને મર્યાદીત કરે છે અને જે મર્યાદીત હોય તેને ઈશ્વર કહી જ ન શકાય. વાસ્તવમાં એક જ ઈશ્વર છે જેને બે સ્વરૂપે જોવામાં આવે છે.


શ્રાવણસુધા

મહાદેવના અપરંપાર મહિમાનું ગાન : મહિમ્ન – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 2

મહાદેવના અપરંપાર મહિમાનું ગાન એટલે શિવ મહિમ્ન સ્તોત્ર. આ સ્તોત્રનું નામ શિવ મહિમ્ન એટલા માટે પણ રખાયું હશે કે સ્તોત્રની શરૂઆત મહિમ્ન શબ્દથી થાય છે. જેનો અર્થ થાય છે ભગવાનની મહિમાનો પાર પામી શકાય તેમ નથી. કવિરાજ સુંદર રીતે સ્તોત્રની શરૂઆત કરતાં કહે ચે કે હે પ્રભુ! તમારી મહિમાને કોણ પામી શકે? એ વાત પણ મુદ્દાની છે કે પૂર્ણનું વર્ણન અપૂર્ણ ન કરી શકે. વળી કહેવાયું છે કે સાક્ષાત સરસ્વતી દેવી પૃથ્વી રૂપી કાગળ પર નિરંતર લખ્યા કરે તો પણ ઈશ્વરના ગુણોને સંપૂર્ણપણે વર્ણવી શકાતા નથી. વ્યવહારીક રીતે જોઈએ તો પણ બીજી વ્યક્તિના ગુણગાન તો જ તમે કરી શકો જો તમે પૂર્ણરૂપે તેને જાણતા હોવ, વિચાર કરતા પણ આપણે ગદગદિત થઈ જઈએ કે જેણે અનંત વિશ્વની રચના કરી, જેણે શબ્દોમાં જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ ભરી તેને શું આપણા શબ્દો વર્ણવી શકે? ક્યારેય નહીં. તો પ્રશ્ન એ થાય છે કે આવા મહાન ઈશ્વરનું વર્ણન કોણ કરી શકે?


શિવભક્તિનો શ્રેષ્ઠ સમય : શ્રાવણ – સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી 11

ફિલોસોફી અને દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. થયેલા સ્વામી પ્રદીપ્તાનંદજી પૂર્વાશ્રમે જામનગરની ડી. કે. વી. કોલેજમાં નિમંત્રિત પ્રાદ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. આ દરમ્યાન સમાજમાં મૂલ્યોના હ્રાસ જોઈ વ્યથિત બનીને સંન્યસ્ત માર્ગ અપનાવ્યો. તેમણે વેદાંત, બ્રહ્મસૂત્ર, ગીતાની પ્રસ્થાનત્રયી ગુરુ દયાનંદજીના સાંન્નિધ્યમાં આત્મસાત કરી છે. તેઓ ભુજમાં આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ગીતા અને ઉપનિષદો પર વ્યાખ્યાન આપે છે અને સમાજમાં મૂલ્યોના પુનઃસ્થાપન માટે શિબિરો યોજે છે, પાવનકારી શ્રાવણ માસમાં તેમની અનુભવી વાણીથી શિવભક્તિ અને શિવસ્તવનોનું રસદર્શન કરાવશે. શ્રાવણ માસમાં તેમના લેખનનો લાભ આપણને મળવાનો છે એ માટે અક્ષરનાદ વાચક પરિવાર તરફથી સ્વામીજી તથા શ્રી ઓશોભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર. આ શ્રેણી ભક્તિ – જ્ઞાન અને શ્રદ્ધાની ત્રિવેણી બની રહેશે એવા શુભ સંકલ્પ સાથે આજે માણીએ આ શ્રેણીનો પ્રથમ લેખ, શિવમહિમ્ન સ્તોત્ર વિશેનો પરિચયાત્મક લેખ.

શ્રાવણસુધા

શ્રીમદ ભગવદગીતા મુજબ સંસારની વ્યાધિઓના વિમોચનનો ઉપાય… – વિનોદ માછી 1

શ્રીમદ્ ભગવદગીતાનો પંદરમો અધ્યાય નાનો ૫રંતુ ખૂબ જ મહત્વનો છે. જીવ સ્વરૂ૫તઃ ૫રમાત્માનો અંશ હોવાથી ગુણાતીત હોવા છતાં ૫ણ અનાદિ અજ્ઞાનના કારણે ગુણોના પ્રભાવથી પ્રભાવિત થઇને ગુણોના કાર્યભૂત શરીર (સંસાર) માં તાદાત્મય.. મમતા અને કામના કરીને આબધ્ધ થયો છે. જ્યાં સુધી તે ગુણોથી અતિત (વિલક્ષણ) તત્વ ૫રમાત્માના પ્રભાવને જાણતો નથી ત્યાં સુધી તે પ્રકૃતિજન્ય ગુણોના પ્રભાવથી સર્વથા મુક્ત થઇ શકતો નથી. પોતાનો અત્યંત ગોપનીય અને વિશેષ પ્રભાવ બતાવતાં તથા વ્યવહારકાળમાં સંસારનું નિત્યત્વ અને સંસાર તાપત્રય વિમોચનનો ઉપાય બતાવતાં ભગવાન સંસારરૂપી વૃક્ષને અશ્વત્થની ઉ૫મા આપીને તેનું છેદન કરવાની આજ્ઞા આપે છે.


શ્રી રામચરીત માનસ અનુસાર જ્ઞાન, ભક્તિ અને કર્મ – વિનોદ માછી 2

જ્ઞાન – ભક્તિ અને કર્મ, આ ત્રણે માર્ગનું જો કે પોતાનું અલગ અસ્‍તિત્‍વ છે તેમ છતાં ત્રણે એકબીજાથી પૂર્ણરૂપથી જુદા નથી. જિજ્ઞાસુ ભલે પોતાની સુવિધા અનુસાર ૫હેલાં કોઇ૫ણ માર્ગ ૫સંદ કરે અને તેનો અભ્‍યાસ કરવા લાગે, પરંતુ સમય આવે તેને બાકી બે માર્ગના સ્‍વરૂ૫ને જાણવા ૫ડશે જ તથા તેની સહાયતાથી જ પોતાના ધ્‍યેય તરફ આગળ વધી શકાશે. સામાન્‍ય રીતે રહસ્‍ય જાણી લીધા ૫છી જ્ઞાનીનું લક્ષ્‍ય બ્રહ્મમાં લીન થવાનું હોય છે, તેની ઉ૫લબ્‍ધિ સમર્પણ તથા આત્‍મનિવેદન (ભક્તિ) તથા આગામી કર્મ સિદ્ધાંતના બચાવ માટે અનાસક્ત કર્મના માધ્‍યમથી જ સંભવ બને છે. જ્ઞાની ભક્ત બનીને જ ભક્તિની શોધ કરવી ૫ડતી હોય છે. કર્મયોગના વિના તે પોતાને આત્‍મત્‍યાગી બનાવી શક્તો નથી. કર્મ૫થનો સાધક ૫ણ જ્ઞાન અને ભક્તિના આશ્રય વિના કર્મફળના મોહનો ત્‍યાગ કરી શકતો નથી, એટલે એ વાત નિર્વિવાદ સત્‍ય છે કે ત્રણે માર્ગો એકબીજાના બાધક નહી પરંતુ સાધક છે તથા ત્રણેનો સંયોગ જ ઇશ્વર મિલનરૂપી મહત લક્ષ્‍યને સાર્થક કરે છે. મહાત્‍મા તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં વર્ણવેલ ભિન્‍ન ભિન્‍ન માર્ગોની મુશ્‍કેલીઓ તથા સુવિધાઓ વિશે વિગતવાર અભ્‍યાસ કરીએ.


અવધૂત ગુરૂ દત્તાત્રેય અને તેમના ૨૪ ગુરૂઓ – વિનોદ માછી 4

ભારતીય ઇતિહાસમાં એક મહાન ઋષિ થઇ ગયા, તેમનું નામ હતું ગુરૂ દત્તાત્રેય. એકવાર યાદવ કુળના પ્રમુખ યદુ મહારાજ તેમને મળવા આવ્યા અને પ્રશ્ન પૂછ્યો કે મહાત્માજી, આ૫ આટલા મહાન જ્ઞાની, વ્યનવહાર કુશળ અને દરેક પ્રકારે જીવનમાં સફળ કેવી રીતે બન્યા? આ ભયાનક ખટપટથી ભરેલા સંસારમાં રહીને તમારી બુધ્ધિમત્તા, કર્મનિપુણતા, દક્ષતા અને તેજસ્વીતા કેવી રીતે ટકી રહી? કામ ક્રોધમાં બળવાવાળી આ દુનિયામાં રહીને સમાધાની, તૃપ્ત, સંતૃષ્ટ અને પ્રસન્ન તમે કેવી રીતે રહી શકો છો? અવધૂત ગુરૂ દત્તાત્રેય ઋષિએ સમજાવ્યું કેઃ હે રાજા, મેં બૃધ્ધિના વિકાસ માટે તથા વિશ્વમાં પોતાને સુરક્ષિત અને સફળ બનાવવા કુલ ૨૪ જીવો તથા ૫દાર્થોની પાસેથી તેમને ગુરૂ માનીને તેમની પાસેથી બોધ પ્રાપ્ત કર્યો છે. પોતાની સન્મુખ ઉપસ્થિત તમામ ૫દાર્થોના વિશેષ ગુણોને સમજીને તેને જીવનમાં અ૫નાવી લેવા, તેનામાંથી શિક્ષણ પ્રાપ્ત કરવું એ જ વાસ્તવિક શિષ્ય ભાવ છે. ઘણા લોકો એક જ ગુરૂ કે એક જ પ્રકારનું વિશેષ જ્ઞાન પ્રદાન કરે છે તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું ઇચ્છેણ છે, પરંતુ ઋષિએ સમજાવ્યું કેઃ જયાં સુધી પૂર્ણતઃ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અલગ અલગ વિષયોના ગુરૂઓને ધારણ કરતા રહો.


લોકગીતા – સ્વામી આનંદ 7

શ્રીમદ ભગવદગીતાનો લોકભોગ્ય સારસ્વરૂપ અનુવાદ – સમજણ આપવામાં સ્વામી આનંદનો સિંહફાળો છે. ગીતા વિશે તો બીજું શું કહેવાનું શેષ છે? અને સ્વામી આનંદની કલમથી પણ આપણે અજાણ નથી. આજે પ્રસ્તુત છે શ્રી ગોપાલભાઈ પારેખ પ્રેષિત આ સ્વામી આનંદ દ્વારા પ્રસ્તુત લોકગીતા


યહુદી ધર્મની દસ આજ્ઞાઓ – અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 6

આદર્શો અને ધર્મ આજ્ઞાપાલનના દસ એવા બોધક સૂત્રો છે જે યહુદી ધર્મના મૂળભૂત સિદ્ધાંતો મનાય છે. યહુદી ધર્મ વિશ્વના પ્રાચીનતમ ધર્મોમાંનો એક મનાય છે. ખિસ્તી, ઈસ્લામ અને બહાઈ ધર્મ પર તેની અસર હોવાનું વિદ્વાનો માને છે. હિબ્રુ અને યહુદી એમ બંને બાઈબલમાં તેનો ઉલ્લેખ છે. આ દસ આજ્ઞાઓ સિનાઈ પર્વત પર પયગંબર મોઝેઝને કહેવામાં આવી હતી. મોઝેઝ સિનાઈ પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાતો રહ્યા હતાં જ્યાં તેમને દૈવી સાક્ષાત્કાર થયો હતો. ઈઝરાયેલના સંતાનોને મોઝેઝ દ્વારા પ્રભુની આ આજ્ઞાઓ પહોંચાડવામાં આવેલી. આ દસ આજ્ઞાઓ જીવનની મૂળભૂત બાબતોને સ્પર્શે છે. એ દસ આજ્ઞાઓ અને તેના અર્થો સહિતની વાત આજે અહીં રજૂ કરી છે.


બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના અને મહાપંથી સંતોની વાણી – ડૉ. નિરંજન રાજ્યગુરૂ (ઈ પુસ્તક ડાઉનલોડ) 1

પ્રસ્તુત – હાલ અપ્રાપ્ય પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રાપ્ત થયેલ સંશોધન ફેલોશીપ અન્વયે તૈયાર થયેલ સંશોધન ગ્રંથ છે, જેમાં કંઠસ્થ પરંપરામાં જળવાયેલા‚ ક્ષેત્રકાર્ય દ્વારા ધ્વનિ મુદ્રણ સ્વરૂપે પ્રાપ્ત કરેલા‚ ગૂઢ સાધનો સાથે સંકળાયેલા ગુપ્ત મંત્રો‚ વિધિ વિધાનો અને ભજનવાણી વિશે સંશોધન કરવામાં આવ્યું છે. આજ સુધી કશે પ્રકાશિત ન થયેલું આ ગુપ્ત સાહિત્ય પ્રથમવાર સંપાદિત થયું છે. અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવવા માટે આ પુસ્તક મોકલવા બદલ શ્રી ડૉ. નિરંજનભાઈ રાજ્યગુરૂનો ખૂબ ખૂબ આભાર.


બાઉલ સંપ્રદાય : એક પરિચય 3

બંગાળમાં પ્રવર્તતા અનેક સંપ્રદાયોમાંનો એક અનોખો પંથ, સંગીતસાધના દ્વારા આત્મતત્વની ખોજનો એક માર્ગ અને દુન્યવી રીતોથી ઉપર ઉઠીને ફક્ત માનવધર્મની સાધનાની વાત કરતો સંપ્રદાય એટલે બાઉલ. બાઉલો ઘણાંખરા સમાજની મુખ્યધારાથી અળગા હોય છે, અનેક ઉપવિભાગો અને ધર્મો છતાં બાઉલ માન્યતાના મૂળમાં માનવવાદ છે. બાઉલ શબ્દની ઉત્પતિ વિશે અનેક મતમતાંતરો છે, અને આ સંપ્રદાયની શરૂઆત વિશે પણ કોઈ આધારભૂત માહિતી મળતી નથી. ‘બાઉલ’ શબ્દ બંગાળી પુસ્તકોમાં ૧૫મી સદીમાં આલેખાયેલ જોવા મળે છે. જો કે આ શબ્દનો જે અર્થ પંથ તરીકે આજે માનવામાં આવે છે તે ક્યારે અસ્તિત્વમાં આવ્યો એ વિશે કોઈ પ્રમાણ નથી…… આ સંપ્રદાય વિશે વિગતે પરિચય…


કર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે 7

શ્રી શિવાજી સાવંત (૩૧ ઓગસ્ટ, ૧૯૪૦ – ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૨) રચિત મરાઠી નવલકથા ‘મૃત્યુંજય’ પોતે એક સદાબહાર મહાકાવ્યસમ બની ચૂકી છે. દાનવીર અંગરાજ કર્ણના જીવન વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક સંશોધન પછી લખાયેલી મૃત્યુંજય વાંચવી એક લહાવો છે. તેમની આ કૃતિનો અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે, જેમાં હિન્દી, કન્નડ, મલયાલમ, અંગ્રેજી વગેરે ભાષાઓ સહિત ગુજરાતીમાં ૧૯૯૧માં આ અનુવાદ પ્રસિદ્ધ થયો જે પ્રતિભા દવેની કલમે લખાયો છે. મૃત્યુંજય જેવી જ તેમની અન્ય સદાબહાર કૃતિઓ ‘યુગાન્ધર’ જે કૃષ્ણના જીવન પર આધારિત છે અને બીજી છે છાવા, જે છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી પર આધારિત છે. દરેક સાહિત્યપ્રેમીના પુસ્તકસંગ્રહમાં અવશ્ય હોવી જ જોઈએ એવી આ નવલકથાનો એક નાનકડો ભાગ આજે અહીં પ્રસ્તુત છે.


વિવાહ સંસ્કાર (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

વિવાહ સંસ્કાર અંતર્ગત વિવિધ વિધીઓ અને સંકલ્પો સામાન્ય રીતે આપણને વિગતે ખબર હોતી નથી. વિવાહની વિધિઓમાં અને પ્રસંગોમાં સ્નેહીઓ સાથે આપણે એટલા હળીમળી જઈએ છીએ કે આપણે આ સંસ્કારના વિવિધ પગથીયાઓને વિધિ માનીને નિભાવીએ છીએ. તેની મૂળભૂત ભાવનાને આપણે અછડતી જ જાણીએ છીએ. આ મંગલ પરિણયની વિવિધ વિધિ વિશે જાણવાનાં મંગલાચરણ કરીએ. હિંદુ ધર્મમાં દામ્પત્ય (ગૃહસ્થાશ્રમ ) એ સૌથી મહત્વનો આશ્રમ છે કારણકે એ સમગ્ર સામાજીક માળખાનો આધાર છે. જેમાં વિધિ-વિધાન આપેલાં છે એ ‘ગૃહસૂત્ર’ પણ વૈદિક પરંપરાને આગળ વધારે છે. આ વિધિ વિશેની, ‘વિવાહ સંસ્કાર’ ની વિગતે શાસ્ત્રીય માહિતિ આપતી આ નાનકડી પુસ્તિકા અક્ષરનાદના અનોખા પુસ્તક ડાઊનલોડ વિભાગનું ઘરેણું બની રહેશે તે ચોક્કસ.


સર્વતંત્ર સ્વતંત્ર ‘શિવ’ – મકરન્દ દવે 2

વિદુરે મૈત્રેયને પ્રશ્ન પૂછ્યો કે શિવ શીલવાનોમાં શ્રેષ્ઠ છે અને દક્ષ પુત્રી વત્સલ છે તો પછી દક્ષે સતીનો અનાદર અને શિવનો દ્વેષ શા માટે કર્યો ? જે શાંત, નિર્વૈર, આત્મારામ મહાદેવ છે તેનો ભલા, કોઈ દ્વેષ કરી શકે ? અને આ જમાઈ તથા સસરા વચ્ચે દ્વેષ પણ એવો કે જેમાં સતીને દેહત્યાગ કરવો પડે ! આનું કારણ શું ? આ પ્રશ્નના જવાબ સાથે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે આજે શિવ અને સતી વિશેની અનેરી સમજણભરી વાત કહી ગયેલા આપણા સાંઈ મકરન્દની કલમે માણીએ આપણી જ કથાઓનો એક નવો આયામ અને સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ એવો અનેરો મર્મ.


સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (ઇ-પુસ્તક ડાઊનલોડ) 3

પ્રેમાનંદની અમર કૃતિઓ એવી સુદામાચરિત્ર અને નરસિંહ મહેતાની હૂંડી આપણા સાહિત્યના સરનામાં છે. સુદામાચરિત્ર મિત્રતાની એક અનોખી પરિભાષા સ્થાપે છે તો હૂંડી શ્રદ્ધાનો અને ધીરજનો વિજય બતાવે છે. આપ સૌને માટે આજે પ્રસ્તુત છે ઇ-પુસ્તક સુદામાચરિત્ર આખ્યાનકથા સાથે અને નરસૈયાની હૂંડી. આશા છે આપને આ ઇ-પુસ્તક ઉપયોગી નિવડશે.


(ગુજરાતની ભજનપરંપરા ) ધુમ્રસરોને દૂર કરતી અખંડ જ્યોત ભાગ ૧ – તરુણ મહેતા 4

આજે પ્રસ્તુત છે ગુજરાતની ભજનપરંપરા અને પાટ ઉપાસના સંદર્ભે પ્રસારભારતી – દૂરદર્શન રાજકોટમાં કાર્યરત મિત્ર શ્રી તરુણભાઈ મહેતાનો આ વિશિષ્ઠ લેખ. આપણી ભજનપરંપરા અને તેના અસ્તિત્વની વિવિધ આધારભૂત તથા સંદર્ભિત વાતો સાથે તેમણે આ પ્રયત્ન કર્યો છે. ભજનનો એક અર્થ ‘છોડવું’ પણ થાય, જીવનની અનેક વિટંબણાને બાજુ પર મૂકી સંતોના વચનમાં શ્રદ્ધા ધરીને ઉપાસના થતી. આપણી આ જ ભજનપરંપરા વિશે વિગતે જાણીએ


ગંગાસતીનું અધ્યાત્મ દર્શન – ભાણદેવ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૭) 10

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ભાણદેવજીના ‘ગંગાસતીનું અધ્યાત્મદર્શન’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


ગંગાસતીનું અધ્યાત્મ દર્શન – ભાણદેવ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૬) 3

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ભાણદેવજીના ‘ગંગાસતીનું અધ્યાત્મદર્શન’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૫) 1

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ડૉ. નિરંજન રાજ્યગુરુના ‘આરાધ સ્વરૂપ વિચાર’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૪) 1

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ડૉ. નિરંજન રાજ્યગુરુના ‘આરાધ સ્વરૂપ વિચાર’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


ભજન સાહિત્યનો ઈતિહાસ – નાથાલાલ ગોહિલ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ 3)

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ડૉ. નાથાલાલ ગોહિલ ભજન સાહિત્યના ઈતિહાસ વિશે ઘણી ઉઁડાણપૂર્વકની અને તલસ્પર્શી જાણકારી લઈને આવ્યા હતા, આજના બે ભાગના આ વક્તવ્યમાં તેમનું આખું વિવરણ અહીં શબ્દશ: સમાવવાનો પ્રયત્ન કર્યો છે.


ભજન સાહિત્યનો ઈતિહાસ – નાથાલાલ ગોહિલ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૨)

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ડૉ. નાથાલાલ ગોહિલ ભજન સાહિત્યના ઈતિહાસ વિશે ઘણી ઉઁડાણપૂર્વકની અને તલસ્પર્શી જાણકારી લઈને આવ્યા હતા, આજના બે ભાગના આ વક્તવ્યમાં તેમનું આખું વિવરણ અહીં શબ્દશ: સમાવવાનો પ્રયત્ન કર્યો છે.


સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૧ 2

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભરપૂર વરસતા વરસાદમાં અમે આ વિચારગોષ્ઠીનું શ્રવણ કરવાનો લહાવો લેવા પહોંચ્યા. જેમ જેમ અહીં વિદ્વાનોના ભજન અને ભજન ઈતિહાસ તથા પરંપરાઓ વિશેના વિચારો વ્યક્ત થયા તેમ તેમ મેઘરાજાએ પણ તેમની અવરિત વર્ષા ચાલુ રાખી. ભજન ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન રહેશે.


ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૨) 10

અત્યારે જેના નામનો વિશ્વના દરીયાઈ વેપારના નકશા પર ડંકો વાગી રહ્યો છે એવા, ખાનગીક્ષેત્રની હિંમત અને ધગશના પરીણામરૂપ, ગુજરાતના એક અત્યંત મહત્વાકાંક્ષી એવા પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જે મહાન સંત વિભૂતિના નામ પરથી પડ્યું છે તે હતાં સંત પીપાજી જેઓ તેમના પૂર્વાશ્રમમાં મહારાજ પીપારાવ હતાં. સ્વામી રામાનંદના આશ્રયે આત્મખોજનો માર્ગ શોધતાં તેઓ ઝાલાવાડથી કાશી ત્યાંથી દ્વારકા અને ત્યાંથી અત્યારના પીપાવાવ ગામ સુધી પહોંચ્યા. તેમના વિશે અનેક માહિતિ ટુકડે ટુકડે મળતી હતી, પીપાવાવમાં ચાર વર્ષથી વધુ સમયથી હોવા છતાં આ આખી વિગત ભેગી કરવામાં ખૂબ સમય લાગ્યો. એ બધુ ભેગુ કરીને આ લેખ તૈયાર કર્યો છે. ઐતિહાસીક તથ્યો હોવાથી ક્યાંક વિગત દોષની સંભાવના તો છે જ. અનેક મિત્રો વડીલોના સહકારે આ આખોય લેખ તૈયાર થયો છે, એ માટે તે સર્વેનો ખૂબ આભાર.


ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૧) 1

અત્યારે જેના નામનો વિશ્વના દરીયાઈ વેપારના નકશા પર ડંકો વાગી રહ્યો છે એવા, ખાનગીક્ષેત્રની હિંમત અને ધગશના પરીણામરૂપ ગુજરાતના એક અત્યંત મહત્વાકાંક્ષી એવા પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જે મહાન સંત વિભૂતિના નામ પરથી પડ્યું છે તે હતાં સંત પીપાજી જેઓ તેમના પૂર્વાશ્રમમાં મહારાજ પીપારાવ હતાં. સ્વામી રામાનંદના આશ્રયે આત્મખોજનો માર્ગ શોધતાં તેઓ ઝાલાવાડથી કાશી ત્યાંથી દ્વારકા અને ત્યાંથી અત્યારના પીપાવાવ ગામ સુધી પહોંચ્યા. તેમના વિશે અનેક માહિતિ ટુકડે ટુકડે મળતી હતી, પીપાવાવમાં ચાર વર્ષથી વધુ સમયથી હોવા છતાં આ આખી વિગત ભેગી કરવામાં ખૂબ સમય લાગ્યો એ બધુંય ભેગું કરીને આ લેખ તૈયાર કર્યો છે. ઐતિહાસીક તથ્યો હોવાથી ક્યાંક વિગત દોષની સંભાવના તો છે જ. અનેક મિત્રો વડીલોના સહકારે આ આખોય લેખ તૈયાર થયો છે, એ માટે તે સર્વેનો ખૂબ આભાર.


સિદ્ધયોગી સાથે મુલાકાત – સ્વામી રામ, અનુ. કુન્દનિકા કાપડીઆ 4

ઈ.સ. ૧૯૨૫ માં ગઢવાલમાં જન્મેલા અને હિમાલયમાં અનેક વર્ષો સુધી તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ શિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરનાર અને હિમાલયના યોગીઓની સાંખ્યશાખાના વારસદાર એવા સ્વામી રામને ઈ.સ. ૧૯૫૨માં તેમના ગુરુ દ્વારા પશ્ચિમમાં જઈને અધ્યાત્મ અને યોગના ફેલાવા માટે કામ કરવાની પ્રેરણા આપવામાં આવી. એ માટે પશ્ચિમમાં તેમણે હિમાલયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ યોગ સાયન્સ અને ફિલોસોફી ની સ્થાપના કરી. અમેરીકા અને યુરોપમાં તેમના ઈન્સ્ટીટ્યૂટની સભ્યસંખ્યા ખૂબ વધી, જો કે સાથે તેઓ અનેક વિવાદોમાં પણ સપડાયાં. તેમના દ્વારા તેમના હિમાલયના જીવન અને ગુરુ સાથેના સમયને લઈને આલેખાયેલ પુસ્તક, “લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ” એક અનોખુ પુસ્તક છે, જેનો ગુજરાતી અનુવાદ ૧૯૮૫માં કુન્દનિકા કાપડીઆ દ્વારા કરાયો છે. આજે પ્રસ્તુત છે સ્વામી રામના તેમના ગુરુ સાથેના તથા હિમાલયના અન્ય યોગીઓ સાથેના સંવાદનો એ પુસ્તકમાંથી થોડોક આસ્વાદ.


કાળાં પાર્વતી – સ્વામી સચ્ચિદાનંદ 4

રંગની દ્રષ્ટિએ વિશ્વની પ્રજાને બે ભાગમાં વહેંચી શકાયઃ પહેલી ગૌર અને બીજી કાળી. ગૌરમાં પણ ત્રણ ભેદ છેઃ વિશુદ્ધ ગૌર, પીત ગૌર(ચીની વગેરે) અને આછી ગૌર (આરબ, ઈરાન, આર્યો વગેરે). કાળી પ્રજામાં ચઢતા-ઊતરતા ત્રણેક ભેદ કરી શકાય. તડકો લાગવાથી પ્રજા કાળી થાય છે તે વાત સાચી નથી. કાળી કે ગૌરી આનુવંશિકતાથી થતી હોય છે. એક માન્યતા એવી પણ છે કે વિશ્વની મહત્તા રંગને આઘીન છે. અર્થાત ગોરી પ્રજા જે ઐતિહાસિક વિજયો, ભૌગોલિક વિસ્તાર, આર્થિક સમૃદ્ધિ, બૌદ્ધિક ક્ષેત્રમાં જે જ્ઞાન વિજ્ઞાન વગેરે સંશોધનો કરી શકી છે તે કાળી કરી નથી શકી. જો વિશ્વની બધી પ્રજા કાળી હોત કે પછી બધી પ્રજા ગોરી હોત તો તુલનાત્મક ભેદ થાત નહિ, પણ આવું થયું છે એ હકીકત છે. શિવપુરાણમાંથી શિવ પાર્વતીને સાંકળતી આવી જ કાળા – ગોરા વાળી વાત આજે પ્રસ્તુત છે.


ઈશ્વરને ચરિતાર્થ કરતી બે દ્રષ્ટાંત કથાઓ – સંકલિત 4

ધર્મનો, ઈશ્વરનો કે અલ્લાહનો સ્થૂળ અર્થ જે આપણે કર્યો છે, અને ઈશ્વર સુધી પહોંચવા માટેના વિવિધ રસ્તાઓના વાડાઓ જે આપણે સર્જ્યા છે તેની વ્યર્થતા એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા કેટલી સચોટ રીતે કહી શકાય છે તે અહીં સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત બે દ્રષ્ટાંત કથાઓ સાંભળેલી છે, સ્મરણશક્તિને આધારે લખી છે, તેના લેખકનું નામ ધ્યાનમાં નથી, છતાં એ બંનેના લેખકો એક વાત તો સ્પષ્ટ રીતે બતાવી ગયાં છે, કે વાડાઓમાંથી બહાર નીકળીએ તો જ વિશ્વના દર્શન કરી શકાય, કૂવામાંથી બહાર આવી દરિયો અનુભવનાર જ નાનકડી બંધિયાર સ્થિતિની નિરર્થકતા સમજી શકે.


ગીતા અંગે વિવિધ દર્શનો – સંકલિત 7

આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગીતા વિશે કહ્યું છે, ‘જ્યારે હું ભગવદગીતા વાંચુ છું અને વિચારું છું, પ્રભુએ આ મહાન વિશ્વ શી રીતે બનાવ્યું છે? આ દુનિયાની તમામ સિદ્ધિઓ મને તુચ્છ લાગે છે.’ ગીતા અંગે કેટલાય વિચારકો, જ્ઞાનીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ અનેક વિચારો, દર્શનો પોતપોતાની સમજ અને અનુભવને આધારે મૂક્યા છે. પરંતુ કોઈ એક દર્શન એ પુસ્તકને સંપૂર્ણપણે સમજાવી શકે એમ માનવાને કારણ નથી, બધાંના પોતપોતાના મત છે, એવાજ કેટલાક વિચારો આ મહાન ગ્રંથવિશે આજે અહીં સંકલિત કર્યા છે.


સ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિઆ 6

મારા પત્નિ અને અક્ષરનાદના સંપાદનમાં મદદગાર પ્રતિભા અધ્યારૂના પપ્પાના મૃત્યુ વખતે વાપીના શ્રી ગોપાલભાઈ પારેખે આ સંદેશ મોકલ્યો હતો, ટેલીફોન પર લાઈવ સંભળાવેલો અને પછી ઈ-મેલ મારફત મળેલ. એ દિવસ અને સમય મને હજુ પણ તાજા દૂઝતા ઘા જેવો યાદ છે. પરિવારને પડેલી ખોટ તો પૂરી શકાતી નથી, પરંતુ આવા સ્વજનોની મદદ અને સાંત્વના જ ખરો સહારો અપાવે છે, હિંમત બંધાવે છે. એ પ્રાર્થના આજે અત્રે પ્રસ્તુત છે.


બાણશૈય્યા પર ભીષ્મ – યુધિષ્ઠિર સંવાદ – નાનાલાલ ભટ્ટ 3

મહાભારતના પાત્રો શ્રી નાનાલાલ ભટ્ટનું અમર સર્જન છે. આ કૃતિના ત્રીજા ભાગમાં બાણશૈય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ અને તેમની પાસેથી ધર્મની વિવિધ વાતો વિશેનું જ્ઞાન લેવા આવેલા યુધિષ્ઠિર વચ્ચેનો સુંદર ગહન સંવાદ પ્રસ્તુત થયેલો છે. આ સંવાદનો એક નાનકડો ભાગ અહીં લેવામાં આવ્યો છે. એક રાજાના માનવ ધર્મ વિશેની વાતો, વર્ણ વ્યવસ્થા અને ધર્મ સાથે પ્રભુપ્રાપ્તિની રીતો તથા આશ્રમવ્યવસ્થા વિશે વિશદ વાતો આ સંવાદના માધ્યમથી અભિવ્યક્ત થઈ છે. જો કે સમયની સાથે તેના અર્થ તારવવામાં ભેદ હોઈ શકે, પરંતુ તેનો તાત્વિક અર્થ સમાન જ રહે છે. આજના સમયમાં પણ તેની ઉપયોગીતા પ્રસ્તુત છે.