બાળગીતા – મહેન્દ્ર નાયક (ઈ-પુસ્તક ડાઉનલોડ) 3


વિષ્ણુપુરાણમાં એક કથા છે, જેમાં અતિશય અત્યાચારો અને પાપોથી ત્રાસેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી વૈકુંઠમાં વિષ્ણુ પાસે પહોંચે છે અને પોતાની દયાજનક સ્થિાતિનું વર્ણન કરી પોતાને બચાવી લેવા પ્રાર્થના – આજીજી કરે છે. વિષ્ણું પણ એની કથા સાંભળી ખુબ જ દુઃખી થાય છે અને એને સાંત્વના આપે છે કે એ ટૂંક સમયમાં જ એક ગોપાલના સ્વરૂપે પૃથ્વીએ પર અવતરશે અને એના બધા જ ભક્તોને દુર્જનો, રાક્ષસો અને અસુરોના ત્રાસથી છોડાવશે તથા ધર્મની પુનઃ સંસ્થાંપના કરશે.

પરિણામે કપરા સંજોગોમાં કૃષ્ણનનું આગમન થાય છે – ગોકુળ વૃંદાવન તેમનું ધામ બને છે અને એ પોતાનું કાર્ય ત્યાંથીજ આરંભ કરે છે. સમયાંતરે એમણે આપેલા વચન મુજબ પૃથ્વી પરના પાપોને એક પછી એક દુષ્ટો નાબૂદ કરે છે અને અંતે પોતાના મિત્ર – સખા અને ભક્તન અર્જુનને ગીતાનો પાઠ ભણાવી – તેના થકી મહાભારતનું યુદ્ધ જીતીને પોતાનું કાર્ય પૂર્ણ કરે છે.

આ ગીતા તે એજ છે ગીતા જેને ઋષિ મુનિઓએ બીરદાવી છે. તેમણે નોંધ્યું છે કે વેદોરૂપી ઘાસ ચરીને અનેક ઉપનિષદો રૂપી ગાયો અસ્તિત્વમાં આવી અને વેદવ્યાસે આ ગાયોનું દોહન કરીને ગીતારૂપી દૂધનું શ્રીકૃષ્ણનના હાથે અર્જુનને પાન કરાવ્યું.

એ જ ગીતાએ કેવળ અર્જુનને જ મહાભારતમાં વિજય અપાવ્યો એવું નથી પરંતુ, એ ગીતા આજે પણ એટલી જ પ્રસ્તુ‍ત છે અને આજના આ વિષમ કાળમાં દરેક માનવીને પોતાની અંદર અને બહાર ચાલી રહેલા મહાભારતના યુદ્ધને જીતવામાં મદદરૂપ થઈ શકે છે. આ જ્ઞાન અગાઉ પણ વારંવાર વિસરાયું હતું અને આજે પણ એજ પરિસ્થિતી છે, ત્યારે ફરી કોઈ ગોપાલ આવી તમારી રક્ષા કરે તેની રાહ જોયા વિના ગીતાના આ પાઠનો અભ્‍યાસ કરી સૌ પોતપોતાના આંતરિક અને બાહ્ય મહાભારત પર વિજય મેળવશે તો એજ સાચો કર્મયોગ કહેવાશે.

આવશ્યકતા છે કે આવો પાઠ અને તેનો અભ્યાસ બાળવયથી જ થાય. અને આ બાળવય માત્ર શારીરિક જ ન રહેતા આધ્યાત્મિક હોય તો પણ તેને સ્વીકારી એનું અધ્યયન અને અનુસરણ થાય એ ઈચ્છાનિય છે.

આવી એક દૃષ્ટિ રાખી અત્રે ગીતાના સંદેશને સરળ રીતે રજુ કરવાનો પ્રયત્નદ કર્યો છે. આશા છે એ દરેકને ઉપયોગી થશે.

– મહેન્દ્ર નાયક, નવસારી

* * * * *

પુસ્તકની શરૂઆત કાંઈક આમ છે…

આભા : દાદાજી, હું આ ભગવદ્‌ ગીતાના બોધને બરાબર સમજી નથી શકતી, શું તમે મને એમાં કાંઈ મદદ કરશો?

દાદાજી : જરૂર, આભા, મને તો એમાં આનંદ જ થશે. તારે એ ખરેખર જાણવું રહ્યું કે આ પવિત્ર ગ્રંથ આપણ સૌને આ જગતમાં સુખ અને શાંતિથી કેવીરીતે જીવવું એનો જ બોધ આપે છે. આ સનાતન ધર્મ જેને આપણે હિન્દુ ધર્મ તરીકે ઓળખીએ છીએ, તેનો એ અતિ પુરાતન ગ્રંથ છે, પરંતુ એને જગતમાં કોઈ પણ ધર્મ પાળનારા, સહેલાઈથી સમજી અને અનુસરી શકે છે. ગીતમાં કુલ ૧૮ પ્રકરણો કે અધ્યાય છે અને બધુ મળીને માત્ર ૭૦૦ શ્લોકોમાં જ એ સમાયેલ છે. કોઈપણ વ્યક્તિ રોજનો થોડા અમસ્તા શ્લોકોનો અભ્યાસ કરી ટૂંક સમયમાં જ એનો સાર ગ્રહણ કરી શકે છે.

‘ભગવદ્‌’ શબ્દ‍નો અર્થ થાય પ્રભુ કે મહાપ્રભુ જેને આપણે ભગવાન્‌ કહીએ છીએ. ગીતા નો અર્થ થાય કવિતા કે કાવ્ય . એ રીતે ભગવદ્‌ ગીતાનો અર્થ થાય ભગવાનનું કાવ્ય અથવા પવિત્ર કવિતા, કારણ એને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ ગાએલ છે.

ચાલ, સૌ પ્રથમ હું તને ગીતા અંગેની પ્રાથમિક સમજ આપું…

* * * *

તો આશા છે આપ સર્વેને આ પુસ્તક ઉપયોગી નીવડશે…

પ્રસ્તુત પુસ્તક યુનિકોડમાં ટાઈપ સાથે અક્ષરનાદના ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવી પ્રસ્તુત કરવાની અનેરી તક આપવા બદલ શ્રી મહેન્દ્રભાઈ નાયકનો આભાર. આજથી ડાઉનલોડ માટે આ ઈ-પુસ્તક અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાંથી – અહીં ક્લિક કરીને મેળવી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “બાળગીતા – મહેન્દ્ર નાયક (ઈ-પુસ્તક ડાઉનલોડ)