Daily Archives: January 14, 2013


બ્રહ્મ અવાચ્ય છે – ભાણદેવ 4

માળાના મણકા જેવી કુલ ૧૦૮ અધ્યાત્મકથાઓને વિવિધ ગ્રંથો, વેદોની સંહિતાઓ, બ્રાહ્મણ ગ્રંથો વગેરેમાંથી લઈ, આજના પરિપ્રેક્ષ્યમાં તેમને ઉપર્યુક્ત બનાવી, સંકલિત કરીને સુંદર રીતે પ્રસ્તુત કરાઈ છે શ્રી ભાણદેવજીના પુસ્તક ‘અધ્યાત્મ-કથાઓ’માં. આ પુસ્તક દરેક વાંચનપ્રેમીના પુસ્તકાલયમાં અવશ્ય હોવું જોઈએ. ટૂંકી પરંતુ ચોટદાર વાતો – વાર્તાઓ – ઉદાહરણો આ પુસ્તકને અત્યંત સચોટ અને છતાં મનહર બનાવે છે. પુસ્તક પ્રાપ્ત કરી શકાય છે પ્રવીણ પ્રકાશન, રાજકોટથી. આજે આવી જ એક અર્થસભર વાત અહીં પ્રસ્તુત કરી છે.