Daily Archives: September 13, 2012


બાળગીતા – મહેન્દ્ર નાયક (ઈ-પુસ્તક ડાઉનલોડ) 3

વિષ્ણુપુરાણમાં એક કથા છે, જેમાં અતિશય અત્યાચારો અને પાપોથી ત્રાસેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી વૈકુંઠમાં વિષ્ણુ પાસે પહોંચે છે અને પોતાની દયાજનક સ્થિાતિનું વર્ણન કરી પોતાને બચાવી લેવા પ્રાર્થના – આજીજી કરે છે. વિષ્ણું પણ એની કથા સાંભળી ખુબ જ દુઃખી થાય છે અને એને સાંત્વના આપે છે કે એ ટૂંક સમયમાં જ એક ગોપાલના સ્વરૂપે પૃથ્વીએ પર અવતરશે અને એના બધા જ ભક્તોને દુર્જનો, રાક્ષસો અને અસુરોના ત્રાસથી છોડાવશે તથા ધર્મની પુનઃ સંસ્થાંપના કરશે. પરિણામે કપરા સંજોગોમાં કૃષ્ણનનું આગમન થાય છે – ગોકુળ વૃંદાવન તેમનું ધામ બને છે અને એ પોતાનું કાર્ય ત્યાંથીજ આરંભ કરે છે. સમયાંતરે એમણે આપેલા વચન મુજબ પૃથ્વી પરના પાપોને એક પછી એક દુષ્ટો નાબૂદ કરે છે અને અંતે પોતાના મિત્ર – સખા અને ભક્તન અર્જુનને ગીતાનો પાઠ ભણાવી – તેના થકી મહાભારતનું યુદ્ધ જીતીને પોતાનું કાર્ય પૂર્ણ કરે છે.

આજના આ વિષમ કાળમાં દરેક માનવીને પોતાની અંદર અને બહાર ચાલી રહેલા મહાભારતના યુદ્ધને જીતવામાં મદદરૂપ થઈ શકે છે. આ જ્ઞાન અગાઉ પણ વારંવાર વિસરાયું હતું અને આજે પણ એજ પરિસ્થિતી છે, ત્યારે ફરી કોઈ ગોપાલ આવી તમારી રક્ષા કરે તેની રાહ જોયા વિના ગીતાના આ પાઠનો અભ્‍યાસ કરી સૌ પોતપોતાના આંતરિક અને બાહ્ય મહાભારત પર વિજય મેળવશે તો એજ સાચો કર્મયોગ કહેવાશે.