અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

વેદ કાળની સપ્તપદી – મકરન્દ દવે 1

લગ્નની વિધિમાં સપ્તપદી એ અતિ મહત્વનું અંગ છે. વેદકાળની સપ્તપદીમાં સાત શ્લોકો છે, જેમાં વર કન્યાને ઉદ્દેશીને બોલે છે કે વિષ્ણુ તને દોરે અને તારા થકી આપણને ઐશ્વર્ય પુત્ર આદિની સંપ્રાપ્તિ થાય. આદેશ આપનારા અધિપતિ તરીકે પુરુષને સ્થાપતા હજારો વર્ષો પૂર્વેના આ વચનો આજના યુગમાં અસ્વિકાર્ય તો છે જ, અનુપયોગી પણ છે. બને જોડાજોડ ચાલનારા સહયોગી બની રહે એવાં આશિર્વચન ઉચ્ચારતા શ્લોકોની નવી સપ્તપદી રચાવી જોઇએ, અથવા તો વેદકાળની સપ્તપદીનું નવા સંદર્ભમાં નવેસરથી અર્થઘટન કરાવું જોઇએ. આવું એક અર્થઘટન અહીં આપ્યું છે.


? – જ્યોતિન્દ્ર દવે 2

(અંગત નિબંધ પ્રકારના હાસ્યનિબંધમાં સમાજની કુપ્રથાઓ કે કુરિવાજો પર ધારદાર કટાક્ષ હોય છે, કે પછી અમુક વ્યક્તિવિશેષની આદતો, વિલક્ષણ-વિચિત્ર બાજુ કે ટેવો પર હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયત્ન હોય છે. જ્યોતીન્દ્ર દવેના નિબંધોમાં આ પ્રકારના સૂક્ષ્મ હાસ્યના તરંગો બધેજ વહેતા નજરે ચડવાનાં. તેમની કૃતિ “ખોટી બે આની” હાસ્યનિબંધો માટે સીમાચિહ્ન મનાય છે. પ્રસ્તુત નિબંધમાં માણસની વ્યર્થ પ્રશ્નો પૂછ્યા કરવાની આદતની સૂક્ષ્મ હાસ્ય નિષ્પન્ન કરવા માટે ઝાટકણી કરવામાં આવી છે. વિશેષ વર્ણન, વાર્તાલાપ અને પ્રસંગોના યથોચિત ઉલ્લેખથી હાસ્યલેખક નિબંધના સ્તરને પરાકાષ્ઠાએ લઇ જાય છે.


બાબો કે બેબી? – પ્રતિભા અધ્યારૂ 9

21મી સદીમાં પણ હજી એવા ઘણાં મુદ્દાઓ છે જે 18મી સદીમાં સ્થિર થઇ ગયા છે. દીકરી કે દીકરો એ ચર્ચા અને એ વિશેની વાતો ખૂબ થાય છે પણ એ વિષય પર હજી સમાજમાં સુધારાનું પ્રમાણ ખૂબ ઓછું છે. લોકોની વિચારસરણીને બદલાંતા વર્ષો લાગ્યાં છે, સદીઓ લાગી છે, અને છતાંય હજી એ જ જરીપુરાણી માન્યતાઓ, એ જ જડ રૂઢીઓ ચાલી રહી છે. પ્રસ્તુત છે દીકરો કે દીકરી એ વિષય પર મારા થોડાક વિચારો – મંતવ્યો.


ચાર કવિતાઓ – ચિરાગ શાહ 16

અમદાવાદના રહેવાસી અક્ષરનાદના વાંચક મિત્ર શ્રી ચિરાગ શાહની ચાર કવિતાઓ, તેમના ખૂબ જૂજ સર્જનમાંથી કલમની થોડીક પ્રસાદી છે. ચારેય કવિતાઓમાં વિષયની વિવિધતા અને તેમની અભિવ્યક્તિની નિપુણતા સુપેરે વ્યક્ત થાય છે. ક્યાંક તેઓ પોતાની વાસ્તવિકતા ‘સ્વ’ને સમજાવી રહ્યા છે, ક્યાંક તેઓ મનમાં ઉઠતા વિચારોના વંટોળની વાત કરે છે, ક્યાંક પ્રિયતમાને નિહાળવાની તો ક્યાંક તેઓ અશક્યને શક્ય કરવાની ઇચ્છા વ્યક્ત કરતા જોવા મળે છે. અક્ષરનાદને આ લેખ પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને તેમની કલમની સર્જનક્ષમતા બતાવતી આવી વધુ રચનાઓ આપણને મળતી રહે તેવી શુભેચ્છાઓ.


વંદે માતરમ ગાવું નહીં, અનુભવવું – જીગ્નેશ ચાવડા 6

“વંદે માતરમ” આપણી આઝાદીનો મહામંત્ર છે. દેશની સ્વતંત્રતા માટે એ મંત્ર પર કેટલાયે પોતાના ધર્મને વચ્ચે લાવ્યા વગર બલિદાન આપ્યા છે, પછી એ હિંદુ હોય, મુસ્લિમ હોય, શિખ કે ઇસાઇ. વંદે માતરમ ગાઓ કે ન ગાઓ, કોઇ ફરક પડતો નથી, કારણકે એ ગાવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે, મનમાં સંઘરવાની ને સતત ઉચ્ચારવાની વસ્તુ છે. સાંપ્રત આ જ વિષય પર શ્રી જીગ્નેશ ચાવડાના કેટલાક વિચારો. અક્ષરનાદને આ કૃતિ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું – કવિ દાદ 5

પથ્થરની મૂર્તીને કંડારીને તેમાંથી પ્રભુની પ્રતિકૃતિ તૈયાર કરી રહેલા ઘડવૈયાને પથ્થર કહે છે કે મારે પ્રભુ નથી થાવું, એના કરતાં તો માતૃભૂમી માટે સમરાંગણમાં મોતને ભેટેલા કોઇક વીરના પાળીયા થઇને ખોડાવું છે. પ્રભુની મૂર્તી બનવાને બદલે કોઇક વીરના પાળીયા તરીકે ગામને પાદર ખોડાવામાં પથ્થરને તેની સાર્થકતા દેખાય છે. પથ્થરની પાળીયા થવાની તમન્ના અને ઠાકોરજીની મૂર્તી નહીં બનવા પાછળની દલીલો કવિ દાદની આ રચનામાં ખૂબ સરસ રીતે વ્યક્ત થાય છે.


સ્મિત એટલે… – જીગ્નેશ અધ્યારૂ 4

મુકુલ ચોકસી સાહેબની રચના પ્રેમ એટલે કે…. ખૂબ ગમે છે. તેની શીર્ષ પંક્તિની મદદથી આ કાવ્યની શીર્ષ પંક્તિ ઉપસી છે. સ્મિતના વિવિધ રૂપો, સ્મિતની પાછળના વિવિધ મનોભાવોને આલેખવાનો આ એક પ્રયાસ છે. સુખ કે દુ:ખ, બંનેમાં સ્મિતનો ઉદભવ કોઇકને કોઇક રીતે થાય જ છે. સ્મિતના વિવિધ કારણો અને પાસાઓને ઉજાગર કરતી આ કાવ્યરચના પર પ્રતિભાવો હાર્દિક આવકાર્ય છે.


સપનાનાં વાવેતર વાસ્તવિકતાની ધરતી ઉપર.. – રાજેશ ટાંક 1

સપના જોવા અને તેને હકીકતમાં બદલવામાં ખૂબ અંતર છે. સ્વપ્નોની દુનિયામાં જીવવું એ શરૂઆત છે અને એ સ્વપ્નોને સત્ય કરવા મચી પડવું એ સફળતાનુ પહેલું સોપાન છે. અક્ષરનાદના વાચકમિત્ર શ્રી રાજેશ ટાંક હકીકતની ધરતી પર સ્વપ્નોના વાવેતરની આવીજ કેટલીક ચિંતનાત્મક વાત લઇને આવ્યા છે. અક્ષરનાદને આ લેખ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર હકારાત્મક વિચારો વહેંચવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


પ્રેમ જો છે આપણો તો… – જીગ્નેશ અધ્યારૂ 9

હું અને તું એ બે પાત્રો સમાજજીવનના, પ્રેમજીવનના અભિન્ન અંગો છે. ક્યારેક હું તો ક્યારેક તું, પ્રેમના સફરમાં એક બીજાને અજાણે દુ:ખ કે ઝખમ આપી બેસે છે. એક નાનકડો ઝખમ જો સાથીના સ્મિતના, સમજણના ઇલાજને ન પામે તો જીવનની ઘણી વાસ્તવિકતાઓ અને સ્વપ્નો બદલાઇ જાય છે. કાંઇક એવો જ ભાવ આ પ્રેમગીતમાં ઉદભવ્યો છે. હું અને તું વચ્ચે પ્રેમ છે, પણ કોઇક ગેરસમજણ, અણબનાવે તેમને એક બીજાથી દૂર કરી દીધાં છે. આવી પરિસ્થિતિઓમાં એક બીજાને માટે વલખતા અને તોય પોતાના અંતરને છેતરી મુખ પર સ્મિત રાખી ફરતા એવા હું અને તું ના મનના ભાવો આ ગીતમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.


વિષાદ પર વિજયની વાત – મકરન્દ દવે 3

શ્રી જમનાલાલ બજાજ, “ભાયા”ના હુલામણા નામે ઓળખાતા, દસ દિવસ માટે નંદિગ્રામ આવ્યાં હતાં. તેમની સાથેના સંસ્મરણો અને જ્ઞાનચર્ચાઓ આલેખતું પુસ્તક શ્રી મકરન્દ દવેએ લખ્યું છે, “ગોપથના યાત્રી સાથેગોષ્ઠિ “. તેઓ નંદિગ્રામ આવ્યાં ત્યારે તેમની ઉંમર પંચાણું વર્ષની, અને છતાંય બરાબર સ્વસ્થ. તા. 27 નવેમ્બર 1999 થી 6 ડિસેમ્બર સુધીની તેમની આ ચર્ચાઓના આલેખનમાંથી તા. 30 નવેમ્બરની વિષાદ પર વિજય મેળવવાની, તેને પચાવી જાણવાની વાત અંગે તેમની ચર્ચાઓનું આ સુંદર લેખ દ્વારા વર્ણન થયું છે.


ઇસ્લામનો પર્યાય….!! એક વાર્તાલાપ 16

ઇસ્લામ એટલે શું. અરેબિક શબ્દ સલેમા પરથી ઉતરી આવેલ શબ્દ ઇસ્લામનો અર્થ થાય છે શાંતિ, શરણાગતિ અને ખુદાઇ કાયદાઓનું ચુસ્તપણે પાલન, તો પછી સાંપ્રત સમયમાં ઇસ્લામનું નામ કેમ આતંકવાદની સાથે જોડાઇ રહ્યું છે. જગતના બીજા ધર્મો કરતા ઇસ્લામ કેમ અલગ પડી રહ્યો છે? ટ્રેનમાં બાંદ્રાથી વડોદરા આવતા એક મુસ્લિમ વૃધ્ધ શિક્ષક સાથે થયેલા વાર્તાલાપના કેટલાક અંશોમાં કદાચ આ સવાલના જવાબ મળી આવે.


ચિત્ત તું ચિંતા શીદને કરે… – દયારામ 4

કૃષ્ણપ્રેમના વિવિધ ભાવોને આલેખતા સર્જનો જેવા કે ગરબીઓ, પદો વગેરે માટે જાણીતા આદિકવિ દયારામ ઇ.સ.1777માં ચાંદોદ ખાતે જનમ્યા હોવાનું મનાય છે. પ્રસ્તુત રચનામાં કવિ ચિત્તને ઉદ્દેશીને કૃષ્ણને સમર્પિત થવા સમજાવે છે. જીવનમાં જે કાંઇ થાય છે તે પ્રભુની મરજીથી જ થાય છે એમ પોતાના મનને સમજાવતા તેઓ વિવિધ ઉદાહરણો આપે છે. તત્વજ્ઞાનની ગૂઢ વાતો ખૂબ સરળ અને રસપ્રદ શૈલીમાં તેમણે અહીં વણી લીધી છે.


વેદના – જીગ્નેશ ચાવડા 8

શ્રી જીગ્નેશ ચાવડાની ગદ્ય તથા પદ્ય કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આજે પ્રસ્તુત છે તેમની એક સુંદર કાવ્ય રચના. વેદનાની વિવિધ અવસ્થાઓ પર વ્યક્તિની મન:સ્થિતિ દર્શાવતી આ સુંદર રચના અક્ષરનાદને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


ફક્ત તું પ્રિયે… – જીગ્નેશ અધ્યારૂ 13

યાદોનું વન ઘણું ગીચ હોય છે, અને એમાં એક વખત રસ્તો ભૂલીને ભટકવાનો આનંદ અનેરો છે. યાદોનો સાગર ખૂબ ઉંડો છે અને તેમાં ડૂબીને પણ ક્યારેક અનોખી અનુભૂતીની પ્રાપ્તિ થાય છે. પોતાની પ્રિયતમાને યાદ કરતા આવા જ કોઇક પ્રેમીને પ્રિયતમાની નાની નાની વાતો અને તેની યાદો સતાવે છે એ મતલબનું આ અછાંદસ મારી તદન સાહજીક અને સાદી રચના છે.


સગા કેટલા વહાલા? – જીગ્નેશ અધ્યારૂ 7

આપણે ત્યાં સગા વહાલા શબ્દ એક સાથે બોલાય છે. લોહીનો સંબંધ એટલે સગાં અને સગા વહાલા હોવા જોઇએ એવી જ કોઇ માન્યતાને લીધે સગા વહાલા શબ્દ સાથે બોલાતો હશે. સુખ વહેંચવાથી વધે અને દુ:ખ વહેંચવાથી ઘટે, એટલે એ વહેંચણી માટેના પાત્રો એટલે સગા વહાલા. આવા વિવિધ સંબંધો અને તેમની ઉપયોગીતાના આધારે આવા સંબંધોનું થોડુંક વિશ્લેશણ કરવાનો અત્રે પ્રયત્ન કર્યો છે.


છ ઝેન બોધકથાઓ – સંકલિત

ઝેન કથાઓની મુખ્ય વિશેષતા એ છે કે તે ખૂબ નાનકડા વિસ્તારમાં ખૂબ મોટી વાત કહી જાય છે. ઝેન કથાઓ ઘણી પ્રચલિત છે. ઝેન ગુરૂઓએ શિષ્યો સાથે થયેલા વિવિધ પ્રસંગો તથા સંસારની વિવિધ વસ્તુઓ અને વિષયો પર ટૂંકાણમાં પણ ખૂબ માર્મિક રીતે ચોટદાર અભિવ્યક્તિ ધરાવતી આવી ઝેન કથાઓ આપી છે જે ખૂબ પ્રખ્યાત છે અને બોધપ્રદ પણ બની રહે છે. આવીજ છ સંકલિત ઝેન વાર્તાઓ અત્રે પ્રસ્તુત છે.


સંતોષની વ્યાખ્યા…. – જીગ્નેશ અધ્યારૂ 6

મહુવાથી વડોદરા આવતા બસમાં પ્રવાસ દરમ્યાન ઉદભવેલા એક વિચારે લાંબા સમયથી ઘેરી રાખ્યો, વિચારનો દિવસ ઉગ્યો, મધ્યાહને તપ્યો પણ આથમ્યો નહીં. વિચાર હતો કે માણસને સંતોષ ક્યારે થાય? કઇ વસ્તુથી થાય? કઇ રીતે થાય? અને ખરેખર થાય કે નહીં? સંતોષનો અર્થ વસ્તુલક્ષી છે કે અનુભૂતીલક્ષી? સંતોષ વિશેના આવા જ કેટલાક વિચારો અહીં મૂક્યા છે. તમારો સંતોષ વિશે શું વિચાર છે?


એક પંખી – નલિન રાવળ 2

કવિએ આ કાવ્યમાં તેજોમય અને ગતિમય એવી સુંદર સવારને એક પંખી સ્વરૂપે નિહાળીને કમાલ કરી છે. કૂણો તડકો લઇને આંગણે આવતી, બારીમાંથી ડોકીયું કરતી, દ્રષ્ટી અજવાળતી અને થોડીક ક્ષણોમાંજ અદ્રશ્ય થઇ જતી સવારને કવિએ તેને માનવ ઇન્દ્રિયોના કામો કરતી બતાવી છે. એક સુંદર સવાર જેમ આવીને જતી રહે તે કવિની કવિતાનો મુખ્ય વિષય છે અને એ જ કાવ્યનું અપ્રતિમ સૌંદર્ય છે.


છોગાળા, હવે તો છોડો! – દલપત પઢિયાર 13

ગુજરાતી સાહિત્યની કેટલીક શ્રેષ્ઠતમ કૃતિઓ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ નાનપણથી વિદ્યાર્થીઓને માણવાનો, સમજવાનો અવસર આપે છે. બાળકાવ્યો અને બાળવાર્તાઓ બાળકોને મનોરંજન સાથે જ્ઞાન આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. શાળા સમયથી મને શ્રી દલપત પઢિયારની સસલીબાઇ અને છેલછોગાળા સસલાભાઇની આ બાળવાર્તા “છોગાળા હવે તો છોડો!” ખૂબ ગમતી. હમણાં વર્ષો પછી એ ફરી વાંચવા મળી, કેટલાક સ્મરણો ખૂબ આનંદદાયક હોય છે, આ વાર્તાએ મને મારા શાળા સમયની યાદોના બાગમાં પાછો પહોંચાડ્યો. આપ સૌ સાથે આ વાર્તા વહેંચી રહ્યો છું.


સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય મુખવાસ = માવો – જીગ્નેશ અધ્યારૂ 18

માવો એટલે શું? ભગવદ્ગોમંડલ મુજબ માવાની વ્યાખ્યા છે, દૂધ ઉકાળી કરાતો ઘટ્ટ પદાર્થ (૨) ગર (જેમ કે, ફળનો), કે તેના જેવું કાંઈ પણ (૩) સત્ત્વ (૪) જથો, પણ એક મહાન અર્થ તેઓ પણ ભૂલી ગયા છે, એ અર્થનું વિસ્તૃત વિવરણ અને સમજણ અહીં આપવાનો અમે યત્ન કર્યો છે. માવો એ સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય મુખવાસ છે. પ્રસ્તુત છે માવાની આસપાસ, ચૂના વગર ચોળાતો આ હાસ્યનિબંધ. જો કે તમે માવો ખાધો છે?


ઇન્ડીબ્લોગરની શ્રેષ્ઠ સ્વરચિત કાવ્યકૃતિ સ્પર્ધા…. 2

ભારતીય ભાષાઓના બ્લોગર મિત્રોનો સહીયારો મંચ એટલે ઇન્ડીબ્લોગર.ઇન ( http://www.indiblogger.in ). આ વખતે તેમના દ્વારા યોજાયેલી શ્રેષ્ઠ સ્વરચિત પદ્ય કૃતિ અથવા શ્રેષ્ઠ ઓરીજીનલ પોએટ્રી માટેની સ્પર્ધા અંતર્ગત વિવિધ ભાષાઓના કુલ 185 બ્લોગ્સ તેમની વિવિધ કૃતિઓ સાથે સ્પર્ધામાં છે. આવી કોઇ પણ સ્પર્ધામાં સૌ પ્રથમ વખત અક્ષરનાદ.કોમ પણ એક ઉમેદવાર તરીકે છે. વોટીંગ અંગેની વિગતો માટે આ વિગત વાંચો.


નવું પ્રભાત, નવી આશાઓ….. – સંપાદકીય 1

વિક્રમ સંવત 2066 નું નવું વર્ષ શરૂ થઇ ગયું છે. દિપાવલીની ઉજવણી થઇ ગઇ, ફટાકડા ધૂમાડો થઇને વાયુમંડળમાં ભળી ગયા, મિઠાઇઓ ખવાઇ ગઇ અને નવું વર્ષ આમ જ સહજ રીતે શરૂ થઇ ગયું. નવું વર્ષ ઘણી નવી આશાઓ સાથે, અપેક્ષાઓ સાથે આવ્યું છે. અક્ષરનાદ વેબસાઇટ વિશેની અનેકો અપેક્ષાઓ અને તેમને મૂર્ત સ્વરૂપ આપવાની યોજનાઓ વિશે આજે આપ સૌ સાથે વાત કરવાનો ઉત્તમ અવસર છે એમ મારું માનવું છે.


વાંધો નહીં દીકરી – જીગ્નેશ ચાવડા 13

શ્રી જીગ્નેશ ચાવડાની પદ્ય રચનાઓ આપે અક્ષરનાદ પર આ પહેલા પણ માણી છે, આજે પ્રથમ વખત તેમના તરફથી તેમના અનુભવની વાત સાંભળીએ. બસના એક નાનકડા અનુભવની વાત માનવ માનસની એક સુંદર અને એક વરવી બાજુનું પ્રદર્શન કરે છે. શ્રી જીગ્નેશ ચાવડાનો વાર્તા લેખનમાં આ પ્રથમ પ્રયત્ન છે, આવી જ કૃતિઓ તેમના તરફથી માણવા મળે તેવી ઇચ્છા સાથે તેમને શુભેચ્છાઓ.


કરમાયેલું પીળું ગુલાબ! – જીગ્નેશ અધ્યારૂ 10

મારી રચનાઓ ગેય નથી હોતી કે છંદમાં નથી બેસતી એવી મિત્ર વિકાસ બેલાણીની હંમેશની વાતને લીધે જાણ્યે અજાણ્યે હવે અછાંદસ રચનાઓ તરફ વળી રહ્યો છું. એક ફૂલની સાથે સંકળાયેલા પ્રથમ પ્રેમના સંસ્મરણોને વાચા આપતી આ અછાંદસ રચના શાળા – કોલેજોમાં ઉજવાતા ફ્રેન્ડશીપ ડે થી શરૂ થાય છે. હજાર દેખાડાઓમાં ક્યાંક એક સાચો પ્રેમ પણ આ પીળા ફૂલની જેમ કરમાતો હશે? કદાચ હા, કદાચ ના !


માતા-પિતાને, શિક્ષકોને….. – સંકલિત 1

ગિજુભાઇ બધેકા, મેડમ ડો. મોન્ટેસરી જેવા બાળમાનસના અભ્યાસુઓએ માતા પિતા અને શિક્ષકો માટે ઘણાં માર્ગદર્શક રસ્તાઓ અને બાળ ઉછેરનું સાહિત્ય આપ્યું છે. ગિજુભાઇ બધેકા તો આ ક્ષેત્રના એક આધારભૂત સીમાસ્તંભ ગણાય છે. આજે આવીજ કેટલીક સંકલિત વાતોમાં બાળ ઉછેર અને તેમના માનસ વિશેની કેટલીક વાતો અત્રે પ્રસ્તુત છે. બાલમૂર્તિ માસીકના અંકોના મુખપૃષ્ઠોમાંથી આ કંડીકાઓ લેવામાં આવી છે.


શકુની ની રોજનીશી – જીજ્ઞેશ અધ્યારૂ 11

હિન્દીમાં શ્રી શિવકુમાર મિશ્ર અને જ્ઞાનદત્ત પાંડેજી ના બ્લોગ પર એક પોસ્ટ જોઇ, તે પરથી આવેલા વિચારના આધારે આ પોસ્ટ ઉપસી આવી. જો કે આ ફક્ત એક ગમ્મત ખાતર લખાઇ છે,અને તેને એટલી હળવાશથી જ માણવા વિનંતિ છે. મહાભારત એક મહાન ધર્મગ્રંથ છે, અને કોઇ પણ શબ્દે તેને તથા તેની મહાનતાને ઠેસ પહોંચાડવાનો કોઇ હેતુ નથી. છતાં જો કોઇ લાગણી દુભાય તો એ માટે પ્રથમથી ક્ષમા માંગી લઉં છું. આશા છે સામાન્ય હાસ્ય નિષ્પન્ન કરવાનો આ પ્રયત્ન સફળ રહેશે.


પરમ સખા મૃત્યુ – કાકા કાલેલકર 5

મરણ અંગે શ્રવણ મનન અને ચિંતન કરીને પોતે જે કાંઇ પણ પામ્યા એ તમામનો સંગ્રહ કરીને કાકા કાલેલકરે આ પુસ્તક પરમ સખા મૃત્યુમાં આપ્યો હતો. દરેક પરિવારના પરિચિત સમાજમાં અવારનવાર કોઇ ને કોઇ મૃત્યુ થતું રહે છે. તે નિમિત્તે સ્મશાનમાં કે સદગતને ઘરાઅંગણે દુ:ખમાં સહભાગી બનવા એકત્રથતા લોકોના વિચારોને સાચો માર્ગ આપવાનો કાકા કાલેલકરનો આ પ્રયત્ન છે. આ પુસ્તકના થોડાક અંશો અત્રે મૂક્યા છે.


સંબંધો – ડીમ્પલ આશાપુરી 4

સંબંધો ! આખરે સંબંધો એટલે શું? જ્યારે કોઇ પંખી તેની ચાંચમાં પરોવાયેલ અન્નના દાણાને બચ્ચાની ચાંચમાં નાખે, એ છે સંબંધ, જ્યારે રેતીના કણો હવા સાથે ભળીને હિલ્લોળે ચડે એ છે સંબંધ, જ્યારે કોઇ નિર્દોષ પતંગીયું દીવામાં પોતાની આહુતી આપે એ છે સંબંધ, જ્યારે મહેંદી હાથમાં લગાડીએ અને એના લેશમાત્ર સ્પર્શથીજ કુમકુમ હસ્ત થાય એ છે સંબંધ. સંબંધો …. ક્યારેક ઝાકળ જેવા અલ્પ તો ક્યારેક વિશાળ વર્ષા હેલી જેવા, ક્યારેક ભાસે તેમાં અંગારારૂપી ભાસ્કર તો ક્યારેક ચંદ્રરૂપી શીતળતા, ક્યારેક તરુવર કેરી હરીયાળી તો ક્યારેક રણ રૂપી શુષ્કતા, ક્યારેક વસંતકેરૂ યૌવન તો ક્યારેક પાનખરરૂપી વૃધ્ધત્વ, ક્યારેક મોગરાના પર્ણો જેટલી મલિનતા તો ક્યારેક પારેવાની ભોળાશ, ક્યારેક ફૂલની કોમળતા તો ક્યારેક કંટકભરી વેદના, ક્યારેક પર્ણોની પલળાશ તો ક્યારેક કટ્ટરતાનો દાવાનળ. અહીં ફક્ત ચાલે છે અઢી અક્ષરનું રાજ, એ પણ વળી દ્વિઅર્થી…. કોઇ રાખે ‘પ્રેમ’, તો વળી કોઇ દાખવે ‘દ્વેષ’, પણ અંતે જેમાં છે અપેક્ષાઓનો કુબેર ભંડાર, તે છે સંબંધ. અધુરો છે, માનવી ખરેખર અધુરો છે એના વિના…. સંબંધ મનુષ્યને, તેના હાર્દને જીવંતતા બક્ષે છે, એના વિના ભાસે જાણે પરિવાર વગરનું મકાન, કલગી વિનાનો મોર, શબ્દો વિનાનું ગીત ને લાગણી વગરનો માનવી…..


વેળાસર જતા રહીએ – જલન માતરી 5

મૃત્યુ એ કદી અવગણી ન શકાય એવી હકીકત છે. મૃત્યુને ઘણાં સહજતાથી સ્વીકારે છે, ઘણાં તેનાથી ડરે છે, ઘણાં તેને ઉમંગથી આવકારે છે. મૃત્યુના વિવિધ રસ્તાઓ છે અને ફક્ત એક મંઝિલ છે. પ્રસ્તુત ગઝલમાં શ્રી જલન માતરી સાહેબ મૃત્યુને સહજતાથી, આવકારે છે, પરંતુ એ મૃત્યુના સમયે મનમાં સર્જાતી ભાવનાઓને વાચા આપી રહ્યા છે. વેળાસર જતા રહેવાની તેમની આ વાત ખૂબ સરળ પણ ગહન છે.