Daily Archives: October 24, 2018


વેદકાળની રાષ્ટ્રીય ભાવના – હિમા યાજ્ઞિક 2

जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसि|

જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે એ ભાવના સૌ કોઈએ રાખવી જોઈએ અને રાખે છે. કારણ એની તોલે કોઈ ભાવના આવી શકે નહીં.

જે માતૃભૂમિ થકી આપણું પાલન પોષણ થયું. બળ, બુદ્ધિ અને સુખ સમૃદ્ધિ પામ્યા, જે માતૃભૂમિએ આપણને સુરક્ષિત રાખ્યા તેનું ઋણ ચૂકવવાનો એક જ માર્ગ છે અને તે છે માતૃભૂમિની વંદના.

આર્ય લોકો ભારતમાં ભલે ગમે ત્યારે આવ્યા હોય, પરંતુ તેઓ આ ભૂમિ પર આવ્યા કે તરત જ ભારતભૂમિને પોતાની પવિત્ર ભૂમિ સમજવી શરૂ કરી છે. આર્યોએ ક્યારેય ભારતભૂમિને અલગ ગણી નથી. તેઓએ આ ભૂમિ સાથે એટલું બધું તાદાત્મ્ય સાધ્યું છે કે વેદમાં એક આખું ‘પૃથ્વીસુક્ત’ રચ્યું છે. જેમાં માતૃભૂમ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે. આ દેશની નદી, પર્વત, જળ, સ્થળ બધું જ પોતીકું લાગે છે.