આ ઈમારત – શિરીષ શાહ ‘પ્રણય’ 1
મૂળથી આ થડ સુધી પહોંચાય તોયે છે ઘણું,
પર્ણ-ફૂલો-ફળ સુધી વહેંચાય તોયે છે ઘણું.
* * *
મને લાગે તરસ તો હું સદા દરિયો ઉલેચું છું,
છતાંયે ના મળે સંતોષ તો વાદળને ખેંચું છું.
* * *
મૂળથી આ થડ સુધી પહોંચાય તોયે છે ઘણું,
પર્ણ-ફૂલો-ફળ સુધી વહેંચાય તોયે છે ઘણું.
* * *
મને લાગે તરસ તો હું સદા દરિયો ઉલેચું છું,
છતાંયે ના મળે સંતોષ તો વાદળને ખેંચું છું.
* * *
ये मंंटो की कलम से निकले दस बेहतरीन अफसाने है। उन्हें आप लघुकथा कह लीजीए या माइक्रोफिक्शन, वो किसी भी नाम के मोहताज नहीं। मंटो फिल्म देखी है तब से ये हाल है की वो दिलोदिमाग पर छाए हुए है.. उनके अफसाने अपना असर जमाए हुए है। किरदार जो फिक्शनकी हदों को तोडकर बाहर आते है और आपको छू कर, झकझोरके अपनी मौजूदगीका एह्सास कराते है। वो अफसाने जो परेशान करते है, अखरते है, खटकते है पर उन्हें झुटलाया नहीं जा सक्ता। मंटोने इन्सानी फितरतको पूरा नंगा करके रख दिया है, और मजेकी बात ये की फिरभी आप उसका मजहब नहीं पहचान पाएंगे.. बिलकुल उनके अफसाने ‘इस्लाह’ की तरह जो नौवें नंबर पर पढ सकेंगे।
એપ્રિલ ૨૮, ૧૯૪૪ના દિવસે, અરીસાના એક ખૂણેથી પોતાને નીહાળતાં ઓસ્કર એટલું તો જોઈ શકતો હતો, કે છત્રીસ વર્ષની ઉંમરના પ્રમાણમાં તેની કમર ખાસ્સી વધારે દેખાતી હતી. પરંતુ આજના દિવસે યુવાન છોકરીઓને ભેટતી વેળાએ કોઈએ તેની જાડી કમરનો વિરોધ નહોતો કર્યો! કોઈપણની વગથી પર ગણાતા પોમોર્સ્કા અને મોન્ટેલ્યુપિક જેવા સત્તાના કેન્દ્રોની બહાર રહેવાની પરવાનગી ઓસ્કરને એસએસ દ્વારા જ અપાઈ હોવાને કારણે ઓસ્કરની ફેક્ટરીના જર્મન ટેકનીશ્યનોમાંથી જે કોઈ પણ એસએસના બાતમીદાર હશે, એ આજે જરૂર હતાશ થઈ ગયા હશે!
આ તરફ રાઇમન્દ ટિસ કંઈક જૂદી જ રીતે યહૂદીઓને મદદ કરી રહ્યો હતો. સૌમ્ય સ્વભાવનો ટિસ એક હોશિયાર ઓસ્ટ્રિઅન કેથલિક હતો. પગે એ થોડો લંઘાઈને ચાલતો હતો, જેના માટે કોઈ પહેલા વિશ્વયુદ્ધને જવાબદાર ઠેરવતું હતું, તો કોઈ તેને માટે બાળપણમાં થયેલા કોઈક અકસ્માતને કારણભૂત ગણતું હતું.
એમોન કે ઓસ્કર કરતાં એ દસ વર્ષ મોટો હતો. પ્લાઝોવની છાવણીમાં આવેલી જુલિયસ મેડરિટ્ઝની ગણવેશની ફેક્ટરીમાં કામ કરતા ત્રણ હજાર દરજીઓ અને મિકેનિકોનો વહીવટ એ જ સંભાળતો હતો. મેડરિટ્ઝની ફેક્ટરી સાથે વહીવટીભવન ટેલીફોન લાઈન વડે જોડાયેલું હતું, એટલે એમોન ઘણી વખત ટિસને પોતાની ઑફિસમાં ચેસ રમત રમવા માટે બોલાવતો હતો. પહેલી વખત રાઇમન્ડ એમોન સાથે રમવા ગયો ત્યારે અડધો કલાક થઈ જવા છતાં રમત એમોનની તરફેણમાં પૂરી ન થઈ!
ઘણાં વખતે એક ફિલ્મ જોઈને અજબ સંતોષ થયો. મન્ટો ફિલ્મ વિશે પહેલીવાર સાંભળેલું દિલ્હીમાં ગયા વર્ષે થયેલા ટાઈમ્સ લિટરેચર ફેસ્ટિવલમાં જેમાં નંદિતા દાસને સાંભળવાનો અવસર મળેલો. કોઈએ એમને પૂછ્યું હતું કે મન્ટો એક ફિલ્મ તરીકે એમની વાર્તાઓને, એમના જીવન અને વ્યક્તિત્વને કેટલો ન્યાય આપી શક્શે? બે કલાકમાં તમે કેટલુંક બતાવી શક્શો. નંદિતાએ કહેલું કે મન્ટોના જીવનનો સૌથી અગત્યનો ભાગ – ૧૯૪૬થી ૧૯૫૦ સુધીનો સમય ફિલ્મમાં લેવાયો છે, અને ફિલ્મ જોયા પછી મને લાગે છે કે જાણે આથી વધુ સચોટ રીતે મન્ટો વિશે, એમના સર્જન અને એમના વ્યક્તિત્વ વિશે કોઈ કહી શક્યું હોત નહીં. મન્ટોના ચાહકો માટે આ એક અદનો અવસર છે.. આર્ટફિલ્મનું લેબલ લઈને આવી હોવાથી ‘મન્ટો’ ફિલ્મ જલ્દી જ થિએટરોમાંથી નીકળી જશે, પણ એ પહેલા એને જોઈ આવો.. રેસ ૩ કે વીરે કી વેડિંગ જેવી વાહિયાત ફિલ્મોને બદલે મન્ટો બે વખત જોઈ શકાય એવી ફિલ્મ છે. એક અદના લેખકને, ભારત અને પાકિસ્તાનના ભાગલાથી આહત થયેલા એક સર્જક જીવને એના સર્જનોથી ઓળખવાનો આ ફિલ્મથી વધુ સારો અવસર ભાગ્યે જ મળશે. નંદિતા દાસને તેમના આ સુંદર સાહસ બદલ વધાવી લેવા જોઈએ. અને ક્યાંક મનને ખૂણે આશાનું એવું બીજ પણ રોપાયું કે આપણા ઝવેરચંદ મેઘાણી કે ગુણવંતરાય આચાર્ય કે મરીઝના જીવન પર પણ આવી કોઈ સુંદર ફિલ્મ બને તો!
ગુજરાત સાહિત્ય પરિષદના ‘શબ્દસૃષ્ટિ’ સામયિકના નવેમ્બર ૨૦૦૩ના દલિતસાહિત્ય વિશેષાંકમાંથી આ ચાર પદ્યરચનાઓ સાભાર લીધી છે. ગુજરાતીમાં છેલ્લા ત્રણેક દાયકાથી દલિત સાહિત્યનો ઉત્કર્ષ જોવા મળે છે, દલિત સાહિત્યની વિધવિધ પત્રિકાઓ અને સંચયો પ્રગટ થવા ઉપરાંત સાહિત્યિક ગુણે પણ ટકે એવી વાર્તાઓ, કવિતાઓ અને નવલકથાઓ ગુજરાતીમાં લખાઈ છે અને એ રીતે દલિત સાહિત્યે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.. જે ચાર કવિવર્યની પદ્યરચનાઓ એ વિશેષાંકમાંથી અહીં લીધી છે તેઓ છે શ્રી જયન્ત પરમાર, શ્રી કરસનદાસ લુહાર, શ્રી ચંદુ મહેસાનવી અને શ્રી રાજેશ મકવાણા.
મીરાંબહેનની વિદાયના થોડા સમયબાદ મહેન્દ્રભાઈ કેન્સરગ્રસ્ત થયા. જે દિવસે એમનું નિદાન થયું ત્યારથી જ એમણે નિર્ણય કરી લીધો કે જે સમય બચ્યો છે એ સમયમાં સમાજને વધારેમાં વધારે આપી જવું. એમના ઘરના પ્રવેશદ્વારની બહાર એક ટેબલ ઉપર અનેક મોંધા મોંઘા પુસ્તકો મૂકી રાખતા. એમને મળવા આવનાર એમાંથી જે ગમે તે પુસ્તક ભેટ તરીકે લઈ જઈ શકે. છેલ્લા છ મહિના જ્યારે એ પથારીવશ હતા, ત્યારે ચેકબુક અને પેન તકીયા પાસે રાખતા. મન ભરીને યોગ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓને નાણાકીય મદદ આપતા ગયા. એમને મળવા આવનાર વ્યક્તિઓમાંથી એક્પણ વ્યક્તિ એવી ન હતી, જેમણે મહેન્દ્રભાઈની આ બિમાર હાલત ઉપર આંસુ ન સાર્યા હોય.
૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સૌને આપનાર આ માણસ, સાહિત્યપ્રેમીઓ અને સર્જકોના ભરપૂર પ્રેમ અને માન સાથે, એમના માનસમાં અમીટ છાપ છોડીને આ દુનિયામાંથી વિદાય થઈ ગયા.
આજકાલ ગુજરાતી ફિલ્મો નવી આદત પાડી રહી છે, થિએટરમાં મનગમતી સીટ પર બેસીને જાણે આપણા જ માટે શો ગોઠવાયો હોય એમ ફિલ્મ જોવાની આદત. દિલ્હી હતો ત્યારે નોઈડામાં ચાલ મન જીતવા જઈએ જોઈ, આખા થિએટરમાં પાંચ-છ જણ હતા, ગયા અઠવાડીયે નટસમ્રાટ જોઈ ત્યારે ત્રીસેક જણ હતા, એમાંય પાંચેક કપલ હતા જેમને કઈ ફિલ્મ છે એની સાથે કોઈ મતલબ નહોતો, નટસમ્રાટમાં તો મારી આગળ ટિકિટ લઈ રહેલા ભાઈએ કહ્યું, “કયું ખાલી છે?” પેલા બહેન કહે, “નટસમ્રાટ” તો કહે, ‘બે ટિકિટ આપો.” પણ બહેને જ્યારે ૨૮૦ રૂપિયા કહ્યા તો એ ભાઈ એમની સાથે આવેલા બહેનને કહે ‘ગુજરાતી ફિલમની ટિકિટ ૧૪૦, બોલો..’ હા, વડોદરામાં રેવા હાઉસફુલ હતું, પણ એવા પ્રસંગો ગુજરાતી ફિલ્મો માટે કેટલા?
એટલે ગઈકાલે મોટેરાના પી.વી.આરમાં ‘વેન્ટિલેટર’ જોવા ગયા અને અડધાથી વધારે થિએટર ભરેલું જોયું તો હરખના આંસુુ છલકાઈ ગયા. ક્યારેક મનગમતી સીટ ન મળવાનોય આનંદ હોય છે.
કેટલાક લોકોને હવે એવું પણ લાગતું હતું કે હાર્યા જુગારીની માફક ઓસ્કર પોતાનું રોકાણ બમણું કરી રહ્યો હતો! તેના વિશે સાવ ઓછી જાણકારી ધરાવતા કેદીઓ પણ હવે એવું માનવા લાગ્યા હતા, કે ઓસ્કર જરૂર પડ્યે તેમને માટે જાન ન્યોચ્છાવર કેરી દે તેમ હતો! અત્યારે તો મા-બાપ પાસેથી નાતાલની ભેટ મેળવી રહેલા કોઈ બાળકના મનોભાવ સાથે તેઓ ઓસ્કરની આ કૃપાને સ્વીકારી લેતા હતા, પરંતુ આગળ જતાં તેઓ એવું પણ કહેવાના હતા કે હે ઇશ્વર, સારું થયું કે ઓસ્કર પોતાની પત્ની કરતાં પણ અમને વધારે વફાદાર હતો! કેદીઓની માફક કોઈક-કોઈક અધિકારીઓ પણ ઓસ્કરના આ ઉત્સાહનો લાભ લઈ લેતા હતા.
એ દિવસોમાં ઓસ્કર અઠવાડિયામાં ત્રણ દિવસ એમેલિયામાં આવતો. ફેક્ટરીના મેદાનમાં ઘોડા પરથી ઊતરતો ઓસ્કર શિન્ડલર અદ્દલ કોઈ ઉદ્યોગપતિ જેવો જ લાગતો હતો! અત્યંત દેખાવડો ઓસ્કર, ફિલ્મ અભિનેતા જ્યોર્જ સેન્ડર્સ કે કર્ટ જર્જન્સ જેવો દેખાતો! લોકો પણ તેને આ બે અભિનેતા સાથે જ સરખાવતા! પોતાનું ટુંકું જેકેટ અને જોધપૂરી કોટ એ એક ખાસ જગ્યાએ સીવડાવતો. ઘોડેસવારી માટેનાં તેનાં જુતાં એકદમ ચમકતાં રહેતાં. ચારે બાજુથી એ સમૃદ્ધિમાં આળોટતો માણસ હોય એવું લાગતું.
અહીં મારે રાજકીય વિકાસની કે આર્થિક વિકાસની નહીં પરંતુ માણસના વિકાસની વાત કરવી છે. આજના ગ્લોબલાઇઝ વિશ્વમાં ઘણી બધી ખાસ કરીને મલ્ટીનેશનલ કંપનીઓ એમના કર્મચારીઓ કેવી રીતે વધારે ને વધારે કંપની માટે લાભકર્તા સાબિત થાય, એમને કેવી સુવિધાઓ આપવામાં આવે એ વિશે સતત નવા સંશોધનો કરી નવા નવા નિયમો બહાર પાડતી હોય છે. દાખલા તરીકે ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓમાં એના કર્મચારીઓનો કામનો સમય ફિક્સ નથી. કર્મચારી ગમે તેટલા વાગે આવે, ત્યાંથી આઠ કલાક કામ કરી ઘર ભેગો થઇ શકે. આની ‘ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ’ કહેવામાં આવે છે.
જેમ-જેમ કેદીઓમાં આ વાત ફેલાતી ગઈ, તેમ-તેમ એમેલિયા જવા માટે એમની વચ્ચે હરીફાઈ થઈ પડી. દોલેક હોરોવિત્ઝ નામનો એક કેદી પ્લાઝોવમાં ખરીદ અધિકારી હતો. એ જાણતો હતો, કે તેને સાવ એમને એમ તો શિન્ડલરની ફેક્ટરીમાં જવા દેવામાં નહીં જ આવે! પરંતુ છાવણીમાં તેની સાથે તેની પત્ની અને બે બાળકો પણ રહેતાં હતાં!
શિયાળાના છેલ્લા-છેલ્લા દિવસોમાં ધુમ્મસના રૂપમાં પૃથ્વી પોતાની આભા પ્રસરાવી રહી હતી, દોલેકનો સૌથી નાનો પુત્ર રિચાર્ડ સ્ત્રીઓના વિભાગમાં પોતાની માની પથારીમાંથી નીચે ઊતર્યો અને ટેકરી ઊતરીને પિતાની છાવણી તરફ દોડી ગયો. તેનું ધ્યાન તો સવાર-સવારમાં વહેંચાતી સૂકી બ્રેડમાં જ હતું. બ્રેડ મેળવવા માટે સવારની હાજરીના સમયે પિતાની સાથે હોવું તેને માટે જરૂરી હતું.
આપણે નથી જાણતા, કે માર્ચ મહિનાની તેર તારીખનો વસાહતનો એ છેલ્લો અને સૌથી ખરાબ દિવસ ઓસ્કર શિન્ડલરે કઈ રીતે પસાર કર્યો હશે. પરંતુ વસાહતમાંથી પ્લાઝોવની છાવણીમાં લઈ જવાયેલા તેના કામદારો કામ પર પાછા આવ્યા, એ સાથે જ ફરી એક વખત ઉત્સાહમાં આવી ગયો, અને ડેન્ટિસ્ટની આગામી મુલાકાત માટે ફરીથી માહિતી એકઠી કરવા મંડી પડ્યો. કેદીઓ પાસેથી તેને જાણવા મળ્યું, કે એસએસ દ્વારા ‘ઝ્વાંગસરબેઇટ્સલાર્જર પ્લાઝોવ’ જેવા લાંબા નામે ઓળખાવાતી એ છાવણી કેદીઓ માટે કોઈ રીતે યોગ્ય ન હતી. એમોન ગેટે યહૂદી ઇજનેરોની પર વિરુદ્ધમાં પૂરા જોશ સાથે તૂટી પડ્યો હતો. ઝાયમન્ટ ગ્રનબર્ગ નામનો યહૂદી ઇજનેર કોમામાં સરકી ગયો ત્યાં સુધી તેને માર મારવાની છૂટ તેણે ચોકીદારોને આપી દીધી હતી; છાવણીનું દવાખાનું દૂર સ્ત્રીઓની છાવણી પાસે આવવેલું હતું, ત્યાં પણ એને એટલો મોડો લઈ જવામાં આવ્યો, કે એ નિશ્ચિતપણે મૃત્યુ જ પામે! કેદીઓ ‘ડેફ’માં કામ પર આવ્યા ત્યારે ફરી એક વખત તેમને સંતોષ થાય એવો સુપ પીવા મળ્યો. સુપ પીતાં-પીતાં કેદીઓએ ઓસ્કરને એ પણ જણાવ્યું કે પ્લાઝોવનો ઉપયોગ માત્ર કેદીઓ માટેની છાવણી તરીકે જ નહીં, પરંતુ તેમાં યહૂદીઓને મૃત્યુદંડ આપવા માટે પણ કરવામાં આવી રહ્યો હતો. બધી જ છાવણીઓમાં હત્યા થઈ રહી હોવાની વાતો તો સંભળાતી જ હતી, પરંતુ અહીંના કેટલાક કેદીઓએ તો હત્યાના દૃશ્યો પોતાની નજરે જોયાં હતાં!
આજે પ્રસ્તુત છે એક સુંદર કાવ્યરચના. ચાલવાની આપણને કોઈ નવાઈ નથી, પણ આ ઝડપથી દોડતા યુગમાં જ્યારે ખરેખર થોડાક ડગલાંથી વધારે ‘ચાલવું’ પડે ત્યારે સમજાય છે એ ક્રિયાનું સાર્થક્ય. કવિનું વાહન બગડ્યું છે, અને એટલે જે સડક પરથી પૈડાને પગે કંઈ કેટલીય વખત પસાર થઈ ચૂક્યા છે, એ જ રસ્તા પર ચાલવાથી એક આખું અનોખું વિશ્વ સજીવ થઈ ઉઠે છે, રસ્તો, વૃક્ષો, પક્ષીઓ, ઝાડીઓ, ખરેલા પાંદડા અને રસ્તા પરની ઝીણી કાંકરીનીય નોંધ લેવાઈ. ચાલવાને લીધે વાહનની બંધ કાચબારીઓમાંથી અછૂત રહી જતું એક આખુંય વિશ્વ જાણે નવા સ્વરૂપે પ્રસ્તુત થયું.
આજે પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધા ૪ (૨૦૧૮)ના પ્રથમ અને દ્વિતિય વિજેતાઓની કૃતિઓ. પ્રસ્તુત છે દ્વિતિય ઈનામ વિજેતા મિત્તલબેન પટેલની ત્રણ માઈક્રોફિક્શન અને પ્રથમ ઈનામ વિજેતા ભારતીબેન ગોહિલની પાંચ માઈક્રોફિક્શન. બંને વિજેતાઓનો ખૂબ આભાર, તેમની કલમને ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. સમગ્ર સ્પર્ધાની સફળતા માટે મહેનત કરનાર વોલન્ટિયર મિત્રો, ઉત્સાહભેર આટલી મોટી સંખ્યામાં ભાગ લેનાર સર્વે સ્પર્ધકો અને સમયાવધિમાં નિર્ણય આપનાર આદરણીય નિર્ણાયકો સહ સંકળાયેલા સૌનો ખૂબ આભાર.
અને આજથી પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધા ૪ (૨૦૧૮)ના વિજેતાઓની કૃતિઓ. આજે પ્રસ્તુત છે પ્રોત્સાહન ઈનામ વિજેતા લીનાબેન વછરાજાની રચિત ત્રણ માઈક્રોફિક્શન અને તૃતિય ઈનામ વિજેતા પાર્થ ટોરોનીલની ચાર માઈક્રોફિક્શન. આવતીકાલે પ્રથમ અને દ્વિતિય ક્રમાંકે વિજેતા ભારતીબેન ગોહિલ અને મિતલબેન પટેલની માઈક્રોફિક્શન માણીશું.
પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની અંંતિમ ચાર વાર્તાઓ. આજના સર્જકો છે ધર્મેશ ગાંંધી, પ્રિયંકા જોશી અને મુર્તઝા પટેલ
જોસેફાઇન્સ્કા સ્ટ્રીટના છેડે ઓગણીસમી સદીના એક જૂના મકાનના બીજા માળે આવેલા એક કમરામાં પોલદેક ફેફરબર્ગ અન્ય યહૂદીઓની સાથે રહેતો હતો. કમરાની બારીઓ વિસ્તુલાના કિનારે વસાહતની દિવાલની ઉપરની બાજુએ ખૂલતી હતી. વસાહતના છેલ્લા દિવસો વિશે અજાણ એવી નૌકાઓ વિસ્તુલાના વહેણમાં થઈને પસાર થઈ રહી હતી. એસએસની પેટ્રોલબોટ પણ કોઈ સહેલનૌકાની માફક, કંઈ જ બન્યું ન હોય એમ અકારણ આવ-જા પસાર થતી રહી હતી, જર્મન કમાન્ડો આવીને બધાંને શેરીમાં બહાર આવી જવાનો હુકમ કરે તેની રાહ જોઈને ફેફરબર્ગ પોતાની પત્ની મિલાની સાથે અહીં સંતાયો હતો. બેઠા કદની બાવીસ વર્ષની ગભરુ મિલા લોડ્ઝથી આવેલી એક શરણાર્થી યુવતી હતી. વસાહત સ્થપાવાની શરૂઆતના દિવસોમાં જ ફેફરબર્ગે તેની સાથે લગ્ન કર્યા હતા. ડૉક્ટરોના કુટુંબમાંથી આવેલી મિલાના પિતા એક સર્જન હતા અને ૧૯૩૭માં ભરયુવાનીમાં જ મૃત્યુ પામ્યા હતા. તેની માતા એક ચર્મરોગ-નિષ્ણાત હતી. રોસેલિયા બ્લાઉની માફક તેની માતા પણ ગયા વર્ષે ટાર્નોવની વસાહતોમાં લશ્કરી કાર્યવાહી દરમ્યાન પોતાના દરદીઓ સાથે ઊભી હતી ત્યારે એક ઑટોમેટિક રાયફલના ગોળીબારમાં વિંધાઈ ગઈ હતી.
ફેક્ટરી માલીકો પ્લાઝોવની મુલાકાતે આવ્યાના બે દિવસ પછી તેમને શુભેચ્છા આપવાના બહાને શિન્ડલર બ્રાંડીની એક બોટલ લઈને શહેરમાં આવેલી કમાન્ડન્ટ ગેટેની કામચલાઉ ઓફિસે પહોંચી ગયો. એ પહેલાં, ડાયેના રિટરની હત્યાના સમાચાર એમેલિયાની ઓફિસમાં તેને મળી ચૂક્યા હતા, અને એ કારણે જ ઓસ્કરે પોતાની ફેક્ટરીને પ્લાઝોવની બહાર રાખવાનો પાક્કો નિર્ધાર કરી લીધો હતો.
પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ. આજના સર્જકો છે કિશોર ટંડેલ, આલોક ચટ્ટ, ધર્મેન્દ્ર કનાલા અને દર્શન ગાંધી. સર્વે સર્જકોને ખૂબ અભિનંદન!
પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ. આજના સર્જકો છે ડૉ. કેતન કારિયા, પરેશ ગોધાસરા, રાજેન મહેતા, સંજય થોરાત. સર્વે સર્જકોને ખૂબ અભિનંદન
પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ. આજના સર્જકો છે આશા શાહ, સુષમા શેઠ, કાજલ ભુવા અને વિષ્ણુ ભાલિયા.
માલગાડીમાં બેસીને બૂડાપેસ્ટથી પાછા ફરતી વેળાએ ઓસ્કર શિન્ડલરે એવી ધારણા રાખી હતી, કે જર્મનો દ્વારા હવે વસાહતને બહુ ઝડપથી સમેટી લેવામાં આવશે. એ જ સમયે વસાહતની સાફસૂફી કરવાનું કામ પૂરું કરવા માટે, અને પ્લાઝોવની વેઠિયા મજૂરોની છાવણીમાં બાકી બચેલા કેદીઓનો હવાલો સંભાળવા માટે એમોન ગેટે નામનો એસએસનો અંટર્સ્ટર્મફ્યૂહરર લ્યૂબિનથી આવી રહ્યો હતો. ગેટે શિન્ડલર કરતાં આઠ મહિના જ નાનો હતો, પરંતુ ઉંમરની સાથે-સાથે તેમની વચ્ચે ઘણી સમાનતા હતી. ઓસ્કરની માફક એ કૅથલિક કુટુંબમાં ઉછર્યો હતો અને તેની જેમ છેક ૧૯૩૮ પહેલા જ, પોતાના લગ્ન-વિચ્છેદ પછી ચર્ચની વિધિઓમાં ભાગ લેવાનું એણે બંધ કરી દીધું હતું. ઓસ્કરની માફક એ પણ ‘રિઅલજિમ્નેશ્યમ’ હાઇસ્કૂલમાંથી ઇજનેરી, ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં સ્નાતક બન્યો હતો. આમ એ એક વ્યવહારુ માણસ હતો, કોઈ વિચારક નહીં; પરંતુ પોતાને તે એક દાર્શનિક માનતો હતો!
ડૉ. સેદલસેકે ઓસ્કરને અગવડભરી મુસાફરીની જે વાત કરેલી, એ સાચી જ ઠરી! મોંઘો ઓવરકોટ પહેરેલો ઓસ્કર પોતાની સૂટકેસમાં સુખસુવિધાઓના એવા-એવા સામાનની સાથે મુસાફરી કરી રહ્યો હતો, જેની મુસાફરીના અંત સુધી કોઈ જરૂર ન પડી. મુસાફરી માટે જરૂરી દસ્તાવેજો તો તેની પાસે હતા જ, પરંતુ એ દસ્તાવેજોનો એ ઉપયોગ કરવા માગતો ન હતો. સરહદ પાર કરતી વેળાએ એ દસ્તાવેજો રજુ કરવા ન પડે તો સારું એવું તેને લાગતું હતું. આમ કરવાથી જરૂર પડ્યે પોતે ક્યારેય હંગેરી ગયો હોવાનો ઇનકાર કરી શકાય.
આજથી પાંચ દિવસ પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ વીસેક માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓ. આજના સર્જકો છે અનુજ સોલંકી, શૈલેષ પંડ્યા, દર્શા કિકાણી અને પ્રિયંકા જોશી.
મહાભારત યુદ્ધ દરમિયાન દ્રંદ્રયુદ્ધ જાણે એક અને અદ્રિતીય હતુઁ. બંને મહારથીઓ હતા. બંંને યુદ્ધકૌશલ્ય દાખવનારા હતા.
સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા શ્રીકૃષ્ણનો તથા વૃષ્ણિ-અંધકાદિ યાદવોનો કટ્ટર દુશ્મન હતો. સાથેસાથે યજ્ઞયાગાદિ પ્રસંગે પુષ્કળ દક્ષિણા આપનાર તથા ખ્યાતિ ધરાવતો દાબવીર પણ તે હતો. જ્યારે વૃષ્ણિ અને અંધકવંશીઓમાંં વાઘ સમાન શ્રેષ્ઠ એવો સાત્યકિ અર્જુનનો શિષ્ય તો ખરો, પણ સાથેસાથે ધનુર્વિદ્યામાં તેનાથી સહેજે ઊતરતો નહોતો. સાથેસાથે તે શ્રીકૃષ્ણનો પરમ મિત્ર અને પૂર્ણ વફાદાર સાથી પણ ખરો.
પહેલાં તો બંંને એકબીજા વાગ્બાણોથી વીંધવા લાગ્યા. ધીમેધીમે બંને યોદ્ધાઓ પોતાનું પરાક્રમ બતાવવા જાણે અધીરા થયા. અનેક મહાયોદ્ધાઓ સાથે આજે લડીને થાકેલો સાત્યકિ અત્યારે જાણે મરણિયો બન્યો હતો. સામે તાજોમાજો થઈને યુદ્દ્ઘમાઁ ઊતરેલો ભૂરિશ્રવા રથયુદ્ધ કરવા ધસી આવ્યો
શૌનકભાઈ જોષીની પાંચ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. સંસ્કૃત વિષય સાથે એમ.ફીલ તેમજ ફતેપુરા ગામની સરકારી શાળાના કર્મઠ આચાર્ય, ઉત્તમ વાસ્તુશાસ્ત્રી અને સંવેદનશીલ કવિ એવા શૌનકભાઈ ગઝલ અને ગીતરચનામાં વિશેષ રૂચિ રાખે છે. કળાના વિવિધ સ્વરૂપોને માણતા એક અદના અભિનેતા પણ છે અને અક્ષરનાદની ‘પાસવર્ડ’સહિત અનેક શોર્ટફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે એ માટે તેમનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભકામનાઓ..
ડૉ. નિલય પંડ્યા દ્વારા અનુદિત ઍડગાર ઍલન પૉની જાણીતી વાર્તાઓનો સંગ્રહ ‘લાલ મોત’ તેમણે અક્ષરપર્વ-૨ના દિવસે ભેટ આપ્યો એ બદલ તેમનો ખૂબ આભાર.. એ સંગ્રહની અનેકવિધ ટૂંકી વાર્તાઓમાંથી પસાર થતા એક અનોખી લાગણી થઈ આવે છે. પૉની વાર્તાઓ સામાન્ય વાર્તાઓ કરતા એક અલગ વિશ્વમાં લઈ જાય છે એ તેમની રચનારીતિની વિશેષતા છે, તો નિલયભાઈના અનુવાદની સશક્ત આવડત પણ આ સંગ્રહમાં ઉડીને આંખે વળગે છે. આજે અક્ષરનાદ પર પ્રસ્તુત વાર્તા કબૂલાતનામું તેમના આ સંગ્રહ ‘લાલ મોત’ માંથી જ લીધી છે, પૉની વિખ્યાત વાર્તા The Tell-Tale Heart નો એ અનુવાદ છે જેમાં વાર્તાકાર પોતે કરેલા ખૂનનું વિગતે વર્ણન કરે છે, અને એ ખૂન થઈ ગયા પછીનો ઘટનાક્રમ – એ વાત છેક છેલ્લા શબ્દ સુધી વાચકને જકડી રાખે છે. સુંદર સંગ્રહ બદલ નિલયભાઈને શુભકામનાઓ.
સેદલસેક નામનો એક ઓસ્ટ્રિઅન યહૂદી ડેન્ટિસ્ટ ક્રેકોવમાં આવીને શિન્ડલર વિશે તપાસ ચલાવી રહ્યો હતો. બુડાપેસ્ટથી ટ્રેઇન મારફતે એ ક્રેકોવ આવ્યો હતો. તેની પાસેની બનાવટી તળિયાવાળી એક સૂટકેસમાં, જર્મન ગવર્નર જનરલ ફ્રેંક દ્વારા રદ્દ કરીને કબજે કરાયેલી પોલિશ ચલણ ઝ્લોટીની ઢગલાબંધ નોટો ઠાંસી-ઠાંસીને ભરેલી હતી.
પોતાના ધંધાર્થે મુસાફરી કરવાના બહાના હેઠળ બુડાપેસ્ટની ઝિઓનિસ્ટ બચાવ સંસ્થાના પ્રતિનિધી તરીકે તે અહીં આવ્યો હતો.
દુનિયાના અન્ય લોકોને તો ઠીક, પેલેસ્ટાઇનના ઝિયોનિસ્ટોને પણ છેક ૧૯૪૨ની પાનખર સુધી ખબર ન હતી, કે યુરોપમાં યહૂદીઓ પર કેવો જુલમ કરવામાં આવી રહ્યો છે! યહૂદીઓની પરિસ્થિતિ અંગે નક્કર માહિતી એકઠી કરવા માટે એમણે ઇસ્તંબૂલ શહેરમાં એક કચેરી ખોલી હતી.
શનિવાર સાંજ સુધી વસાહતની અંદર એસએસ અત્યંત વ્યસ્ત રહી. ક્રેકુસા સ્ટ્રીટના હત્યાકાંડ દરમ્યાન એસએસની ધાર્યું પરિણામ લાવવાની તાકાત શિન્ડલરે જોઈ જ હતી. હુમલાની આગોતરી જાણ ભાગ્યે જ કોઈને થતી હતી! અને શુક્રવારે કોઈ છટકી જાય, તો છેવટે શનીવારે તો પકડાઈ જ જતું હતું! જો કે આટલી નાનકડી ઉંમરે પણ સ્વસ્થ રહી શકવા જેટલી બુદ્ધિ, અને તેનાં કપડાંનો લાલ રંગ અંધારામાં ભળી જવાના કારણે, જિનીયા એ અઠવાડિયે તો બચી ગઈ!
એસએસની લશ્કરી કાર્યવાહી દરમ્યાન એ લાલ બાળક જીવી ગયું હશે એવું વિચારવાની હિંમત ઝેબ્લોસીમાં બેઠેલા શિન્ડલરમાં તો ન હતી! પોમોર્સ્કા સ્ટ્રીટના પોલીસ હેડક્વાર્ટર્સમાં બેઠેલા ટોફેલ અને અન્ય ઓળખીતાઓ સાથેની વાતચીત પરથી શિન્ડલરને ખબર પડી, કે વસાહતમાંથી સાત હજાર લોકોનો સફાયો કરી દેવામાં આવ્યો હતો! યહૂદીઓને લગતી બાબતોની ઑફિસના ગેસ્ટાપો અધિકારીઓ આ સફાઈની જાહેરાત કરતાં ખુશ થતા હતા, તો પોમોર્સ્કા સ્ટ્રીટના કારકુનો પણ જૂન મહીનાની આ કાર્યવાહીનો વિજયોત્સવ મનાવી રહ્યા હતા!