Yearly Archives: 2014


‘ડાયરો’ એટલે… – મંગલ રાઠોડ 5

શ્રી મંગલભાઈ રાઠોડ જાણીતા લોકગાયક, સાહિત્યકાર અને ગીતકાર છે. ‘ડાયરા’વિશેનો આ લેખ એ વિશેનિ પ્રાથમિક સમજ ખૂબ જ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ મૂકે છે. મંગલભાઈ પાસેથી હજુ આપણને આ વિષયના ઉંડાણપૂર્વકના અભ્યાસુ લેખ મળવાના છે એવી અપેક્ષા સાથે લોકસાહિત્ય અને લોકસંગીતને સામાન્ય લોકો સુધી પહોંચાડતા ‘ડાયરા’ વિશેની વધુ વાત તેઓ આપણને કરશે અને તેમના અનુભવનો લાભ વાચકોને મળશે. અક્ષરનાદમાં મંગલભાઈનું સ્વાગત છે અને પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


તું ખુશ તો છે ને? (વાર્તા) – પલક પંડ્યા 10

ગાંધીનગરના પલક પંડ્યાની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે, નવોદિતોને પ્રથમ કૃતિ માટે સ્થાન આપવાના અક્ષરનાદના નિર્ધાર અંતર્ગત આજે પલકબેનની કૃતિ અહીં પ્રસ્તુત છે. વાર્તાનું તત્વ-સત્વ અને બાંધણી તેમની નવોદિતની છબી સ્પષ્ટ કરે છે, આશા રાખીએ કે ભવિષ્યમાં વધુ સત્વશીલ અને ચિંતનપ્રેરક લખાણ તેમની કલમે મળતું રહેશે તેવી આશા સહ આ પ્રથમ કૃતિ બદલ તેમને શુભકામનાઓ. અક્ષરનાદમાં તેમનું સ્વાગત છે.


છાયાચિત્રનો જન્મ – કિશનસિંહ ચાવડા 4

શ્રી કિશનસિંહ ચાવડાના પુસ્તક ‘સમુદ્રના દ્વીપ’માં સંસ્કૃતિ અને અન્ય સામયિકોમાં પ્રગટ થયેલા લેખોનો સંગ્રહ છે. પ્રસ્તુત લેખમાં તેઓ કુમાઉ પ્રદેશના અંદરના પહાડોની રમણીયતા અને એ અંગેના પોતાના વિચાર તથા આનુષંગિક પ્રસંગો મનોહર રીતે રજૂ કરે છે. પ્રસ્તુત લેખ હિમાલયપ્રેમીઓને હ્રદયસ્થ થઈ જાય એવો સુંદર અને અનુભૂતિસભર છે.


મા તે મા.. (વાર્તા) – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’ 13

એક માતાના પોતાના પુત્ર પ્રત્યેના સ્નેહની વાત કહેતી પ્રસ્તુત વાર્તા વિષ્ણુભાઈ દેસાઈ ‘શ્રીપતિ’ની કૃતિ છે. વિષ્ણુભાઈ પોતાની વાર્તા વિશે કહે છે, ‘દુનિયામાં પ્રેમના અનેક સ્વરૂપ છે. માતા-પુત્રનો પ્રેમ, પતિ-પત્નીનો પ્રેમ, બે પ્રેમીઓનો પ્રેમ, મિત્રનો પ્રેમ, સહ-કાર્યકરોનો પ્રેમ. આ વાર્તામાં બધાજ પ્રકારના પ્રેમના દર્શન આપણને થાય છે. પણ માતાના પ્રેમને તોલે આવી શકે તેવો કોઈ પ્રેમ આ દુનિયામાં બીજો નથી. આ વાત માત્ર માનવમાં જ નહીં પરંતુ પશુ-પંખીઓમાં પણ જોવા મળે છે. આ વાર્તા મારી લખેલી ઘણી વાર્તાઓમાની એક મને ગમતી વાર્તા છે. આ વાર્તા મારા માતૃશ્રી અમથીબેન દેસાઈને અર્પણ છે, મને જનમો-જનમ તમે જ માતા તરીકે મળજો. “માતૃદેવો ભવ:”‘


ચાર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર 4

યાકૂબભાઈ પરમારની ગઝલરચનાઓ આપણે અક્ષરનાદ પર સમયાંતરે માણીએ છીએ અને તેમની કૃતિઓને વાચકોનો સુંદર પ્રતિભાવ પણ સાંપડે છે. આજે પ્રસ્તુત છે તેમની ચાર તરોતાઝા ગઝલ રચનાઓ, ગઝલની બાંધણીમાં તેમણે ક્યાંક છૂટછાટ લીધી હોય તેવું લાગે તો પણ ગઝલનું હાર્દ અને તેનો ભાવ કૃતિને આસ્વાદ્ય બનાવે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ચૂંદડી નીતરે તરબોળ.. (વાર્તા) – રીતેશ મોકાસણા 5

‘ચૂંદડી નીતરે તરબોળ’ એક માછીમાર ભાઈ બહેનની કથા છે. ગરીબી કે અભાવોની વચ્ચે પણ જીવન પ્રેમ અને સ્નેહ શોધી જ લેતી હોય છે, એકબીજાનો સહારો એવા આ ભાઈ બહેનના જીવનના કેટલાક પ્રસંગો, તેમની કસોટીની ક્ષણો અને હર્ષ-શોકના આંસુઓ વચ્ચે વહેતી આ વાર્તા એ જ ગ્રામ્ય ભાષામાં જીવનને ઉજાગર કરી આપે છે. રીતેશભાઈ મોકાસણા અક્ષરનાદ પર સમયાંતરે તેમની કૃતિઓ પ્રસ્તુત કરતા રહે છે, આ જ શ્રેણીમાં તેમની આ સુંદર વાર્તા આજે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


એક માંનો તેના દીકરાની પત્નીને પત્ર… – ગુણવંત વૈદ્ય 26

વૃદ્ધાશ્રમમાં પોતાના પતિ સાથે રહેતી એક પત્નીએ તેના પુત્રની પત્નીને લખેલો એક કાલ્પનિક પત્ર ગુણવંતભાઈ વૈદ્યની કલમે આજે અહીં પ્રસ્તુત કર્યો છે. એ પત્રમાં સાસુવહુના ગપાટા છે, વહુના દ્રષ્ટિકોણનું અને તેના વહેવારનું ખંડન કરવાનો અને તેને સજ્જડ જવાબ આપવાનો એક પ્રયત્ન અહીં દેખાઈ આવે, પરંતુ એની પાછળ ઢળતી ઉંમરે સ્નેહ અને હુંફ ઝંખતા એક યુગલને મળેલી અવગણના અને તિરસ્કારની ભાવના છે. કદાચ આ પત્ર વધુ તીખાશભર્યો લાગે, તો પણ એ એક પ્રતિબિંબ છે. ગુણવંતભાઈએ સ્પષ્ટતા કરી છે તેમ આ સમાજદર્શન કરાવતો એક કાલ્પનિક પત્ર જ છે. અક્ષરનાદને આ લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર તથા શુભકામનાઓ.


મૃગેશભાઈ, R.I.P. દોસ્ત… 26

ગઈકાલે મૃગેશભાઈના મૃત્યુના સમાચાર મળ્યા, રીડગુજરાતી.કોમ પર મૃગેશભાઈના અવસાન વિશે પોસ્ટ કરી, ફેસબુક પર પણ એ જાણકારી મૂકી અને પછી શરૂ થઈ યાદોની સફર. મૃગેશભાઈની મુલાકાત તો ઘણે મોડેથી થઈ, પણ એ પહેલા ૨૦૦૬માં મારી બે ગઝલ તેમણે રીડગુજરાતી પર મૂકેલી, દરમ્યાનમાં ૨૦૦૭માં મેં ‘અધ્યારૂનું જગત’ બ્લોગ શરૂ કર્યો અને ત્યારબાદ મેં ૨૦૦૮માં રીડગુજરાતી પર પ્રતિભાવ આપ્યો તેના જવાબમાં તેમનો ઈ-મેલ આવ્યો હતો. તેમણે મને ફોન કરીને વાત કરવા અથવા મારો નંબર આપવા કહેલું, અને મેં તેમને જે પહેલો ફોન કર્યો હતો એ પોણો કલાક ચાલ્યો હતો. તે દિવસથી લઈને ગત મહીને છેલ્લે તેમની સાથે વાત થઈ, ત્યારે સવારે સાડા નવ વાગ્યે તેમનો ફોન આવ્યો હતો અને અમે લગભગ સવા કલાક વાત કરી હતી. એક ખૂબ જ અંતરંગ, લેખનમાં આંગળી પકડીને દોરનાર અને સુધારા સૂચવનાર મિત્ર અને સહ્રદય ભાઈની જેમ ચિંતા કરતા એક અંગત સ્નેહીને ગુમાવ્યાનો વસવસો આજે ભારે થઈ રહ્યો છે….


પ્રેમને ઈન્સ્ટોલ કઈ રીતે કરશો?.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક 22

હાર્દિકભાઈ યાજ્ઞિક લાંબા સમય બાદ અક્ષરનાદ પર તેમની કૃતિ સાથે પ્રસ્તુત થયા છે. અને આજનો તેમનો વિષય છે ‘પ્રેમને ઈન્સ્ટોલ કઈ રીતે કરશો?’ આજની યુવાપેઢીને જો તમે ‘પ્રેમ કઈ રીતે કરવો’ એ સમજાવવાનો પ્રયત્ન કરશો તો કોણ સાંભળશે? પણ કોમ્પ્યુટર, સોફ્ટવેર, હાર્ડવેર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીની ભાષામાં આ જ વાત કહેવાનો પ્રયત્ન કરવામાં આવે તો? આવો જ કાંઈક સુંદર અને અનોખો પ્રયત્ન હાર્દિકભાઈએ કર્યો છે. એ જ વાત પણ જુદી રીતે કહેવાય તો કેવી સુંદર કૃતિ સર્જાય તે આ પ્રસ્તુતિ દર્શાવે છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ આભાર. તો આવો જાણીએ પ્રેમને તમારા હ્રદયમાં ઈન્સ્ટોલ કરવાની ‘સ્ટૅપ બાય સ્ટૅપ’ પદ્ધતિ.


અક્ષરનાદનો આઠમો જન્મદિવસ 33

‘અક્ષરનાદ’ નામની આપણી માતૃભાષાના વૈભવ અને મહેકને વિશ્વભરમાં વસતા ગુજરાતીના વાચકો, ભાવકો અને ચાહકો સુધી પહોંચાડતી એક નાનકડી વેબસાઈટ, એક સાવ અવ્યવસાયિક પ્રયત્ન આજે ગુજરાતી વેબવિશ્વમાં સાત વર્ષ પૂર્ણ કરીને આઠમા વર્ષમાં પ્રવેશી રહી છે. સાત વર્ષ એક ખૂબ લાંબો સમયગાળો છે. ગુજરાતી ભાષાએ જ આ સાત વર્ષોમાં અનેક બ્લોગ, અનેક બ્લોગર અને અનેકાનેક વેબસાઈટ્સની ઉભરતી અને ઓસરતી લાલિમાઓ જોઈ છે, એ બધાંની વચ્ચે સતત આ સાત વર્ષ ઉભા રહી શકાયું, આગળ વધી શકાયું અને હજુ પણ એ જ ઉત્સાહ, એ જ પ્રેરણા મળી રહી છે એ બદલ વાચકો, વડીલો, સાહિત્યકાર મિત્રો અને લેખકોને, સર્વેને નતમસ્તક.


મૃગતૃષ્ણા.. (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ 17

ગુજરાતી વાર્તાઓના સામયિક ‘મમતા’ના મે ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલી મારી વાર્તા ‘મૃગતૃષ્ણા’ આજે અહીં પ્રસ્તુત કરી છે. આ વાર્તા લગભગ બે વર્ષ પહેલા લખાઈ હતી, અક્ષરનાદના ડ્રાફ્ટમાં ખૂબ લાંબા સમયથી પડી રહેલી અને એક કે બીજા કારણે પ્રસિદ્ધ ન થઈ શકી. શંકા હતી કે આ પ્રકારની કૃતિ વાચકો સમજી કે સ્વીકારી શક્શે ખરાં? આપણી વાર્તાઓ જીવનની ‘હકીકતો’ કરતા ‘આદર્શ’ની વધુ નજીક હોય છે, અને એવી હકીકતોને નિરુપવાનો પ્રયત્ન ક્યાંક બૂમરેંગ તો સાબિત ન થાય ને! આ જ પ્રકારના અનેક સવાલોનો ઉત્તર મેળવવા એ શ્રી મધુરાય સાહેબને ‘મમતા’ માટે પાઠવી હતી. મને આનંદ છે કે તેમણે આ વાર્તાને પ્રસ્તુત કરવા યોગ્ય ગણી. આશા છે અક્ષરનાદના વાચકોને પણ તે ગમશે. આપના પ્રતિભાવની અપેક્ષામાં…


જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા.. – પુ.લ.દેશપાંડે, અનુ. અરુણા જાડેજા 8

પુ.લ.નો પોતાનો, સુનીતાતાઈ તેમજ મહારાષ્ટ્રના અનેક પુ.લ.પ્રેમીઓનો બહુ બહુ બહુ ગમતો લેખ આ; પુ.લ.નો એક ઉત્કૃષ્ટ લેખ. જ્યારે દસ વર્ષ પહેલાં ‘નવનીત-સમર્પણ’માં છપાયેલો ત્યારે શ્રદ્ધેય રાસબિહારીભાઈ દેસાઈએ એની ઝેરૉક્સ કૉપી કરીને કેટકેટલાને વહેંચેલી. મુ.સુરેશભાઈ દલાલસાહેબે પણ તેમના છેલ્લા એક સંપાદન ‘નિબંધવિશ્વ’ માટે સામેથી આ લેખ માગેલો. લગભગ દસ વર્ષે ફરી નવેસરથી ડીટીપી કરવા મેં લીધો, થયું એની ઝેરોક્સ નથી મોકલવી. બેગમ સાથે રહેવું છે એમ વિચારીને; કારણમાં પુ.લ.નો તો અક્ષરેઅક્ષર બેગમનો સૂર બનીને હૈયાને ગોરંભી મૂકનારો. ‘સમીપે’ના લીધે આ અલભ્ય સામીપ્ય મને ફરી લાધ્યું, આભાર ‘સમીપે’. સુનીતાતાઈએ પોતે મને કહેલી આ વાત. બેગમ જ્યારે પુણે પધારેલાં ત્યારે તેમનો કાર્યક્રમ પત્યે તેમને મળીને નીકળતી વખતે સુનીતાતાઈ આ વંદનીય ગાનસરસ્વતીને પગમાં પડીને અમારા મરાઠી રિવાજ પ્રમાણે ત્રિવાર નમસ્કાર કરવા ગયાં તો અધવચ્ચેથી જ બેગમે વાંકા વળીને સુનીતાતાઈને ઊભા કર્યાં અને એકદમ સંકોચાતાં, બે હાથ જોડીને કહ્યું, “नहीं नहीं, आप तो खानदानी लछ्मी हो, हमारे पैर मत छूओ !!! ”- અનુવાદક) અક્ષરનાદને આ સુંદર કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ અરુણાબેન જાડેજાનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


પન્તી – ધ સ્લીપ ઑફ પૅન ! (વાર્તા) – વલીભાઈ મુસા 15

શ્રી વલીભાઈની વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, પરંતુ આજની તેમની વાર્તાનો વિષય કાંઈક અનોખો છે, ‘જોડણી’. જોડણીને આધાર લઈને લખેલી તેમની પ્રસ્તુત વાર્તા એક બાળકના જોડણી વિશેના વિચાર અને તેની મનોદશા પણ પ્રસ્તુત કરે છે. મારા મતે આ એક આદર્શ પરિસ્થિતિ છે પણ વાર્તાની ગૂંથણીને જોતા એ શક્યતાનો ભાર લઈ શકે એમ છે. આશા છે વાચકોને આ પ્રયોગ ગમશે. અક્ષરનાદને વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ વલીભાઈ મુસાનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હરેશ પાડલિયા 12

યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રહેતા શ્રી હરેશભાઈ વ્યવસાયે શિક્ષક છે અને અક્ષરનાદ પર તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે. આજે તેમણે અહીં પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ પ્રસ્તુત કરી છે. માઈક્રોફિક્શનનું સ્વરૂપ નવોદિત લેખકોમાં ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે એ આનંદની વાત છે. વાચકોને આ પાંચેય વાર્તાઓ ગમશે એવી આશા સહ હરેશભાઈનું સ્વાગત અને તેમની કલમને શુભેચ્છાઓ.


ટેલિવિઝનની અસરકારકતા, પારિવારીક સંબંધોનું ઉઠમણું – ડૉ. સંતોષ દેવકર 10

ડૉ. સંતોષ દેવકર જયહિંદ સમાચારપત્રમાં દર રવિવારે ‘મેઘધનુષ’ નામની લોકપ્રિય કૉલમ અંતર્ગત લખે છે. મૂલ્યો આધારીત અને જીવનદર્શન કરાવતા લેખો તેમની વિશેષતા છે. તેમના લગભગ સાતેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે અને બે પ્રકાશન હેઠળ છે. પ્રસ્તુત લેખમાં ટેલિવિઝનની અસરકારકતા અને નજીકની તથા દૂરગામી અસરો પર તેમણે સરસ અને સરળ ચિંતન પ્રસ્તુત કર્યું છે. ટીવીની કૌટુંબિક, શારીરિક, માનસિક, સાંસ્કૃતિક અને સામાજિક અસર વિશે તેમણે વિગતે મુદ્દાસર વાત કરી છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. દેવકરનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


અમદાવાદ પુસ્તક મેળો ૨૦૧૪ – શું ગમ્યું, શું ન ગમ્યું… 21

અમદાવાદના પુસ્તકમેળામાં જવા માટે આ વખતે એક મહીના પહેલેથી જ કંપનીમાં રજા લઈ રાખી હતી, અને યોજના મુજબ જ ૬ મે ના રોજ બપોરે એક વાગ્યે ત્યાં પહોંચ્યો.
૨૦૧૨માં બેંગ્લોરમાં સિવિલ એન્જીનીયરીંગને લગતા સાધનોનું એક મહાકાય એક્ઝિબિશન હતું જેમાં હું બે દિવસ ગયેલો અને તો પણ એ પૂરું જોઈ શક્યો નહોતો. આવા એન્જીનીયરીંગ સાધનોના ટૅકનીકલ એક્ઝિબિશનના મને ઘણાં અનુભવ છે, એકાદ-બેમાં તો સ્ટૉલ પણ સંભાળેલો એટલે હતું કે પુસ્તકોનું એવું જ કાંઈક અવનવું પ્રદર્શન – વેચાણ અહીં થતું હશે, નવી ટેકનોલોજી સાથે એ ક્ષેત્રનું નવું જોવા-જાણવા મળશે અને કેટલાક સરળતાથી હાથ ન લાગતા પુસ્તકો ખરીદવા મળશે. પણ…


ચાર સુંદર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર 9

યાકૂબભાઈ પરમારની ગઝલરચનાઓ આપણે અક્ષરનાદ પર સમયાંતરે માણીએ છીએ અને તેમની કૃતિઓને વાચકોનો સુંદર પ્રતિભાવ પણ સાંપડે છે. આ જ શૃંખલામાં આજે પ્રસ્તુત છે તેમની હાર સુંદર ગઝલરચનાઓ. આશા છે આપને ગમશે. રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


અખંડ ભારતના ઘડવૈયા, સરદાર પટેલ – પી. કે. દાવડા 16

બ્રિટિશરોએ જ્યારે હિન્દુસ્તાન છોડ્યું ત્યારે પોતાની સંપૂર્ણ સત્તાવાળા પ્રાંતો તો ભારત અને પાકિસ્તાનને સમજોતા પ્રમાણે સોંપી ગયા, પણ ૫૦૦થી ૬૦૦ જેટલાં નાનાંમોટાં રજવાડાંઓને કહી ગયા કે તમે તમારી ઇચ્છા પ્રમાણે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ શકો છો અથવા સ્વતંત્ર રહી શકો છો અથવા એક ત્રીજો સંધ પણ બનાવી શકો છો. આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધવાની જવાબદારી સરદાર વલભભાઈ પટેલે સ્વીકારી. કુનેહથી એ રજવાડાંઓ ભેગા કરી ભારતીય સંઘનું નિર્માણ કર્યું. તેમના વિશે આજે પ્રસ્તુત છે શ્રી દાવડા સાહેબનો એક સુંદર પરિચય લેખ.


બે લઘુકથાઓ.. – નિમિષા દલાલ 12

આજે પ્રસ્તુત છે નિમિષાબેન દલાલની બે લઘુકથાઓ, ‘અપરાધી’ અને ‘જિજીવિષા’. વાર્તાલેખનના ક્ષેત્રમાં નિમિષાબેનની પ્રગતિ નોંધપાત્ર છે, અક્ષરનાદ પર સમયાંતરે સતત પ્રસ્તુત થતી તેમની વાર્તાઓ સાથે ગુજરાતમિત્ર દૈનિક સમાચારપત્રની સાપ્તાહિક સન્નારી પૂર્તિ જે દર શનીવારે પ્રસિદ્ધ થાય છે તેમાં તેમની લઘુકથાઓને નિયમિત સ્થાન મળે છે. આજની બે સુંદર લઘુકથાઓ પણ તેમની નિખરતી કલમનો જ આસ્વાદ આપે છે. અક્ષરનાદને આ વાર્તાઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર.


સાત માઈક્રોફિક્શન વાર્તાઓ – મિતુલ ઠાકર 12

માઈક્રોફિક્શન વાર્તાઓનું ક્ષેત્ર અક્ષરનાદના માધ્યમ દ્વારા અને મિત્ર લેખકો-વાચકો દ્વારા ખૂબ આગળ વધી રહ્યું છે. આ જ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અક્ષરનાદનો પ્રયત્ન રંગ લાવી રહ્યો છે. ટૂંકી વાર્તાઓ કે નવલકથાઓના લેખકોની જેમ જ માઈક્રોફિક્શન ક્ષેત્રમાં પણ અનેક નવલેખકો ઉભરી રહ્યા છે. આ જ કડી અંતર્ગત આજે પ્રસ્તુત છે અક્ષરનાદના વાચકમિત્ર મિતુલભાઈ ઠાકરની સાત માઈક્રોફિક્શન વાર્તાઓ. માઈક્રોફિક્શન વિશે અક્ષરનાદના વાચકોનું પ્રોત્સાહન જે રીતે પ્રાપ્ત થઈ રહ્યું છે એ ખૂબ આનંદપ્રદ છે અને નવા રચનાકારો તેમાં જોડાઈ રહ્યા છે એ ખરેખર સંતોષની વાત છે. મિતુલભાઈનો આ કૃતિઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.


વેડિંગ ઍનિવર્સરિ – ગુણવંત વૈદ્ય 10

ગુણવંતભાઈ વૈદ્યની ઘણી ટૂંકી વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે એમનું એમ નવું સર્જન – લઘુકથા ‘વેડિંગ ઍનિવર્સરિ’. એક યુગલના જીવનમાં કઈ હદ સુધી સમજણ હોવી જોઈએ, કેટલું સહન કરવું જોઈએ.. સુંદર સર્જન અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર.


કોઈ મને લોકસભાની ટિકિટ આપો… – રમેશભાઈ ચાંપાનેરી 7

મને તો એ જ નથી સમજાતું કે જેને તેના ઘરના કોઈ ગણતા નથી, એને લોકો લોકસભામાં મોકલશે ખરા? વાત ચમન ચક્કીની છે કે જે કોઈની શોકસભામાં ગયો નથી, એ લોકસભામાં જવા શું કામ ઠેકડા મારતો હશે? શું લોકસભા એ કોઈ માયાવી ફાઈવ સ્ટાર હોટલ છે કે કરોડ વિનાનો માણસ પણ રોડ ઉપરથી કૂદકા મારે! એ શું જોઈ ગયો એ તો એ જ જાણે. મને કહે આ વખતે તો હું ‘આપ’નું પણ નહીં માનું ને બાપનું પણ નહીં માનું. કાં તો હું લોકસભામાં, કાં તો તમે બધા મારી શોકસભામાં. લુખ્ખી ધમકી… ભૂતનો વળગાડ તો સારો કહેવાય, જેના ભુવા પણ મળે, આ તો રાજકારણની અધીખી વળગણ. જેના ભુવા પણ ન મળે. એને રાજધૂન જ એવી વળગેલી કે એ બીજી કોઈ વાતને વળગવા એ તૈયાર નહીં. અંતે ચંચીએ પણ લીંબુ-મરચું ઓવારી વેઠ ઉતારી કે…..” જાવ ફતેહ થાવ!


શિવ પાર્વતી (નવલિકા) – ઈશ્વર પેટલીકર 9

શાળા સમયથી જ સંવેદનાસભર અને સંબંધોના તાણાવાણા મારફત હાર્દને સમજાવતી વાર્તાઓના આ અદના લેખક એવા શ્રી ઈશ્વર પેટલીકરની કૃતિઓનું અનોખું ઘેલું લાગેલું. તેમની ‘જનમટીપ’ નવલકથા ઉપરાંત ‘લોહીની સગાઈ’ જેવી રચનાઓ મનને સ્પર્શી જતી અવિસ્મરણીય કૃતિઓ છે. શ્રી ઈશ્વર પેટલીકરની ઉપરોક્ત વાર્તા, ‘શિવ-પાર્વતી’, બે ભાઈઓ અને તેમના કુટુંબની, કુટુંબના એક ભાઈના ગાંડપણની અને તેને લીધે થતી અગવડોની, એક અસ્થિર મગજના માણસને સાચવવાની વાત હ્રદયસ્પર્શી રીતે પ્રસ્તુત થઈ છે, અને તેની રસમયતામાં વધારો કરે છે તેનો અનોખો અંત. અવિસ્મરણીય કૃતિઓ પ્રસ્તુત કરવાનો અને ગમતાંનો ગુલાલ કરવાનો આ પ્રયત્ન વાચકમિત્રોને ગમશે એવી આશા છે.


એરીઝોનાની ધરતીને.. યુનિવર્સિટીને.. (બે અછાંદસ) – ઉર્વશી પારેખ 10

એરીઝોના યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ ખાતર ગયેલા યુવાનને તેની મહેનતના પરિપાક રૂપે એમ.એસની ડિગ્રી મળે છે, એ બદલ આભારની લાગણી વ્યક્ત કરવાનો એક ભાવ એ યુવકની માતાના મનમાં ઉદભવે છે, યુવકને એ સ્થળ, એ વસ્તુઓ અને લોકો સાથે લાગણી હોય એ સમજી શકાય એવી બાબત છે, પરંતુ તેની આ સફળતા બદલ દૂર દેશાવરથી તેની માતા પણ એ સર્વેનો આભાર માને છે, એક ડાયસ્પોરા યુવકની સફળતાનો યશ તેની ભારતીય માતા સજીવ-નિર્જીવ વસ્તુઓને કેવી સુંદર રીતે આપે છે એવા મતલબની વાત પ્રસ્તુત બે અછાંદસ સુપેરે કહી જાય છે. પ્રસ્તુત અપ્રગટ અછાંદસ કાવ્યો અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા માટે પાઠવવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


કોઈના અનહદ સ્મરણમાં.. – માધવ રામાનુજ, સ્વર : હિમાલી વ્યાસ નાયક (Audiocast) 13

બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે શ્રી માધવ રામાનુજ કૃત અને હિમાલી વ્યાસ નાયકના સ્વરમાં ગવાયેલું સુંદર ગીત, ‘કોઈના અનહદ સ્મરણમાં…’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ શ્રી હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.


શબ્દ પેલે પાર.. – સંધ્યા ભટ્ટ, સ્વર : સાધના સરગમ (Audiocast) 2

ગત તા. ૧૮ એપ્રિલે ગુજરાતી ગીતોના બે સુંદર આલ્બમનું ડીજીટલ લોકાર્પણ થયું, ‘શબ્દ પેલે પાર’ અને ‘છલક છલક’. ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકો દ્વારા લખાયેલ ગીતો જેનો ભાગ છે તેવી કૃતિઓને જાણીતા ગાયકોએ પોતાનો સ્વર આપ્યો છે. ક્રેસૅન્ડો અને યુનિવર્સલ મ્યૂઝિક દ્વારા જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેવા આ ગુજરાતી રચનાઓના આલ્બમના ગીતોને સંગીત દિગ્દર્શક છે શ્રી પરેશ નાયક, અહીં પ્રસ્તુત કાવ્યરચનાઓના સર્જકો છે નિરંજન યાજ્ઞિક, વિનોદ જોશી, ચિંતન નાયક, હેમંત કારીયા, તુષાર શુક્લ, હિતેન આનંદપરા, માધવ રામાનુજ, સુંદરમ, હિમાંશુ જોશી, લાલજી કાનપરીયા અને સંધ્યા ભટ્ટ. આ ગીતોને સ્વરથી સજાવ્યા છે સુપ્રસિદ્ધ ગાયકો જેમ કે સાધના સરગમ, માલિની પંડિત નાયક, પ્રહર વોરા. ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, પરેશ નાયક.

બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે સંધ્યાભટ્ટ કૃત અને સાધના સરગમના સ્વરમાં ગવાયેલું સુંદર શીર્ષક ગીત, ‘શબ્દ પેલે પાર..’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.


એન્જિનીઅરીંગ શિક્ષણ : એક ઔપચારિકતા.. જીમિત જોષી 13

એક જાણીતી સરકારી એન્જિનીઅરીંગ કૉલિજમાં બી.ઈ. (મિકેનીકલ)માં અભ્યાસ કરતા જીમિતભાઈ એન્જિનીઅરીંગ શાખાના તેમના અનુભવના આધારે આજની શિક્ષણવ્યવસ્થા, તેના વ્યાપારીકરણ અને તેની અસરકારકતા વિશે સુંદર વિચારો લઈને આવ્યા છે. એક એન્જિનીઅર હોવાને નાતે અને એ જ ક્ષેત્રનો અભ્યાસ કર્યો હોવાને લીધે આ બધી બાબતોમાં હું પૂરો ટેકો આપું છું. એન્જિનીઅરીંગ જેવા ખૂબ વ્યવસાયિક, સચોટ અને ચોક્કસ જાણકારી માંગી લેતા અને અનેકોને સાંકળતા ક્ષેત્રના અભ્યાસમાં દાખવાતી બેદરકારી, પછી ભલેને એ બંને પક્ષે – વિદ્યાર્થિઓ અને સંસ્થાઓની – હોય, સરવાળે નુકસાન સમાજનું જ કરે છે. આ લગભગ બધાંએ સામાન્ય ગણીને સ્વીકારી લીધેલી વાતો પ્રત્યે જીમિતભાઈનો પુણ્યપ્રકોપ તેમના હૈયાની બળતરાનો પૂરાવો છે. અને એમ કરીને વ્યવસ્થાની ગેરરીતિઓ પ્રત્યે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરવા બદલ પણ એ અભિનંદનને પાત્ર છે. અક્ષરનાદ પર તેમની આ પહેલી રચના છે, એ બદલ અને ઉંડા મંથન બદલ તેમને શુભકામનાઓ.


પાંચ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 9

રાકેશભાઈની વધુ પાંચ ગઝલોનું આ ગુચ્છ અક્ષરનાદ પર પ્રસ્તુત કરતા અત્યંત આનંદ થાય છે. છંદની શિસ્તમાં લખાયેલી ભાવસભર અને ચોટદાર ગઝલો વાચકને ખૂબ ગમશે એવી આશા છે. પ્રસ્તુત ગઝલોની સાથે અક્ષરનાદ પર રાકેશભાઈની ત્રીસ ગઝલો પ્રસિદ્ધ થઈ છે જે અક્ષરનાદ માટે આનંદની વાત થઈ રહે છે. આવી જ સુંદર કૃતિઓની રચના અને ભાવકો સુધી અક્ષરનાદના માધ્યમથી તેને પહોંચાડવા બદલ રાકેશભાઈનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ…


ચૂંટણીકારણને મારી અલવિદા! – પુરુષોત્તમ માવળંકર 4

ચૂંટણીનો, પ્રચારનો, દેશને લાગતી વળગતી બાબતો વિશે વિશદ ચર્ચા અને ભાવિ અંગેના આયોજનોની ચર્ચાઓનો માહોલ અત્યારે ખરેખરો જામ્યો છે. જે ગામ કે શહેરમાં જુઓ ત્યાં સભાઓ, જે ન્યૂઝચેનલ જુઓ ત્યાં ચર્ચાઓ – અને સાથે સાથે તબક્કાવાર ચૂંટણી, લોકશાહીનો સૌથી મહાન અને પ્રજાને સત્તાની સોંપણીની જવાબદારી આપતો દિવસ આવ્યો છે. આવા સમયે લોકસભાની ચૂંટણી ત્રણ વખત લડનાર અને અમદાવાદની લોકસભાની બેઠક પરથી ઈન્દુચાચાના નિધન પછી તેમની ખાલી પડેલી સીટ પર ચૂંટાઈને આવનાર મુ. પુરુષોત્તમ માવળંકરની વાત આજે અહીં તેમની જ કલમે પ્રસ્તુત થઈ છે. ‘અસ્તિત્વદર્શન’ સામયિકના એપ્રિલ ૨૦૧૪ના અંક માંથી ઉપરોક્ત લેખ ઉદધૃત કરવામાં આવ્યો છે એ બદલ સામયિકનો આભાર.


પ્રસન્ન રહેવાના સરળ રસ્તા.. – હર્ષદ દવે 8

મનની શાંતિ અને પ્રસન્નતા ઉછીની મળતી નથી. તે ધનદોલતથી ખરીદી શકાતી નથી. પોતાને કે બીજા કોઈને છેતરીને પ્રસન્નતા પામી શકાતી નથી. મનમાં દુર્ભાવના અને છળકપટ હોય તેનું ચિત્ત શાંત કે પ્રસન્ન ન હોઈ શકે. પ્રસન્નતાના પુષ્પો તો સુખ, શાંતિ અને સ્વસ્થતાના બાગમાં જ ખીલે. સહુને પ્રસન્નતા મળે તેવું કાંઇક કરવું જોઈએ. ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વિકસાવી શકાય. સુખી થવાનો ઈજારો કોઈ પાસે નથી. પરંતુ જો તમે પ્રામાણિકપણે, નિખાલસપણે, અહીં કહેલી બાબતો પર વિચાર કરી યથાશક્તિ તેનાં પર અમલ કરશો તો સુખ-શાંતિ તમારા હૃદયમાં જરૂર આવી વસશે. ત્યારે તમે સુખ-શાંતિ અને પ્રસન્નતાના સરોવરમાં તરી શકશો અને આહ્લાદક શીતળતા અનુભવી શકશો. તો તમે જીવનનો સાચો, પરમ આનંદ અનુભવશો અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય પણ કેળવી શકશો. તમને પ્રસન્ન થતાં તમારા સિવાય કોઈ અટકાવી નહીં શકે એ અભય વચન છે!