એન્જિનીઅરીંગ શિક્ષણ : એક ઔપચારિકતા.. જીમિત જોષી 13
એક જાણીતી સરકારી એન્જિનીઅરીંગ કૉલિજમાં બી.ઈ. (મિકેનીકલ)માં અભ્યાસ કરતા જીમિતભાઈ એન્જિનીઅરીંગ શાખાના તેમના અનુભવના આધારે આજની શિક્ષણવ્યવસ્થા, તેના વ્યાપારીકરણ અને તેની અસરકારકતા વિશે સુંદર વિચારો લઈને આવ્યા છે. એક એન્જિનીઅર હોવાને નાતે અને એ જ ક્ષેત્રનો અભ્યાસ કર્યો હોવાને લીધે આ બધી બાબતોમાં હું પૂરો ટેકો આપું છું. એન્જિનીઅરીંગ જેવા ખૂબ વ્યવસાયિક, સચોટ અને ચોક્કસ જાણકારી માંગી લેતા અને અનેકોને સાંકળતા ક્ષેત્રના અભ્યાસમાં દાખવાતી બેદરકારી, પછી ભલેને એ બંને પક્ષે – વિદ્યાર્થિઓ અને સંસ્થાઓની – હોય, સરવાળે નુકસાન સમાજનું જ કરે છે. આ લગભગ બધાંએ સામાન્ય ગણીને સ્વીકારી લીધેલી વાતો પ્રત્યે જીમિતભાઈનો પુણ્યપ્રકોપ તેમના હૈયાની બળતરાનો પૂરાવો છે. અને એમ કરીને વ્યવસ્થાની ગેરરીતિઓ પ્રત્યે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરવા બદલ પણ એ અભિનંદનને પાત્ર છે. અક્ષરનાદ પર તેમની આ પહેલી રચના છે, એ બદલ અને ઉંડા મંથન બદલ તેમને શુભકામનાઓ.