સાહિત્યકાર મુજબ સંગ્રહ... : વિષ્ણુ દેસાઈ


મા તે મા.. (વાર્તા) – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’ 13

એક માતાના પોતાના પુત્ર પ્રત્યેના સ્નેહની વાત કહેતી પ્રસ્તુત વાર્તા વિષ્ણુભાઈ દેસાઈ ‘શ્રીપતિ’ની કૃતિ છે. વિષ્ણુભાઈ પોતાની વાર્તા વિશે કહે છે, ‘દુનિયામાં પ્રેમના અનેક સ્વરૂપ છે. માતા-પુત્રનો પ્રેમ, પતિ-પત્નીનો પ્રેમ, બે પ્રેમીઓનો પ્રેમ, મિત્રનો પ્રેમ, સહ-કાર્યકરોનો પ્રેમ. આ વાર્તામાં બધાજ પ્રકારના પ્રેમના દર્શન આપણને થાય છે. પણ માતાના પ્રેમને તોલે આવી શકે તેવો કોઈ પ્રેમ આ દુનિયામાં બીજો નથી. આ વાત માત્ર માનવમાં જ નહીં પરંતુ પશુ-પંખીઓમાં પણ જોવા મળે છે. આ વાર્તા મારી લખેલી ઘણી વાર્તાઓમાની એક મને ગમતી વાર્તા છે. આ વાર્તા મારા માતૃશ્રી અમથીબેન દેસાઈને અર્પણ છે, મને જનમો-જનમ તમે જ માતા તરીકે મળજો. “માતૃદેવો ભવ:”‘


સી. જી. રોડની એ રાત… – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’ 20

મૂળ અમદાવાદના અને અભ્યાસે એમ.એ., પી.ટી.સી. એવા વિષ્ણુભાઈ દેસાઈ વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છે. ટૂંકી વાર્તાઓ લખવાનો આનંદ તેઓ માણે છે અને તેમની કેટલીક વાર્તાઓ વર્તમાનપત્ર ‘ગુજરાત સમાચાર’માં સ્થાન પામી છે. અક્ષરનાદને તેમણે પાઠવેલી આ પ્રથમ કૃતિ છે, વાત છે ‘અતિથિ દેવો ભવ!’ની આપણી સંસ્કૃતિને વિષય તરીકે લઈને એક પ્રસંગ વિશેની આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ વિષ્ણુભાઈનો આભાર અને ‘અક્ષરનાદ’ના ઓટલે તેમનું હાર્દિક સ્વાગત છે. તેમની કલમને અનેક શુભેચ્છાઓ.