Daily Archives: May 19, 2014


મૃગતૃષ્ણા.. (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ 17

ગુજરાતી વાર્તાઓના સામયિક ‘મમતા’ના મે ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલી મારી વાર્તા ‘મૃગતૃષ્ણા’ આજે અહીં પ્રસ્તુત કરી છે. આ વાર્તા લગભગ બે વર્ષ પહેલા લખાઈ હતી, અક્ષરનાદના ડ્રાફ્ટમાં ખૂબ લાંબા સમયથી પડી રહેલી અને એક કે બીજા કારણે પ્રસિદ્ધ ન થઈ શકી. શંકા હતી કે આ પ્રકારની કૃતિ વાચકો સમજી કે સ્વીકારી શક્શે ખરાં? આપણી વાર્તાઓ જીવનની ‘હકીકતો’ કરતા ‘આદર્શ’ની વધુ નજીક હોય છે, અને એવી હકીકતોને નિરુપવાનો પ્રયત્ન ક્યાંક બૂમરેંગ તો સાબિત ન થાય ને! આ જ પ્રકારના અનેક સવાલોનો ઉત્તર મેળવવા એ શ્રી મધુરાય સાહેબને ‘મમતા’ માટે પાઠવી હતી. મને આનંદ છે કે તેમણે આ વાર્તાને પ્રસ્તુત કરવા યોગ્ય ગણી. આશા છે અક્ષરનાદના વાચકોને પણ તે ગમશે. આપના પ્રતિભાવની અપેક્ષામાં…