Daily Archives: February 25, 2010


બાળ નાટકો એટલે ભણ્યા વગરનું ભણતર – જયંત શુક્લ 2

આપણે એમ માનીએ કે બાળક વાંચતા લખતા શીખે તો જ તેનું ભણતર શક્ય બને. પણ લેખક કાંઈક જુદું જ કહેવા માંગે છે. પાટી-પેન, નોટ-પુસ્તક એ સિવાય પણ શિક્ષણના અનેક માધ્યમો છે, એ સિવાય પણ બાળકો ભણતાં જ હોય છે. બાળક પોતાના પર્યાવરણમાંથી ભાષા શીખે છે, સમજતા, બોલતા અને સાંભળતા શીખે છે. જીવન વિકાસ માટેનું આ ખરું ભણતર રીતસર ભણ્યા વિના પણ સહજ સાધ્ય બને છે. નૂતન બાલ વિકાસ સંઘ, લોક સેવક મંડળ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય દ્વારા પ્રકાશિત બાલમૂર્તિ સામયિકમાં પ્રકાશિત લેખોનો સંચય છે પુસ્તક “ભણ્યા વગરનું ભણતર”. તેમાંથી બાળ નાટકોની ક્ષમતા અને ઉપયોગીતા વિશે સમજાવતો શ્રી જયંત શુક્લનો આ લેખ ખરેખર ખૂબ સરળ અને સમજવાયોગ્ય છે. પુસ્તક ખરેખર ભણ્યા વગર બાળકની ભણવાની, શીખવાની શક્તિઓ ખીલવવાની અનેક રીતો, પધ્ધતિઓ વિશે ચર્ચા કરે છે.