Daily Archives: February 12, 2010


બાળક મૂળશંકર – ઝવેરચંદ મેઘાણી 2

આપણામાં હવે ઉપવાસનો મતલબ પૂજા અને આરાધના થતો નથી. મનની એકાગ્રતા અને પૂજામાં ધ્યાન લાગી રહે તે માટે કરવામાં આવતા ઉપવાસ હવે દિવસમાં બે વખત, થાળીમાં સાત આઠ ફરાળી વાનગીઓના આહાર સાથે કરવામાં આવે છે. દિવસો બદલાય છે, વૃત્તિ નહીં, દિવસની પવિત્રતા વૃત્તિમાં, આચરણમાં ન આવે ત્યાં સુધી શિવ તત્વ કેમ મળે? પ્રયત્ન કરવો જોઈએ કે આ શિવરાત્રી ફક્ત એક કર્મકાંડ કે ઉપવાસનો વધુ એક દિવસ ન બની રહેતા શિવ તત્વની આરાધનાનો મહાઉત્સવ બની રહે. બાળક મૂળશંકર એટલે કે શ્રી દયાનંદ સરસ્વતિને શિવરાત્રીના દિવસે થયેલા અનુભવની વાત અત્રે પ્રસ્તુત કરી છે. શિવરાત્રીનો સાચો અર્થ કદાચ અહીં ઈશારામાં કહેવાયો છે.