રંગરસિયા : વર્ષ ૨૦૧૪ ની અનોખી ફિલ્મ – કર્દમ આચાર્ય 2
ગણિકામાં શારદાને શોધી કાઢતો માણસ અને શારદામાં ગણિકાને શોધી કાઢતા માણસોના સંઘર્ષની કથા, કલાની મુક્ત અભિવ્યક્તિ માટે ઊંચો થતો અવાજ અને કલાસ્વરાજની વાત કરતી કળારાષ્ટ્રના રાજાની કથા એટલે રંગરસિયા.
ગણિકામાં શારદાને શોધી કાઢતો માણસ અને શારદામાં ગણિકાને શોધી કાઢતા માણસોના સંઘર્ષની કથા, કલાની મુક્ત અભિવ્યક્તિ માટે ઊંચો થતો અવાજ અને કલાસ્વરાજની વાત કરતી કળારાષ્ટ્રના રાજાની કથા એટલે રંગરસિયા.
અનેક માણસોના સ્વાબાનુવના પ્રસંગોમાંથી જાણવા મળે કે માણસો પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા ઘણીવાર જડ વસ્તુઓને ભાંડે છે, તેનું એક કારણ એ છે કે જવાબમાં જડ વસ્તુઓ વળતો પ્રહાર કરી શકતી નથી. કેટલાક પ્રસંગે અનાયાસે સજીવ વસ્તુઓ માટે પણ કેટલીકવાર નાપસંદ ગાળો કે અપશબ્દો મુખમાંથી નિકળી જતા હોય છે. પણ આ અલ્પજીવી હોય છે. જેમ કે, ખીલી પરનો ઘા, હથોડી ચૂકી જઈને અંગૂઠાના નખને કાળો કરી નાખે. કાગળનો ડૂચો વાળીને ઘા કરેલો બોલ કચરાપેટીમાં પડવાને બદલે ખૂણામાં જઈ પડે. રસ્તે ચાલતાં, શંકુ આકારના ભૂંગળામાંથી શેકેલી મગફળીનો બગડી ગયેલો છેલ્લો દાણો મોં નો સ્વાદ થૂ થૂ કરી નાખે. ભેલપૂરીના ઢગલામાંથી એકાદ વાંકડિયો વાળ આપણી જ પ્લેટમાં જ મોઢું કાઢે..
દેખાવમાં સસલાં અને ખિસકોલીના હાઇબ્રિડ એટલે કે વર્ણશંકર જાતિના લાગતા પ્રેરિઅર ડોગ બહુ વિશિષ્ટ છે. આ કૂતરાંઓને માનવજાતિના એક વર્ગ કરતાં પણ વધુ ગુણવાન અને સારા કહેવા પાછળનું કારણ ફક્ત તેમનો સ્વભાવ જ નથી પણ આ કૂતરાંઓ દરરોજ સૂર્યોદયના અડધો કલાક પહેલાં જાગી જાય છે અને હાથ જોડીને રીતસર સૂર્યદેવતાને નમન કરે છે. ઈથોલોજિસ્ટસ એટલે કે પશુઓની વર્તણૂક અને સ્વભાવનું લાંબા સમય સુધી કુદરતી વાતાવરણમાં જ નિરીક્ષણ કરનારાઓએ જોયું છે કે પ્રેરિઅર ડોગ્સ વહેલી સવારે સૂર્યોદય પહેલાં તેમના નાના-નાના પંજાઓ જોડીને નમસ્કારની મુદ્રામાં આંખ બંધ કરીને ઊભા રહે છે.
વર્તમાન શિક્ષણની કંગાળ પરિસ્થિતિ પર નજર ઠરાવતા એવું જણાઈ આવે કે, વિદ્યાર્થીઓ યંત્ર છે, શિક્ષકો કંટ્રોલર છે અને શિક્ષણસંસ્થાઓ પોલીટીક્સ ઈવેન્ટ્સના અડ્ડાઓ છે. આટ-આટલા વર્ષો કહેવાતા ઉચ્ચ કોર્સનો અભ્યાસ કર્યા પછી પણ જે વિદ્યાર્થીને ‘કાબેલ’ બનાવવાને બદલે ભવિષ્યના વિચાર માત્રથી ડરતો ‘કાયર’ બનાવે એ કઈ રીતે સાચું શિક્ષણ હોઈ શકે? થીંક ઓન ધેટ. ૨+૨=૪ થાય એ કદાચ દરેકને ભર ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ તો પણ આવડશે પરંતુ બીમાર વ્યક્તિને રાત્રે હોસ્પિટલ કેમ લઇ જવો એ નહિ આવડે. વોટ્સએપ-ફેસબુક પર લાંબા-લચક અઢી કિલોમીટરના ‘ગુડ નાઈટ’ ના મેસેજ પોસ્ટ કરતા આવડશે પરંતુ મમ્મી-પપ્પાને ‘જય શ્રીકૃષ્ણ’ કહેતા કોણ શીખવશે? દરેક મેચ-ખેલાડીનો સ્કોર યાદ હશે પરંતુ પોતાની માનસિકતાનો સ્કોર કેટલે પહોચ્યો એ માપ્યું કે? કાલાંતરે માનવી પર અલગ-અલગ અસરો થઇ છે.
કંદર્પ પટેલની આ પહેલા પણ એક કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. કેમેરા સાથે એક ચાહકનો, એક ભાવકનો સંબંધ કેળવી ચૂક્યા હોય તેવા રસિયાઓ માટે કેમેરો એક પ્રેમિકાની, એક દોસ્તની, એક શિક્ષકની કે એક સહારાની ગરજ સારે છે. આવા જ કેટલાક અલંકૃત વાતો સાથેના આજના આ લેખને માણીએ, અક્ષરનાદને લેખ પાઠવવા બદલ કંદર્પભાઈનો આભાર.
દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ,પ્રકાશનો ઉત્સવ.. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ.. કાળીચૌદશ.. દિવાળી.. નૂતન વર્ષ અને ભાઇબીજ – આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.
તમે અમિતાભ બચ્ચનને શું વેચતા જોયા છે? આમ તો અનેક વસ્તુઓ પણ ફક્ત જાહેરાત નહીં, સાચ્ચે વસ્તુ વેચતા! અરુણાબેન અને પૂર્વીબેનના મીઠાસભર્યા લેખ પછી એ જ શ્રેણીમાં આજે હર્ષદભાઈનો ગોળ વિશેનો રસપ્રદ લેખ પ્રસ્તુત છે. આપણા જીવનમાં વણાઈ ગયેલ ગોળની અનેક વાતો લઈને હર્ષદભાઈ આજે ઉપસ્થિત થયા છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ હર્ષદભાઈનો આભાર અને શુભકામનાઓ.
અક્ષરનાદ પર લાડુ વિશેના શ્રી અરુણાબેનના ગઈકાલના લેખથી જાણે મીઠાસની મૌસમ શરૂ થઈ છે, આજનો પૂર્વીબેનનો લેખ શેરડી, ખાંડ, આર્ટિફિશિયલ સુગર, મોલાસિસ અને ગોળ વગેરે પર રસપ્રદ વિગતો રજૂ કરે છે. પૂર્વીબેનની રચનાઓ તેમના સંશોધન અને અભ્યાસપૂર્ણ તારણોથી સમૃદ્ધ હોય છે, એમ આજનો તેમનો લેખ પણ માહિતીપ્રચૂર થયો છે. આવી સુંદર અને ઉપયોગી કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ પૂર્વીબેનનો આભાર.
મૂળે અમદાવાદમાં જન્મેલા, નવી મુંબઈ – વાશીમાં રહેતા અને હાલ પૉર્ટલેન્ડ, અમેરિકા સ્થિત જિતેન્દ્રભાઈ પાઢ પત્રકારત્વ અને સાહિત્યના જીવ છે. અનેક વર્તમાનપત્રો અને સામયિકો સાથે કામ કર્યા બાદ ૨૦૦૫માં તેમણે નવી મુંબઈમાં માલિક, મુદ્રક, પ્રકાશક અને તંત્રી જેવી અનેકવિધ જવાબદારીઓ સાથે અખબાર કર્યું. અત્યારે તેમના પુત્ર સાથે તેઓ પૉર્ટલેન્ડ છે. આજના લેખમાં એક અમેરિકન એન.આર.આઈ વાચકની નજરે તેઓ ઇન્ટરનેટ અને આપણી ભાષાના ઓનલાઈન સાહિત્યની વાત લઈને આવ્યા છે. અક્ષરનાદને લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ જિતેન્દ્રભાઈનો આભાર.
પૂર્વીબેન મોદી મલકાણના સર્જન આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજનો તેમનો લેખ વ્રજભાષા અને વ્રજના ઇતિહાસને વાગોળતો રોચક અને માહિતિપ્રચૂર લેખ છે. સંશોધનલેખોના સર્જનમાં આનંદ અનુભવતા પૂર્વીબેન કહે છે, “નાનપણથી લઈને અત્યાર સુધી વાંચન અને લેખન સાથે મારો અતૂટ સંબંધ રહ્યો છે. જીવનયાત્રામાં ફરતા ફરતા જ્યારે જ્યારે મારી પાસે કોઈ મિત્રો ન હતાં ત્યારે આ કાગળ, કલમ અને શબ્દો જ મારા સાથીઓ હતાં. મારા પ્રોફેશનલ લખાણની શરૂઆત ૨૫ વર્ષ પહેલા થઈ હતી. પરંતુ લગ્ન પછી લખવાનું છૂટી ગયું. અમેરિકામાં સ્થાયી થયા બાદ પરિવારમાં અને જોબમાં બીઝી થઈ ગઈ. ૨૦૦૮ થી ફરી લખાણ શરૂ કર્યું ત્યારે બે લખાણ ૨૫ વર્ષનો લાંબો બ્રેક આવી ગયેલો. આથી ૨૦૦૮માં મારા બાળકોને ગુરુ બનાવીને તેમની પાસેથી કોમ્પ્યુટર શીખી જેને કારણે આજે ફરી હું ગુજરાત સાથે, ગુજરાતી ભાષા સાથે ફરી મિત્રતાના તંતુએ બંધાઇ ગઈ તેનો અત્યંત આનંદ છે. ૨૦૧૨ માં ફૂલછાબ પરિવારમાં ફરી મને કોલમનિસ્ટ સમાવવામાં આવી ત્યારે મને પાછું ઘર મળ્યું હોવાનો અહેસાસ થયો. હાલમાં હું વોલિન્ટિયર તરીકે લોકલ હોસ્પિટલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે કામ કરું છું.” આજના સમૃદ્ધ લેખ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.
પ્રસ્તુત લેખ ભારતીય લેખનની પ્રાચીન કલામાં વિવિધ પ્રકારના પત્રોના ઉપયોગ વિશે વિગતે વાત કરતા પ્રથમ ભાગના લેખના અનુસંધાને પ્રસ્તુત થયો છે. વતનથી દૂર અનેક ગુજરાતીઓ પોતાની માટીની સોડમને અકબંધ રાખી શક્યા છે, પોતાની ભાષા પ્રત્યેના પ્રેમને વિકસાવી શક્યા છે. આજની આ કૃતિના લેખિકા પૂર્વીબેન તેમનો પરિચય આપતા કહે છે, “પૂર્વી, પૂર્વી મોદી, પૂર્વી મોદી મલકાણ….. નામની પાછળ જોડાતી અટકો તે મારા બંને પરિવારની ઓળખ છે., અને આ બંને અટકો વગર હું અધૂરી છું. પણ તેમ છતાંયે મારી ઓળખાણ કેવળ એક ગુજરાતી તરીકેની છે. મારી ભૂમિથી હજારો કી.મી દૂર રહેતી હું મન-હૃદય અને આત્માથી કેવળ ગુજરાતી છું અને ગુજરાતની છું. આજનો લેખ તેમના પુસ્તક “વૈવિધ્ય”માંથી તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.
પ્રસ્તુત લેખ ભારતીય લેખનની પ્રાચીન કલામાં વિવિધ પ્રકારના પત્રોના ઉપયોગ વિશે વિગતે વિશે વાત કરે છે. વતનથી દૂર અનેક ગુજરાતીઓ પોતાની માટીની સોડમને અકબંધ રાખી શક્યા છે, પોતાની ભાષા પ્રત્યેના પ્રેમને વિકસાવી શક્યા છે. આજની આ કૃતિના લેખિકા પૂર્વીબેન તેમનો પરિચય આપતા કહે છે, “પૂર્વી, પૂર્વી મોદી, પૂર્વી મોદી મલકાણ….. નામની પાછળ જોડાતી અટકો તે મારા બંને પરિવારની ઓળખ છે., અને આ બંને અટકો વગર હું અધૂરી છું. પણ તેમ છતાંયે મારી ઓળખાણ કેવળ એક ગુજરાતી તરીકેની છે. મારી ભૂમિથી હજારો કી.મી દૂર રહેતી હું મન-હૃદય અને આત્માથી કેવળ ગુજરાતી છું અને ગુજરાતની છું. આજનો લેખ તેમના પુસ્તક “વૈવિધ્ય”માંથી તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.
વૃદ્ધાશ્રમમાં પોતાના પતિ સાથે રહેતી એક પત્નીએ તેના પુત્રની પત્નીને લખેલો એક કાલ્પનિક પત્ર ગુણવંતભાઈ વૈદ્યની કલમે આજે અહીં પ્રસ્તુત કર્યો છે. એ પત્રમાં સાસુવહુના ગપાટા છે, વહુના દ્રષ્ટિકોણનું અને તેના વહેવારનું ખંડન કરવાનો અને તેને સજ્જડ જવાબ આપવાનો એક પ્રયત્ન અહીં દેખાઈ આવે, પરંતુ એની પાછળ ઢળતી ઉંમરે સ્નેહ અને હુંફ ઝંખતા એક યુગલને મળેલી અવગણના અને તિરસ્કારની ભાવના છે. કદાચ આ પત્ર વધુ તીખાશભર્યો લાગે, તો પણ એ એક પ્રતિબિંબ છે. ગુણવંતભાઈએ સ્પષ્ટતા કરી છે તેમ આ સમાજદર્શન કરાવતો એક કાલ્પનિક પત્ર જ છે. અક્ષરનાદને આ લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર તથા શુભકામનાઓ.
શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ હિમાલયની ટોચે પહોંચવાની હિંમત ન કરી શકે એ વાત સમજાય તેવી છે. સાહસ કરાય પણ આંધળું સાહસ ન કરાય. તમારી વાત સાચી છે, પરંતુ ગિરનાર ઊંચો પર્વત છે, કદાચ તે હિમાલય કરતાં પણ જૂનો છે. આ પર્વતનું ઐતિહાસિક મહત્વ ચમત્કૃતિપૂર્ણ છે પરંતુ આજે આપણે તેનાં ધાર્મિક ગુણગાન નથી ગાવા. આજે તો આપણે વાત કરવી છે આ ગરવા અને નરવા ગિરનારની સાહસિક સફરની!
સમય ચાલે છે પણ તમે ચાલો છો? તમે સમય સાથે ચાલો છો? નથી ચાલતા? એવું તે કાંઇ ચાલે? એવું ન પૂછો કે શા માટે ચાલું ? તમે જાણો છો કે ‘ચલના હી જિંદગી હૈ…’. પગ અને પથ ચાલવા માટે જ છે. કવિ કહે છે: તૂ ન ચલેગા તો ચલ દેગી રાહેં… ‘વોકિંગ ઇઝ ધ બેસ્ટ એકસરસાઈઝ’. બાળક ચાલતાં શીખે ત્યારે સહુને કેટલો બધો હરખ થાય છે! તમે ચાલશો તો તમે પણ આનંદ પામશો, ભલે એનું પ્રમાણ કદાચ થોડું ઓછું હોય પણ મહત્વ તો બિલકુલ ઓછું નથી. આ રસપ્રદ લખાણ વાંચીને તમે સહર્ષ ચાલશો એની મને ખાતરી છે.
મોબાઈલ ફોન અને અન્ય અનેકવિધ મોબાઈલ સાધનોનો વપરાશ સતત વધી રહ્યો છે. ડેસ્કટોપને બદલે લેપટોપ, સ્માર્ટફોન, ટેબલેટ વાપરવાનું લોકો વધુ પસંદ કરે છે. કામના સમયે મોબાઈલની બેટરી પૂરી થઈ જાય એવા સંજોગોનો સામનો આપણામાંથી ઘણાંએ કર્યો હશે. શહેરમાં કે ગામડાઓમાં પણ ગમે ત્યાં ચાર્જર મળી જાય પરંતુ જે લોકો શહેરથી દૂર હોય અને આ બધા સાધનોની બેટરીને ચાર્જ કરવા માટે ઈલેક્ટ્રીસીટીની સગવડ ન હોય ત્યારે કેવા કેવા સાધનો ઉપયોગી થઈ પડે તેની જાણ થાય એ માટે પ્રસ્તુત લેખ લખાયેલો છે. નેશનલ જિઓગ્રાફી કે ડિસ્કવરીમાં બતાવવામાં આવતા સાહસો તો ગણ્યાગાંઠ્યા લોકો જ કરે છે, પરંતુ એવા લોકોને જ ધ્યાનમાં રાખીને આ પ્રકારના મોબાઈલ ચાર્જર્સ બનાવવામાં આવ્યા હશે એવું લાગે છે. પ્રસ્તુત છે આવા જ કેટલાક ‘નિરાળા’ અને ‘વિશેષ’ ચાર્જર્સ.
યુદ્ધના અને શાંતિના – એમ બે ભિન્ન સમય દરમ્યાનની સારા માણસ અને ખરાબ માણસ વિશેની બદલાતી વ્યાખ્યાઓ વિશે એક કિશોર તેના પિતાને પૂછે છે અને એ જવાબ આપતાં તેના પિતા જે મૂંઝવણ અનુભવે છે એ પ્રસ્તુત કૃતિમાં પિતા-પુત્ર વચ્ચેની સહજ વાતચીતના માધ્યમથી વ્યક્ત થાય છે. આર્ટ બુકવોલ્ડની પ્રસ્તુત રચના ‘રોજેરોજની વાંચનયાત્રા’માંથી સાભાર લેવામાં આવી છે.
ગત તા. ૧૬ અને ૧૭ માર્ચના રોજ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં પથિકભાઈ દ્વારા લેવાયેલી વાઘને લગતી તસવીરોનું પ્રદર્શન યોજાયું હતું. અનેક મહાનુભાવોની હાજરીમાં ખુલ્લા મૂકાયેલા આ પ્રદર્શનને ઘણાંય લોકોએ માણ્યું હતું. અહીં મુખ્યત્વે કાન્હા નેશનલ પાર્કમાં લેવાયેલ વાઘની તસવીરો મૂકાઈ હતી. અક્ષરનાદના વાચકો માટે રાજુલા નેચર ક્લબના શ્રી વિપુલભાઈ લહેરી તથા શ્રી પથિકભાઈ પટેલની પરવાનગીથી આ પ્રદર્શનની કેટલીક સુંદર અને અલભ્ય તસવીરો અહીં ઉપલબ્ધ કરાવી છે.
કુમારભાઈ ભટ્ટની પ્રસ્તુત કૃતિ પ્રયોગશીલ કહી શકો એ પ્રકારની રચના છે. તેઓ કહે છે, “શરૂઆતમાં બે ત્રણ પેરેગ્રાફ જેટલી સૂઝેલી વાત લખાવા માંડી પછી એને જ્યાં જવું હોય એમ એની પાછળ પાછળ હું ગયો. કોમિક તો છે જ, આમ જુઓ તો લંબાઈના પ્રમાણમાં ‘વાત’ ખાસ ન પણ લાગે, પણ વાક્યે વાક્યે સંભવિત વાર્તાઓની કુંપળો દેખાય છે એની મને મજા પડી. ઘણા વાર્તા વાચકોને વાર્તામાં શું વાત છે એ તરત સમજાય જાય છે અને પછી એમને ‘વાર્તા’માં રસ નથી રહેતો એવા વાચકો માટે આ ‘કથા’ નો સાર એટલો જ છે કે … પણ એમને તો તરત ખબર પડી જ જાય પછી શું કે’વું?
પંચાણું ટકા વાત સંવાદ ઉપર જ ચાલે છે અને લગભગ એટલી જ વાત એક જ નિરીક્ષકની દૃષ્ટિથી જોવાઈ છે. રચના થોડી વિચિત્ર છે. જાણકારને ‘ચાલુ રાખો, સરસ છે’ એટલું કે’તાં ય કદાચ ઉદાર હોવાનો ભાવ થાય. તો પણ કોમેન્ટ્સ આર વેલકમ – જેવી હોય એવી. લંબાઈ વધારે છે એટલે શક્ય હોય તો વાત ક્યારે પૂરી થાય એની રાહ જોયા વગર વાંચશો તો થાક ઓછો લાગશે. વાતને ‘વાર્તા’ બનાવે એવું એક પણ વાક્ય રચનામાં નથી. અને એને ‘વાર્તા’ બનતાં રોકે એટલાં એમાં પાત્રો છે. એને ‘નાટક’ બનાવે એવો કોઈ ક્લાઈમેક્સ નથી. શરૂઆતમાં હ્યુમર છે. બીજા ભાગમાં તો એ પણ નથી. તો પણ જોઈ જુઓ ! Who knows? કદાચ મજા આવે પણ ખરી!”
અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.
IBM – આજે ૩,૮૮,૦૦૦ માણસોનો સ્ટાફ ધરાવતી કંપનીએ ૧૦૦ વરસ પૂરા કર્યા. આ ૧૦૦ વર્ષમા કંપનીને પાંચ નોબલ પ્રાઈસ મળ્યા. ૧૯૧૧ મા ચાર કંપનીએ ભેગા મળી, CTR નામની કંપનીની સ્થાપના કરી. CTR એટલે Computing Tabulating Recording Corporation. એ વખતે કંપનીમા ૧૩૦૦ માણસોનો સ્ટાફ હતો…. જાણો IBM વિશે અવનવી માહિતી અને ઈતિહાસ.
અક્ષરનાદ પર અનેકવિધ વિષયોને લઈને મૂકાઈ રહેલા ઈ-પુસ્તકોની શ્રેણીમાં આજે શ્રી શોભન વસાણી કૃત પુસ્તક ‘આયુર્વેદ ચિકિત્સાના ૫૦ કેસ’ નો પ્રથમ ભાગ નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવતા અત્યંત આનંદ થાય છે. પ્રાચીન યુગથી આયુર્વેદની અનેક શાખાઓ એટલે કે નિષ્ણાતપદ્ધતિ – (સ્પેશ્યલાઈઝેશન)નો વિકાસ થયો છે. ચરકની કાયચિકિત્સા (મેડિસિન) અને ભગવાન ધન્વન્તરી અને સુશ્રૃતની શલ્યચિકિત્સા (શસ્ત્રક્રિયા-સર્જરી) તો મુખ્ય છે જ. ભગવાન શ્રીરામના પૂર્વજ નિમિરાજાએ ‘નિમિતંત્ર’ નામે નેત્રચિકિત્સાની શાખા ખીલવી હતી. દંતવેદકની શાખા આજે આયુર્વેદમાં હયાત છે. સૌથી પહેલી ‘કાશ્યપસંહિતા’ લખી કશ્યપઋષિએ બાળ આરોગ્ય અને બાળ ચિકિત્સા માટે; આયુર્વેદ દ્વારા સ્ત્રીચિકિત્સા અલગ દરજ્જો આપી સ્ત્રીરોગો, સગર્ભાપરિચર્યા, પ્રસૂતાચર્યા, પુંસવન પ્રયોગ દ્વારા ઉત્તમ ઈચ્છિત સંતાનપ્રાપ્તિ એ આયુર્વેદની વિશિષ્ઠ દેન છે. હજારો હાડવૈદો આપણે ત્યાં થયેલા, વ્રણચિકિત્સામાંથી મલમપટ્ટાની યુનાની મિશ્રિત શાખાના ગઈ પેઢી સુધી ઠેરઠેર દવાખાનાં હતાં. દેવવ્યયાશ્રય ચિકિત્સા મંત્રચિકિત્સાનું ઘણું મહત્ત્વ હતું. તે ચક્રદત્ત જેવા વૈદ્યોએ પણ સ્વીકાર્યુ હતું. સત્ત્વવજય–ચિકિત્સા દ્વારા માનસિક સારવારની શાખા વિકસી હતી. અક્ષરનાદને આ પુસ્તક પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આયુ ટ્રસ્ટ, શ્રી શોભન તથા શ્રી જુગલકિશોર વ્યાસનો ખૂબ ખૂબ આભાર.
૯મી નવેમ્બર, ૧૯૮૯ના બર્લિન-વોલ તૂટી ગઈ. આ પહેલા દુનિયા બે છાવણીઓમા વહેંચાયલી હતી, મૂડીવાદ અને સામ્યવાદ. આ વિચારધારાના વિભાજનને શીતયુદ્ધનું નામ આપવામા આવેલું. મૂડીવાદી દેશોની આગેવાની અમેરિકા પાસે હતી જ્યારે સામ્યવાદી દેશોની આગેવાની રશિયા પાસે હતી. અમેરિકાની છાવણીમા યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલીઆ અને આફ્રિકાના અનેક દેશો હતા. રશિયાની છાવણીમા ચીન અને યુરોપ અને એશિયાના થોડા દેશ હતા. અમેરિકાની ખૂબ નજીક્નું ક્યુબા પણ રશિયાની છાવણીમા હતું. જવાહરલાલ નહેરૂ, ઈજીપ્તના અબ્દુલ ગમેલ નાસર અને યુગોસ્લાવિયાના માર્શલ ટીટો ની ત્રિપુટીએ મળીને તટસ્થ દેશોનો સમૂહ બનાવેલો.
આજના સમયમાં અન્ય વસ્તુઓની જેમ બીમારી અને ઈલાજ પણ ઈન્સ્ટન્ટ થઈ ગયા છે. ગઈ કાલે બીમાર પડ્યા, આજે દવા અને આવતી કાલે ફરીથી કામ પર મચી પડ્યા. પરંતુ આ ભાગદોડભરી, તણાવગ્રસ્ત જિંદગીમાં ક્યારેક સામાન્ય પણ મહદંશે અક્સીર ઈલાજ સૂચવી જાય છે આપણી પહેલાની અનુભવી પેઢી, વૃદ્ધો કે જેમના ઈલાજ, જેમનું વૈદું સમયની એરણે ચકાસાયેલું છે. આજે પ્રસ્તુત છે બા-બાપુજીના એવા જ કેટલાક ઓસડિયાં.
અક્ષરનાદની દરેક પોસ્ટ, દરેક પ્રસ્તુતિની નીચેના ભાગમાં ઈ-મેલની સગવડ રાખી છે જેથી આપ મિત્રોને આપને ગમતી કૃતિ વિશે જણાવી શકો. એ સુવિધાનો અત્યાર સુધી 3000 થી વધુ મિત્રો ઉપયોગ કરી ચૂક્યા છે, એ કૃતિ વિશે જણાવતા તેની સાથે વિશેષ સંદેશ પણ મૂકી શકવાની સગવડ રાખી છે, એ પૈકીના કેટલાક સંદેશાઓ અહીં મૂક્યા છે. પિતાએ પુત્રીને, પતિએ પત્નીને, પુત્રીએ પિતાને, એક મિત્રએ બીજા મિત્રને, વાચકે લેખકને, પિતાએ દીકરાને, વહુએ સસરાને…. એમ વિવિધ સંબંધોના સમીકરણમાં શબ્દોની ખોટ અક્ષરનાદના પ્રસ્તુત લેખો પૂરી શક્યા એથી વધુ સંતોષની વાત બીજી કઈ હોઈ શકે? આ ઈ-મેલનો લોગ લગભગ દર વર્ષે સાફ કરતો હોઉં છું અને તેમાં જોવાનો કે વિચારવાનો પ્રયત્ન આજ સુધી કર્યો નથી, પરંતુ આજે એ ઈ-મેલની યાદી જોતા જોતા તેની સાથેના અમુક પ્રતિભાવો સ્પર્શી ગયા. નામ સાથેના પ્રતિભાવો અહીં ઓળખ જાહેર ન થાય એ હેતુથી મૂક્યા નથી, અન્યથા હજુ ઘણાં હ્રદયસ્પર્શી પ્રતિભાવો જોવા મળ્યા હોત.
આમ તો ૧૯૭૯ વર્ષમા આંખોને દેખાયું હોય એવું કંઈપણ બન્યું હોવાનું સામાન્ય માણસને યાદ નહિં આવે, પણ આ વર્ષના ૭ બનાવો આજની પરિસ્થિતી માટે જવાબદાર છે. આપણે આ સાતે બનાવો ઉપર અછડતી નજર નાખીએ.
શરૂઆત થાય છે હળવા મળવાથી. આ તબ્બકામા બન્ને જણ પોતાનું સારાપણું દેખાડવા સભાન પ્રયત્ન કરે છે. આ તબ્બકામા બનેની સહિષ્ણુતા સામાન્ય કરતાં વધારે હોય છે. એકબીજાની નાની-મોટી ભૂલો જતી કરે છે, કારણ કે તેમને એકબીજાનો સહવાસ ગમે છે, અને વધુમા વધુ સમય સાથે ગાળવા પ્રયત્ન કરે છે. સામા પાત્રને કેવું લાગસે વિચારી, તેઓ એકબીજાથી ઘણી વાતો છુપાવે છે. આ તબ્બકામા બધું સમુસુતરું ઉતરે તો સંબંધ બીજા તબ્બકામા પ્રવેસે છે.
શ્રી હર્ષદભાઈ દવે અને તેમના મોટાભાઈ હરેશભાઈ દવે રાજકોટમાં હતાં ત્યારે શ્રી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા, જેનું તેમને આજે પણ ગૌરવ છે. તે હાઈસ્કૂલના આચાર્ય હતા શ્રી જયંત આચાર્ય. થોડાક દિવસો પૂર્વે જ ગુરુપૂર્ણિમાનો પાવન દિવસ ગયો, એ નિમિત્તે તેમને એક ભાવાંજલિ આપવાનો અહીં હર્ષદભાઈ અને હરેશભાઈએ નમ્ર પ્રયાસ કર્યો છે કારણ કે શ્રી જયંતભાઈ આચાર્ય વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા, અર્વાચીન યુગના ઋષિ અને પ્રખર કેળવણીકાર એવા શ્રી આચાર્યને આ લેખ ગુરુપૂર્ણિમા પર ભાવાંજલિ રૂપે પ્રસ્તુત કર્યો છે. શ્રી હર્ષદભાઈ દવેને અનુવાદક, કવિ તથા લેખક તરીકે અક્ષરનાદના વાચકો ઓળખે જ છે, તેમના મોટાભાઈ શ્રી હરેશ દવે પત્રકાર છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર.
કેટલાક સુવાક્યો, કેટલીક જીવનપ્રેરક કણિકાઓ – ફક્ત એક વાક્યની અંદર સમાયેલ જીવનનું સાર તત્વ ઘણી વખત લાંબા લાંબા નિબંધો કરતા સચોટ અસર ઉપજાવી જતી હોય છે. આવી જ થોડીક કણિકાઓ આજે અહીં પ્રસ્તુત કરી છે. આ સુવાક્યો કોઈ વિષયવિશેષ ન હોતા અનેક બાબતોને સ્પર્શે છે. આજે આ વિવિધા પીરસવાનું મન થયું. આશા છે વાચકમિત્રોને ગમશે.
એસ. એસ. પી. જૈન કોલેજ, ધાંગધ્રામાં શ્રી મહિમ્ન પંડ્યા ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ ગાંધી દર્શન કેન્દ્રના સંચાલક તરીકે પણ કાર્ય કરે છે. આ અન્વયે ગાંધીજી વિશે ચિંતન, મનન, અને ગાંધી વિચાર અધ્યયન જેવા વિષયો સાથે ચાર વર્ષથી વિષયાનુગત ચર્ચાઓ અને પરીક્ષાઓનું આયોજન થાય છે. ગત બીજી ઓક્ટોબરે અહીં ગાંધીદર્શન કેન્દ્ર દ્વારા ગાંધીજયંતીની ઉજવણી નિમિત્તે ‘બાપુ – યુવાનોની નજરે ‘ વિષય પર એક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલું. સંગોષ્ઠિનો અહેવાલ આજે અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો સામાન્યતઃ આયોજનોનો અહેવાલ અક્ષરનાદ પર મૂકવામાં આવતો નથી, પરંતુ આ એક નવતર પ્રયત્ન છે ગાંધી દર્શન અને તેમની ફિલસૂફીને આજની પેઢી દ્વારા જ તેમની પોતાની પેઢી સુધી પહોંચાડવાનો. આવા આયોજનોને વધુ પ્રોત્સાહન મળે અને આપણા પોતાના મહાનુભાવોના જીવનમાંથી યુવાપેઢી ગ્રહણ કરી શકે એ હેતુથી અક્ષરનાદ પર આજે આ અહેવાલ પ્રસ્તુત થઈ રહ્યો છે.
‘છાંયડી’ નો પરિચય આપતાં ક્યાંક આપણા સિદ્ધહસ્ત સાહિત્યકાર શ્રી ચિનુ મોદીએ લખ્યું છે, ‘મને છાંયડી અધ્યાપકીય કે સાક્ષરીય ઢબેછબે જાણીતી થયેલી નવલકથા સંજ્ઞાની વિભાવનાઓના તૈયાર બીબાંમાં ઢળે તેમ નથી લાગતી તેથી આ કૃતિને હું સ્વસ્વરૂપા કહું છું. અખંડ કલમઘસું વ્યવસાયિક કે ટેવ પડેલો લેખક નથી, અને એથી એ વહેવાર સિવાય પહેલી વાર ભાષા દ્વારા કળાનું કામ કરે છે.’ આ આખીય રચનામાં આધુનિકતા સાથે અખંડ શહેરનો અને તેની સામે સજ્જડ ઉભેલા એક ગ્રામ્ય પરિવેશનો અનોખો ચિતાર છે. ઘટનાઓ, વ્યક્તિઓ, લાગણીઓ, અનોખા પરિવેશ અને અનેકવિધ અભિવ્યક્તિઓનો આ એક અનોખો મહાસાગર છે. અને તેની સફર એક સુખદ ઘટના બની રહે છે. આ કૃતિમાંથી આજે એક નાનકડો અંશ અત્રે પ્રસ્તુત કર્યો છે.