Daily Archives: April 8, 2011


વાચન ૨૦૧૦ – ૨૦૧૦ના કેટલાક સુંદર પુસ્તકો 4

વર્ષ ૨૦૧૦માં બહાર પડેલા પુસ્તકોમાંથી કાળજીપૂર્વક પસંદ કરાયેલાં પુસ્તકોની એક યાદી “વાચન ૨૦૧૦” ના શીર્ષક હેઠળ, “પ્રસાર” દ્વારા પ્રકાશિત કરાઈ છે. અત્રે એ યાદી પ્રસ્તુત છે. અક્ષરનાદ પર તેને મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી જયંત મેઘાણીનો ખૂબ ખૂબ આભાર.


દેશ માટે કોણ વિચારે ? – જિજ્ઞેશ અધ્યારૂ 13

છેલ્લા કેટલાક દિવસો – મહીનાઓથી વિવિધ દેશોમાં જેમ પ્રજામાં જાગૃતિની અનોખી જ્યોતિ ઝળહળવાની શરૂઆત થઈ છે તેનો ભારતનો હિસ્સો અન્ના હજારે પ્રગટાવી ચૂક્યા છે. વિશ્વકપ વિજયને લઈને આખાય દેશમાં જે દેશભક્તિનો અને એકતાનો અનોખો જુવાળ ઉઠ્યો હતો એ વખતે દેખાયેલ તણખો હવે મશાલ બની ચુક્યો છે. ભ્રષ્ટાચારની સામે ખુલ્લો પડકાર લઈને, સરકાર, વિરોધપક્ષથી લઈને આખા દેશના એકે એક અદના નાગરીકને પણ લોકશાહી / સ્વતંત્રતા માટે જેમણે વિચારવા મજબૂર કર્યા છે એવા અન્ના હજારે વિશે, તેમના હેતુ અને લક્ષ્ય વિશે તો હવે લગભગ બધાને ખબર છે જ, મારે ફક્ત એ વિશે મારા વિચાર અહીં મૂકવા છે.