(હતાશા) ખંખેરી નાંખો અને ઉપર ચઢો… – અજ્ઞાત 10
હતાશા અને નિરાશાનો સમય હોય, ધારેલી કોઈ વાત, કોઈ લક્ષ્ય સિદ્ધ ન થઈ રહ્યું હોય અને નાસીપાસ થઈ જવાય એવા સંજોગો ઉભા થાય એવા સમયે સૌથી શ્રેષ્ઠ મિત્ર એટલે સાહિત્ય, સાહિત્યની હકારાત્મકતા માણસની અંદર રહેલી હિંમત અને ધૈર્યને જીવંત રાખે છે, મુસીબતો સામે લડવાની પ્રેરણા આપે છે. આવી જ એક દ્રષ્ટાંત કથા અત્રે પ્રસ્તુત છે.