સાહિત્યકાર મુજબ સંગ્રહ... : દેવિકા ધૃવ


ત્રણ સુંદર પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ 8

શ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, પ્રથમ રચના એક સુંદર ગીત છે, જે મળ્યું નથી તેની ઝંખના તેના કેન્દ્રમાં છે, બીજી કૃતિ ગઝલરચના છે, અને ત્રીજુ અછાંદસ કાવ્ય છે. દેવિકાબેનની આજે પ્રસ્તુત કરેલી ત્રણેય રચનાઓ આગવી અને અનોખી છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


વાચકોની કાવ્યરચનાઓ – સંકલિત 6

૭૬ વર્ષની ઉંમરે પણ સર્જનરત એવા શ્રી હરેશભાઈ બક્ષી મિસ્ટીકલ રીસર્ચમાં સ્પેશીયલાઈઝેશન કરીને પી.એચ.ડી. થયેલ છે, અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા અને http://www.soundofindia.com જેવી સંગીત સમૃદ્ધ વેબસાઈટ અને એ વિષયના પુસ્તકો આપનાર હરેશભાઈની અક્ષરનાદ પર આજે પહેલી કૃતિ પ્રસ્તુત થઈ છે. અક્ષરનાદ પર હાસ્યલેખ પ્રસ્તુત કરતા રમેશભાઈની ‘આત્મદર્શન’ નામની સુંદર કૃતિ અને હ્યુસ્ટનથી દેવિકાબેન ધ્રુવની ગુજરાત વિશેની રચના એમ ત્રણ કવિમિત્રોની રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે વાચકમિત્રોને આ સંકલન ગમશે.


ત્રણ અછાંદસ.. – દેવિકા ધૃવ 13

દેવિકાબેન ધૃવની ત્રણ અછાંદસ રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. પ્રથમ અછાંદસ માણસની ‘વેદના’ વિશે કહે છે, બીજી રચના વિચારમાંથી સર્જનની પ્રક્રિયાનું આછું રેખાંકન છે ત્યાં ત્રીજી રચના ‘માનસપુત્રી’ એક દિકરીની તેની માતા સાથેની હ્રદયંગમ વાત મૂકે છે. ત્રણેય સુંદર રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર.


જિંદગી.. – દેવિકા ધૃવ 7

શ્રી દેવિકાબેન ધ્રુવની એક અછાંદસ પદ્યરચના આજે પ્રસ્તુત છે, કૃતિમાં જીવનને વિષયવસ્તુ બનાવીને તેની સાથે અનેકવિધ ઉપમાઓ તથા સરખામણીઓની શબ્દરમતે એક સુંદર મનોભાવ પ્રસ્તુત કરાયો છે, દેવિકાબેનની પ્રસ્તુત રચના વાચકના મનને એક આગવી તાજગીથી ભરી દે છે.. રચના પોતાનું વૈશિષ્ટ્ય લઈને આવે છે. અક્ષરનાદને આ કૃતિ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ 16

શ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચના આજે પ્રસ્તુત છે, પ્રથમ કૃતિમાં તડકાને વિષયવસ્તુ બનાવીને તેની સાથે કરાયેલ સુંદર પદ્યરચના હોય, બીજી કૃતિમાં એકાંતને એ જ રીતે રચનાનો મુખ્ય વિષય બનાવીને કરાયેલું સર્જન હોય કે ઈશ્વરને પામવાનો પ્રયાસ કરવામાં તેને ક્યાં ક્યાં શોધવાનો પ્રયત્ન કવિએ કર્યો છે એનું મનોહર વર્ણન હોય, દેવિકાબેનની ત્રણેય રચનાઓ પોતાનું વૈશિષ્ટ્ય લઈને આવે છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


ત્રણ વર્ષાકાવ્યો (ભાગ ૬) – સંકલિત 1

આજે પ્રસ્તુત છે ફક્ત ત્રણ વર્ષાકાવ્યો, દેવિકા ધૃવ, પ્રજારામ રાવળ અને મનોજ ખંડેરિયાની આ સુંદર રચનાઓ છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલા વર્ષાકાવ્યોની આ મજલિસને અનોખા રંગે રંગીને તરબરત રસસભર કરશે એ ચોક્કસ. આપને આ ઈ-વર્ષાઋતુ કેવી લાગે છે તે ચોક્કસ કહેશો.