ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ 16
શ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચના આજે પ્રસ્તુત છે, પ્રથમ કૃતિમાં તડકાને વિષયવસ્તુ બનાવીને તેની સાથે કરાયેલ સુંદર પદ્યરચના હોય, બીજી કૃતિમાં એકાંતને એ જ રીતે રચનાનો મુખ્ય વિષય બનાવીને કરાયેલું સર્જન હોય કે ઈશ્વરને પામવાનો પ્રયાસ કરવામાં તેને ક્યાં ક્યાં શોધવાનો પ્રયત્ન કવિએ કર્યો છે એનું મનોહર વર્ણન હોય, દેવિકાબેનની ત્રણેય રચનાઓ પોતાનું વૈશિષ્ટ્ય લઈને આવે છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.