Daily Archives: April 27, 2013


‘જીવા’ રદીફ સાથેની ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 10

અક્ષરનાદ પર જેમની સુંદર ગઝલો સતત પ્રસ્તુત થાય છે એવા મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા શ્રી રાકેશભાઈ હાંસલિયાનો સંપર્ક થયો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. ‘જીવા રદીફ ધરાવતી લગભગ સાત રચનાઓમાંથી ચાર અહીં પ્રસ્તુત છે. ‘જીવ’ને અને એ રીતે સ્વને સંબોધીને લખાયેલ આ ગઝલો સાંગોપાંગ સુંદર, અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદ પર રાકેશભાઈની આ પહેલી પ્રસ્તુતિ છે એ માટે તેમનું હાર્દિક સ્વાગત તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.