Daily Archives: August 10, 2012


શ્રી સુરેશભાઈ દલાલને અંતિમ સલામ 25

ગુજરાતી ભાષા-સાહિત્ય જગતના શિરમોર રૂપ લેખક – કવિ – સંપાદક – સંકલનકાર આદરણીય શ્રી સુરેશભાઈ દલાલનું આજે સાંજે અવસાન થયું અને એ સાથે આપણી ભાષાને સતત ગરિમા બક્ષતો, તેના પરિઘને સતત વિસ્તારતો એવો એક સૂરજ આપણે આજે ગુમાવી બેઠા છીએ. હમણાઁ જ મળેલા સમાચાર મુજબ આજે સાંજે તેમનું દુઃખદ અવસાન થયુઁ છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હોય કે જે શ્રી સુરેશભાઈના ગુજરાતી સાહિત્યમાં પ્રદાનથી અજાણ હોય. સાહિત્યજગતને આથી ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.


નરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ… 15

કૃષ્ણભક્તિની વાત આવે અને નરસિંહનું નામ સ્મરણમાં ન આવે એ કેમ શક્ય છે? જન્માષ્ટમી નિમિત્તે આજે પ્રસ્તુત છે નરસિંહ મહેતાની સર્જેલી કુલ ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ… આ સુંદર રચનાઓ એકત્ર કરી, ટાઈપ કરી મોકલવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.


દસ રાધા-કૃષ્ણ કાવ્યો… – સંકલિત 6

આજે શ્રી કૃષ્ણ અવતરણના સ્મૃતિદિને, જન્માષ્ટમી નિમિત્તે કેટલાક કૃષ્ણકાવ્યો એકઠા કરીને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યો એકત્ર કરી ટાઈપ કરી મોકલી આપવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. દસેય કાવ્યરચનાઓ અજોડ છે અને મને ખૂબ ગમે છે. પ્રભુ સર્વેને સુખ, શાંતિ અને ઐચ્છિક આશીષ આપે એવી શુભકામનાઓ સાથે આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.