Daily Archives: May 27, 2012


અક્ષરનાદનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ 13

અક્ષરનાદ.કોમ વેબસાઈટ આજે પાંચ વર્ષ પૂર્ણ કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ભાષા, સાહિત્ય અને પ્રેરણાદાયક તથા મનનીય વાંચન નિઃશુલ્ક, સરળતાથી અને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે શરૂ કરેલ આ સાહસ આપ સૌના આશિર્વાદ, શુભેચ્છાઓ અને સહકારથી સતત અને અવિરત આગળ વધી રહ્યું છે એ અમારા માટે એક ચમત્કારથી વિશેષ કાંઈ નથી.


Read Free Gujarati Ebook Bhajanyog by Suresh Dalal

ભજનયોગ (ભાગ ૧) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 6

પ્રસ્તુત પુસ્તક ‘ભજનયોગ’, એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે. અક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.