મરક મરમ.. – સંકલિત 6
આવો માણીએ ગુજરાતી જોક્સનું સંકલન, આનંદ ઉત્સવ સામયિક અને ક્વોલિટી સક્સેસ પત્રમાંથી સંકલિત
આવો માણીએ ગુજરાતી જોક્સનું સંકલન, આનંદ ઉત્સવ સામયિક અને ક્વોલિટી સક્સેસ પત્રમાંથી સંકલિત
આજે પ્રસ્તુત છે ‘ગુજરાત’ સામયિકના દિપોત્સવી અંક ૨૦૧૬ માંથી સાભાર શ્રી રધુવીર ચૌધરી, શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને ડૉ. નિરંજન રાજ્યગુરુની પદ્યરચનાઓ…
શ્રી ગુણવંત વૈદ્યની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.
કેન્યાની ઓળખ મસાઇમારાથી છે. મસાઇ છે જંગલમાં વસતી એક પ્રજાતિ, જેમના નામ પરથી મસાઇ નામ અસ્તિત્વમાં આવ્યું, મારા છે ત્યાંની નદી અને એ ઉપરાંત મસાઇ ભાષામાં મારાનો અર્થ છે જોવા મળવું, એ પછી ઝાડ હોય, પ્રાણી હોય, પંખી હોય, માણસો હોય, એટલે જંગલનું નામ મસાઇમારા.
મસાઇમારા નામના ઉચ્ચારણ સાથે નજર સામે આવે પીળા ખડ એટલે કે સૂકાયેલાં ઊંચા ઘાસના વન, એમાં જમ્બો થડ, પાંખા ડાળખી ને પાન ધરાવતાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળે તેવા બાઓબાબ નામના વૃક્ષ અને બિગ ફાઈવ…
આ બિગ ફાઈવ એટલે જેનાથી મસાઇમારાની ઓળખ છે તે પાંચ મોટાં પ્રાણીઓ એટલે સિંહ, રહાઈનો, જિરાફ, હાથી અને ચિત્તા. આ ઉપરાંત ઝીબ્રા, જંગલી ભેંસ, બાઈસન, હરણાંની ગણતરી હમણાં નથી કરવી.
કોઈનેય મરવું ગમતું નથી, પણ મૃત્યુ અનિવાર્ય છે. અને એથી જ માણસને સૌથી મોટો ભય હોય છે મૃત્યુનો. મૃત્યુને સહજભાવે સ્વીકારવા -આવકારવાની ઇચ્છા વિરલ ગણાય તેમ છતાં એ’વી વિભૂતિઓ જોવા મળી છે કે જેમણે સ્વેચ્છાએ મૃત્યુને ભેટવાનું પસન્દ કર્યું હોય.માણસ ઇચ્છે અને એ’ને મૃત્યુ મળે એ ઘટનાને ઇચ્છામૃત્યુ કહે છે. અલબત્ત, ઇચ્છામૃત્યુ આત્મહત્યા નથી. વ્યક્તિ પોતાની જાતને ખતમ કરી નાંખે તે આત્મહત્યા. એથી ભિન્ન; વ્યક્તિ પૂરી સ્વસ્થતાથી જીવનને સમાપ્ત કરવા ઇચ્છે, સામેથી મૃત્યુને નિમંત્રે અને મૃત્યુ થેને આવી મળે તે ઇચ્છામૃત્યુ, મૃત્યુના યોગ્ય સમયના આગમનને આમ ઘણા માણસો – દુઃખથી કે રોગથી તપ્ત-ત્રસ્ત માણસો – ઇચ્છે છે ખરા, પણ બહુ જ જૂજ વ્યક્તિઓની એ’વી ઇચ્છા ફળે છે. પણ તો ઇચ્છાના ‘હોવા’ને થેની સફળતાનિષ્ફળતા સાથે ક્યાં કોઈ નિસબત હોય છે જે. તો એવી જ રીટે મૃત્યુ અનિવાર્ય છે તો સુખપૂર્વક મરવાનું માણસ ઇચ્છે તે સ્વાભાવિક નથી? એવા ઇપ્સિત સમયના નહિ, ઇપ્સિત પ્રકારના મૃત્યુના આ ગીતમાં કવિએ સુખદ – સુખાવહ મૃત્યુની ઇચ્છા પ્રગટ કરી છે.સુખદ એટલે એમની પોતાની દ્રષ્ટિએ સુખદ. હા. એમની દ્રષ્ટિ સાથે સરેરાશ માણ્સની દ્રષ્ટિનો મેળ સધાય છે. કારણ એમના જેવી દ્રષ્ટિ ધરાવનારા અનેક માણસો હોવાના અને એથી જ એ ઇચ્છાની અભિયક્તિ રૂપ આ કૃતિ ‘કાવ્ય’ની કક્ષાએ પહોંચે છે.
આજે પ્રસ્તુત છે ત્રણ પદ્યસર્જકોની રચનાઓ.. ડૉ. સ્મિતા દિવ્યેશ ત્રિવેદી, (ઍસો. પ્રોફેસર, એસ.એમ.એન.કે. દલાલ એજ્યુકેશન કૉલેજ ફૉર વિમેન, એલિસબ્રિજ, અમદાવાદ) ભૂમી માછી અને જનક ઝીંઝુવાડીયાનો તેમની પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ આભાર.
મૂળ ડીસા, હાલ સૂરત ખાતે ૧૫ વર્ષથી રહેતા, ૧૯૯૧ થી સર્જનપ્રવૃત્તિમાં રત મંથન ડીસાકરે ગઝલ, અછાંદસ કાવ્યો, ગીતો, સોનેટ અને હાઈકુ લખ્યા છે. આજે તેમની બે ગઝલરચનાઓ અને ત્રણ હાઈકુ પ્રસ્તુત છે. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે manthandisakar@gmail.com પર કરી શકાય છે.
રાજકોટના હર્ષિદા દિપકભાઈ ત્રિવેદીની અક્ષરનાદ પર આ પ્રથમ ત્રણ પદ્યરચનાઓ છે. સર્જનના આ અનોખા અક્ષરનાદી વિશ્વમાં તેમનું સ્વાગત છે. તેમની કલમને શુભકામનાઓ..
સપનામાં બાઈ હું તો એવી મૂંઝાણી કે યાદોમાં ન્હાતું પરભાત,
નિંદરની સોંસરવા ઝબકીને જોયું તો શોણલાં સરીખી થઇ જાત..
તેડું રે આવ્યું આ માઝમ રાતનું,
સહિયર આજથી સજાવ,
વ્હાલું ને વેરણ એવી જાતનું,
હૈયામાં વસમા છે ભાવ.
ઉગમણે આવ્યો રે કાજલનો રેણનો
તેજ નમણો મયડ્ડ;
શીલાંને હૂંફાળ એવાં વૅણનો,
જેમ સોહ્ય રે કલડ્ડ.
માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.
તા. ૯ અને ૧૦ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ હતો..
“રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..”
વળી આ વખતે ફક્ત શૃંગાર થીમ આધારીત માઈક્રોફિક્શન જ સર્જવાની હતી.
શ્રી પ્રવીણભાઈ શાહનો ગઝલસંગ્રહ ‘અભ્યસ્ત’ આજે અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાં પ્રસિદ્ધ થઈ રહ્યો છે તેમાંથી ત્રણ ગઝલરચનાઓ અહીં પ્રસ્તુત કરી છે. ૧૯૬૮થી વડોદરામાં સ્થાયી થયેલા પ્રવીણભાઈની કલમે જાન્યુઆરી ૨૦૧૧થી ડિસેમ્બર ૨૦૧૩ની વચ્ચે લખાયેલી ગઝલરચનાઓ આ સંગ્રહમાં તેમણે મૂકી છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ વડોદરાની બુધસભામાં નિયમિત હાજરી આપે છે અને ગઝલો પ્રસ્તુત કરે છે. આજથી તેમનો ગઝલસંગ્રહ ગઝલના ભાવકો માટે અક્ષરનાદ પર નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
આજે પ્રસ્તુત છે જાણીતા ગઝલકાર પારસભાઈ હેમાણીની ચાર સુંદર ગઝલરચનાઓ.. અક્ષરનાદને આ ચારેય સુંદર ગઝલો પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવાબદલ તેમનો આભાર.
શુષ્ક મારી લાગણીમાં આશ પણ છે
મારી અંદર ક્યાંકતો ભીનાશ પણ છે
દૂર જાવા આમતો મથતો રહું છું
આમ તો તારા ઉપર વિશ્વાસ પણ છે
યોગેશ વૈદ્ય સામે આસામના સાંસ્કૃતિક અને સામાજિક પરિવેશને સમજવાનો આ એક અનોખો અને દુર્લભ મોકો હતો અને તેને બન્ને હાથે વધાવી લેવાનો પ્રયાસ તેમણે કર્યો છે. હકીકતે આ કામે તેમને અંદરથી સમૃદ્ધ થવાની ઘણી તકો પણ આપી છે. કામ આગળ વધતું ગયું તેમ તેમ અનેક અસમિયા કવિઓની સાથે સંપર્ક સ્થપાયો.
અહીં થયેલા અનુવાદ મૂળ કવિતાના હિંદી કે અંગ્રેજી અનુવાદ પરથી થયા છે આથી મૂળ કવિતાના હાર્દ સુધી પહોંચાયું છે કે કેમ તેની સતત મૂંઝવણ રહ્યા કરી છે. મૂળ કવિતાના હાર્દ સુધી પહોંચવામાં ઘણી વખત અડચણો આવી છે. આ અનુવાદોને ત્રણ-ચાર વખત તપાસવામાં ખાસો સમય પણ વીત્યો છે. દરેક અનુવાદકે માધ્યમ દ્વારા ઊભા થતા આવા પડકારોનો સામનો કરવાનો હોય જ છે. યોગેશ વૈદ્યે પણ સુંદર કોશિશ કરી છે.
જગતને જોનારી દ્રષ્ટિ કાં તો પોઝિટિવ હોય અથવા તો નેગેટિવ હોય. બાકી આ દુનિયા તો એક અરીસો છે, જેમાં આપણે સજ્જન હોઈએ તો જગત સત્કર્મમય લાગે અને દુષ્ટ પ્રવૃત્તિઓમાં ડૂબેલા હોઈએ તો આખી દુનિયા દુષ્ટોથી જ નહીં, પણ મહાદુષ્ટોથી ખીચોખીચ ભરાયેલી લાગે! એનો અર્થ એટલો જ કે જેવી તમારી બીજાની સાથેની વર્તણૂંક હશે એવી જ તમારી સાથે બીજાની વર્તણૂક હશે. આપણે આ વાતનો સર્વથા સ્વીકાર કરવાનો દેખાવ કરીએ છીએ, પરંતુ એનું આચરણ કરતા નથી, કારણ કે આપણામાં સત્તાના અભિમાનને કારણે તોછડાઈ આવી ગઈ હોય છે. ધનને કારણે મદ ચડી ગયો હોય છે. જ્ઞાનને કારણે ‘મારા જેવો બીજો જ્ઞાની કોણ?’ એવી બડાશવૃત્તિ ચિત્તને ઘેરી વળી હોય છે.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કવિશ્રી સંજુભાઈ વાળાનો ગઝલસંગ્રહ ‘કવિતા નામે સંજીવની’ અક્ષરનાદ પરથી ઈ-પુસ્તક સ્વરૂપે ડાઉનલોડ કરી શકાશે. અક્ષરનાદને આ સંગ્રહ ઉપલબ્ધ કરાવવા બદલ ચિરાગભાઈ ભટ્ટનો અને તેને ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી બદલ શ્રી સંજુભાઈ વાળાનો આભાર.
આજે પ્રસ્તુત છે શૈલેષ પંડ્યાની બે કૃતિઓ, સરયૂ પરીખની બે પદ્યરચનાઓ, ડૉ. હેમાલી સંઘવી અને શૈલા મુન્શાની એક એવી સુંદર પદ્યરચનાઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા બદલ ચારેય સર્જકોનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.
દેશને દુનિયામાં
નામ ગાંધી બધે ઝળકે છે
નામ ગાંધી બધે રણકે છે
પણ
સાબરમતીના ગાંધી અને
યમુનાના ગાંધી વચ્ચે
માત્ર ફેર મિસ્ટર કે મિસિસનો નથી
એક આખે આખી સંસ્કૃતિનો છે.
સમંદરને અંદર સમાવી દીધો છે.
ને અંગાર રાખે દબાવી દીધો છે.
હતો ભાર એને કળીનો હ્રદય પર,
મૂકી એક પથ્થર હટાવી દીધો છે.
‘સંસ્કારમિલન’ વલસાડ સાહિત્યિક, સાંસ્કૃતિક અને કલાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી સંસ્થા છે. ‘સંસ્કારમિલન’ના અનિયતકાલિક માસિક ‘મિલન’નો ઓગસ્ટ ૨૦૧૫નો અઁક વલસાડી હાઈકુ વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થયો હતો. પ્રા. મનોજ એમ. દરૂ અને અમૃત કે. દેસાઈ દ્વારા સંપાદિત આ સંગ્રહમાંથી આજે સાભાર પ્રસ્તુત કર્યા છે ઉશનસ, અમૃત કે. દેસાઈ, અજિત પારેખ, અમૃત મોરારજી અને ડૉ. અરુણિકા દરૂ દ્વારા રચિત હાઈકુ પ્રસ્તુત છે.
એ વહી જાય પછી ક્યાંય વરતાતી નથી
જાણે એ કદી ક્યાંય હતી જ નહીં.
પોતાની કોઈક સમયની નક્કર હાજરીની
છેલ્લામાં છેલ્લી નિશાની
પોતે જ ભૂંસી નાખી
ક્યાંય વહી જાવ છે
વહેતા પ્રવાહ જેવી સ્ત્રીઓ….
મધ્યકાલિન ભારતીય સાહિત્યમાં એક સમયે ભક્તિમાર્ગનું જે મોજું આવ્યું, જેને ગ્રિયર્સને બૌદ્ધ ધર્મના મોજાં કરતાંયે વધુ અસરકારક જણાવ્યું, એ ભક્તિમાર્ગ અગાઉના ભક્તિ સિદ્ધાંત કરતાં જુદો પડતું હતું. એમાં ઈશ્વર મનુષ્યનો પિતા કે માલિક નહોતો પણ ‘સખા’ હતો, ‘પ્રિયતમ’ હતો. ઈશ્વર પ્રત્યેની આ સમયના ભક્તોની રતિ ઉત્તરોત્તર વિકસતી રહી ને વૈરાગ્યમાં પરિણમતી હતી. આ વૈરાગ્ય શુષ્ક નહીં પણ પ્રસન્નતામૂલક હતો. પરિણામે ભક્તિ વિચારનું આ સમયમાં એક પ્રકારનું આધુનિકીકરણ, નૂતન અર્થઘટન થયું.
કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક એવા વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવશાળી સર્જન આપ્યાં છે એવા આપણી ભાષાના અદના સર્જક શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની પ્રસ્તુત વાર્તા ‘મમી’ વર્ણન અને અવધારણાઓની દ્રષ્ટિએ અનોખી છે, ખૂબ પાતળો એવો વાર્તાનો ઘટનાક્રમ વાચકને એક અનોખા વિશ્વમાં લઈ જાય છે અને ભયનું લખલખું જન્માવી આપે છે. વર્ષો પહેલા તેમણે પોતાના સર્જનમાં વાપરેલો ટેક્સીડર્મીનો સંદર્ભ પણ અનોખો છે.
Out of the night that covers me,
Black as the pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.
મને નખશિખ આવરી લેતી
ગહન ગર્ત સમ કાજળ કાળી રાત્રિ,
રહ્યો અજેય અંતરાત્મા આ મારો,
પાડ પ્રભુનો તે ઘણો-અતિઘણો.
“યે છુપે હુએ કોક્રોચોંકો ભી
માર દેતા હૈ..”
ટીવી ઉપર વારંવાર
આ જાહેરખબર જોવાને કારણે
તથા
વંદા પ્રત્યે મ્હારામાં પહેલેથી જ રહેલી
એક પ્રકારની
સુગથી ઉબાઈ ગયેલા મેં..
વડોદરામાં એક પ્રતિષ્ઠિત નાગરિક અને કવયિત્રી સુશ્રી અરુણાબેન ચોકસીની એક અછાંદસ રચના પ્રસ્તુત કરી રહ્યો છું, વિષય છે એકલતા. એકલતાની અનુભૂતિ સહુએ કોઈને કોઈ સમયે મેળવી હોય છે. લોકો એકાંત ઝંખે અને એકલતાથી દૂર ભાગતા હોય છે. એકલતા ખાસ કરીને વૃદ્ધોને બહુ સાલતી હોય છે અને તેમાં પણ જયારે તેમને તેમના સંતાનો ભગવાન કે વૃદ્ધાશ્રમને સહારે છોડી દે ત્યારે એકલતાની ભાવશૂન્યતા જીવતરને જાકારો આપવા લાગે છે. આ વર્તમાન સમયની એક ગંભીર સમસ્યા છે જેની માર્મિક રજૂઆત અરુણાબેને પ્રસ્તુત રચનામાં કરી છે.
રાકેશભાઈએ આ લઘુકાવ્યો મોકલ્યા ત્યારનો તેમને મમળાવ્યા કરતો હતો, આજે એ આપ સૌની સાથે વહેંચ્યા છે. બાર લઘુકાવ્યો, અને દરેકની એક અલગ વાત, દરેકમાં અનોખો સ્પાર્ક.. આ કાવ્યતત્વ ધરાવતું માઈક્રોફિક્શન છે.. જો ગઝલો રાજાશાહી હોય, જેના શિસ્ત અને નિયમોને અનુસરવા જ પડે, તો આ પ્રકારના લઘુકાવ્યો લોકશાહી જેવા છે. અહીં જવાબદારી વધી જાય છે, કારણ સ્વતંત્રતા પણ વધારે છે. અભિવ્યક્તિની આ અનોખી રીતને આટલી સચોટ રીતે અજમાવી શક્યા એ બદલ રાકેશભાઈને શુભકામનાઓ અને અક્ષરનાદને આ કાવ્યો પાઠવવા બદલ તેમનો આભાર.
શ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, પ્રથમ રચના એક સુંદર ગીત છે, જે મળ્યું નથી તેની ઝંખના તેના કેન્દ્રમાં છે, બીજી કૃતિ ગઝલરચના છે, અને ત્રીજુ અછાંદસ કાવ્ય છે. દેવિકાબેનની આજે પ્રસ્તુત કરેલી ત્રણેય રચનાઓ આગવી અને અનોખી છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.
આજે માણો વેર વિરાસત નવલકથાનો ચોવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’
ડૉ. જોષીની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની ત્રણેય ગઝલરચનાઓ સુંદર છે. પ્રથમ ગઝલમાં ન કરવા જેવી પ્રવૃત્તિઓની તેઓ વાત મૂકે છે. ‘ગાંધીનગર – ૧૯૪૦ના દાયકામાં’ જેવો આગવો વિષય ધરાવતી તેમની બીજી ગઝલ ગાંધીનગરની આગવી પ્રતિભા અને યાદો રજૂ કરે છે, તો ત્રીજી ગઝલમાં કવિ તેમની ગઝલરચનાની સાર્થકતા વિશે વાત મૂકે છે. રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ ડૉ. જોષીનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.
ગુજરાત રાજ્ય સરકારના સચિવાલયમાં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી કિલ્લોલ પંડ્યા ગાંધીનગર, ગુજરાતના રહેવાસી છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ ગઝલરચનાઓ છે, શ્રી બાલકૃષ્ણ સોનેજીની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ એક સુંદર એક ગઝલ પ્રસ્તુત છે. ભાવનગરના શ્રી હાર્દિક મકવાણા અને શ્રી વિરલ ત્રિવેદીની અક્ષરનાદ પર આ પ્રથમ પદ્યરચના છે. સર્વે મિત્રોની રચનાઓનું સ્વાગત છે, તેમની કલમને શુભકામનાઓ.