Daily Archives: August 9, 2018


ચાર ગઝલરચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ 4

‘પરબીડિયામાં હવા મોકલી છે..’ અને ‘હું હવે કાગળ ઉપર’ એવા બે સુંદર ગઝલસંગ્રહ આપણને આપનારા કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો ઘણાં વખતે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. દરેક ગઝલને ભવપૂર્વક સંભળાવતા, એ ગઝલો પરના પ્રતિભાવોને ગંભીરતાથી લેતા જિતેન્દ્રભાઈ ખૂબ સંવેદનશીલ કવિ છે, એમની ગઝલોમાં એમનું ભાવવિશ્વ, અનુભૂતિ અને અનુભવો ઉડીને આંખે વળગે છે. આજની તેમની ચારેય ગઝલો પણ એ જ સંવેદના લઈને આવે છે. આ ગઝલો અક્ષરનાદને પાઠવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને મબલખ શુભકામનાઓ.