Daily Archives: April 2, 2018


બે ગઝલરચનાઓ – દિલહર સંંઘવી 1

કવિશ્રી દિલહર સંઘવીનું પુરું નામ હરિપ્રસાદ મોહનલાલ સંઘવી, મુંબઈ ખાતે ૧૮-૧૧-૧૯૩૨ના રોજ જન્મ. આજીવન સિહોર (જી. ભાવનગર) રહ્યાં. પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગૌતમી’માં ગીત ગઝલ અને મુક્તકના સર્જન પછી મુખ્યત્વે ગઝલમાં સર્જન કર્યું. ‘કસ્તુરી’ અને ‘દિશા’ પછી મરણોત્તર સંગ્રહ ‘મનોરથ’ પ્રગટ થયો. મિત્રોએ અગાઉના ત્રણ સંગ્રહોમાંથી ચયન કરીને ‘પસંદગી’નું પ્રકાશન કર્યું. પ્રસ્તુત બંને ગઝલો અખંડ આનંદ સામયિકના શ્રી હરીકૃષ્ણ પાઠક સંપાદિત ‘કાવ્યકુંજ’ અંતર્ગત ‘આપણી કવિતા સમૃદ્ધિ અને નવાં કાવ્યો’માં ફેબ્રુઆરી ૨૦૧૮ના અંકમાં પ્રસ્તુત થયા છે, તેમાંથી અહીં સાભાર લીધા છે.