Daily Archives: June 18, 2018


કવિ-ધર્મ, ફૂલદાની, મેઘાણી (પદ્યરચનાઓ) – ગની દહીંવાલા 4

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં એક ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. આજે એમની ત્રણ સુંદર રચનાઓ પ્રસ્તુત કરી છે. મેઘાણી માટે એ કહે છે,

‘અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી!
નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ, મેઘાણી!’

તો કવિ-ધર્મ વિશે વાત કરતા એ કહે છે,

ભેટ દુનિયાની રહી દુનિયા સુધી પહોંચાડવી
આટલું કરજે કવિ, બસ આટલું કરજે કવિ!

આશા છે વાચકમિત્રોને શ્રી ગનીચાચાની આ ત્રણેય રચનાઓ રસતરબોળ કરી દેશે.