સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ચિંતન નિબંધ


એક ક્ષણ.. – હર્ષદ જોશી 4

એક ક્ષણ, પ્રત્યેક અગત્યની અને નિર્ણાયક એવી એક ક્ષણનું મહત્વ શ્રી હર્ષદભાઈ જોશી આજના લેખમાં અનેરી રીતે સમજાવે છે. દરેકે દરેક ક્ષણ પોતાનામાં એક વરદાન અને એક શ્રાપ એમ બધું જ લઈને આવે છે. એક ક્ષણે હિંમત કરવાથી વિજય મળે છે અને એ જ ક્ષણે નિરાશ થવાથી હાર મળે છે, સવાલ છે ફક્ત એટલો કે મળેલી પ્રત્યેક ક્ષણનો તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો. પ્રસ્તુત લેખ શ્રી હર્ષદભાઈ જોશીના પુસ્તક ‘પ્રેરણાનાં પુષ્પો’ માંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તક અક્ષરનાદને ભેટ આપવા બદલ શ્રી હર્ષદભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.


સામાજિક સુગ્રથિતતા અને સરકાર – બર્ટ્રાન્ડ રસેલ, અનુ. બદરીપ્રસાદ ભટ્ટ

બર્ટ્રાન્ડ રસેલ આ યુગના મુઠ્ઠીભર માર્ગદર્શકોમાંના એક સમર્થ માર્ગદર્શક હતા. સમાજજીવન, કેળવણી, તત્વજ્ઞાન, રાજનીતિ બધા જ વિષયોમાં તેમની અપ્રતિમ બુદ્ધિ અપ્રતિહત ઢબે ચાલતી હતી. બુદ્ધિ અને લાગણી બંનેનો સુમેળ એમના લખાણોમામ હતો એવો ભાગ્યે જ કોઈ બીજામાં જગતે અનુભવ્યો છે. તેમની નિર્ભયતા અજોડ હતી એમાં પોતાની ભૂલ જોવાની નિર્મળતા હતી. તેમનું પુસ્તક ‘સત્તાધિકાર અને વ્યક્તિ’ સત્તા અને વ્યક્તિ વચ્ચેના સંબંધોને ચર્ચે છે. સંમતિ ઘણી વાર ગતાનુગતિક હોય છે પણ વિચારપૂર્વકની અસંમતિ તો વિરલ છે અને એ જ લોકશાહીનું લૂણ છે. આ શક્તિ આખરે વ્યક્તિ મારફત જ વ્યક્ત થાય છે એટલે સત્તાધિકાર અને વ્યક્તિના પરસ્પરાનુબંધો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. લોકભારતી સાણોસરા દ્વારા પ્રસ્તુત આ પુસ્તકનું બદરીપ્રસાદ મા. ભટ્ટ દ્વારા ભાષાંતર કરાયુ છે. આજે તેમાંથી પ્રાચીનકાળના રાજ્યસત્તાના વિકાસ – વિસ્તાર વિશેનો ભાગ પ્રસ્તુત છે.


સંકલ્પ કરવાનો આનંદ…. – સુભાષ ભોજાણી 11

આ જગતમાં ઘણાં બધા નાની મોટી સામાજીક કે અન્ય જવાબદારીઓમાંથી પસાર થતા જ હોય છે. તેમાં ઘણાં પ્રશ્નો સામે આવે છે, વિકલ્પો સામે આવે છે. આમ કરવું, તેમ કરવું – શું કરવું ને શું ન કરવું પણ લોકો એ વિશે ઉંડાણપૂર્વક વિચાર કરીને તેને અનુસરવામાં ઢીલાશ દાખવતા હોય છે. ચાલે છે તો ચાલવા દ્યો.. એક નજીકનું ઉદાહરણ સૂઝે છે, મારા એક મિત્રના નજીકના સંબંધીની આવડત અને હોંશીયારી જોઈને ભલભલા અંજાઈ જાય. તેમની પાસે ભણતર છે, આવડત છે, શારીરીક ક્ષમતા છે પરંતુ તેમના ઘરનું વાતાવરણ સહાયક નથી. વિગતે વિચાર કરતા સમજાયું કે જો આ માણસને જરૂરી પાર્શ્વભૂમિકા, જરૂરી મનોબળ આપવામાં આવે તો તે સફળતાની સીડી સડસડાટ ચડવા સક્ષમ છે, દેખીતી રીતે તેમાં તેનો કોઈ વાંક નથી, વાંક આસપાસના નકારાત્મક વાતાવરણનો છે. આપણા દેશમાં એવા કેટલાય લોકો છે જેમને ઘણું બધું કરવું છે, જીવનમાં ખૂબ આગળ વધવું છે પરંતુ…. આ પરંતુ પછી ઘણા બધા કારણો હોઈ શકે છે જે તમે તમારા અનુભવ કે મંતવ્યને આધારે જોડી શકો.


સ્વસ્થ લોકતંત્રનો પાયાનો પથ્થર, સંવાદ – વંદિતા રાજ્યગુરૂ દવે 2

ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાને વિશ્વની સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા માનવામાં આવે છે, પરંતુ લોકતંત્રના વ્યવહાર બાબતે અમેરિકા આપણાથી ઘણું આગળ છે. અમેરિકન રાષ્ટ્રપતિ પદના પ્રતિસ્પર્ધીઓ બરાક ઓબામા અને મીટ રોમ્ની વચ્ચે આમને સામને પ્રેસિડેન્શીયલ ડિબેટ થઈ. જગતભરના મીડીયાએ અમેરિકાની આ એક સ્વસ્થ લોકતાંત્રિક પરંપરાની નોંધ લીધી અને વખાણી. લોકતાંત્રિક વ્યવસ્થા માટે એવું માનવામાં આવે એ કે જે લોકતાંત્રિક દેશમાં ચર્ચા પાટા પર ચાલે એટલો જ એ દેશ કે એ વ્યવસ્થા સાચા માર્ગે રહે. અમેરિકન ડિબેટને કેટલાક લોકો ભલે નિરર્થક ગણાવે પરંતુ તેનાથી એક કેડી તો કંડારાય છે જ. ઘણી સમસ્યાઓના ઉકેલ ચર્ચાથી લાવી શકાય છે. હવે વિચારવાનું એ છે કે અમેરિકામાં આવી ચર્ચાની ગાડી તેના નિશ્ચિત પાટા પર જ દોડે છે પરંતુ ભારતમાં એ ગાડી વારંવાર પાટા પરથી કેમ ઉતરી જાય છે?


ઈદના દિવસે કપાઈ રહેલ બકરી વિશે… – હાર્દિક યાજ્ઞિક 17

ઈસ્લામ દયા, શ્રદ્ધા અને માણસાઇના પાયા પર ટકેલ એક અદભુત ધર્મ છે. મુસ્લીમોની પોતના ધર્મ પ્રત્યેની લાગણી બીજા કોઇપણ ધર્મ કરતા અનેક ગણી વધુ છે જે એક વખાણવા લાયક વાત છે. સાચા મુસ્લીમ પોતાના નબી એટલે કે ઉપરવાળાના આદેશથી પોતાની કમાણીનો અમુક ભાગ ‘જકાત’ સ્વરૂપે ગરીબોમાં વહેંચે છે. ગમે તેટલી વધુ કે ઓછી કમાણી કરતો મુસ્લીમ પણ આ રીતે પોતાની કમાણીનો ભાગ જરૂરીયાતમંદને પહોંચાડે છે જે સલામ કરવા જેવી વાત છે. ફક્ત સર્વસ્વના બલીદાનની ભાવનામાં મૂંગા પ્રાણીનું બલીદાન કંઇક સમજમાં ન આવે તેવી વાત છે.


chal jindagi Jivi Laiye by Dr. Ajay Kothari

૫૫ વર્ષની ઉંમર પછી… – ડૉ. અજય કોઠારી 16

‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક વિશે પરિચય આપતા ડૉ. કોઠારી જણાવે છે, ‘આપણી જીંદગી કેટલી? કોઈ કહેશે ૬૫ વર્ષની, સરકાર કહે છે સરેરાશ પુરુષની ૬૮ ને મહિલાની ૬૪ વર્ષની, પણ જિંદગી ૩ ફૂટના ઘોડીયાથી માંડીને ૬ ફૂટની ચિતા સુધીની. માત્ર ૩ ફૂટ લંબાતી ખેંચાતી આપણી આ જિંદગી’ તેને ડૉ. કોઠારીએ ઉંમરના હિસાબ સાથે જોડી છે. ‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક જીવનના વિવિધ તબક્કાઓને – સંબંધોને – તથ્યોને આવરે છે. જીવનસાથી, સંતાનો, પૌત્રો અને વંશવેલો, મિત્રો, ૫૫ વર્ષની ઉંમર પછી, જાતિય સંબંધ, ભગવાન, હોસ્પિટલ, અંતિમ યાત્રા જેવા વિવિધ પ્રકરણ ધરાવતી આ સુંદર પુસ્તિકાની ચાર વર્ષમાં ચાર પુનઃઆવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. આજે તેમના પુસ્તક ‘ચાલ જિંદગી જીવી લઈએ’ માંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત કર્યું છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને આવા હજુ અનેક પુસ્તકો તેમનાથી આપણને મળતા રહે એવી અનેક શુભકામનાઓ.


Innocence of (Oh my) God !! – જીજ્ઞેશ અધ્યારૂ 13

છેલ્લા થોડાક દિવસોમાં બે ફિલ્મો જોવા – જાણવા – વિચારવા – માણવાનો અવસર મળ્યો. એક હતી વિવાદાસ્પદ અને ઘણાખરા દેશોમાં પ્રતિબંધિત ઈસ્લામ વિરોધી ફિલ્મ – ઈનોસંસ ઓફ મુસ્લિમ્સ અને બીજી કાનજી વિરુદ્ધ કાનજી / ધ મેન વ્હૂ સ્યૂઅડ ગોડ પર આધારીત પણ સંપૂર્ણપણે ભારતીય ‘ઓહ માય ગોડ’. બંને ફિલ્મો વિશેના મારા વિચાર અને મંથન પ્રસ્તુત કર્યું છે. આપના પ્રતિભાવોનું સ્વાગત છે…


ઈશ્વર જ જાણે છે… – લેસ્લે ડિંકિન, અનુ. – આનંદ 2

જ્યારે કોઇપણ શારીરિક વ્યાધિ આપણા ઘરમાં ઘર કરે છે, ત્યારે ખાસ કરીને આપણું વલણ એક એવા તથ્યની અવહેલના કરતું હોય છે. જે આપણી પરિસ્થિતિ ઉપર એક નવીન પ્રકાશ નાખતું હોય છે તથા આપણામાં એક નવીન શક્તિ ભરતું હોય છે. જેનું મારા પર આક્રમણ થયું હતું તેવી ત્રણ વ્યાધિઓ હું ગભરાઇ ઊઠ્યો હતો કિન્તુ, ચોથીવાર મેં તેનો કોઇ વિશિષ્ટ ભય વિના પ્રતિકાર કર્યો તદ્યપિ આ વખતે હાનિનો ભય પહેલા કરતાં અધિક હતો. આ સમય દરમ્યાન મને એ વાતનો અનુભવ અને વિશ્વાસ થઇ ગયો હતો કે ‘ઇશ્વર જ જાણે છે.’


બોલ હિંગ્લીશ બોલ – હર્ષદ દવે 4

ભાષા અને બોલી સમયાંતરે અપડેટ થતા રહે છે અને તેનું જીભવગું ઉદાહરણ, ‘બોલવું’તું ને મોબાઈલ મળ્યો !’ દોડવું હોય અને ઢાળ મળે એ હવે ઢળેલી વાત થઈ ગઈ કહેવાય. ગાંધીજી પહેલાં ભારેખમ શુદ્ધ ભાષાનો દુરાગ્રહ સેવવામાં આવતો હતો. હવે ભારતીયો ગૌરવભેર હિંગ્લિશ, બિંગ્લિશ, પંજલિશ, તમલિશ બોલે છે. ચટણીના ચટાકાના રસિયા છીએ એટલે આપણને ‘ચટણીફાઈડ’ ઈંગ્લિશ વગર કેવી રીતે ચાલે? જેટલો હિંગ્લિશનો ચાહકવર્ગ છે એટલો જ વિશાળ વર્ગ તેનાથી મોં મચકોડનારાઓનો ચે એ પણ એટલી જ વિચિત્ર છતાં સાચી વાત છે. શેરબજારના કૌભાંડો તથા ભ્રષ્ટાચારની જેમ હિંગ્લિશની લોકપ્રિયતા અને લોકબોલિતા સર્વત્ર દ્રષ્ટિગોચર થાય તેનું કારણ તેનામાં રહેલું નાવિન્ય, તેની સરળતા, બુદ્ધિમત્તા અને ભારતીયતા છે. તેથી જ તો તે આપણે રવાડે ચડી ગઈ !


ઈસુ મારી નજરે…. – હાર્દિક યાજ્ઞિક 6

તા ૨૩/૦૯/૨૦૧૨ના દિવસે નડિયાદ સાલ્વેશન આર્મી ચર્ચમાં આપેલ પ્રવચન – ઈસુ મારી નજરે….
આવેલ સર્વેના હ્રદયમાં વસેલા ઈસુને પ્રણામ… મને આજે વિષય આપવામાં આવ્યો છે – “ઈસુ – મારી નજરે..”
આમ તો શિમલા કે કાશ્મીરના લોકોને એક જગ્યાએ ભેગા કરીને દૂર ગુજરાતમાં રહેતા આપણા જેવા કોઇ ગુજરાતીને મંચ સોંપી દેવામાં આવે અને પ્રવચનનો વિષય “મારી નજરે ઠંડી….” ત્યારે એ ગુજરાતીના મનમાં જે ભાવના થાય તેવી હાલત મારી છે….


નવજીવન – ભરત કાપડીઆ 10

મારો ગઈકાલનો દિવસ અત્યંત ખરાબ રહ્યો. થક્વીને ચૂર ચૂર કરી નાખનારો. મારી બધી જ યોજનાઓ નિષ્ફળ ગઈ. એકે સંકલ્પ પાર ન પડ્યો. ફક્ત ગઈ કાલ જ કેમ, છેલ્લા કેટલાય દિવસોથી આમ જ બને છે. દિવસે ને દિવસે હું વધુ ને વધુ હતાશ થતો જાઉં છું. જાણે મારું જીવન non-happening એટલે કે ઘટના-વિહીન બની ગયું છે. કાંઈ પણ નવું સારું બનતું નથી. માણસો ખરાબ મળે, ઘટનાઓ ખરાબ બને, લોકો મારી સાથે ખરાબ વર્તાવ પણ કરે. જાણે પથરા સાથે માથા પછાડતો હોઉં એવું લાગે. હવે બધી જ બાબતો ઉપર ગુસ્સો આવે છે. ઉપરવાળા પર પણ ગુસ્સો આવે. બધી જ તકલીફો મારા પર જ કેમ આવે છે, સમજાતું નથી. ચારે કોર નિષ્ફળતા, નિરાશા અને મારી સામે કટાક્ષમાં તાકતી આંખો જોવા મળે છે. હું શા માટે હવે કોઈ કોશિશ કરું? કોના માટે, શાના માટે ?


ભારતીય લેખકોના અંગ્રેજી પુસ્તકો… – રજનીકાંત મહેતા 7

૧૯૯૨થી ૨૦૦૨ સુધીમાં રજનીકાંતભાઈના ચાર નિબંધસંગ્રહો પ્રકાશિત થયા છે. ડાયસ્પોરા લેખકોમાં તેમનું સ્થાન આગવું અને વિશિષ્ટ છે, તેમના નિબંધ સંગ્રહો ‘થેમ્સ નદીને કાંઠે’, ‘મીઠી સ્મૃતિઓની જુદી જ દુનિયા’, ‘દરિયાપારની દાસ્તાન’ તથા ‘વણખેડ્યો પ્રદેશ દરિયાપારનો’ વાચકોના પ્રેમને પામ્યા છે. આ નિબંધ સંગ્રહોમાં તેમનું ડાયસ્પોરિક વ્યક્તિત્વ અને વિચારધારા ઝળકે છે. આ ચાર નિબંધસંગ્રહોમાંથી પસંદગીના નિબંધોનું આસ્વાદમૂલક મૂલ્યાંકન કરીને તેનુ સંપાદન શ્રી બળવંતભાઈ જાનીએ કર્યું છે. પ્રસ્તુત નિબંધ એ જ સંપાદનમાંથી લેવામાં આવ્યો છે જેમાં લેખક ભારતીય લેખકોના અંગ્રેજી પુસ્તકો વિશે વાત કરે છે, એ લેખકોની ક્ષમતાઓ અને તેમની પ્રસિદ્ધીની વાત તેઓ અહીં જણાવે છે. પ્રસ્તુત નિબંધ અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી બદલ શ્રી રજનીકાંતભાઈ તથા ડૉ. બળવંતભાઈનો આભાર.


બક્ષીબાબુના વિચારવલોણાં… 19

ગત અઠવાડીયે એક અનોખું સંકલન હાથમાં આવ્યું, અમદાવાદના શ્રી નાથાલાલ ર. દેવાણી દ્વારા કરાયેલ આ સંકલન જાણે ડાયરીમાં જેમ ગમતી વસ્તુઓ નોંધીએ તે જ રીતે ધૂમકેતુ, ગુણવંત શાહ, સુરેશ દલાલ, કુન્દનિકા કાપડીયા, કાંતિ ભટ્ટ, ચંદ્રકાંત બક્ષી, શાહબુદ્દીન રાઠોડ અને વજુ કોટકના પુસ્તકોમાંથી ચૂંટીને પોતાના હસ્તાક્ષરોમાં મૂક્યું છે. તેમના હસ્તાક્ષરો કોઈ પ્રિન્ટને ટક્કર મારે એવા અનોખા અને મનમોહક છે. નાથાલાલભાઈના પ્રસ્તુત સંકલનમાંથી શ્રી ચંદ્રકાંત બક્ષીના ત્રણ પુસ્તકો, આદાન, પ્રદાન અને અન્ડરલાઈનમાંથી તેમણે ચૂંટેલા – પસંદ કરેલા વિચારવલોણાઓ પ્રસ્તુત છે.


આંસુ ન બહા … ફરિયાદ ન કર…! (પ્રેરણા કથા) – હર્ષદ દવે 8

પ્રેરણાદાયક વાતો કાલ્પનીક નથી હોતી, લોકોએ જીવનમાં કરેલા સંઘર્ષ અને વિષમ પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવાની સત્યઘટનાઓ નકારાત્મક બાબતો કરતા ક્યાંય વધારે સંખ્યામાં મળી આવે છે, જરૂરત છે ફક્ત એવા લોકોની જીવન પ્રત્યેની સમજ અને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમતને સાચા અર્થમાં સમજવાની. એક ઈ-મેલ પરથી શબ્દાંતરીત કરીને શ્રી હર્ષદભાઈ દવેએ પ્રસ્તુત સુંદર અને પ્રેરણાદાયક લેખ અક્ષરનાદને પાઠવ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


માનવસંબંધો… – હર્ષદ જોશી 13

હર્ષદભાઈ જોશીનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે. સંબંધો વિશે ખૂબ વિગતવાર અને લંબાણપૂર્વક તેમણે લેખન કર્યું છે અને અક્ષરનાદને પાઠવ્યું છે, એ સમગ્ર રચનામાંથી શરૂઆતનો થોડોક ભાગ અત્રે અહીં પ્રસ્તુત કર્યો છે. ગઈ કાલે વૃદ્ધ અને બાળકના સંબંધ વિશે આપણે લેખ જોયો ત્યારે આજે સંબંધોને એક બૃહદ પરીપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરીએ. શ્રી હર્ષદભાઈ જોશીનો અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


બાળક અને વૃદ્ધ – કલ્યાણી વ્યાસ 11

બાળપણ અને વૃદ્ધત્વ, જીવનના બે એવા ભિન્ન સીમાચિહ્નો જે ખૂબ અલગ હોવા છતાં સમાન ભાસે છે, એકમેકને પૂરક હોય એમ અનુભવાય છે. આ જ બાળપણ અને વૃદ્ધત્વની વાત લઈને કલ્યાણીબેન વ્યાસ આજે આપણી સમક્ષ એ બંનેની સમરૂપતા વિશેના સુંદર ભાવનાત્મક વિચારો પ્રસ્તુત કરે છે. બાળકમાં એક વૃદ્ધની તન્મયતા અને આનંદ તથા એ જ વૃદ્ધ પ્રત્યેનો એક નાનકડા બાળકનો કાલોઘેલો સ્નેહ – એ બંને અનોખી વાતોના સંગમને લઈ તેઓ આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કલ્યાણીબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


નિત્ય વસંત… (એક અનોખો પ્રેમપત્ર) – હરિન્દ્ર દવે 9

આજની યુવાપેઢી માટે પ્રેમપત્રો હવે જાણે વીતેલા યુગની નિશાની હોય એવું વાતાવરણ સર્જાયું છે, મોબાઈલ, ઈન્ટરનેટ અને ઝડપી પરિવહનના આ યુગને કારણે પ્રેમીઓ વચ્ચેના અંતર સમૂગળુ મટી ગયું હોય એમ અનુભવાય છે, પરંતુ હજુ હમણાં જ વીતી ગયેલા સમયમાં પ્રેમપત્ર એક અગત્યની મૂડી હતી, એ લખીને પ્રિયપાત્રને પહોંચાડવાની સમગ્ર ઘટના હૈયાના ધબકારની ગતિને અનેકગણી વધારતી તો તેનો ઉત્તર અને પ્રત્યુત્તર પણ એવા જ વમળો હૈયામાં પ્રસરાવતાં. વિરહ થયો છે એવા પ્રિયપાત્રને વર્ષો પછી ફરી મળવાનું થયું ત્યારે તેમને પત્ર લખ્યો હોય એ પ્રકારની પ્રસ્તુતિમાં આ કૃતિ લખાઈ છે. શ્રી હરિન્દ્ર દવેની કલમની સુંદરતા તો એમાં પ્રગટે જ છે, એક પ્રેમી હ્રદયની વાત પણ અહીં સુપેરે કહેવાઈ છે. સમર્પણ સામયિકના ૧૭ નવેમ્બર ૧૯૬૩ના અંકમાંથી પ્રસ્તુત કૃતિ અહીં પ્રસ્તુત કરાઈ છે.


૨૪ ઓગસ્ટ : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ – હર્ષદ દવે 8

૨૪મી ઓગસ્ટનો દિવસ કયા કારણે વિશેષ છે? યાદ ન આવે તો કહી દઉં, એ આપણા શ્રી નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મદિવસ છે, આશા છે આપને હવે તો ખ્યાલ આવ્યો હશે કે હું કવિ નર્મદની વાત કરી રહ્યો છું જેમનો ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના દિવસે સૂરતમાં જન્મ થયો હતો. આ જ દિવસને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવે છે. અંધવિશ્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાનો એ સમયે પણ વિરોધ કરનાર નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા. એક રાષ્ટ્ર, સ્વરાજ અને રાષ્ટ્રભાષા વિશે ગાંધીજી અને નહેરૂથી પાંચ સદી પહેલા વિચાર મૂકનાર નર્મદ સમયથી ઘણા આગળ હતા. વિશ્વ ગુજરાતી ભાષા દિવસને તેમની સાથે સાંકળીને ભાષાનું ગૌરવ જ વધ્યું છે. આવતીકાલે વિશ્વભરના ગુજરાતીઓ આ દિવસને તેના સાચા અર્થમાં ઉજવે એ જ આશા સાથે શ્રી હર્ષદભાઈ દવે દ્વારા પ્રસ્તુત છે ગુજરાતી ભાષાની આજ અને આવતીકાલ વિશે કેટલીક વાતો. હર્ષદભાઈનો અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.


દરિયાકિનારે – વાડીલાલ ડગલી 5

‘શિયાળાની સવારનો તડકો’ જેવો નિબંધ સંગ્રહ, ‘સહજ’ જેવો કાવ્યસંગ્રહ, ‘કવિતા ભણી’ જેવો સાહિત્યનિબંધ સંગ્રહ અને ‘થોડા જોવા જેવા જીવ’ જેવો ચરિત્ર નિબંધ સંગ્રહ વગેરે પુસ્તકો આપ્યાં. શિકાગો યુનિવર્સિટીની પુસ્તિકા પ્રવૃત્તિ જોઈને પ્રેરણા પામીને શરૂ કરેલી પરિચય પુસ્તિકા પ્રવૃત્તિના તેઓ આદ્ય સંપાદક હતાં. પ્રસ્તુત નિબંધ ‘શિયાળાની સવારનો તડકો’માંથી લેવામાં આવ્યો છે, દરિયા વિશે મને સતત અને સદાય અનેરૂ આકર્ષણ રહ્યું છે, દરિયા વિશેની અનેક વાતો – ભાવનાઓ – સ્પંદનો – વિચારો અને અનુભવોને શ્રી વાડીલાલ ડગલી પ્રસ્તુત લેખમાં સહજ રીતે મૂકી આપે છે.


જનરેશન ગેપ (વૃધ્ધ મા-બાપ અને યુવાન પુત્ર-પુત્રીઓ) – પી. કે. દાવડા 7

આ વિષય આજે પણ પ્રાસંગિક છે. આપણે આસરે અર્ધી સદી થી જનરેશન ગેપની વાતો કરતા આવ્યા છીએ પણ તેની ખરી અસર અત્યારે જોવા મળે છે. ગેપ વધે છે અને વધારે ઝડપથી વધતો જાય છે. એના અનેક કારણો છે, માનવ જાતીની ઝડપી પ્રગતિ આમાનું એક મુખ્ય કારણ છે. દરેક પેઢી તે સમયમા વર્તમાન સમાજની નકલ કરે છે, થોડી દલીલો અને થોડી તાણ અનુભવ્યા પછી તેમના જીવન દરમ્યાન થયેલા સામાજીક ફેરફારોને અપનાવી લઈ અને તે આવતી પેઢીને વારસામા આપે છે. આ વિષય પર લખવાનું કારણ એક જ છે અને તે કે આ વિષય આપણા બધાને લાગુ પડે છે. આનું નિરાકરણ આપણે સૌએ ભેગા મળીને કરવાનું છે, a common problem needs a common solution.


(આમ જુઓ તો…) દુર્યોધન સત્ય છે…. – હાર્દિક યાજ્ઞિક 31

વાર્તા હોય, પદ્યરચના હોય કે ચિંતનલેખ – દર વખતે કાંઈક નવું પીરસવાની ટેવવાળા હાર્દિકભાઈ આ વખતે દુર્યોધનનો પક્ષ આપણી સમક્ષ મૂકે છે અને એક નકારાત્મક પ્રતિભા સ્વરૂપે ચીતરાયેલા માણસમાં ભંડારાયેલી હકારાત્મકતાને અને તેની સાથે થયેલ અન્યાનને આલેખવાનો સહજ પ્રયત્ન તેઓ કરે છે. આ પ્રયત્ન આજના વકીલો જેવો – ફક્ત દલીલ કરવા કે કેસ જીતવા પૂરતો નથી, પરંતુ લેખની સાથે સાથે એ વાતો ગળે ઉતરે એ રીતે સમજાવવાનો તેમનો યત્ન પણ અનોખો થઈ રહે છે. આવા સુંદર વૃતાંત અને વિચાર બદલ હાર્દિકભાઈને અભિનંદન.


હરીની હાટડીએ મારે… – પિંગળશી ગઢવી, આસ્વાદ : જીજ્ઞેશ અધ્યારૂ 14

શ્રી પિંગળશી ગઢવીની આ રચના આપણા ગામઠી સમાજની ભાષામાં સહજ રીતે શ્રદ્ધાનો વિસ્તાર દર્શાવતી અનોખી કૃતિ છે. વિચારતા લાગ્યું કે કવિ કેવી સરળ રીતે ઈશ્વર સાથેના સતત સંસર્ગને, તેના પરની શ્રદ્ધાને વર્ણવી જાય છે? ઈશ્વરને ભજવામાં, તેને સ્મરવામાં કોઈ બંધન હોતા નથી, પછી તે સમયના હોય, સ્થળના હોય કે ઈશ્વરસ્મરણની રીતના હોય. અમારી કાઠીયાવાડી ભાષાનો શબ્દ હટાણું, જેનો અર્થ થાય છે બજારકામ અથવા ખરીદી અને હાટડી એટલે ગુજરી બજારમાંની નાનકડી દુકાન. અહીં કવિ આ શબ્દોને ઈશ્વર સાથે કેવી રીતે સાંકળી લે છે? તેઓ કહે છે કે હરીની હાટડીએ તેમને કાયમ ખરીદી કરવા જવાનું હોય છે. હરિ તે કંઈ દુકાન ખોલીને બેઠા છે, ત્યાં તે કાંઈ ખરીદી હોતી હશે? હરીની હાટડીએ હટાણું કરવા જઈએ અને ભક્તિ – શ્રદ્ધા – આસ્થા – સમર્પણ – ત્યાગ જેવુ નાણું નથી એ ગ્રાહક આવી મહાન હાટડીએથી પણ ખાલી હાથે જ પાછો ફરે છે.


હું અંધકાર : એક રહસ્ય – ગોપાલ સહર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 5

શ્રી ગોપાલ સહર ભીલવાડા, રાજસ્થાનના વતની છે, સુખડીયા વિશ્વવિદ્યાલય ઉદયપુરથી એમ.એ અને પીએચ.ડી કર્યા પછી તેઓ કપડવંજની શાહ કે. એસ. આર્ટ્સ અને વી. એમ. પારેખ કોમર્સ કોલેજમાં આચાર્ય છે. જેમ મૃત્યુ જીવનને પ્રતિષ્ઠિત કરે છે તેમ અંધકાર પ્રકાશને – શ્રી ગોપાલ સહર તેમના પુસ્તક “अंधेरे में चुपके से चांद” દ્વારા અંધકારનો પક્ષ મૂકે છે, પરંતુ એ તો ફક્ત પુસ્તકનો બાહ્ય પરિચય છે, આ પુસ્તક દ્વારા તેઓ માનવીય સંવેદના, સ્મૃતિ અને સ્વપ્નોને પ્રતિષ્ઠાપિત કરે છે. સર્જનના ક્ષેત્રમાં અભિવ્યક્તિનું આ અનોખું સ્વરૂપ છે તો એક ગદ્ય કવિતા તરીકે પણ શ્રી ગોપાલ સહરની પ્રસ્તુત રચનાઓનું સ્વાગત થવું જોઈએ. અક્ષરનાદને પ્રસ્તુત પુસ્તક ભેટ આપવા બદલ અને આ રચનાઓનો અનુવાદ કરી પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


પરમાત્માની ભક્તિનું સાચુ સ્વરૂપ – વિનોદ માછી 2

ઘણા લોકો કહે છે કેઃ પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે તેથી તેમને જોઇ શકાતા નથી, પરંતુ આ વાત ઉચિત નથી.જેમ સાકાર શરીરમાં નિરાકાર તાવ થર્મોમીટરની આંખથી જોઇ શકાય છે, ન્યૂમોનિયા સ્ટેથોસ્કોપની આંખથી જોઇ શકાય છે..તેવી જ રીતે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ જ્ઞાનથી કણ કણમાં પ્રભુ-૫રમાત્માને જોઇ શકાય છે. જોયા બાદ જ મનમાંની તમામ શંકાઓ સમાપ્તવ થાય છે અને વિશ્વાસ ઉત્પન્ન થઇ પ્રેમ પેદા થાય છે. શંકા અને અવિશ્વાસ પ્રેમના શત્રુઓ છે.તેના રહેતાં પ્રેમ સંભવ નથી.શંકા અને અવિશ્વાસની સમાપ્તિે પ્રભુ દર્શનથી જ થાય છે.પ્રભુના વિશેની શંકાઓ દૂર થતાં વિશ્વાસ વધવા લાગે છે અને પછી પ્રેમના શ્રીગણેશ થાય છે. આ પ્રેમ જ પ્રગાઢ બની ભક્તિ બને છે અને આ ભક્તિ દ્વારા જ માનવ પોતાના લક્ષ્ય્ને પ્રાપ્તક કરી લે છે.આનાથી સિધ્ધ થાય છે કેઃભક્તિનો આધારસ્તંભ સદગુરૂ જ છે.


કવિનું જાહેરનામું – ઉશનસ 1

એક કવિનું ગદ્ય પણ કવિતાસમું સુંદર અને મનોહર હોઈ શકે છે એ વાત પ્રસ્તુત કૃતિને વાંચતા જ સાબિત થઈ જાય છે, એ ગદ્ય હોય આપણા સિદ્ધહસ્ત કવિ શ્રી ઉશનસનું સર્જન જેનું માળખું કવિતાને લગતું હોય, વળી પાછો તેનો વિષય હોય એક કવિનું જાહેરનામું – તો તેની સુઘડતા, વિષય સંગતતા અને સુંદરતા વિશે કહેવુ જ શું? એક કવિ વિશ્વને પોતાનું જાહેરનામું સંભળાવે છે, તેની ઈચ્છાઓ અને આકાંક્ષાઓનું એ મૂર્ત સ્વરૂપ છે તો તેમાં કવિની સર્જન પ્રત્યેની સંતૃપ્તતા પણ સુપેરે ઝળકે છે.


માતાનું ઋણ – સુરેશ દલાલ 18

આદરણીય શ્રી મફતકાકાએ તેમના દિવંગત માતુશ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતાને અંજલિ આપવા યોજેલ કાર્યક્રમમાં પૂજ્ય મોરારિબાપુના સાન્નિધ્યમાં શ્રી.હરીન્દ્ર દવે, શ્રી.સુરેશ દલાલ અને શ્રી.ગુણવંત શાહે આપેલ વકતવ્યમાંથી આજે પ્રસ્તુત છે શ્રી સુરેશ દલાલનું ‘મા’ વિશેનું સુંદર વક્તવ્ય.


બાળકોમાં શિક્ષણ દ્વારા સંસ્કાર – પી. કે. દાવડા 11

શ્રી પી. કે. દાવડા એક રીટાયર્ડ સીવિલ એંજીનીયર છે અને હાલમા અમેરિકાના કેલીફોર્નિયામાં ફ્રીમોન્ટમાં રહે છે. ૭૬ વર્ષની ઉંમર હોવા છતાં અભિવ્યક્તિની તેમની ધગશને લઈને તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી લખે છે. અક્ષરનાદ પર આ તેમનો પ્રથમ લેખ છે, છેલ્લા થોડાક વર્ષોના લેખનના મહાવરાએ તેમની કલમને ઔદાર્ય મળ્યું છે જે તેમના પ્રસ્તુત લેખમાંથી સુપેરે અભિવ્યક્ત થાય છે. શિક્ષણ પદ્ધતિના બદલાવના મૂળમાં રહેલ ખૂબ સામાન્ય પરંતુ અગત્યના ફેરફારો તેમણે સાવ બાળસહજ અને જાણીતા ઉદાહરણ દ્વારા સમજાવ્યા છે. ગુજરાતી ભાષાના શિક્ષણથી મળતી માટીની સુગંધ અંગ્રેજીના વ્યાપક પ્રભાવને લઈને નામશેષ – લુપ્ત થઈ રહી છે એ વાતની પ્રતીતી તેમના આ લેખને વાંચ્યા પછી, થયા વગર રહેતી નથી. આવો સુંદર લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી દાવડા સાહેબનો આભાર અને અનેક શુભકામનાઓ.


ભજનયોગ (ભાગ ૨) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ)

આજે આપના ડાઊનલોડ માટે પ્રસ્તુત છે ‘ભજનયોગ’ પુસ્તકનો બીજો ભાગ. ‘ભજનયોગ’, એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે. અક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.


પત્રકારની કબર ઉપર – ઝવેરચંદ મેઘાણી 6

‘ઘણી સહેલાઈથી એ પૈસાદાર બની શક્યો હોત ! પોતાના અખબારનું ધોરણ જરીક નીચું ઉતારે એટલી જ વાર હતી, પરંતુ એ લાલચની સામે થવા જેટલીય જરૂર એને નહોતી પડી; કેમકે ધક્કો મારીને કાઢવો પડે તેટલો એની નજીક જ એ કમાવાનો વિચાર નહિં આવેલો ને ! સળગતી પ્રામાણિકતાને સેવનારો એ માનવ હતો એટલું કહેવું બસ નથી. એનામાં તો ઈજ્જતની વીરતા હતી.’ જેઓની મૃત્યુખાંભી ઉપર બેધડક આટલી પંક્તિઓ લખી શકીએ, એવા પુરુષો આજની અખબારી દુનિયામાં ક્યાં છે? કેટલાક છે ? થઈ ગયા છે કોઈ?


Read Free Gujarati Ebook Bhajanyog by Suresh Dalal

ભજનયોગ (ભાગ ૧) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 6

પ્રસ્તુત પુસ્તક ‘ભજનયોગ’, એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે. અક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.