સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ચિંતન નિબંધ


ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન – યોગેશ વૈદ્ય 13

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન તા. ૨૪-૨૫-૨૬ ડિસેમ્બરે યોજાઈ ગયું. નિસ્યંદન સામયિકના સંપાદક અને કવિમિત્ર યોગેશભાઈ તેમાં ભાગ લેવા આણંદ પહોંચ્યા હતા. આ અધિવેશનના આયોજન પ્રત્યે ઉદાસીનતા અને પાંખી હાજરી જેવા કારણોને લીધે તેમને મનમાં ખૂંચતી કેફિયત તેઓ અહીં રજૂ કરી રહ્યા છે. શાની છે આ ઉદાસીનતા? આ અભિગમ આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે ? આવા તો અનેક પ્રશ્નો તેમના મનમાં અનુત્તર રહી જવા પામ્યા છે, પ્રયત્ન કરીએ આપણી રીતે તેના ઉત્તર આપણી પોતાની જાતને આપવાનો… નિસ્યંદનના સંપાદકીય તરીકે લખાયેલ પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


અસ્તિત્વ બચાવો… બેટી બચાવો… – હર્ષદ દવે 9

સ્ત્રી ભૃણહત્યા એવો વિષય છે જેના વિશે અનેક વખત લખાયું છે, લખાયું તેના એક ટકા જેટલું પણ સમાજ દ્વારા ભાગ્યે જ અનુસરાયું છે, મોટી ગુલબાંગો અને વાતો છતાં આજે પણ, અત્યારે પણ ક્યાંક ભૃણહત્યા થઈ જ રહી હશે, અને એ પણ ભૃણના માદા હોવાના કારણે… હર્ષદભાઈનો લેખ આપણા સંકુચિત અને વિકૃત સમાજની આ જ બદી સામે લખાયેલો છે અને અક્ષરનાદ આવી કૃતિઓ પ્રસિદ્ધ કરીને ખરેખર ગર્વ અનુભવે છે, એકાદ પણ ભૃણ જો આ આખીય વેબસાઈટના બધાંય પ્રયત્નોને લીધે બચી શક્યું હોય – બચી શકે તો તેથી વધુ શું હોઈ શકે? આશા રાખીએ કે આવા અનેક લેખો એકાદ વિકૃત અને ભૃણ હત્યા કરવા તત્પર માનસીકતાને બદલવામાં ભાગ ભજવી શકે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


વહેમોથી વીંટળાયેલું વિશ્વ – વંદિતા દવે 8

આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને બિલાડી આડી ઉતરે તો આપણા પગ ચાલતા થંભી જશે, ઘરની બહાર નીકળતા હોઈએ અને છીંક આવે એટલે પણ થોડીવાર માટે અટકી જઈએ. અમુક અગત્યના કામે જતા હોઈએ અને સામું કોણ મળે એ પરથી જ પરિણામની અટકળ કરી લઈએ. અમુકવાર અમુક રંગના કપડાં જ પહેરાય, દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજે લીંબુ-મરચાં લટકાવાય, ક્યાંક કામે જતા હોઈએ અને કોઈક પાછળથી ટોકે તો કામ પૂરું ન થાય, બહાર જતી વેળા ચા નાસ્તાની વાત અવાણી ન શકાય…. આવી માનસિકતાને શું કહેવાય?


સાંખ્યદર્શન અને હિગ્ઝ બોઝોન – ભવસુખ શિલુ 1

હમણાં દુનિયામાં હિગ્ઝ બોઝોનની અસરો નોંધવાની સફળતા મળી. બ્રહ્માંડના સર્જન પાછળનું રહસ્ય શોધવા જતાં એક સ્ટાન્ડર્ડ મૉડલ તરીકે ઓળખાતી બિગ-બેંગ થિયરીને મોટાભાગના વિજ્ઞાનીઓએ માન્યતા આપી જેમાં… બ્રહ્માંડ એક વખત અત્યંત સૂક્ષ્મ, ઘટ્ટ અને ગરમ હતું, ત્યારે એક અત્યંત વૈશ્વિક મહાવિસ્ફોટ (Cosmic Explosion) થયો જેને બિગ-બેંગ કહેવામાં આવે છે. આ ઘટના ૧૩.૭ અબજ (અબજ એટલે એકડા પર નવ મીંડા સમજવા) વર્ષ પહેલા બની હોવાનું અનુમાન છે. બિગબેંગ થિયરીનું સ્ટાન્ડર્ડ મૉડેલ અને હમણાં જેનું અસ્તિત્વ શોધાયું તેને હિગ્ઝબોઝોન એટલે કે God’s particle કહે છે. આપણે બ્રહ્માંડની રચનાના આ રહસ્યને સાંખ્યદર્શનમાં વર્ણવેલી થિયરી સાથે તપાસીશું. સાંખ્યદર્શનની રચના સમયે અદ્યતન ટૅલિસ્કોપ કે માઈક્રોસ્કોપ જેવા સાધનો કે વાતાનુકૂલિત પ્રયોગશાળાઓ નહોતી છતાં ઘણાં રહસ્યો ઉકેલ્યા હોવાનું માનવામાં વાંધાસરખું નથી. વળી અહીં ભારતીય જ્ઞાનની મહાનતા કે Pseudo Scientific Theory આપવાનો પ્રયત્ન નથી પણ એક જ દિશામાં સમાંતર વિચારો સરળતાથી જાણી શકાય એવો પ્રયાસ છે. ભૂમિપુત્ર સપ્ટેમ્બર ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ આ લેખ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ભવસુખભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


શાશ્વતની શોધ.. – કર્દમ આચાર્ય 2

અસ્તિત્વદર્શન એક વિચારપત્ર છે, ચિંતનાત્મક દાર્શનિક પત્રિકા. પ્રાચીન – અર્વાચીન એવા તત્વજ્ઞાનોને એક આગવી રીતે જોવાની દ્રષ્ટિ તો અહીં અભિપ્રેત છે જ, ઉપરાંત જીવનને સ્પર્શતી બાબતોને એક દાર્શનિકના દ્રષ્ટિકોણથી જોવાની કલા હસ્તગત કરવાનો એક પ્રયત્ન છે. આદર્શવાદ અને વ્યવહારવાદની સમજ સાથે આદર્શ વાસ્તવવાદ તરફ ઈંગિત કરતી કર્દમ આચાર્યની પ્રતિભાસ વિચારણા આજે અહીં પ્રસ્તુત કરી છે. આદર્શવાદ – idealism અને વ્યવહારવાદ – practicalism એ બંને શબ્દોના અર્થમાં ઉંડા ઉતરીને ideal practicalism અથવા આદર્શની શક્ય એટલું નજીક રહેલી વાસ્તવિકતા વિશેના વિચારની તાત્વિક વિચારસરણી અહીં પ્રસ્તુત થઈ છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાની પરવાનગી બદલ ‘અસ્તિત્વદર્શન’ નો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


પરમ તેજે… – ભવસુખ શિલુ (ઈ-પુસ્તક ડાઊનલોડ) 3

આજે પ્રસ્તુત છે શ્રી ભવસુખભાઈ શિલુ દ્વારા સંકલન અને રચના પામેલ ઈ-પુસ્તક ‘પરમ તેજે…’ પ્રસ્તુત પુસ્તકમાં ભવસુખભાઈ વિશ્વની રચના, પ્રકૃતિ અને પુરુષ, સજીવસૃષ્ટિ, ધર્મ અને સમાજ, વર્ણવ્યવસ્થા અને સત્વ, રજસ, તમસ, સનાતન ધર્મ, માનવસમાજ અને હિન્દુ ધર્મ, સાંપ્રત વિશ્વ અને મધ્યમમાર્ગ જેવા વિષયોને આવરી લઈને વિગતે ચર્ચા કરે છે. આ સુંદર, મર્મસભર અને અનેકવિધ વિષયોની વિગતે ચર્ચા કરતું પુસ્તક ઈ સ્વરૂપે પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ ભવસુખભાઈનો ખૂબ ખૂબ આભાર તથા પુસ્તક માટે શુભકામનાઓ. અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાંથી એક ક્લિકે તદ્દન નિઃશુલ્ક મેળવો ઈ-પુસ્તક ‘પરમ તેજે…’


આદર, સ્વમાન અને અણગમતા લોકો માટે માન.. – અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 11

માનલ ઘોંસેનના બ્લોગ વનવિથનાવ નો હું નિયમિત વાચક છું, અને તેમના લેખના સ્તર તથા ઉપયોગિતાને જોતાં તેનો વધુ પ્રચાર અને ફેલાવો થાય એવી અપેક્ષા છે. ગુજરાતીમાં આ પહેલા પણ તેમના એક લેખનો અનુવાદ કરી ચૂક્યો છું, માનલ અક્ષરનાદ પરના આ અનુવાદો અંગે ઈ-મેલ દ્વારા કહે છે, “This is the best way to spread empowering thoughts and ideas to the world.” આજે તેમના બે લેખના મૂળ સત્વને લઈને એક વિચારમંથનનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ લેખ આદર વિશેનો છે અને બીજો લેખ છે સ્વકેન્દ્રી, નિર્દય, ખીજ કે ઉશ્કેરણી કરે તેવા લોકો માટે પણ અણગમો વ્યક્ત થવા ન દઈને આદર જાળવી રાખવા વિશે. બંને લેખોનું આ શબ્દશઃ ભાષાંતર નથી, પણ તેના વિચારોનો પડઘો પાડવાનો પ્રયત્ન છે. આશા છે વાચકમિત્રોને ગમશે.


ગુજરાતી ભાષાનું ભવિષ્ય.. એક ચિંતન – દિદાર હેમાણી 33

શ્રી દિદારભાઈ હેમાણી મહારાષ્ટ્રના સતારા જીલ્લામાં આવેલ પ્રખ્યાત એવા પંચગનિમાં આવેલ ન્યૂ એરા હાઈસ્કુલમાં શિક્ષક છે. વર્ષ ૨૦૦૮માં બૃહદ મુબઈ ગુજરાતી સમાજ અને મુંબઈ સમાચારના ઉપક્રમે યોજાયેલી વિશ્વસ્તરીય નિબંધ હરીફાઈમાં આયોજકોને લગભગ આઠસોથી વધુ કૃતિઓ પ્રાપ્ત થઈ હતી. તેમાંથી ઉપરોક્ત કૃતિ પાંચમા સ્થાને આવી હતી અને તેને પ્રશસ્તિપત્ર સાથે રૂ. ૧૦૦૦નું રોકડ ઈનામ અપાયું હતું. ઉપરોક્ત લેખમાં લેખક ભાષાની આજની પરિસ્થિતિ વિશે પોતાનું મનોમંથન મૂકે છે અને તેને લક્ષ્યમાં રાખીને ભાષાના ભવિષ્ય વિશે વિચાર કરે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ દિદારભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


માદા ભૃણહત્યા : એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં.. – ભવસુખ શિલુ 8

આખાય ભારત દેશમાં અને વિદેશોમાં વસતા ભારતીય કુટુંબો એક એવા પૂર્વગ્રહથી ખાસ પીડિત છે કે દરેક દંપતિને કમસે કમ એક પુરુષ સંતાન (દીકરો) હોવું જ જોઈએ. એક બાબો અને એક બેબી હોય તે સૌની સામાન્ય પસંદગી હોય છે. વળી તેમાં કેટલાક દંપતિઓ એક બાબો તો હોવો જ જોઈએ તેવી દૃઢ માન્યતામાં રૂઢ થયેલા હોય છે. આ ધાર્મિક માન્યતા છે, અહીં ગરીબ – તવગંર – શિક્ષિત – અભણ નો કોઈ ભેદ નથી. વળી આમાં પ્રાચીન અર્વાચીન વલણો મિશ્રિત થયા છે. એક તો મોટો પૂર્વગ્રહ પોતાનો વંશવારસ જાળવી રાખવા માટે એક પુત્ર અનિવાર્ય પણે જરૂરી છે, જે પિંડદાન કરે અને કુળના વારસાઈ ગુણો જાળવી રાખે. અર્વાચીન વલણ પ્રમાણે નાનું કુટુંબ હોય તો આર્થિક વિકાસ ઝડપી બને છે, અને વળી પાછા તમે જ્યારે બિઝનેસ મેનેજમેન્ટના ખર્ચાળ પાસાંઓનો અભ્યાસ કર્યો હોય ત્યારે તો દીકરી ઉછેરી મોટી કરવી, ભણાવી, ગણાવી, દહેજ આપી, લગ્ન કરાવી પારકે ઘરે મોકલી દેવાની અને જીવનભર ભેટ સોગાદો આપ્યા કરવાનો ‘આર્થિક બોજ’ ખૂબ વસમો ન લાગે. આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી પર થતા અત્યાચારો અને અમાનવીય વલણો વિષે ઐતિહાસિક સંદર્ભ તપાસવાનો એક પ્રયત્ન અહીં કર્યો છે. જેમાં ભૂતકાળની વાતોમાં કલ્પના અને તર્ક લડાવ્યો છે. પુરાવા શોધવાનું કામ સમાજ પર છોડી દીધું છે. અક્ષરનાદને આ મહત્વના સામાજિક મુદ્દા વિશે પોતાનો દ્રષ્ટિકોણ અને મંતવ્યો આપવા અને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ ભવસુખભાઈ શિલુનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ગુજરાતી કવિતાની સામાજિક નિસ્બત – યોગેશ વૈદ્ય 6

ગુજરાતી પદ્યને પ્રસ્તુત કરતા ઈ-સામયિક નિસ્યંદનના તંત્રી-સંપાદક શ્રી યોગેશભાઈ વૈદ્ય તેમના ઓક્ટોબર ૨૦૧૩ના સંપાદકીયમાં ગુજરાતી કવિતાની સામાજીક નિસ્બત વિશે આછેરો વિચાર વહેતો મૂકે છે. તેઓ આપણી કાવ્યધરોહરના વિવિધ તબક્કાઓ અને તેનો વંશવિસ્તાર પણ પ્રસ્તુત કરે છે અને સૌને આપણી કવિતાઓની મૂળભૂત નિસ્બત વિશે વિચારતા કરે છે. પ્રસ્તુત વિચારવલોણું અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી યોગેશભાઈનો આભાર તથા શુભકામનાઓ.


ક્યાં છે ?….સભ્યતા, સંસ્કૃતિ, સંસ્કાર અને માતૃપ્રેમ – નિલેશ હિંગુ 20

મારી સાથે પિપાવવ શિપયાર્ડમાં કાર્ય કરતા નિલેશભાઈ હિઁગુની આ અક્ષરનાદ પર પ્રથમ રચના છે. અને અહીં તેઓ સ્ત્રી સન્માન, સભ્યતા અને સંસ્કૃતિની આજની વણસતી જતી હાલત પર ચિઁતન પ્રસ્તુત કરે છે. એન્જીનીયરીંગ વ્યવસાયીની કલમનો આ સ્વાદ આપ સૌને ગમશે એવી આશા સાથે શ્રી નિલેશભાઈને શુભકામનાઓ તથા આભાર.


વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ (ઈ-પુસ્તક ડાઊનલોડ) 3

“વિશ્વશાંતિની ગુરુકિલ્લી” ઈ-પુસ્તક મૂળ પુસ્તકની જેમ જ શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા અપાયેલા ચાર અદભુત વ્યાખ્યાનોનો સંગ્રહ છે. શ્રી મોહનભાઈ દાંડીકર અને શ્રી પ્રવીણભાઈ શાહ દ્વારા સંપાદિત આ પુસ્તક બાળવિજ્ઞાન અને શિક્ષણની દિવાદાંડી છે. પ્રસ્તુત વ્યાખ્યાનો શ્રી દર્શકની એક નિખાલસ અને સ્પષ્ટવક્તા તરીકેની છાપને સુદ્રઢ કરે છે તો તેમના બાળશિક્ષણ અને યુવાસશક્તિકરણ વિશેના વિચારો પોતાનામાં જ સ્વયંસ્પષ્ટ રીતે જરૂરી દિશાનિર્દેશો કરે છે. પ્રસ્તુત પુસ્તક અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાના કૉપીરાઈટ્સ આપવા બદલ શ્રી રામચંદ્ર પંચોલીનો ખૂબ ખૂબ આભાર.


શૈશવથી શબ્દ સુધી.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક 20

આપણું પોતાનું કહી શકાય એવું અત્યારે શું છે? તમે કહેશો ઘર, ઘરમાં ટીવી, ફ્રિજ, એ.સી, ગાડી, બેંક બેલેન્સ, ઘરેણાં…. પણ શું એ ખરેખર તમારું છે? યાદ અને એમાંય શૈશવની યાદથી વધુ આહ્લાદક આપણું શું હોઈ શકે? હાર્દિકભાઈ યાજ્ઞિક આજે દરેકનાં હકીકતમાં પોતાનાં એવા ‘સંસ્મરણો’ લઈને આવ્યા છે. જાણે બાળપણની એક ‘ટાઈમ મશીન’ નાનકડી સફર. તો શૈશવને શબ્દોમાં મઢવાનો તેમનો પ્રયાસ માણીએ. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો આભાર તથા અનેક શુભકામનાઓ.


જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૩) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી 10

શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો ત્રીજો ભાગ.


પ્રેરણાનાં પુષ્પો – હર્ષદ જોષી 3

જીવનના અનુભવોને વિચારોની એરણે ચડાવી પ્રાપ્ત થતા વિચારપ્રવાહને એક માર્ગે વાળી, ‘પ્રેરણાનાં પુષ્પો’ એ શીર્ષક હેઠળ શ્રી હર્ષદભાઈ જોષીએ પુસ્તકમાં પ્રસ્તુત કર્યા છે. પ્રસ્તુત બે ચિંતન નિબંધો પણ એ જ પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. પુસ્તક અક્ષરનાદને મોકલવા બદલ શ્રી હર્ષદભાઈનો આભાર તથા અનેક શુભેચ્છાઓ.


જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૨) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી 10

શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો બીજો ભાગ.


ઉનાળા વિશે… (ખલિલ જીબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપમાં) 11

પહેલેથી આપવામાં આવેલા – નિશ્ચિત કોઈક વિષયવિશેષને અનુલક્ષીને લખી હોય એ પ્રકારની આ મારી પ્રથમ કૃતિ છે. ખલિલ જિબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપે લખાયેલ ઉપરોક્ત ‘ગ્રીષ્મ’ વિશેષ કૃતિ થોડાક કટાક્ષ અને થોડાક ચિંતન સાથેની સંમિશ્રિત કૃતિ છે. ઉનાળો એ આપણી ત્રણ ઋતુઓમાંની એક એવી આગવી ઋતુ છે જેમાં ઋતુલક્ષી અનેક ફાયદા – ગેરફાયદાઓ નિહિત છે. આ જ વાતને ધ્યાનમાં લઈને આજના વગ્રની તે સમયના ‘પ્રૉફેટ’ સાથેની વાત અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક ભાષા ભદ્રંભદ્રીય પણ થઈ જતી લાગે એ શક્ય છે. આશા છે આપને ગમશે.


વિચારકણિકાઓ… – ધૂમકેતુ 6

ગુજરાતી સાહિત્યના નભોમંડળમાં સૂર્યશી આભા પ્રસરાવનાર ધૂમકેતુથી આપણું સાહિત્યજગત ઉજ્જવળ છે, 500થી વધુ ટૂંકી વાર્તાઓ, પચીસથી વધુ ઐતિહાસીક – સામાજીક નવલકથાઓ, ઉપરાંત નાટ્યલેખન અને સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ તેમનું નોંધપાત્ર સર્જન છે. ચિંતનકણિકાઓના તેમના ત્રણ પુસ્તકો ‘પદ્મરેણું’, ‘જલબિંદુ’ અને ‘રજકણ’ માંથી કેટલીક વિચારપ્રેરક ચિંતનકણિકાઓ અત્રે સંપાદિત કરી છે. આશા છે વાચકમિત્રોને આ પ્રેરક વાતો મમળાવવી ગમશે.


જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૧) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી 8

શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો પ્રથમ ભાગ.


ગુજરાતની સ્થાપના પ્રસંગે… – રવિશંકર મહારાજ 6

આજથી ત્રેપનવર્ષ પહેલા ગુજરાત રાજ્યના ઉદઘાટન પ્રસંગે શ્રી રવિશંકર મહારાજે વ્યક્ત કરેલી લાગણી, ગુજરાત પ્રત્યેની તેમની અપેક્ષાઓ અને લોકજીવનને વધુ સગવડભર્યું બનાવવાનું માર્ગદર્શન આપતા તેમણે કહ્યું છે, ‘સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધી પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધપક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પડવાથી જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રના તડા પાડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.’ આવા અનેક સુંદર વિચારો સાથે આજના દિવસે આ સંદેશ સમયસરનો બની રહેશે.


આખ્યાનનું હાર્દ – ઈશ્વર પેટલીકર 3

પ્રહલાદનું આખ્યાન નાનપણમાં સાંભળતાં મને એ સંસ્કાર પડેલા કે હિરણ્યકશિપુ પાપી છે અને પ્રહલાદ પુણ્યશાળી છે. આજે એ આખ્યાન ફરી વાંચતાં પ્રહલાદની ભક્તિનો મહિમા એટલો જ રહ્યો, પણ હિરણ્યકશિપુ પ્રત્યે જે ધિક્કાર હતો તે ચાલ્યો ગયો. એણે પુત્ર ઉપર આટલો બધો અત્યાચાર કેમ કર્યો, તેનો વિચાર કરતાં નને નવું દર્શન થયું. પ્રહલાદનું આખ્યાન પ્રથમ તો એ શીખવી જાય છે કે પિતાના ઇષ્ટધર્મ કરતાં પુત્રનો ઇષ્ટધર્મ જુદો હોઇ શકે. એ પાળવાનો પુત્રને સંપૂર્ણ હક છે, પિતાને એ અંગે વિરોધ કરવાનો હક નથી. એવી પ્રામાણિક માન્યતાને કારણે પુત્ર પિતાની આજ્ઞાનો અનાદર કરે, તો તે પુત્રધર્મ ચૂકે છે તેવું ન માનવું જોઇએ. કોઇપણ માન્યતા અંગે પિતાપુત્ર વચ્ચે પ્રામાણિક મતભેદ ઊભો થાય, તો પુત્રને પોતાની માન્યતા પ્રમાણે વર્તવાની છૂટ છે. તે માટે પિતાનો ખોફ વહોરવો પડે, તો વહોરવા તૈયાર રહેવું જોઇએ.


પત્રકારત્વ : સાહિત્યનું સબળું અંગ – ઝવેરચંદ મેઘાણી 3

પત્રકારત્વને સાહિત્યનું નબળું અંગ ગણનારાઓ પાસે મોટામાંમોટી દલીલ એ હોય છે કે પત્રોમાં આવેલું લેખન પુખ્તપણે વિચાર્યા વગરનું અને ત્વરિત ગતિએ લખાયેલું હોય છે. આવી દલિલો કરનારા ભૂલી જાય છેકે નર્યા સાહિત્યકારોમાંના ઘણાનાં, સર્જન પત્રકાર કરતાં પણ વધુ ત્વરિત ગતિએ લખાયેલા હોય છે. શ્રી ક. મા. મુનશી જેવા કેટલાય સાહિત્યકારોનાં પોતાના ખૂબ પ્રશંસા પામેલા પુસ્તકો પણ એક બાજુ કંપોઝ થતું હોય છે, ત્યારે બીજી બાજુ ઝડપથી લખેલા હોય છે. આજના યંત્રને, ગ્રાહકોને અને સમયને પહોંચી વળવા લગભગ દરેક સાહિત્યકારને પોતાના લેખનની ઝડપ વધારવી જ રહી. શ્રી રમણલાલ વ. દેસાઈનાં પુસ્તકોમાંના દરેક પાંચ પાંચ દસ-દસ વર્ષની હળવી ધીમી વિચારણા કે હલવા ધીમાં લેખનમાંથી નથી જનમ્યાં.


આચમન.. (કેટલાક વિચારપ્રેરક લખાણો) – સંકલિત 12

માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે, પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે એવું યે નથી. અનેક સ્ત્રી-પુરુષો વાંચી નથી શક્તાં. છતાં તેઓ વિચારી તો શકે જ છે. વાચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતિ વધે છે; જીવન વિશેની આપણી સમજણને વાચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે એ વિશેનું અનુભવામૃત આપણે વાચન દ્વારા પામીએ છીએ. આવા જ કેટલાક નાના પરંતુ વિચારપ્રેરક લખાણોનું એક નાનકડું સંકલન આજે પ્રસ્તુત છે.


એક અદભુત વર્કશોપ… (ઉત્પાદન ખર્ચમાં ઘટાડો…જાપાની રીત !) – અનુ. હર્ષદ દવે. 18

તાજ હોટેલ ગ્રૂપે શ્રી માસાઈ ઇમાઇને જાપાનથી પોતાના સ્ટાફ માટે આયોજિત એક કાર્યશાળા (વર્કશોપ) માટે આમંત્રિત કર્યા હતા.

આ હોટેલ ખૂબ જ સારી રીતે ચાલતી હતી. સ્ટાફ સભ્યોના મનમાં આશંકા હતી કે જાપાનથી આવતા આ માણસને હોટેલ ઇન્ડસ્ટ્રીનો બિલકુલ અનુભવ ન હતો તેથી તે આ વિષયમાં આપણને શું શીખવશે?
પરંતુ નક્કી થયા મુજબ બધા વર્કશોપ માટે કોન્ફરન્સ હોલમાં સવારે નવના ટકોરે આવી ગયા…..


ગીતાબોધ.. – મહેન્દ્ર નાયક 5

દરેક માનવીનું કુરુક્ષેત્ર તેના પોતાના મનમાં જ રહેલું છે, જ્યાં મહાભારતનું યુદ્ધ સતત ચાલ્યા કરતું હોય છે. ત્યાં યુદ્ધિષ્ઠિર છે, દુર્યોધન અને અર્જુન પણ છે અને સાથે કૃષ્ણ પણ, આવશ્યકતા છે કેવળ એ સૌને ઓળખવાની. કામ છે તો કપરું પરંતુ અસંભવ નથી જ. આ અંદરની ઓળખ માટે એક માત્ર શરત એ છે કે માનવી બહારની દુનિયાની નિરર્થકતાને સમજે. જે રીતે ઠોકર વાગ્યા બાદ જ માનવી સજગ બની સાવધાની વર્તે છે, તે જ રીતે બહારની આ દુનિયા એને જ્યારે કોઈ પાઠ ભણાવે, ત્યાર બાદ જ એને માટે અંદર દ્વાર ખૂલે છે. એ એને શરણે જાય છે અને ત્યારે જ એને માટે કૃષ્ણ સારથી બનીને આવે છે, એને વિરાટના દર્શન કરાવે છે. આવી ઠોકર વાગે ત્યાં સુધી રાહ ન જોવી હોય તો આસપાસ નજર કરો, આંખો ખુલ્લી રાખો, કોઈ ને કોઈ જરૂર દેખાશે જેણે ઠોકર ખાધી હોય, એમાંથી શીખ લો, તેનો આભાર માનો અને સાવધાન થાઓ. તમારી અંદરના પાત્રને ઓળખો અને તેની પાસે એવી રીતે કામ લો કે તમારૂં જીવન સરળ બને અને તમને તમારા કર્મોથી મુક્તિ મળે. કેવી રીતે? તે માટે અર્જુનને કૃષ્ણએ આપેલો ઉપદેશ એ સૌથી ઉત્તમ માર્ગદર્શન છે, તો ચાલો જોઈએ એ આપણને કેટલું ઉપયોગી થાય છે.


આંસુડા સારતી એક દીકરી.. – ભરત કોટડીયા 13

ગર્ભનું જાતિ પરીક્ષણ અને સ્ત્રી ભૃણ હત્યા જેવા જઘન્ય પાપ વિશે કાંઈ પણ કહેવા કરતા શ્રી ભરતભાઈ કોટડીયાની આ કૃતિ વાચકો સમક્ષ મૂકવી ઉચિત ગણું છું. આ કૃત્યોની સામે ઉભા થવાની જાગૃતિ વધુ ને વધુ ફેલાય એ જરૂરી છે. કદાચ જેની ગર્ભમાં હત્યા થઈ છે એ દીકરી આમ જ અનુભવતી હશે.. નહીં ! કૃતિ અક્ષરનાદ સાથે વહેંચવા બદલ ભરતભાઇનો ખૂબ ખૂબ આભાર.


માનસીક તાણથી બચવાના વીસ ઉપાય – એ. બી. મહેતા, અનુ. મંજરી મેઘાણી 12

નોકરીમાં હોય કે અંગત જીવનમાં, એક અથવા બીજી રીતે આપણે ઘણી વખત તાણ અને માનસિક પરિતાપમાં જીવીએ છીએ. ભોપાલના સીનીયર સીટીઝન્સ ફોરમના ઉપપ્રમુખ શ્રી એ. બી. મહેતાના અંગ્રેજી લખાણનો અનુવાદ ‘માનસીક તાણથી બચવાના વીસ ઉપાય’ એ શીર્ષક હેઠળ મંજરીબેન મેઘાણીએ કર્યો છે. સ્પષ્ટ, ચોક્કસ દિશાનિર્દેશ સાથેના અને અચૂક એવા આ ઉપાયો એક વખત અજમાવી જવા જેવા ખરાં. સન્ડે ઈ-મહેફિલ દ્વારા પ્રસિદ્ધ થયેલ આ કૃતિ અક્ષરનાદને પ્રગટ કરવાની તક આપવા બદલ શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર.


ગાંધીવાણી – મો. ક. ગાંધી 10

આજે ગાંધી નિર્વાણ દિવસે પ્રસ્તુત છે ગાંધીવાણી. ગાંધીને આપણો સમાજ કે વિશ્વ સાચા અને પૂર્ણ અર્થમાં ક્યારેય સમજી શક્યા નથી, ગાંધી સાવ સાદીભાષામાં ગહન વાતોની પ્રસ્તુતિ સહજ રીતે કરી શકે છે, આજે તેમને સરકારી ઓફીસોની દિવાલ પર અને ચલણી નોટો પર મૂકીને આપણે ભલે તેમને સન્માન આપ્યાનો સંતોષ લેતા હોઈએ પણ ખરેખર શ્રદ્ધાંજલી તો તેમની વાતોનું સાચું અર્થઘટન કરી બે લીટી વચ્ચેનો અર્થ વાંચવાથી, તેને સમજીને આચરણમાં મૂકવાથી જ થઈ શક્શે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર.


વિનોબા સાથે યુવાનોની પ્રશ્નોત્તરી… 3

ભૂદાનયજ્ઞ અને તે અંગેની વાતો, સમજણ, વિગતો અને સ્પષ્ટતાઓને આવરી લેતું વિનોબાનું પુસ્તક ‘ભૂદાનયજ્ઞ’ એ આખીય પ્રક્રિયા અંગે વિનોબાના વિચારો ખૂબ સ્પષ્ટતાપૂર્વક મૂકે છે. એ પુસ્તકના અંતે વિનોબા સાથે થોડાક જીજ્ઞાસુ યુવાનો અને કાર્યકર્તાઓ સાથે મહત્વના વિષયો અંગે શ્રી વિનોબા સાથે થયેલી પ્રશ્નોત્તરીના કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તર મૂકેલા છે જે અહીં પ્રસ્તુત કર્યા છે. આજના સમયમાં પણ આ ઉત્તરો પ્રસ્તુત અને વિચારપ્રેરક થઈ રહે છે.


ચિંતનકણિકાઓ.. – સંકલિત 9

વિચારકણિકાઓ એ અનેક બાબતોમાં, વિચારોમાં અટવાયેલા મનને ક્ષણિક યોગ આપતી માનસિક રિફ્રેશમેન્ટ છે, પરંતુ સાથે સાથે એ મનને એક નવા અને અર્થસભર વિચાર સાથે હકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. આજે પ્રસ્તુત છે વિવિધ સંકલનો અને પુસ્તકોમાંથી એકત્રીત કરેલી કેટલીક સુંદર વિચારકણિકાઓ, આપના વિચારતંતુને છેડવા માટે આ ચોક્કસ સક્ષમ થઈ રહેશે એવી આશા છે.