Daily Archives: September 19, 2012


ચાર નિખાલસ ગીત.. – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ 10

એક સર્જક, કવિ, ડ્રામા આર્ટિસ્ટ, આકાશવાણીના કૅઝ્યુઅલ એનાઉન્સર એમ બહુરંગી પ્રતિભા ધરાવતા શ્રી શૈલેષભાઈ પંડ્યા ‘ભીનાશ’ નો પદ્ય સંગ્રહ જૂન ૨૦૧૨માં પ્રસિદ્ધ થયો. ૬૬ ગઝલો, ૧૨ ગીતો, ટ્રાયોલેટ અને અછાંદસ ધરાવતો એક સુખદ અનુભવ એટલે શૈલેષભાઈનો પ્રસ્તુત સંગ્રહ ‘નિખાલસ’ જે સંગ્રહના નામની જેમ જ તેમની નિખાલસતાનો અને ભીનાશનો ખૂબ સુંદર સ્પર્શ કરાવી જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત સંગ્રહ પાઠવવા બદલ શ્રી શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમે આપણને હજુ આવી જ સુંદર રચનાઓ પ્રાપ્ત થતી રહે એ માટે અનેકો શુભકામનાઓ. આજે માણીએ આ સંગ્રહના ગીતોમાંથી ચાર મને ગમતીલા સુંદર ગીત.