Daily Archives: August 7, 2014


વ્રજ, વ્રજભાષાનો ઇતિહાસ અને ઉલ્લેખ – પૂર્વી મોદી મલકાણ 23

પૂર્વીબેન મોદી મલકાણના સર્જન આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજનો તેમનો લેખ વ્રજભાષા અને વ્રજના ઇતિહાસને વાગોળતો રોચક અને માહિતિપ્રચૂર લેખ છે. સંશોધનલેખોના સર્જનમાં આનંદ અનુભવતા પૂર્વીબેન કહે છે, “નાનપણથી લઈને અત્યાર સુધી વાંચન અને લેખન સાથે મારો અતૂટ સંબંધ રહ્યો છે. જીવનયાત્રામાં ફરતા ફરતા જ્યારે જ્યારે મારી પાસે કોઈ મિત્રો ન હતાં ત્યારે આ કાગળ, કલમ અને શબ્દો જ મારા સાથીઓ હતાં. મારા પ્રોફેશનલ લખાણની શરૂઆત ૨૫ વર્ષ પહેલા થઈ હતી. પરંતુ લગ્ન પછી લખવાનું છૂટી ગયું. અમેરિકામાં સ્થાયી થયા બાદ પરિવારમાં અને જોબમાં બીઝી થઈ ગઈ. ૨૦૦૮ થી ફરી લખાણ શરૂ કર્યું ત્યારે બે લખાણ ૨૫ વર્ષનો લાંબો બ્રેક આવી ગયેલો. આથી ૨૦૦૮માં મારા બાળકોને ગુરુ બનાવીને તેમની પાસેથી કોમ્પ્યુટર શીખી જેને કારણે આજે ફરી હું ગુજરાત સાથે, ગુજરાતી ભાષા સાથે ફરી મિત્રતાના તંતુએ બંધાઇ ગઈ તેનો અત્યંત આનંદ છે. ૨૦૧૨ માં ફૂલછાબ પરિવારમાં ફરી મને કોલમનિસ્ટ સમાવવામાં આવી ત્યારે મને પાછું ઘર મળ્યું હોવાનો અહેસાસ થયો. હાલમાં હું વોલિન્ટિયર તરીકે લોકલ હોસ્પિટલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે કામ કરું છું.” આજના સમૃદ્ધ લેખ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.