Daily Archives: June 24, 2016


ઘનના ઢગલામાં ખોવાયેલું બાળક – રણછોડ શાહ 3

બાળઉછેર એ પ્રત્યેક મમ્મી – પપ્પાની ફરજ છે. બાળકના જન્મ બાદ તેનો વ્યવસ્થિત, યોગ્ય અને સંપૂર્ણ ઉછેર થાય તે જવાબદારી સ્વીકારવાની તૈયારી સાથે જ બાળકને જન્મ આપવો જોઈએ. આપણને આપણી વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ વધુ મહત્ત્વની અને અગત્યની લાગતી હોય તો સંતાનપ્રાપ્તિની આશા – અપેક્ષામાંથી દૂર રહેવું બધુ સલાહભર્યું તેનો અર્થ એવો નથી કે જીવનમાં સંતાનના આગમન બાદ વ્યક્તિએ પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપવું નહીં. પરંતુ સંતાનના વિકાસના ભોગે કારકિર્દી, પૈસા, પ્રતિષ્ઠા મળતાં હોય તો બેમાંથી કોને અગ્રતાક્રમે રાખવું તે મમ્મી – પપ્પાએ સાથે બેસીને નિરાંતે વિચારી નિર્ણય લેવો જોઈએ. નહીં તો અવિકસિત, અર્ધવિકસિત અથવા બળવાખોર સંતાનોના વડીલો તરીકે સમાજમાં ઓળખાવાની તૈયારી રાખવી જોઈએ.