Daily Archives: April 18, 2016


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૨) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


લાભશંકર ઠાકરનું એક મૃત્યુ – લાભશંકર ઠાકર 2

પોતાના મૃત્યુને જ શીર્ષકના એક અંશ તરીકે પ્રયોજનાર લાભશંકર ઠાકર આ ૨૦૧૬ના જાન્યુઆરીની છઠ્ઠીએ વાસ્તવમાં મૃત્યુ પામ્યા. (જન્મ તા. ૧૪-૦૧-૧૯૩૫) મુખ્યત્વે તો સુરેશ જોશી યુગીન આધુનિક કવિ અને એવા કવિઓના બળવાખોર મુખિયા તરીકે જાણીતા. લા.ઠા. ની આ વાર્તા ૧૯૭૫થીય વહેલી લખાઈ હતી. પણ તેમાં પણ તેમણે પોતાના મૃત્યુની આંતરિકતાને પશુ, પંખી, વૃક્ષ, માટી, સિમેન્ટ અને એવા કેટલાય પ્રતીકોનો વિનિયોગ કરીને વર્ણવી છે. ગુજરાતીમાં અનુસ્નાતક થયા પછી તેમણે સુવિખ્યાત વૈદ્ય પિતા સ્વ. જાદવજી નરભેરામ ઠાકરને પગલે આયુર્વેદ પ્રવીણની ઉપાધિ પણ હાંસલ કરી એથી પોતાને અનેક માનસમ્માન અપાવનારા અને આધુનિકો માટે પ્રયોગશીલતાની પ્રેરણા આપતા એક કરતા વધુ કાવ્યસંગ્રહો અને નાટ્યસંગ્રહો ઉપરાંત એક નવલકથા ‘કોણ?’ પણ આપી અને સમાંતરે વૈદકના પુસ્તકો પણ સારી સંખ્યામાં આપ્યા.