'...ત્યારે જિવાય છે' હિમલભાઈનો બીજો ગઝલસંગ્રહ છે. આ પૂર્વે 1992ના વર્ષે “ગાંડીવ” નામનો કાવ્યસંગ્રહ આપ્યા બાદના 29 વર્ષ પછી આ કવિ આપણી સમક્ષ આવે છે ત્યારે એમને આવકારીએ.
આ સંગ્રહમાં લઘુકથા સ્વરૂપ માટે આવશ્યક કહી શકાય એવા કલ્પન, પ્રતીક, વ્યંજના, કાકુ તેમજ અલંકારોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થયો છે. લેખકના મજબૂત અને આકર્ષક ભાષાકર્મનો લાભ વાચકોને મળે છે.
ઝરુખે બેઠેલી રાણી યુદ્ધથી પાછા ફરતા પોતાના ભરથારની રાહ જોતી હશે ત્યારે શું આ સુંદરતા કે આ પ્રકૃતિ એને બહેલાવી શકતી હશે! આવા અગણિત વિચારોનું ભાથું બંધાતું જાય
વિદ્યાર્થીનો U-DISE નંબર જ્યારે પ્રથમ ધોરણમાં વિદ્યાર્થીનો પ્રવેશ થાય ત્યારે જનરેટ કરવામાં આવે છે. વિદ્યાર્થીની વિગત સર્વ શિક્ષા અભિયાન પોર્ટલમાં મોકલવામાં આવે છે
આગળ ચાલવું, ચાલતા રહેવું એ જ જાણે એ સમયે જીવનનું એક માત્ર કાર્ય હતું. બીજું કશું જ મનમાં આવતું ન હતું. ચાલો. ચાલતા રહો. ખૂબ થાકો ત્યારે જરાક થોભો. બેસી જવાથી થાક બેવડાઈ જતો હતો.
મોગલ અને બ્રિટિશ કાળમાં ઓડિસી નૃત્યકારોને મંદિરમાંથી રાજપરિવાર અને દરબારના મનોરંજન માટે ખસેડવામાં આવ્યા. આગળ જતાં નૃત્યાંગનાઓની સ્થિતિ રખૈલ જેવી થઈ ગઈ.
પાણીવાળું શાક અને જાડી રોટલી, ખુલ્લામાં લેટ્રિન અને આખો દિવસ પરેડ. ત્રીજા દિવસે હું અને શિવમ પણ રડી પડ્યા. પાંચમાં દિવસે હું, સુખો અને મની અમારા ઉતારાના ઓરડે પહોંચ્યા તો પૂજન ડૂસકાં ભરતો હતો.
એક જ મોટા હૉલમાં પડદા કરી લેડીઝ-જેન્ટ્સના અલગ રોકાણની સગવડ કરી હતી પણ લેડીઝના વિભાગમાં લાઇટ ન હતી. થાક એવો હતો કે લાઈટ-પાવરની પરવા કર્યા વગર બધાં આડા પડ્યા.
મસાઈમારા પહોંચવાની ઉત્સુકતાને કારણે સવાર જરા વહેલી પડી ગઈ. રસ્તામાં ઘણા બધાં વાઈલ્ડ બીસ્ટ જોયા. વાયરલેસ પર સંદેશો આવ્યો કે એક જગ્યાએ સિંહણ અને બે બચ્ચા બેઠા છે.
મનોમન તારી સાથે દિવસભર વાતો કર્યા કરું ને તને મળું ત્યારે મૌન મને વીંટળાઈ વળે છે. મારા મૌનને પાર કરીને તું મારા સુધી પહોંચી જાય છે ને મને તારી હુંફના મજબુત આલિંગનમાં લઈ લે
આદિ શક્તિની પાણી સાથે સરખામણી શા માટે? જળ અથાગ છે અને વળી સૌથી વધુ જરૂરી તત્વ પણ. જળરાશીનો વિસ્તાર અસીમ છે અને એ જ રીતે જીવન પ્રકિયા પણ સતત અવિરત વિસ્તરતી જાય છે.
જગદંબાના તેજસ્વી લલાટ પરથી જરા જેટલું કંકુ ખરે ને એમાંથી પ્રાદુર્ભાવ થાય સૂર્યનો. સૂર્ય એટલે તેજપુંજ. જે શક્તિના ભાલેથી ખરેલ ચપટીક કંકુ થકી નિર્માણ થયું હોય તે સૂર્ય જ જો આટલો ઓજસ્વી હોય તો સ્વયં એ શક્તિનો પ્રકાશ કેટલો હોય?
એક વાતે હું ગર્વ લઈ શકું કે મારા અસ્તિત્વ વિશે અને એને દૂર કરવાના ઉપાય વિશે લોકો હજુ પણ ડોકટરો, ડાયેટીશીયનો કે પછી જીમ સુપરવાઈઝર્સ પર વિશ્વાસ કરે છે. પણ હજુ સુધી કોઈ બાબા કે તાંત્રિકે એવી જાહેરાતો નથી કરી કે ‘વર્ષો જૂની ફાંદથી છુટકારો મેળવો. પંદર દિવસમાં ઉકેલ નહિ તો પૈસા પરત.’