બૅન્ક એકાઉન્ટને બદલે સ્મૃતિઓના એકાઉન્ટને સમૃદ્ધ કરવામાં માનતા લોકો માટે આ ફિલ્મ છે. સંવેદનાઓને ફિલ્મી પડદે જીવંત જોવામાં માનતા લોકોને આ ફિલ્મ ચોક્ક્સ ગમશે.
એક ઘટના ચિત્તક્ષોભ કરનાર સિચ્યુએઅશન કેવી રીતે બની રહે તે કેટલું સરળ ભાષામાં સમજાવ્યું છે.
“આકાશમાં ચઢેલો મેઘ એક ઘટના છે. એક સ્થિતિમાત્ર. પણ એને જોઈને કોઈ વિરહી પ્રેમી નિ:શ્વાસ મૂકે તો એ ઘટના ચિત્તક્ષોભ કરનાર પરિસ્થિતિ અર્થાત્ સિચ્યુએઅશન બની રહે.”
ગદ્યના કોઈ પણ સ્વરૂપમાં કામ કરતાં દરેક વ્યક્તિએ આ પુસ્તકના બીજા પ્રકરણનો છેલ્લો ફકરો વાંચવા જેવો છે.
નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે. આજે પ્રસ્તુત છે શ્લોક ૮ થી ૧૦ ના અર્થ સહ વિસ્તાર.
કવિશ્રી પ્રદીપ રાવલ 'સુમિરન'ની આ પાંચ શેરની ગઝલ યાત્રામાં ક્યાંક ને ક્યાંક આધ્યાત્મનો સ્પર્શ અનુભવાય છે. બે પંક્તિના વિશ્વમાં રજૂ થયેલી જીવવાની મથામણ ધ્યાન ખેંચે છે.
જીવવાની જે ખરી કલા જાણે,
એ ન કાશી, ન કરબલા જાણે.
નૃત્યની એક વિશિષ્ટતા એ છે કે સાર્વભૌમ કલા છે. દરેક પ્રદેશ અને જાતિને પોતાનું શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય છે. કેવું ઈશ્વર જેવું? એકને એક છતાં અનેક. વેશભૂષા, ગાયન, વાદન, શૈલી બધું જ ભાતીગળ સ્વરુપે આ વિશ્વમાં વ્યાપ્ત છે. જુદી શૈલી અને જુદી વેશભૂષા એક જ પ્રકારના ભાવ પ્રગટ કરતી હોઈ શકે, છે ને આનંદ અને આશ્ચર્ય!
આ પુસ્તકમાં કુલ એકસો ચાળીસ (૧૪૦) ગીતો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ પણ ભાવોની નવીનતા ઊડીને આંખે વળગે એવી છે. ગીતોના લયમાં ઝૂલવા આ પુસ્તક વાંચવું રહ્યું. હું પ્રયત્ન કરું કે થોડાં ગીતોના હીંચકાં અહી હું તમને પણ નાખું!
પહેલો શ્વાસ લઈને મેં મારા અંતિમ શ્વાસ તરફની યાત્રા શરુ કરી. શું એને અંતિમ યાત્રા કે સ્મશાન (તરફની) યાત્રા કહેવી એ સાચું નથી? અને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ કદાચ તમને નહિ ગમે : આ સ્મશાનયાત્રા મારી એકલાની નથી તમારી પણ આ અંતિમયાત્રા જ છે.. માટે શ્રદ્ધાપૂર્વક શ્વાસોચ્છવાસના ડગલા માંડતા ભીતરે વાગતા ‘રામ નામ સત્ય હૈ’ ના નાદને સાંભળવાની કોશીશ કરો.
તને આ પત્ર લખું છું એ દરેક ક્ષણે હું ફરીફરીને એ સમય જ તો જીવી રહી છું, લખવું તો બસ એક બહાનું છે!તું માત્ર કોઈ મકાન કે જગ્યા નથી, મારા બાળપણનો એક ટુકડો છે. જે નાનીનાની યાદોથી સિવાઈ સિવાઈને મારી ગોદડી બની ગયું છે. હું જયારે પણ એને ઓઢી લઉં... એ સમયની હુંફ મને ઘેરી વળે છે!
આઝાદીને ભારતીયો જે માત્ર મર્યાદિત દ્રષ્ટિકોણથી જુએ છે એને આ પુસ્તક બહુવિધ આયામો પૂરાં પાડવાનું બૌદ્ધિક કાર્ય કરે છે. આ પુસ્તકના પાત્રો તો માભોમના સપૂતો જ છે એટલે એમની સાથે આપણને સૌને તાદાત્મ્ય થાય જ એ સ્વાભાવિક જ છે. આમાં બનતી બધી જ ઘટનાઓ આપણા સમગ્ર અસ્તિત્વને એક વર્તુળમાં ઘેરી લે છે અને એટલે જ પુસ્તકો ટાઈમ ટ્રાવેલ કરાવી શકવાની તાકાત ધરાવતા હોવાનો પ્રત્યક્ષ પરચો મળે.
શ્રદ્ધા એટલે અંતરાત્મામાં રહેલું સહજ જ્ઞાન. કોઈ તથ્યને સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ ન મળે છતાં આંતરિક રીતે એમ અનુભવાય કે આ જ સાચું છે. આ અનુભવ એટલે શ્રદ્ધા. ઋગ્વેદમાં આ જ શ્રદ્ધાને દેવી તરીકે સ્થાપિત કરીને એની સ્તુતિ કરવામાં આવી છે. શા માટે? શ્રદ્ધા દેવી કઈ રીતે અને એનો આવો અને આટલો મહિમા કેમ?
પૂનમનો ચાંદ હતો તેથી ચોમેર ચાંદની પથરાઈ ગઈ. બધું ચમકતું લાગતું. આકાશમાં વાદળ ઓછા હતાં એટલે નભોદર્શનની ખૂબ મજા માણી ઠંડી વધતાં રુમમાં ભરાઈ ગયાં. એવું જાણવા મળ્યું હતું કે પેન્ગોંગ લેકની ઉપર આકાશમાં આખી આકાશગંગા સુંદર દેખાય છે. તેનામાટે પરદેશથી અને આપણા દેશના ખગોળશાસ્ત્રી અમાસની રાતે ખાસ અભ્યાસ કરવા આવે છે,
ઘણીવાર વાર્તાના પાત્રો મારી રજા લીધા વિના ફરવા નીકળી પડે કે કવિતાનો લય ક્યાંક આડા હાથે મૂકાઈ જાય ને અંજુરીમાં માત્ર થોડાક રડ્યાંખડ્યાં શબ્દો બચ્યાં હોય ત્યારે એ શબ્દો પાસેથી હું મનફાવે એવું કામ લેતી હોઉં છું.
મારી દ્રષ્ટિએ આ વાર્તા સંપૂર્ણપણે અભિધામાં લખાયેલી કટાક્ષિકા છે. જેમાં એક ફિલ્મની ગતિએ દ્રશ્યો બદલાય છે. આ વાર્તા હજુ ધીમી અને લાંબી થઈ શકવાની ક્ષમતા ધરાવે છે. જેમાં દરેક પાત્રના મનોમંથનનો અવકાશ હતો. જેને કારણે પાત્રના ઘડતરને પણ મજબૂતી મળી શકત. હજુ વધારે ઘૂંટી શકાય તેવી વાર્તા ચોક્કસપણે સામાજિક નિસબત ધરાવે છે.
“યુ વોન્ટ બીલીવ પાર્થ, તે દિવસે સ્ટોરી માટે હું ભૂખ્યો તરસ્યો આખીરાત રખડ્યો હતો. બસ, મનમાં નક્કી કર્યું હતું, કે સવારે એક સરસ સ્ટોરી લઈને જ ઓફિસે જઈશ.”
આપણે આપણાં બાળકોને શિસ્તમાં રાખી ડાહ્યાં ડમરાં બેસાડી દેવાને બદલે તેને ધમાચકડી કરતાં, નવું શીખતાં, જુસ્સો વ્યક્ત કરતાં ને થનગનાટ કરતાં કરી દઈએ. તેનું અમૂલ્ય બાળપણ સૌ સાથે મળીને ઉજવીએ!
એક વખત એક પતિપત્ની વચ્ચે કોઈ નાની વાતમાં બોલાચાલી થઈ ગઈ. થોડી વાર સુધી દલીલો કર્યાં પછી પતિએ સોરી કહ્યું અને પત્નીને ભેટી પડ્યો. પેલી બિલકુલ સ્તબ્ધ! આવું સળંગ બે ત્રણ વાર થયુ. પત્નીએ એક દિવસ તેને પાસે બેસાડીને પૂછ્યું, "તું કેમ દર વખતે આવું કરે છે? મારે તને કાંઈક કહેવું હોય, ઝઘડવું હોય...
ભાષાની કમાલ જુઓ! હિન્દી ભાષામાં સ્વરબદ્ધ થયેલું આ ગીત બંગાળી ભાષામાં, અલગ શબ્દોમાં, છતાં એ જ સૂરમાં સ્વરબદ્ધ થયેલું છે. સૂર અને સ્વરનો કેવો અદભુત સમન્વય! આવા ગીતોને બંગાળીમાં 'આધુનિક ગાન' કહે છે!
સૌ પ્રથમ તો હે પરમાત્મા, આજે ફરી એકવાર જાગી શકાયું એ માટે દિલથી આભાર. અનેક લોકો સૂતા પછી બીજી સવાર જોઇ શકતા નથી એ હું જાણું છું. પણ તેં મને એક વધુ સવારની અણમોલ ભેટ આપી છે.
નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે.
અક્ષરનાદના માધ્યમથી હું પુસ્તકોના દરિયામાં ડૂબકી લગાવું છું અને નવાં નવાં મોતી તમારા સૌ સાથે વહેંચી રહી છું એ અંતર્ગત આજે જે પુસ્તકની વાત કરું છું એ છે શ્રી જીતેશ દોંગાનું 'ધ રામબાઈ'
એ ય... સાંભળને,
તને કશુંક કહેવું છે.
તને ઘણુંબધું કહેવું છે.
તને કહેવું છે કે જયારે પણ તને કશુંક કહેવા જાઉં ત્યારે તારો ચહેરો મારી આંખો સામે આવે અને મારે જે કહેવું હોય એ જ વાત એ પૂછે!
બુદ્ધિની તેજસ્વિતા એ દરેક મનુષ્યની આંતરિક બાબત છે. પ્રકાશથી ઝળહળ થતો પૂંજ બાહ્ય અંધકારને દૂર કરી શકે પણ માનવના અંતરમનમાં વ્યાપેલો અંધકાર તો એણે જાતે જ દૂર કરવો રહ્યો! સૂર્યનું સવિતૃ રૂપ આ આંતરિક અંધારાને દૂર કરી ભીતર પ્રકાશ પાથરવા નિમિત્ત બને છે! પોતાના પૂર્ણ તેજમાં પ્રકાશતો સૂર્ય એટલે જ સવિતૃ!
देवो दानाद्, ध्योतनाद् दीपनाद् वा |
તમારું ધ્યાન એવા ટ્વિટર ટ્રેન્ડ ઉપર ગયું છે કે નહીં જ્યાં પ્રખર રાષ્ટ્રવાદની વાત કરતા અથવા જેહાદી આતંક વિરુદ્ધ રિપોર્ટિંગ કરતા મીડિયાને જાહેરખબરો નહીં આપવા માટે આંતરરાષ્ટ્રીય જાહેરખબર એજન્સીઓને હાકલ થતી હોય!
આજે સૌ મિત્રોને આપણાં શીર્ષ જમ્મુ કાશ્મીરના લદ્દાખની મુલાકાતે લઈ જઉં. ભગવાને લદ્દાખમાં ભરપૂર કુદરતી સૌન્દર્ય ઠાલવ્યું છે. સામાન્ય રીતે બધાં લેહ લદ્દાખ બોલતાં હોય છે પરંતુ લેહ એ લદ્દાખની રાજધાની છે. બાકી અહીં લદ્દાખ આખામાં જોવાલાયક ઘણું બધું છે. ચાલો મારી સાથે તમે પણ સફર કરી લો આ અદ્રુત પ્રદેશની.