યંગક્લબનું નાટક “વિવેચક અથવા મુનળ” 7
સને ૧૯૪૮, ૬ નવેમ્બરના રોજ ભાવનગરની એ.વી. સ્કુલના મધ્યસ્ત ખંડના મંચ ઉપર આ નાટક યંગક્લબની ટીમે પહેલી વખત ભજવ્યું, પ્રેક્ષકોને ઘણું ગમ્યું, પછી તો “વિવેચક અથવા મુનળ” ઘણી વખત ભજવાયું, ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિકોત્સવમાં પણ મંચસ્થ થયું.
નાટકમાં વાત ગઈ પેઢીના અગ્રતમ ગુજરાતી સાહિત્યકારો અને તેમને રચેલાં અમર પાત્રો વચ્ચેના વિવાદની છે. પાત્રો છે : મુનિકુમાર, ઋષી, કાક, નાયક, બાદશાહ, બીરબલ, દેવદાસ, મુનળ , ક. મા. મુનશી, ર. વ. દેસાઈ, ગોકુલદાસ રાયચુરા, ધૂમકેતુ વગેરે..
નાટકનું સ્થળ છે મુનિકુમારનું ઘર, તેઓ ગુજરાતી સાહિત્યના વિવેચક છે.