સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ગુજરાતી નાટક


યંગક્લબ ભાવનગરનું એકાંકી “ચાંદરણાં” – બાબુભાઈ વ્યાસ 4

૧૯૪૭માં આ નાટક સ્ટેજ પર સ્પોટલાઈટ દ્વારા દર્શાવવામાં આવેલું. આ રીતે નાટક મંચસ્થ કરવા પાછળ લેખક અને દિગ્દર્શકનો વિચાર કઈંક જુદો હતો. સ્પોટલાઇટ દ્વારા બનતા જુદા જુદા બનાવો દર્શાવી નાટક આગળ વધતાં તેની ગૂંથણીને એક રસપ્રદ અંત સુધી લઇ જવી – આ પ્રયોગ મહદઅંશે સફળ થયેલો. પ્રેક્ષકો તરફથી સુંદર આવકાર આ નાટકને મળેલો! આ નાટક છ મહિનામાં ફરી તે જ મંચ પર ભજવાયું. નાટકની પૃષ્ઠભૂમિ ૧૯૪૨ આસપાસનો સમય. નેતાજી સુભાષચંદ્ર બોઝ ની પ્રેરણાથી ઘણા નવલોહિયા જુવાનિયાઓએ આઝાદીની ચળવળમાં સશસ્ત્ર ઝુકાવેલું! બ્રિટિશ સરકારની ચાંપતી નજર અને તેની સામે એક ઝનૂન ભરી લડાઈ!!


“ટીડા જોશી” યંગક્લબનું એકાંકી; લેખક – બાબુભાઇ વ્યાસ 2

“ટીડા જોશી”
યંગક્લબ  ભજવાયેલું એકાંકી
લેખક શ્રી બાબુભાઇ વ્યાસ

૧૯૪૦ કે ૫૦ના દાયકાના સમયનું ગુજરાતનું એક ગામડું, જ્યાં બધા પોતાના હુન્નરથી ઓળખાય અને એ બધાની વચ્ચે એક અઠંગ જોષી મહારાજ, બધાને ઊંઠાં ભણાવી પોતાનું પેટીયું રળે. એવા એક ટીડાજોશીની આ વાત, યંગક્લબે પહેલી વખત ૧૯૫૦ના નવેમ્બરની ૨૦મી તારીખે ભાવનગરની એ. વી. સ્કૂલના ખંડમાં ભજવ્યું…

આ નાટક વિષે: એક આઇરિશ નાટક પરથી આ નાટકને અસ્સલ કાઠિયાવાડી રંગમાં બાબુભાઈએ લખ્યું છે. ૧૯૫૦ની સાલમાં પહેલી વખત યંગક્લબે ભજવ્યું ત્યારે પ્રેક્ષકોને ઘણું પસંદ પડેલું, તેમાં પણ “ટીડા જોશી” ની ભૂમિકામાં શ્રી નરહરિભાઈ ગુલાબરાય ભટ્ટ અને નિર્મળા તરીકે ડો. નિર્મળાબેન મહેતાનો અભિનય લાજવાબ હતો. જો કે આખી ટીમે સરસ કામ કરેલું. કલાકારોની આવડત અને અભિનય શક્તિ – જાણે એમ જ લાગે કે તેઓ આ ભૂમિકા માટે જ સર્જાયેલાં છે. પછી તો ઘણી વખત ભજવાયું. શામળદાસ કોલેજ અને ત્યાર બાદ ભોગીલાલ કોમર્સ કોલેજે પણ વાર્ષિક ઉત્સવોમાં મંચસ્થ કરેલું.


એકાંકી “હાલરડું” – બાબુભાઇ વ્યાસ 8

એકાંકી નાટક: “હાલરડું”, લેખક શ્રી બાબુભાઇ વ્યાસ

આ નાટક દિર્ગ્દર્શક, ભજવનારાઓ અને સ્ટેજ પર ની પ્રકાશ અને અવાજની વ્યવસ્થા કરવાવાળી વ્યક્તિઓ માટે એક પડકાર રૂપ છે, સમય સર સંવાદ અને રેડીઓ પર થતી ઉદઘોષણાઓ પણ નાટકનું એક મહત્વ નું અંગ છે. ૧૬ ઓક્ટોબર ૧૯૫૨ ના રોજ,ભાવનગર ની એ.વી. સ્કૂલના મધ્યસ્થ ખાંડમાં પહેલી વખત ભજવાયું.

સમય: સને ૧૯૦૦ થી ૧૯૫૨
સ્થળ: હિન્દની કોઈ પણ માંનો ઓરડો

પાત્રો: માં, માસ્તર, વેપારી, સમાજ સુધારક, છાપાવાળો, રેડીઓ એનાઉન્સર, મુસાફર અને માંભારતી

પડદો ખૂલેછે ત્યારે સ્ટેજ ના એક ભાગ પર સ્પોટ લાઈટ ના અજવાળે એક માં તેના બાળક ને પારણામાં ઝૂલાવતી નજરે પડે છે. સ્ટેજ ના બાકીના ભાગ માં અંધારું છે,
માં હાલરડું ગાતી હોઈ છે, “ઓ જશોદાજી આવડો લાડકવાયો લાલ ન કીજીયે”

માં નું હાલરડું ધીમે ધીમે શાંત થતું જાય છે. માં પારણામાંના બાળકને જુવે છે, ફરી હાલારડું ગંગાને છે.. …માં ઝોકે ચડે છે…સ્ટેજના બીજા ભાગ માં અજવાળું થાય છે અને માં નું સ્વપ્નું શરૂથાય છે.


યંગક્લબનું નાટક “આત્માના આંસુ”; લેખક – દિર્ગદર્શક : બાબુભાઇ વ્યાસ 4

એક આંગતુક ઘરે આવે છે અને બાપ અને દીકરીના શાંત પ્રવૃત્તિમય જીવનમાં ઝંઝાવાત પેદા કરી જાય છે અને નાટકને અંતે પ્રેક્ષકોને પણ એક આંચકો આપી જાય છે. પાત્રો છે : પ્રોફેસર અભિજિત, તેની દીકરી બિંદુ, ઘરકામમાં મદદ કરતો રામુ, દૈનિક “અભ્યુદય”, “તાજા સમાચાર” અને “નયા દિન” અખબારના પ્રતિનિધિઓ અને એક આગંતુક,

પડદો ખુલતાં મંચ પર એક ગ્રહસ્થ કુટુંબના દિવાનખાનામાં થોડી બેઠકોની વ્યવસ્થા થતી નજરે પડે છે. પ્રોફેસર અભિજિતના મરણ પછીના જીવન અને આત્મા ઓળખ પર કરેલા સંશોધન આધારિત પેપર તાજેતરમાં પ્રસિધ્ધ થયા છે. આજે પ્રેસ કૉન્ફ્રરન્સ છે. સમય સવારનાં સાડાઆઠ પછીનો, પડદો ખુલે છે ત્યારે બિંદુ મોટા અરીસા વાળા ડ્રેસિંગ ટેબલ પર ફ્લાવરવાઝ સરખું કરતી નજરે પડે છે. ઓરડો – દિવાનખાનું હોઈ જરૂર પ્રમાણે ફર્નીચર છે, પાછલી દિવાલમાં એક બારી છે, ડાબી બાજુ ઘરનાં બાજુના રૂમમાંથી દિવાનખાનામાં આવવાનું બારણું છે. જયારે જમણી બાજુનું બારણું ઘરનું પ્રવેશદ્વાર છે.


‘સમુદ્રમંથન’ અને ‘અકૂપાર’ – એક જ દિવસે માણેલા બે નાટકોની વાત.. 7

વર્ષોથી ખારવાઓની આસપાસ, દરિયાની આસપાસ રહેતા હોવાથી તેમના જીવન પ્રત્યે, જીવન પદ્ધતિ પ્રત્યે એક અજબનું આકર્ષણ સર્જાયું છે એમ હું મારા માટે કહી શકું. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસકથાઓ હોય કે શ્રી હસમુખ અબોટી ‘ચંદન’નો અક્ષરનાદ પરનો આ લેખ હોય, કે મારી જાફરાબાદથી મુંબઈની દરિયાઈ સફર હોય.. દરિયો હંમેશા મને ખેંચે છે. એટલે જ્યારે અમદાવાદના ફિલ્મ સ્ક્રિપ્ટ વર્કશોપમાં અદિતિબેન દેસાઈએ શ્રી હસમુખ અબોટી ‘ચંદન’ની વાત આધારિત નાટક ‘સમુદ્રમંથન’ અને ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા પર આધારિત નાટક ‘અકૂપાર’ના મંચન વિશે જણાવ્યું તો એ જોવાનો નિર્ધાર અનાયાસ જ થઈ ગયો. એ માટે મહુવાથી ખાસ અમદાવાદ જવું પડ્યું.. આજે પ્રસ્તુત છે એ બંને નાટકો વિશેનો મારો દ્રષ્ટિકોણ. હું કોઈ ક્રિટિક કે રિવ્યુઅર તરીકે નહીં પણ એક અદના દર્શક તરીકે મારી વાત મૂકવા માંગુ છું.


યંગક્લબનું નાટક “વિવેચક અથવા મુનળ” 7

સને ૧૯૪૮, ૬ નવેમ્બરના રોજ ભાવનગરની એ.વી. સ્કુલના મધ્યસ્ત ખંડના મંચ ઉપર આ નાટક યંગક્લબની ટીમે પહેલી વખત ભજવ્યું, પ્રેક્ષકોને ઘણું ગમ્યું, પછી તો “વિવેચક અથવા મુનળ” ઘણી વખત ભજવાયું, ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિકોત્સવમાં પણ મંચસ્થ થયું.

નાટકમાં વાત ગઈ પેઢીના અગ્રતમ ગુજરાતી સાહિત્યકારો અને તેમને રચેલાં અમર પાત્રો વચ્ચેના વિવાદની છે. પાત્રો છે : મુનિકુમાર, ઋષી, કાક, નાયક, બાદશાહ, બીરબલ, દેવદાસ, મુનળ , ક. મા. મુનશી, ર. વ. દેસાઈ, ગોકુલદાસ રાયચુરા, ધૂમકેતુ વગેરે..
નાટકનું સ્થળ છે મુનિકુમારનું ઘર, તેઓ ગુજરાતી સાહિત્યના વિવેચક છે.


દસ કરોડનો વીમો..(હિન્દી નાટક) – હાર્દિક યાજ્ઞિક, જીજ્ઞેશ અધ્યારૂ 11

અમારી કંપની “પિપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની”માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાની ઉજવણી ખૂબ વિશાળ સ્તર પર આયોજીત થઈ હતી, અને કલ્ચરલ કમિટીના સભ્ય તરીકે મારા તરફથી બે પ્રસ્તુતિઓ હતી, ૧. અમારે ત્યાં સેવાઓ આપતા આસપાસના ગામ, રામપરા, ભેરાઈ અને કોવાયાના યુવામિત્રો દ્વારા તદ્દન કાઠીયાવાડી અને પરંપરાગત પહેરવેશમાં દાંડીયા રાસનો કાર્યક્રમ તથા ૨. મારી સાથે કામ કરતા મિત્રોના સહયોગથી ઉપરોક્ત નાટકનું મંચન. પ્રસ્તુત નાટક મૂળે હાર્દિકભાઈ યાજ્ઞિકનું લેખન છે જેમાં ઉમેરા તથા સુધારા-વધારા કરીને મેં તેને ઉપરોક્ત સ્વરૂપ આપ્યું હતું. આ માટેની જરૂરી પરવાનગીઓ બદલ શ્રી હાર્દિકભાઈનો આભાર. આજે પ્રસ્તુત છે આ નાનકડા પ્રાયોગીક હાસ્યનાટકની સ્ક્રિપ્ટ… જો કે આ નાટક આખું ભજવી શકાયું નહોતું, એ વિશેની વિગતો મારા બ્લોગ પર “એક નાટક જે ભજવાયું નહીં” શીર્ષક હેઠળ મૂકી છે.


પ્રયોગશીલ નાટ્યક્ષેત્રનો વીર : મનોજ શાહ – મનોજ જોશી 6

મનોજભાઈ શાહના નાટ્યક્ષેત્રમાં પદાર્પણ, તેમના સશક્ત નાટકો અને તેમના દિગ્દર્શનની હથોટી વિશે મિત્ર વિપુલભાઈ ઉપાધ્યાય (વિપુલ ભાર્ગવ) પાસેથી પૃથ્વી થિયેટર, મુંબઈના કૅફૅટેરીયામાં બેસીને આયરીશ કોફીની ચુસકીઓ વચ્ચે મનોજભાઈની હાજરીમાં જ સાંભળેલું, એ પછી તેમની સાથે ડિનરનો લાભ મળ્યો ત્યારે તેમના સરળ પરંતુ સાહિત્ય પ્રત્યે સમર્પિત વ્યક્તિત્વનો સુપેરે પરિચય થયો. આપણી કૃતિઓને નાટ્ય રૂપરંગમાં વણીને જે રીતે તેઓ મંચ પર મૂકે છે એ અવર્ણનીય અને અદભુત છે. અહીં એક અફસોસ પણ છે, અન્ય કોઈ પણ ભાષાએ પોતાના આવા લાડકા સપૂતને માથે બેસાડ્યો હોય જ્યારે ગુજરાતના કેટલા લોકોને મનોજભાઈના આ પ્રદાન વિશે ખ્યાલ હશે? હાલમાં રજૂ થયેલું ‘હું ચંદ્રકંત બક્ષી’ ના દિગ્દર્શક પણ તેઓ જ છે. તેમના વિશે શ્રી મનોજ જોશીએ ‘ફુલછાબ’ દૈનિકમાં સાપ્તાહિક કટાર અંતર્ગત થોડાક વર્ષ પહેલા લખેલ પરિચય લેખને આજે અહીં પ્રસ્તુત કર્યો છે જે પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લીધો છે.


નંદનવન (બાળનાટક) – રમેશ ચાંપાનેરી 3

‘પર્યાવરણ અને તેની જાળવણી’ ના વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલ આ બાળનાટક સરળ પરંતુ સબળ છે, સ્પષ્ટ સંદેશ અને છતાંય નાટકના કેન્દ્રવર્તી વિચારને ધ્યાનમાં રાખીને લખાયેલ સંવાદો – વિચારો સાથેની આ કૃતિ આજના સમય માટે એક આદર્શ બાળનાટક છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રમેશભાઈ ચાંપાનેરીનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


વર્તમાન નાટકો.. – મણિલાલ દ્વિવેદી (‘સુદર્શન’ સામયિક, જુલાઈ ૧૮૯૬) 5

ચાળીશ વર્ષના અલ્પ આયુષ્ય છતાં મણિલાલ નભુભાઇ દ્વિવેદી જથ્થો તેમજ ગુણવત્તા બેઉ પરત્વે ગુજરાતી જ નહિં પરંતુ હરકોઇ દેશના ભાષાસાહિત્યને સમૃધ્ધ કરે તેવો સત્વશાળી અક્ષરવારસો આપી ગયા છે. જીવન, ધર્મ, ગૃહ, રાજ્ય, સમાજ, શિક્ષણ અને સાહિત્ય એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરતી તાત્વિક વિચારશ્રેણી અને અતુલ બળશાળી શૈલી વાળા લેખો લખીને તેમણે ગુજરાતી ભાષા અને પ્રજાની અપ્રતિમ સેવા બજાવી છે. 1885ના ઓગસ્ટમાં શરૂઆત કરી પ્રિયંવદા માસિકની, અને પાંચ વર્ષ એટલે ઓક્ટોબર 1890 થી તેને ‘સુદર્શન’ નામ આપ્યું. તે તેમના છેલ્લા શ્વાસ પર્યંત, એટલે કે ઓક્ટોબર 1898 સુધી ચાલ્યું. પ્રસ્તુત લેખ સુદર્શન માસિકના જુલાઈ ૧૮૯૬ના અંકમાંથી લેવામાં આવ્યો છે. આજથી લગભગ 120 વર્ષ પહેલાની શ્રી મણિલાલ દ્વિવેદીની તત્કાલીન ગુજરાતી નાટ્યકળા વિષયક આલોચના અને તેની કથળતી જતી ગુણવત્તા પરત્વેની ચિંતા અને એ વિશેની સમૂળી વિચારસરણી આ લેખમાં ઝળકે છે.


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૪…. જેસલ તોરલ (Audiocast) 12

જેસલ તોરલની વાત કચ્છની અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિની અનોખી તાસીરને – એ મહામાનવોની વાતને વિશાળ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. બે બે ડાકુઓના – લૂંટારાઓના હ્રદય પરિવર્તન કરાવનાર અને જીવતે જીવત જેમની માનતાઓ મનાતી, શ્રાપિત અપ્સરા માનવામાં આવતાં એવા સતી તોરલની વાતે તો આજેય માથું નમી પડે છે. એ વાતને ખૂબ હ્રદયંગમ રીતે આ નાટકમાં વણી લેવાયેલી, અને એ જ આ નાટકનો સૌથી મોટો ભાગ પણ હતો – અને સૌથી વધુ મનોહર તથા મહેનત માંગી લેતો ભાગ પણ. આ રેકોર્ડીંગમાં મેં સાંસતીયાજીનો અવાજ આપ્યો છે, જેસલનો અવાજ આપ્યો છે મુકેશભાઈ મેકવાને. આશા છે આપને આ નાટક ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો ચોથો અને અંતિમ ભાગ સાંભળવાનું ગમશે. આ વિશે આપના વિચારો અને પ્રતિભાવ જાણવા રસપ્રદ થઈ રહેશે. તો સાંભળીએ આ ચોથો અને અંતિમ ભાગ


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૩….. ચારણકન્યા / દીકરો (Audiocast) 9

વચ્ચે એક દિવસના વિરામ બાદ આજે પ્રસ્તુત છે નાટક ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો ત્રીજો ભાગ, જે સમાવે છે શ્રી મેઘાણીની અમર રચના એવી ચારણકન્યા વિશેની વાતને અને રસધારમાંથી વાર્તા ‘દીકરો’. આ ભાગ આમ જોવા જાઓ તો સંપૂર્ણપણે સૌરાષ્ટ્રની – ગુજરાતની દીકરીઓના ખમીર અને સક્ષમ મનોબળનો પરચો કરાવતો વિશેષ ભાગ બની રહ્યો છે. સંજોગોવશાત ઉપરોક્ત બંને પ્રસંગો – વાતોમાં આવતી કન્યાનું નામ હીરબાઈ છે – હીર એટલે ખમીર, હિંમત, મક્કમ મનોબળ, અને એ સૌરાષ્ટ્રની બહેન દીકરીઓમાં ભારોભાર ભર્યું છે. સાંભળો આજે આ ત્રીજો ભાગ.


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૨….. ચાંપરાજ વાળો (Audiocast) 2

જો કે આ નાટકની વાર્તાઓ પસંદ કરતી વખતે મારી સૌપ્રથમ પસંદગી હતી રા’નવઘણ. રા’નવઘણની વાત ભલે લોકોને ‘લાર્જર ધેન લાઈફ’ લાગી હોય પણ મેં એ માયલા (એ ભાતના) લોકો સાથે છેલ્લા પાંચ વર્ષથી ઘરોબો બાંધ્યો છે – આહીરો સાથે લગભગ અતૂટ કહી શકાય એવો મિત્રતાનો અને ક્યાંય એથીય વધુ સંબંધ બંધાયો છે, અને એ જ અંતર્ગત તેમના ઘરોમાં ગૃહીણીઓના પહેરવેશ – જીમી વિશેનો પહેલો સવાલ મિત્ર માયાભાઈને અને તે પછી રામપરા ગામના સરપંચ લક્ષ્મણભાઈના ઘરે એમના પિતાજીને મેં કર્યો હતો, અને સૌરાષ્ટ્રની રસધાર’માંની જ એ અનોખી વાત તેમના કંઠે એક અલભ્ય અને અનોખા આદર સાથે સાંભળી હતી, આજેય જે પરંપરામાં શોક પાળવા અમુક પ્રકારના જ વસ્ત્રો અને સાદગી જીવનભર પાળતી પેઢીઓ વહી આવે છે એ રા’નવઘણની વાતે મને ખૂબ આકર્ષ્યો હતો. પરંતુ એક અથવા અન્ય પ્રાયોગીક કારણસર એ શક્ય થઈ શક્યું નહીં. ફરી ક્યારેક એ વિશેષ પ્રસ્તુતિ સાથે પ્રગટ થશે એવી અપેક્ષા તો ખરી જ ! તો ચાલો સાંભળીએ વાત ચાંપરાજ વાળાની… ચાંપરાજ વાળાની – અપ્સરાઓ સાથેની તેની મુલાકાત અને સંવાદની – એ પછી મોચીને મળેલા વરદાન અને દિલ્હીની શાહઝાદીને ઉપાડી લાવવાની તેની ધૃષ્ટતા તથા તે પછી થયેલુ યુદ્ધ અને એમાં સૌથી પહેલા મૃત્યુ પામેલ જોગડો ઢોલી અને બીજો ચાંપરાજ વાળો – એમ આખુંય નાટક ખૂબ હ્રદયંગમ રીતે બાળકો દ્વારા ભજવાયું, તેના અમુક ફોટોગ્રાફ્સ પણ અહીં મૂકી રહ્યો છું.


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૧.. દેપાળદે (Audiocast) 16

ત્રણેક મહીના પહેલા એક સાંજે અચાનક જ મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકનો ફોન આવ્યો, કહે, આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ એવી સૌરાષ્ટ્રની રસધારને નાટક સ્વરૂપે રજૂ કરવી છે, તેમાંથી તમારી પસંદગીની વાર્તાઓ કહો. આ વર્ષે સૌરાષ્ટ્રની રસધારમાંથી કેટલીક વાર્તાઓ અને કેટલાક મેઘાણીગીતોને લઈને બનાવવું હતું ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્ય સ્વરૂપે. શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક ભલે કેનેડા પહોંચ્યા છે, પરંતુ તેમની સાથે, જયેશભાઈ, શૌનકભાઈ તથા મુકેશભાઈ સાથે ડી સ્કવેર સાઊન્ડ, નડીયાદમાં ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટકના ઑડીયો રેકોર્ડીંગ વખતે વીતાવેલી કેટલીક સરસ અને યાદગાર પળો જીવનભરનું નજરાણું છે. આજથી આ નાટક ચાર ભાગમાં અક્ષરનાદ પર રોજ એક ભાગ રૂપે રજૂ થશે. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે આ જ નાટકની કૃતિ – પ્રજાવત્સલ દેપાળદે મહારાજની વાત. આમ તો આ સળંગ નાટક છે, પરંતુ એકથી બીજી વાર્તા બદલાય ત્યાંથી તેને અલગ કરી ચાર વાર્તાઓને ચાર ભાગમાં રજૂ કરી છે.


નાટ્યકાર બાબુભાઈ વ્યાસની ડાયરીમાંથી . . . 3

૧૯૩૫ થી ૧૯૬૫ ના વર્ષોમાં જેમના નાટકો ભાવનગરના ‘યંગ ક્લબ’ દ્વારા ભજવાતાં એવા નાટ્યલેખક શ્રી બાબુભાઈ વ્યાસે ૪૫થી વધુ નાટકો લખ્યા છે અને તેના ત્રણ પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં છે. તેઓ પોતાની ડાયરી સતત લખતાં, એ ડાયરી તેમના વ્યવસાયિક અને અંગત જીવનનો સરસ પરિચય આપી જાય છે, સાથે સાથે એ સમયના સમાજજીવનના અનેરા પાસાઓ પણ આપણને ઉઘાડી આપે છે. આજે એમની ડાયરીના ચાર પ્રસંગો અને તેમણે વિવિધ ઘટનાઓ પ્રત્યે દર્શાવેલ વિચારો અહીં પ્રસ્તુત કર્યા છે. આશા છે અક્ષરનાદના વાચકમિત્રોને શ્રી બાબુભાઈ વ્યાસની ડાયરીના માધ્યમથી અદના ગુજરાતી નાટ્યકારના ભૂતકાળમાં ડોકીયું કરવાની તક ગમશે. અક્ષરનાદને આ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી બાબુભાઈ વ્યાસના પુત્ર શ્રી નિતિનભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર.


અંધેર નગરી – ભારતેન્દુ હરિશ્ચંદ્ર અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 8

સપ્ટેમ્બર ૧૮૫૦માં બનારસમાં જન્મેલા ભારતેન્દુ હરિશ્ચંદ્ર આધુનિક હિન્દી સાહિત્યના જનક કહેવાય છે. તેમના અનેક પ્રખ્યાત નાટકોમાં વૈદિક હિંસા હિંસા ન ભવત્તિ, ભારત દુર્દશા, સત્યવાન હરિશ્ચંદ્ર તથા અંધેર નગરી મુખ્ય છે. આ સિવાય તેમણે પદ્ય તથા નિબંધ અને અનુવાદ ક્ષેત્રે પણ નોંધનીય કામ કર્યું છે. અંધેર નગરી એક ધારદાર વ્યંગ ધરાવતું અને રાજકીય પશ્ચાદભૂમાં રાચતું અનોખું અને સબળ નાટક છે. ૧૮૮૧માં લખાયેલ આ નાટક હિન્દી નાટ્ય જગતનું એક પ્રમુખ અને અત્યંત પ્રચલિત નાટક છે, અનેક ભાષાઓમાં એના અનુવાદો પણ થયા છે. આજે પ્રસ્તુત છે ચુને હુએ બાલ એકાંકી માંથી તેનો અનુવાદ.


જય સોમનાથ – હાર્દિક યાજ્ઞિક (First audiocast) 28

અક્ષરનાદના ઑડીયો વિભાગની શરૂઆત માટે ‘જય સોમનાથ… !’ થી વિશેષ શું હોય ? સોમનાથ દાદાની આ કૃપા જ છે કે વિશેષ રૂપે મેં હાર્દિકભાઈને આ નાટકની એક નાનકડી પરિચય કડી આપવા વિનંતિ કરી અને તેમણે હોંશે હોંશે એ મોકલી આપી છે, અને બીજી કોઈ પણ રીતે આ સાંભળવાનો અવસર કદાચ ન મળે પણ અહીં તેનો પરિચય, ક. મા. મુનશીનું વર્ણન, કેટલાક સંવાદો અને એ રીતે આ નાટકની ઝાંખી આપવાનો આ પ્રયત્ન આપ સૌને પસંદ આવશે એવી આશા છે.


ભણતરનો ભાર – દર્શના પુનાતર (બાળનાટક) 19

પ્રસ્તુત બાળનાટક ભાર વિનાના ભણતર માટે વાલીઓ શું કરી શકે એ વિશેનું એક નાનકડું ઉદાહરણ પ્રસ્તુત કરે છે. બાળકોને તેમની પસંદગીના ક્ષેત્રમાં વિકસવા મળે તે ખૂબ અગત્યનું છે એવો આ નાટકનો સૂર છે. જામનગરના ભવન્સ એ. કે. દોશી વિદ્યાલયમાં કોમ્પ્યુટર શિક્ષિકા એવા શ્રી દર્શનાબેનનો પ્રસ્તુત બાળનાટક અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી અનેક સુંદર કૃતિઓ હજુ પણ અવતરે તેવી શુભકામનાઓ. ગુજરાતી રંગમંચ અને અહીં ભજવાતા નાટકો ગુજરાતી સાહિત્ય વારસાનો એક અમૂલ્ય હિસ્સો છે. તેમના આ બાળનાટકથી અક્ષરનાદ પર ગુજરાતી રંગમંચ વિશેની કૃતિઓ / નાટકોની સમીક્ષા વગેરે મૂકવાની ઈચ્છાની બાળ શરૂઆત થઈ શકી છે.


એક છોકરી સાવ અનોખી….. – અનોખી છોકરીની વાસ્તવિક કહાની 5

આજે પ્રસ્તુત છે એક સુંદર સરળ, હાસ્યસભર અને છતાંય એક અનોખો હકારાત્મક અભિગમ દર્શાવતા લાગણીભીના ગુજરાતી નાટક “એક સાવ અનોખી છોકરી” વિશે થોડુંક. એ એક એવા રંગમંચનો ખૂબ સુંદર પરિચય આપી જાય છે જેમાં હાસ્યની સાથે, પ્રેમની સાથે જીવનના મૂળભૂત સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન છે, એ પ્રેક્ષક વર્ગ માટે ફક્ત મનોરંજન નથી રહેતું, કાંઇક નક્કર “પોઝિટીવ થીંકીંગ્ આપી જતું માધ્યમ બની રહે છે. હોઈ શકે કે ફક્ત મનોરંજનના માધ્યમથી કહેવાતી વાતો લોકોને ગળે ન ઉતરે, પરંતુ એક કલાકાર પોતાના ધર્મને અનુસરી પોતાના કર્તવ્યને પૂરી ભાવનાથી ન્યાય આપી આવા સુંદર પ્રેરણાદાયક મનોરંજક નાટકો કરતા રહેશે, રંગમંચ પાસે ત્યાં સુધી આપવાલાયક કાંઈક ને કાંઈક સદાય રહેશે. એક ગુજરાતી હોવાના લીધે આપણી ફિલ્મોમાં હજીય બીબાંઢાળ વાર્તાઓ અને પાત્રો હોવાના અફસોસ સાથે આપણા રંગમંચમાં આવા સુંદર પ્રયત્નો થતાં રહેતા હોવાનો એક અનોખો ગર્વ આજે મને થયો છે. આ માટે “એક છોકરી સાવ અનોખી” ની આખીય ટોળકી અભિનંદનને પાત્ર છે.