Daily Archives: June 16, 2015


વાચકમિત્રોની કાવ્યરચનાઓ.. – સંકલિત 9

અક્ષરનાદ માટે અનેક મિત્રોની રચનાઓ મળતી રહે છે જેમાં ૯૦% પદ્યરચનાઓ હોય છે, કેટલીક સુંદર અને માણવાલાયક કૃતિઓ પ્રસ્તુતિ માટે મળે છે અને સાથે એમાં કેટલીક રચનાઓ એવી પણ હોય છે જે ભૂલો સાથે પણ, કોઈ બંધારણમાં બેસી શકે એવી કદાચ જ હોય. જે મિત્રો પ્રથમ વખત કાવ્યરચના કરતા હોય તેમની ભૂલ થવી સ્વભાવિક છે, તેમની રચનાઓમાં વિચારના પ્રાધન્યને લીધે અને શાસ્ત્રીય સર્જનની જાણકારીના અભાવને લીધે પ્રસ્તુતિ માટે પસંદ ન થાય એવો ભય પણ રહે છે. પણ ત્યારબાદ વધુ સર્જન કરતી વખતે તેઓ જે તે પદ્યપ્રકારની જાણકારી મેળવી સર્જનરત થાય તે ઇચ્છનીય છે. લગભગ બંને પ્રકારની રચનાઓનો સમન્વય કરીને સમયાંતરે આ પદ્યરચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થાય જ છે, એ જ શ્રેણીમાં પસંદ કરીને આજે પાંચ મિત્રોની કૃતિઓ પ્રસ્તુત કરી છે. સંજય ગુંદલાવકર, ટી.સી. મકવાણા, વિનોદ પટેલ, આશિષ આચાર્ય અને હંસા રાઠોડ ‘અનુભૂતિ’ ની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. બધાંય મિત્રોનો અક્ષરનાદને આ કૃતિઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આભાર અને તેમની સર્જનયાત્રા માટે શુભેચ્છાઓ.