સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હરિન્દ્ર દવે


સાજન, થોડો મીઠો લાગે.. – હરિન્દ્ર દવે 9

ગઈકાલે દૂરના એક સગાંના લગ્નમાં મહુવાથી સોમનાથ જતા રસ્તામાં અસંખ્ય લગ્નો થતાં, જાન જતી અને આવતી જોઈ અને આજે પણ અસંખ્ય યુગલો લગ્નના પવિત્ર બંધનમાં એકબીજાનો હાથ ઝાલીને બંધાશે, જીવનભર સાથે ચાલવાના વચન સાથે પ્રેમનો એક નવો અધ્યાય શરૂ થશે. આ સમયે એ સર્વે નવપરણિતોને શ્રી હરિન્દ્ર દવેનું ઉપરોક્ત ગીત, ‘હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે; તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક ક્યાંક દીઠો લાગે !’ મદદરૂપ થશે.


નિત્ય વસંત… (એક અનોખો પ્રેમપત્ર) – હરિન્દ્ર દવે 9

આજની યુવાપેઢી માટે પ્રેમપત્રો હવે જાણે વીતેલા યુગની નિશાની હોય એવું વાતાવરણ સર્જાયું છે, મોબાઈલ, ઈન્ટરનેટ અને ઝડપી પરિવહનના આ યુગને કારણે પ્રેમીઓ વચ્ચેના અંતર સમૂગળુ મટી ગયું હોય એમ અનુભવાય છે, પરંતુ હજુ હમણાં જ વીતી ગયેલા સમયમાં પ્રેમપત્ર એક અગત્યની મૂડી હતી, એ લખીને પ્રિયપાત્રને પહોંચાડવાની સમગ્ર ઘટના હૈયાના ધબકારની ગતિને અનેકગણી વધારતી તો તેનો ઉત્તર અને પ્રત્યુત્તર પણ એવા જ વમળો હૈયામાં પ્રસરાવતાં. વિરહ થયો છે એવા પ્રિયપાત્રને વર્ષો પછી ફરી મળવાનું થયું ત્યારે તેમને પત્ર લખ્યો હોય એ પ્રકારની પ્રસ્તુતિમાં આ કૃતિ લખાઈ છે. શ્રી હરિન્દ્ર દવેની કલમની સુંદરતા તો એમાં પ્રગટે જ છે, એક પ્રેમી હ્રદયની વાત પણ અહીં સુપેરે કહેવાઈ છે. સમર્પણ સામયિકના ૧૭ નવેમ્બર ૧૯૬૩ના અંકમાંથી પ્રસ્તુત કૃતિ અહીં પ્રસ્તુત કરાઈ છે.


દસ રાધા-કૃષ્ણ કાવ્યો… – સંકલિત 6

આજે શ્રી કૃષ્ણ અવતરણના સ્મૃતિદિને, જન્માષ્ટમી નિમિત્તે કેટલાક કૃષ્ણકાવ્યો એકઠા કરીને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યો એકત્ર કરી ટાઈપ કરી મોકલી આપવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. દસેય કાવ્યરચનાઓ અજોડ છે અને મને ખૂબ ગમે છે. પ્રભુ સર્વેને સુખ, શાંતિ અને ઐચ્છિક આશીષ આપે એવી શુભકામનાઓ સાથે આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.


રાજકારણીઓ માટે એક મૅનેજેબલ કૉમોડીટી : જનતા – હરિન્દ્ર દવે 7

ગાંધીની કાવડ લઘુનવલ સાદ્યાંત રાજકારણનું કથાવસ્તુ ધરાવે છે તે કારણે તેને રાજકીય કથાવસ્તુ વાળી નવલકથા કહી શકાય, પણ આખરે તો નવલકથા ગમે તે વિષયને અનુલક્ષીને હોય, એનું હાર્દ સ્પર્શવું જોઈએ, લાલચુ, અપરાધી અને બદમાશ રાજકારણીઓ પાસે સત્તા મેળવવાની, મેળવીને ટકાવી રાખવાની ને બને તો વધારતા જવાની અનેક તરકીબો છે એમાંની એક આ નવલમાં આલેખાઈ છે તે છે શુદ્ધ માનવીને નિષ્કલંક પ્રતિભા અને પ્રતિમાને હાથો બનાવવાની. કરુણાશંકર માસ્તર ગાંધીજીના નિકટના સાથી અને સ્વાતંત્ર્યસેનાની છે તેમને હાથો બનાવવામાં બે લાભ, એક તો તેઓ સરકારની ટિકા કરતાં અટકે અને બીજો પક્ષના -સરકારના પક્ષમાં તેમનો ઉપયોગ કરી શકાય. રાજકારણીઓ માનવીને પણ મૅનેજેબલ કૉમોડીટી માને છે તે આ કૃતિમા ફલિત થાય છે. ગાંધીની કાવડ આપણી પ્રવર્તમાન વ્યવસ્થાનો આયનો પણ કહી શકાય, એ જ નવલકથાનો મને ગમતો એક નાનકડો ભાગ આજે પ્રસ્તુત છે.


બે કૃષ્ણ કાવ્યો – હરિન્દ્ર દવે 4

શ્રી હરિન્દ્ર દવેની અનેકો રચનાઓમાં કૃષ્ણપ્રેમ અચૂક ઝળકે છે. તેમની આવી જ કૃષ્ણના રંગે રંગાયેલ રચનાઓનો સંગ્રહ એટલે સંગ્રહ ‘મારગે મળ્યા’તા શ્યામ’. આ સુંદર સંગ્રહમાંથી આજે પ્રસ્તુત છે બે કૃષ્ણપ્રીતીની રચનાઓ. પ્રથમ રચનામાં જ્યાં કૃષ્ણના વાંક દેખાડીને ગોપીઓ તેમની હાજરીને ઝંખે છે તો બીજી રચના, ‘રથના ચીલામાં આંખ પૂરો’ તેમના મથુરા ચાલ્યા ગયા પછીની રાધા અને ગોપીઓની મનોસ્થિતિનું પ્રભાવી વર્ણન કરી જાય છે. સુંદર ઉપમાઓને લીધે આ કાવ્ય પણ માણવાયોગ્ય અને મનભાવન થયું છે. તો સાથે એ જ પુસ્તકમાંથી કાંગડા શૈલીમાં અંકિત થયેલી રાધા કૃષ્ણની છબી મૂકી છે.


ઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ 1

ખય્યામ મનનો કવિ છે. એની એક રુબાઈ તમે મનમાં ગુંજો, અને અપાર અર્થો તમારી સમક્ષ ઉઘડશે. જિંદગીની કિતાબના જે પૃષ્ઠોને આપણે ઉતાવળમાં કોરા માનીને ઉથલાવી જઈએ છીએ, તેનો મર્મ ખય્યામ ઉકેલે છે. પ્રથમ રુબાઈમાં ચિત્રણ, બીજીમાં ઉપાલંભ, ત્રીજીમાં કવિ હ્રદયદ્રષ્ટિ પર ઝોક આપે છે. ખય્યામ આમ મૃત્યુના સંદર્ભમાં જીવનને મૂકી દે છે, અને જીવનની નિરર્થકતા, તકલાદીપણું, ક્ષણભંગુરતા – આ બધું જ આપણને સમજાવે છે. અને આ ત્રણેય રુબાઈઓના શૂન્ય પાલનપુરીના અનુવાદનો આસ્વાદ હરિન્દ્ર દવે કરાવે ત્યારે કેવો અનેરો સંગમ થાય?


વૃદ્ઘત્વ – ગીતા પરીખ (કાવ્ય આસ્વાદ – હરિન્દ્ર દવે) 3

વૃદ્ઘાવસ્થાના એક પ્રસન્ન શાંત ગીતને અહીં કવિયત્રીએ ઉપસાવ્યું છે. આ ગીતનું વરદાન બઘી જ વૃદ્ઘાવસ્થાને પ્રાપ્ત થયું નથી; ઘણા બઘા વૃદ્ઘોને આપણે ફરીયાદ કરતા, જીવનને શાપતા જોઈએ છીએ; પણ જે જીવનને એના ગૌરવ સાથે જીવ્યા હોય અને જેમણે સાથે પોતાના અંગત જીવનનું પ્રમાણ મેળવી લીઘું હોય તેઓની વૃદ્ઘાવસ્થા ‘ ભાવુક ભવ્યગાન’ જેવી બનતી હોય છે. શિશુ જીવનના માર્ગ પર ભાખોડિયા ભરે છે; યુવાનીમાં માણસ જીવનના રસ્તા પર દોટ મૂકે છે, પણ જીવનના રસ્તા પર પ્રસન્ન્તાથી ટહેલવાનો અવકાશ જીવન પરિતૃપ્તિથી જીવી ગયેલા વૃદ્ઘોને જ સાંપડે છે.


અંધકાર – હરિન્દ્ર દવે 3

શ્રી હરિન્દ્ર દવે આપણી ભાષાના રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમણે કેટલીક ખૂબ સુંદર અને મરમી રચનાઓ ગુજરાતી સાહિત્યજગતને આપી છે. અંધકાર વિશેની આ રચના પણ એવીજ એક ખૂબ સુંદર કૃતિ છે. અંધકારને વિવિધ સ્વરૂપોમાં, વિવિધ સમયોના દર્પણમાં, અનેકવિધ કલ્પનાઓ રૂપે તેમણે આભાસ આપ્યો છે. અને છેલ્લે અંધકારને દાદાની વાર્તામાં આવતા દરિયા તરીકે કલ્પીને તેમણે કમાલ કરી દીધી છે.


ગાંધીની કાવડ – હરિન્દ્ર દવે 5

પ્રસ્તુત સમયમાં ગાંધીજીની તથા તેમના મૂલ્યોની આજના રાજનેતાઓ દ્વારા ઉડાવાતી ઠેકડીઓ અને તેમના નામના થઇ રહેલા દુરુપયોગ પર શ્રી હરિન્દ્રભાઇ દવેએ એક પાગલનાં વિચારો દ્વારા કેટલા માર્મિક કટાક્ષો કર્યા છે? ખૂબ જ સુંદર અને નાનકડો પણ સમજવા જેવો પ્રસંગ.


અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં – હરિન્દ્ર દવે 4

કૃષ્ણ જન્મ થાય અને નંદ ઘેર આનંદ ઉજવાય ત્યારે કૃષ્ણની સાથે અચૂક યાદ આવે તેનો પડછાયો, તેમના પ્રેમનું તદન નિર્વિકાર સ્વરૂપ એવી રાધા. પણ મથુરા ગયા પછી કૃષ્ણ એ રાધાને યાદ કરે છે? હરિન્દ્ર દવેના શબ્દોમાં વાંચો કૃષ્ણની આ વ્યથાની અને તેમની તડપની એક રૂપરેખા.


ફાનસ તારા હાથમાં છે – હરીન્દ્ર દવે 6

ગુરૂ અને શિષ્યના સંબંધો અને સાચા ગુરૂની તલાશ પર અનેક લેખો લખાયા છે. શ્રી હરિન્દ્ર દવે તેમની આગવી શૈલીમાં અહીં સાચા ગુરુની ઉપસ્થિતિ વિશે ખૂબ સુંદર રીતે સમજાવે છે. ખૂબ વિચારપ્રેરક અને માણવાલાયક, મમળાવવા લાયક લેખ.


વરસાદની મૌસમ – હરીન્દ્ર દવે

ચાલ વરસાદની મૌસમ છે, વરસતા જઈએ. ઝાંઝવા હો કે દરીયા, તરસતા જઈએ. મૌતના દેશ થી કહે છે, બધા ભડકે છે, કૈ નથી કામ છતાં, ચાલ અમસ્તા જઈએ. આપણે ક્યાં છે મમત, એક જગાએ રહીયે, રસ્તા માગે છે ખુશીઓ, તો ભલે ખસતા જઈએ. સાવ નિર્જન છે, વીરાન છે, બીજુ તો શું કરીએ બાંધીએ એક નગર ને જરા વસતા જઈએ. તાલ દેનારને પણ એક મૂંઝવવાની મજા છે તાલ છે રૂદનનો, છતાં હસતા જઈએ.-           -હરીન્દ્ર દવે Jignesh Adhyaru