સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જયકાંત જાની


પાંચ રસાળ કાવ્યરચનાઓ – સંકલિત 1

આજે સંકલિત રચનાઓ અંતર્ગત અક્ષરનાદન વાચકમિત્રોની રચનાઓનો રસથાળ પ્રસ્તુત છે. શ્રીમતી ડીમ્પલ આશાપુરી, ડૉ. પ્રવીણ સેદાની, શ્રી જયકાંત જાની અને શ્રી મહેન્દ્રસિંહ એન. પઢિયાર ‘મરમી’ ની રચનાઓ આજે પ્રસ્તુત છે. આ રસથાળમાં અનેક ભાવો સંગ્રહિત છે, પ્રેમની અભિવ્યક્તિ, હઝલની પ્રતિહઝલ કે ગોધરાકાંડની વાતો, આ સંકલન રંગબેરંગી છે, વૈવિધ્યથી ભરપૂર રસથાળ જેવું. સર્વે મિત્રોનો આ રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ આભાર. તેમની કલમ આમ જ સર્જનની નવી નવી ઉંચાઈઓને સ્પર્શતી રહે તેવી શુભકામનાઓ.


(NRI) ગુજરાતી સમજ્યા કે – જયકાંત જાની 8

(NRI) ગુજરાતી એવા શ્રી જયકાંતભાઇ જાનીની આ રચના હળવી શૈલીમાં હળવી વાત કહે છે. અહીં ફક્ત હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયત્ન છે, કેટલીક ખૂબ સામાન્ય પંક્તિઓની થોડીક મચડીને તેમણે હાસ્ય નિષ્પન્ન કરવાનો એક સુંદર પ્રયત્ન કર્યો છે. આવી હળવી રચનાઓ તેમના તરફથી મળતી રહે તેવી આશા સાથે અક્ષરનાદને આ રચના મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


કર્મ નો સંગાથીનું પ્રતિકાવ્ય – જયકાંત જાની 5

થોડા સમય પૂર્વે અક્ષરનાદ પર કર્મનો સંગાથી…. – મીરાંબાઇનો અમૃત પ્યાલો એ શીર્ષક હેઠળ કર્મનો સંગાથી રાણા મારું કોઇ નથી એ સુંદર ભાવવહી ભજન મૂક્યું હતું. રાણાજીને કર્મની ગહન ગતિ વિશે સમજાવતી મીરાંના ખૂબ માર્મિક ભજનના ખૂબ સુંદર પ્રતિકાવ્યની રચના આપણા વાંચકમિત્ર શ્રી જયકાંતભાઇ જાનીએ કરી છે. અક્ષરનાદને આ સુંદર રચના પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


નર્ક નામનો સ્ટોર – જયકાંત જાની 1

“નર્ક નામનો સ્ટોર…. ” થોડુંક અલગ લાગે તેવું આ શીર્ષક શ્રી જયકાંતભાઇ જાની દ્વારા રચિત એક કવિતાનું છે. જો કે અમેરીકાને તેઓ શા માટે નર્ક નામના સ્ટોરનું સ્થાન બનાવે છે એ મને ખબર નથી, પણ મારા મતે ભારતના કોઇક પડોશી દેશ માટે આ ખરેખર બંધબેસે. પરંતુ તે સિવાય નર્કમાં મળતી બધીજ વસ્તુઓ અને તેની ખાસીયતો વિશે તેઓ ખૂબ તર્કસંગત રીતે સમજાવે છે. અને એટલેજ આ ખૂબ સુંદર સ્ટોરની મુલાકાત લો.