સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અશોક વૈષ્ણવ


Between the Assassinations (પુસ્તક સમીક્ષા) – અશોક વૈષ્ણવ 1

Between the Assassinations ‘બે હત્યાઓ વચ્ચે’ જેવું આકર્ષક શિર્ષક અને અરવિંદ અડીગા જેવું જાણીતા લેખકનું નામ વાંચ્યા પછી, તે પુસ્તકને ઉઠાવી અને તેનાં આગળ પાછળનાં પાનાં વચ્ચે પુસ્તકનાં કવરની વચ્ચે શું છૂપાયું હશે તેટલું જાણવાની ઇંતેજારી તો ભાગ્યે જ કોઇ રોકી શકે.
હવે જેવું તેનું પહેલું જ પરિચયાત્મક પાનું વાંચીએ એટલે જાણે કોઇ પર્યટનસ્થળની ચટપટી જાહેરાત વાંચતા હોઇએ તેવું લાગે. – “શહેરના ઇતિહાસ અને કુદરતી સૌંદર્ય તેમ જ ધર્મ, જાતિ અને ભાષાનાં વૈવિધ્યને ધ્યાનમાં લેતાં ઓછામાં ઓછું એક અઠવાડિયાંનું રોકાણ કરવાની ભલામણ છે.”- હા, આ વાત થઇ રહી છે આ પુસ્તકનું કથાફલક જે શહેરને કેન્દ્રમાં રાખી રહ્યું છે તે, ભારતના દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર કિનારા પર, ગોવા અને કાલીકટની વચ્ચે વસેલાં એક નાનાં, સાવ સાધારણ, સાવ જ સરેરાશ , એવાં “કિટ્ટુર”ની.


પ્રભાવશાળી નેતૃત્વ માટેના ૧૦૧ ગુણો – તન્મય વોરા, અનુ. અશોક વૈષ્ણવ 9

નેતૃત્વના ગુણો કેળવવા એ આજના સંઘર્ષભર્યા જાહેર જીવનની એક આગવી અને અનોખી જરૂરીયાત છે, સમાજજીવનમાં હોય કે વ્યવસાય ક્ષેત્રે, દરેક સ્થળે તેની જરૂરત રહે છે, અને આ ગુણો દરેક ક્ષેત્રમાં પ્રગતિના માપદંડ નક્કી કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પ્રભાવશાળી નેતૃત્વ માટેના આવા જ ૧૦૧ ગુણો શ્રી તન્મય વોરાએ તેમના બ્લોગ qaspire.com પર મૂક્યા છે જેનો ગુજરાતી અનુવાદ શ્રી અશોક વૈષ્ણવે કરીને અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા ઉપલબ્ધ કરાવ્યો છે. આશા છે સર્વે વાચકમિત્રોને એ ઉપયોગી થઈ રહેશે.


શ્રી હરેશ ધોળકીયા ની લઘુ નવલ “આફ્ટરશૉક” – અશોક વૈષ્ણવ 1

એક મહા ‘આંચકો’ ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ વહેલી સવારે વિનાશક ભૂકંપ કચ્છને ભાગે ભોગવવાનો આવ્યો. લોકજીવન અને ભૌતિક સંપત્તિને એવી મરણતોલ માર પડ્યો જણાતો હતો કે કચ્છ સદાય માટે ખતમ થઇ ગયું એવું બહારનાં જગતે થોડા સમય સુધી તો માની લીધું હશે. પરંતુ તે પછીના દાયકામાં આવું કચ્છ સ્મશાનની રાખમાંથી કોઇ અદ્ભૂત પ્રેરણા મેળવીને ફરીથી ધબકતું થયું. ભૂકંપ પછી ફરીથી બેઠા થવાની પ્રક્રિયા અંગે દસ્તાવેજી વૃતાંતો કે લેખો સમયોચિત થતાં રહ્યાં હશે. પરંતુ ભાઇશ્રી હરેશ ધોળકિયાના માનવા મુજબ એ બધાંમાં ક્યાંય માનવ જીવનની વેદના કે પીડા તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટા લાગણીનાં અને સંબંધોને સ્તરે પ્રતિબિંબીત થતાં જોવા નથી મળતાં. પુસ્તકની પ્રસ્તાવનામાં ઝલકતી લેખકની વિષયની ‘આંચકો-આપવાની-શક્યતા’ જ આગંતુક ‘આંચકા’નો રણરણાટ તો આપણાં મનમાં કુતૂહલનાં બીજ રોપી દેવામાં, જાણ્યે અજાણ્યે કારણભૂત બને છે. આમ “આફ્ટરશૉક’ જેવું શિર્ષક, હરેશ ધોળકિયાનું ચિંતન-લેખન, લેખકને બદલે એક નવલકથાના લેખક તરીકેની પ્રસ્તુતિ અને પ્રસ્તાવનામાં ઝલકતું રહસ્ય એ બધાને કારણે બહુ જ ઉત્સુકતાના, ‘હવે શું થશે’ના ભાવથી જ આપણે પુસ્તકની શરૂઆત કરીએ છીએ. પ્રસ્તુત છે આ લઘુનવલ “આફ્ટરશૉક”નો શ્રી અશોકભાઈ વૈષ્ણવ દ્વારા સુંદર પરિચય.


રાજેશ શેટ્ટી રચિત ‘લઘુ ગાથા’ સંગ્રહ : ગુચ્છ ૧ – અશોક વૈષ્ણવ 12

એવું લાગે કે કોઇ પણ વાત કહેવામાટે ૫૦ શબ્દોની મર્યાદા બહુ આકરી કહેવાય. પરંતુ,થોડી શિસ્ત અને થોડી સર્જનાત્મકતાનું યોગ્ય મિશ્રણ કરાય, તો ૫૦ શબ્દોમાં ઘણું કહી શકાય. આ લઘુ ગાથાઓ એ ૫૦ જ શબ્દોમાં કહેવાયેલ વાત છે – નહિ ૪૯ કે નહિ ૫૧, પરંતુ બરાબર ૫૦ જ. દરેક લઘુ ગાથા પોતાનો એક આગવો સંદેશ પ્રસ્તુત કરે છે. આજે પ્રસ્તુત છે શ્રી રાજેશ શેટ્ટી રચિત આવી જ લઘુગાથાઓના સંગ્રહમાંથી પ્રથમ 20 ગાથાઓનો શ્રી અશોકભાઈ વૈષ્ણવ દ્વારા અનુવાદ.


‘ઇશ્વર પરમાર – બહુઆયામી સર્જક’ (પુસ્તકસમીક્ષા) – અશોક વૈષ્ણવ 1

મૂળ રેવા, કચ્છના પણ વ્યવસાયને કારણે – જો કે ખરેખર તો એમ કહેવું જોઇએ કે ભેખ લઇને – દ્વારકા સ્થિર થયેલા ડૉ. ઇશ્વર પરમારનાં સાહિત્ય સર્જનને સંક્ષિપ્તમાં દસ્તાવેજીકરણ કરવાની દ્રષ્ટિએ ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડેવલપમૅન્ટ, ભુજ (કચ્છ) દ્વારા પ્રકાશીત અને શ્રી હરેશ ધોળકિયા દ્વારા સંકલિત પુસ્તિકા ‘ઇશ્વર પરમારઃ બહુઆયામી સર્જક’ ને વામન પગલાં સાથે સરખાવી શકાય. ડૉ.પરમાર જેવા સાધુચરીત સાંસારીક વ્યક્તિનાં તેમનાં ક્ષેત્રમાંનાં યોગદાનને એક જ છત્ર હેઠળ એકઠું કરવું તે દસ્તાવેજીકરણની દ્રષ્ટિએ મહત્વનું છે તેમાં તો બે મત ન હોઇ શકે. પરંતુ તેનું તેથી પણ વધારે મૂલ્ય એ વાતમાં રહેલું છે કે આ પુસ્તિકા, આવા ‘ખૂણે બેસીને કામ કરતા સર્જકો’નાં કામનો સીધો સંપર્ક સામાન્યતઃ તેની સાથે જેમનો સીધો સંપર્ક શક્ય નથી તેવા સમાજ સાથે, સાધી આપે છે.


The Spy Who Came in from The Cold : એક બેઠકે વાંચવી પડે તેવી જાસૂસી નવલકથા – અશોક વૈષ્ણવ 2

બીજાં વિશ્વયુધ્ધ પછી તે યુધ્ધમા આગળ પડતો ભાગ લીધેલા ખેલાડીઓ સામ્યવાદી અને બીનસામ્યવાદી એમ બે મુખ્ય છાવણીઓનાં શીતયુધ્ધમાં વહેંચાઇ ગયા હતા. આર્થિક દ્રષ્ટિએ બન્ને વિચારધારાઓનો વિરોધાભાસ રાજદ્વારી દ્રષ્ટિએ એકબીજા માટે શંકા અને શકના મસાલાને કારણે એટલો બધો ગૂઢ બની ગયો હતો કે નવલકથાકારોને તો તેમાંથી રોચક કથાવસ્તુનો ખજાનો લાધી ગયો હતો. અંગ્રેજી ભાષામાં શીતયુધ્ધના સમયની જાસુસી નવલકથાઓ એક મહત્વનો અને લોકપ્રિય સાહિત્ય પ્રકાર બની રહ્યો. આ પ્રકારનાં સાહિત્યની લોકપ્રિયતા તો તેના પરથી બનેલી ફિલ્મોની પણ એટલી જ ચાહનામાં પણ દેખાઇ આવે છે. આજે આપણે વાત કરીશું મે ૧૯૭૦ની આસપાસ પહેલી વાર અને તે પછીથી દરેક દશકામાં ઓછામાં ઓછી એક વાર તો જરૂર વાંચેલી એક અનોખી નવલકથા ‘The Spy Who Came in from The Cold’ ની.


વાંચે ગુજરાત કે ગુજરાતીનું વાંચન! (?) – અશોક વૈષ્ણવ 11

ગત સપ્તાહમાં અલગ અલગ જ્ગ્યાએ અલગ અલગ સંદર્ભમાં ‘વાંચન’ અને ‘ગુજરાતી’વિષે વાંચવાનો યોગ થયો. ગુજરાતીઓ “વાંચે” છે, વાંચનપ્રત્યેની તેમની આગવી અભિરૂચીઓ પણ છે અને આ વર્ગ સંખ્યાબળમાં સાવ નગણ્ય તો નથી જ તેમ તો જણાય જ છે. એટલે હવે તો ગુજરાતને વાંચતુ કરવા માટે કોઇપણ પ્રકાશનની સાઈટ પર જઇને કે નજદીકનાં વાંચનાલયમાં જઇ ને કે પછી સ્ટૉરમાં જઇને કે પછી પોતાનાં કોપ્યુટર કે ટૅબ્લૅટપર ઉતારીને સહેલાઇથી જે ઇચ્છો તે વાંચી શકો તેવી સગવડ હાથવેંત થવી જોઇએ. ગુજરાતી બાળકને નાનપણ અને કિશોરાવસ્થાથી જ અન્ય સ્પર્ધાત્મક પ્રવૃતિઓની સરખામણીમાં વાચનનું આકર્ષણ થાય તો તે વયથીજ વાંચનની ટેવ વિકસે. તે માટે ખાસ પ્રયત્નોપણ કરવા જોઇએ.