સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રમણલાલ સોની


ગલબો ગલબાખાન બને છે – રમણલાલ સોની 3

સિંહ સરકારના ગુસ્સાનો પાર નહોતો.

તેણે ભયંકર ગર્જના કરી કહ્યું, ‘બોલો, હવે કોણ બીડું ઝડપે છે?’

ટાબરો નામે ઉંદરડો એક ખૂણામાં બેઠો હતો. સાહસનો એ શોખીન હતો. કોઈ ઊઠતું નથી એ જોઈ એણે આગળ આવી બીડું ઝડપ્યું.

સિંહે કહ્યું, ‘અલ્યા તું? તું શું કરશે?’

ટાબરાએ કહ્યું, ‘હું શું કરું છું તે આપ જોજોને, મહારાજ! હું રીંછ અને વાંદરા જેવો મૂર્ખ નથી. હું એ દુષ્ટ ગલબાને જીવતો નહીં, તો મરેલો આપની કચેરીમાં હાજર કરીશ.’

સિંહે કહ્યું; ‘વાહ, તો દેખાડ તારું પરાક્રમ!’


એક પંખીની વારતા – રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની 13

આમ તો આ બાળવાર્તા કહેવાય, પણ મેનેજમેન્ટના કોઈ પણ ક્ષેત્રમાં ઉદાહરણરૂપ ગણી શકાય તેવી આ વાર્તા અનેક અર્થો દર્શાવી શકે તેમ છે, તારવી શકાય તેવું નવનીત આમાં ભારોભાર પડ્યું છે. અનેક વ્યવસ્થાઓ પરનો કટાક્ષ પણ આમાંથી સજ્જડ ચોટ આપતો છલકાય છે. બાળકોથી લઈને મોટેરાંઓ સુધી સહુને લાગૂ પડતી આ વાર્તા ખરેખર ફક્ત બાળવાર્તા થોડી છે !


અજામિલ – રમણલાલ સોની 2

માણસના મનમાં અણઘારી રીતે કેવા મોટા ફેરફાર થઈ જાય છે એ આ દ્રષ્ટાંત પરથી જણાય છે. દુઃખ અને મરવાકાળ વખતે માણસની દ્રઢતાની કસોટી થાય છે. જન્મ કે કુળને લીઘે નહિ પણ ગુણ ને લીઘે માણસમાં, બ્રાહ્મણત્વ આવે છે. ગમે તેવા દુષ્ટને માટે પણ ઉદ્ઘારની તક છે જ; એ પણ ઘારે તો ગુણીજનોમાં સ્થાન મેળવી શકે છે. માણસ ભૂતકાળ તરફ જોવાનું ભૂલી ભવિષ્ય તરફ જુએ, તો એવી નિરાશા દૂર થઈ જશે, ને ઊજમાળું હાસ્ય એના વદન પર ફરકતું થશે એમ અજામિલની કથા પરથી સ્પષ્ટ જણાય છે.