સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મનુભાઈ પંચોળી


પ્રસંગમાળાના મોતી – સંકલિત 3

‘વાંચનયાત્રાનો પ્રસાદ’ માંથી સાભાર લીધેલા પ્રસંગમાળાના ત્રણ મોતીરૂપ પ્રસંગો અત્રે પ્રસ્તુત કર્યા છે. સંપાદન શ્રી. મહેન્દ્ર મેઘાણીનું છે. શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’, શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ તથા શ્રી બબલભાઇ મહેતા દ્વારા આલેખાયેલા ત્રણ સુંદર તથા પ્રેરણાદાયક પ્રસંગોથી આ પ્રસંગમાળા શોભી રહી છે.


ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી – મનુભાઇ પંચોળી ‘દર્શક’ 3

શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’ દ્વારા લખાયેલું અને લોકમિલાપ ટ્રસ્ટ, શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા ખિસ્સાપોથી તરીકે પ્રસિધ્ધ કરાયેલું પુસ્તક “ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી” ખૂબ સુંદર રીતે આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને અંજલી અર્પતું સર્જન છે. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયર કહ્યા તે સન્માનને બિરદાવતો આ લેખ ખૂબ ચોટદાર છે. આ સાથે આ સુંદર પુસ્તિકામાં કેટલાક પ્રસંગો આલેખાયા છે જે આપણા સોરઠી ગ્રામજીવનની, આપણે જેને લોક તરીકે ઓળખીએ છીએ તેવા સામાન્ય માણસોની આગવી પ્રતિભા અને ખુમારીનું દર્શન કરાવી જાય છે.


ભણાવવું એટલે શું? – મનુભાઈ પંચોળી 6

ભણાવવું એટલે શું? ભણાવવુ એટલે જાણકારી આપવી અને સાથે મર્દાનગી આપવી આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શિખવવાનું છે. આપણા શિક્ષણ માંથી, સાહિત્યમાં થી એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી સામાન્ય માણસ ઉઠીને ઉભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે શિક્ષણનું ખરૂં કામ આ છે ભણેલો માણસ શૂરવીર હોય સેવા પણ એને માટે જ છે સેવા માંથી મર્દાનગી પ્રગટ થવી જોઈએ સામાન્ય માણસમાં નૂર પ્રગટવુ જોઈએ શિક્ષણ, સાહિત્ય અને સેવા, જે કરવાનું છે તે આ છે શિક્ષણ ખાતર શિક્ષણ નહીં સાહિત્ય ખાતર સાહિત્ય નહીં સેવા ખાતર સેવા નહીં તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ માણસ બેઠો થવો જોઈએ આવી તાકાત જો ન નીપજતી હોય તો શિક્ષણ – સાહિત્ય – સેવા બધુંય નકામું  – મનુભાઈ પંચોળી