સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જગદીપ ઉપાધ્યાય


શ્રી જગદીપ ઉપાધ્યાય દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૨ (Audiocast) 5

અક્ષરનાદ અક્ષરપર્વની શોભામાં અભિવૃદ્ધિ કરવા તદ્દન સહજતાથી અને મિત્રભાવે કાવ્યપઠન માટે સંમતિ આપનાર શ્રી જગદીપભાઈ ઉપાધ્યાયની કલમને, તેમના જ સ્વરોમાં આજે આપ સૌની સાથે વહેચી રહ્યો છું. તેમણે અક્ષરપર્વમાં પ્રસ્તુત કરેલી ત્રણેય રચનાઓ વિષય વિવિધતાને લીધે તો વિશેષ ખરી જ, પણ એ ત્રણેય પોતાના વિષયાનુગત ક્ષેત્રમાં પણ એટલીજ સજ્જડ અને શ્રેષ્ઠ પુરવાર થાય તેવી સુંદર થઈ છે. ‘છાલક’ સામયિકને ખૂબ જ ટૂંક સમયમાં એક પ્રતિષ્ઠિત સામયિકને છાજે એવી સરસ રીતે માવજત આપનાર જગદીપભાઈનો અક્ષરનાદના આ પર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને સુંદર રચનાઓ વડે શ્રોતાઓને તરબતર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આજે પ્રસ્તુત છે એ દિવસે તેમણે પ્રસ્તુત કરેલી ત્રણ રચનાઓ અક્ષરદેહે તેમજ તેમના સ્વરમાં.


દીકરા ! – જગદીપ ઉપાધ્યાય 13

નર્મદ સાહિત્યસભા સૂરત અંતર્ગત આયોજિત કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૨ સને ૨૦૦૯ – ૧૦ માં કુલ ૩૧૭ વાર્તાઓ આવી હતી. અહીં ગુજરાત, ગુજરાત બહાર અને વિદેશથી પણ વાર્તાકારોએ ઉમળકાથી ભાગ લીધો હતો. આ જ વાર્તાઓમાંથી શ્રી જગદીપ ઉપાધ્યાયની ‘દીકરા !’ આજે સાભાર અહીં પ્રસ્તુત કરી છે. ‘દીકરા !’ એક અનોખી આભા સર્જતી વાર્તા છે, વાર્તાની બાંધણી જેટલી ચોક્કસ છે એટલો જ વાર્તાપ્રવાહ સતત છે. વાર્તાના ઉઘાડ વખતે વાચકના મનમાં સર્જાયેલા દ્રશ્ય ચિત્રના અંત સુધી પહોંચતા ભૂક્કા થઈ જાય એવી સજ્જડ કારીગરી લેખકે કરી છે. વાર્તાનો અંત ફૂલગુલાબી નથી, પણ જિંદગીની વાર્તાઓમાં ખાધું, પીધું અને રાજ કર્યું જેવા સુખદ અંત દરેક વખતે હોતા નથી. કથાવસ્તુ સત્યની લગભગ અડીને ચાલે છે, અને વાંચકને તેના પ્રભાવમાં અંત સુધી જકડી રાખે છે.